Skip to main content

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે


<p style="text-align: justify;" data-path-to-node="4"><strong>Independence Day 2026:</strong> દેશ આજે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે 80મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું અને રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.</p> <h3 style="text-align: justify;" data-path-to-node="5"> </h3> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <h3 style="text-align: justify;" data-path-to-node="5">'ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું'</h3> <p style="text-align: justify;" data-path-to-node="6">ધ્વજવંદન બાદ રાજ્યજોગ સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે અને 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત જ અગ્રસર રહીને લીડ લેશે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે આધુનિકતા અને આધ્યાત્મિકતાની સાથે વિકાસ અને વિરાસતના સંગમને વિકસિત ગુજરાતનો મુખ્ય આધાર બનાવ્યો છે. આજે સમગ્ર વિશ્વ એક નવી આશા સાથે ભારત તરફ જોઈ રહ્યું છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="6"><a title="આ પણ વાંચો...ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો" href="https://ift.tt/0kzaTfD" target="_self">આ પણ વાંચો...ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો</a></p> <h3 style="text-align: justify;" data-path-to-node="7">રાજ્ય સરકારની મુખ્ય સિદ્ધિઓ અને કટિબદ્ધતા</h3> <p style="text-align: justify;" data-path-to-node="8">પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ ગરીબો, યુવાનો, અન્નદાતા (ખેડૂતો) અને નારી શક્તિને વિકસિત ભારતના મજબૂત સ્તંભ ગણાવ્યા હતા:</p> <ul> <li data-path-to-node="9,0,0"><strong data-path-to-node="9,0,0" data-index-in-node="0">ખેડૂત કલ્યાણ:</strong> ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે હવે દિવસે પણ વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.</li> <li data-path-to-node="9,1,0"><strong data-path-to-node="9,1,0" data-index-in-node="0">જળ સંચય અને પર્યાવરણ:</strong> વિકાસની સાથે પર્યાવરણ જાળવણીનો અભિગમ અપનાવાયો છે. વરસાદી પાણીના સંચયથી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવ્યા છે.</li> <li data-path-to-node="9,2,0"><strong data-path-to-node="9,2,0" data-index-in-node="0">દરિયાશક્તિ અને પોર્ટ્સ:</strong> ગુજરાતના બંદરો સમગ્ર દેશની સમૃદ્ધિના પ્રવેશદ્વાર બન્યા છે, અને દરિયાશક્તિને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો છે.</li> <li data-path-to-node="9,3,0"><strong data-path-to-node="9,3,0" data-index-in-node="0">આવાસ અને આરોગ્ય:</strong> રાજ્યમાં 16 લાખથી વધુ ગરીબ પરિવારોને પોતાના ઘરનું ઘર મળ્યું છે, જ્યારે 10,300 થી વધુ 'આરોગ્ય મંદિરો' કાર્યરત કરવામાં આવ્યા છે.</li> </ul> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">LIVE: અમરેલી ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આયોજિત ધ્વજવંદન સમારોહ. <a href="https://x.com/hashtag/IndiaIndependenceDay?src=hash&ref_src=twsrc%5Etfw">#IndiaIndependenceDay</a> <a href="https://t.co/J28ntmeLCa">https://t.co/J28ntmeLCa</a></p> — CMO Gujarat (@CMOGuj) <a href="https://ift.tt/8zPHU9A 15, 2026</a></blockquote> <p> <script src="https://ift.tt/IuSofKr" async="" charset="utf-8"></script> </p> <h3 style="text-align: justify;" data-path-to-node="11">આકર્ષક પરેડ, રાઇફલ ડ્રીલ અને સાહસિક શૉ</h3> <p style="text-align: justify;" data-path-to-node="12">ધ્વજવંદન બાદ અમરેલીના પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મહિલા જવાનોની અદભુત રાઇફલ ડ્રીલે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો અને યોગ પ્રદર્શન, સાહસિક બાઈક સ્ટંટ શૉ અને શ્વાન દળ દ્વારા 'ડોગ-શૉ', અશ્વદળ દ્વારા યોજાયેલ આકર્ષક 'માઉન્ટેડ અશ્વ-શૉ' એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અમરેલી ખાતેના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત, રાજ્યના અન્ય તમામ જિલ્લા મથકોએ પણ રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓની અધ્યક્ષતામાં ઉત્સાહભેર ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...