Skip to main content

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ


<p style="text-align: justify;" data-path-to-node="4"><strong>Tiranga Yatra:</strong> ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા 'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત ભવ્ય રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.</p> <p style="text-align: justify;" data-path-to-node="4"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node="5">આ ભવ્ય યાત્રામાં અંદાજે 25,000 જેટલા ઉત્સાહી નાગરિકો સહભાગી થયા હતા. યાત્રા શહેરના ગ-6 સર્કલથી પ્રસ્થાન કરી, ઘ-6 સર્કલ અને ચ-6 સર્કલ થઈને નમસ્તે સર્કલ ખાતે સંપન્ન થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો જોડાયા હતા. યાત્રામાં જોડાયેલા તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ તેમજ દેશના વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના આકર્ષક કટઆઉટ્સ જોવા મળ્યા હતા.</p> <p style="text-align: justify;" data-path-to-node="5"><a title="આ પણ વાંચો...હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ" href="https://ift.tt/Y5rXHMt" target="_self">આ પણ વાંચો...હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ</a></p> <p style="text-align: justify;" data-path-to-node="6">યાત્રાના સમગ્ર રૂટ પર દેશભક્તિની થીમ આધારિત વિશેષ બ્રાન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, માર્ગમાં યાત્રાના સ્વાગત માટે આઠ વિશેષ સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.</p> <h3 data-path-to-node="9">મુખ્યમંત્રી જશે અમેરિકા પ્રવાસે</h3> <p data-path-to-node="11">જાન્યુઆરી 2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ સમિટના પ્રચાર-પ્રસાર અને રોડ-શો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવનારી 16 સપ્ટેમ્બરથી અમેરિકા અને કેનેડાના 10 દિવસના વિદેશ પ્રવાસે જઈ રહ્યું છે.</p> <p data-path-to-node="12">આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અને તેમની ટીમ બિઝનેસ રોડ-શો તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકોમાં ભાગ લેશે. તેઓ ખાસ કરીને સેમિકન્ડક્ટર, ફિનટેક, રિન્યુએબલ એનર્જી અને આઈટી (IT) ક્ષેત્રના વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા અને વાયબ્રન્ટ સમિટ 2027માં સહભાગી થવા માટે સત્તાવાર આમંત્રણ આપશે.</p> <p data-path-to-node="13">નોંધનીય છે કે, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની આ પ્રથમ અમેરિકા મુલાકાત છે. આ પહેલાં ત્રણ દાયકા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ યુએસના પ્રવાસે ગયા હતા. આ 30 વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાતના કોઈ મુખ્યમંત્રી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી અને મુખ્ય સચિવના વીઝા સહિતની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...