Skip to main content

Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 


<p><strong>Gujarat Rain:</strong> રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ  રહેશે.  23 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં માધ્યમ વરસાદ વરસી શકે છે.  દક્ષિણ ગુજરાતમાં બે થી ત્રણ જિલ્લાઓમાં વરસાદને લઈ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=REd_kbobXO6YgwJm" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>હવામાન વિભાગની આગાહી અનુસાર, સુરત, નવસારી,  દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 4 દિવસ સુધી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય છે.   હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.       </p> <p><strong>રાજ્યમાં આ સિઝનમાં સામાન્ય કરતા સરેરાશ 1 ટકા ઓછો વરસાદ</strong></p> <p>રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 510.5 mm વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદ 518 MM હોવા જોઈએ. એટલે રાજ્યમાં આ સિઝનમાં સામાન્ય કરતા સરેરાશ 1 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.  રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સિઝનના સરેરાશ વરસાદની સરખામણીએ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં આ સિઝનમાં સામાન્ય કરતા માત્ર 1 ટકા જેટલો જ ઓછો વરસાદ નોંધાયો છે, જે ખેતી અને જળાશયો માટે એકંદરે સંતોષકારક સ્થિતિ કહી શકાય. </p> <p><strong>રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી</strong></p> <p>હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના વિરામ પાછળ અલનીનોની અસર જોવા મળી રહી છે. જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત કચ્છ, વાવ-થરાદ અને બનાસકાંઠામાં ઓછો વરસાદ થયો છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી આવતા સુકા પવનોના કારણે પણ વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. જોકે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સંભાવના છે. સાથે જ સપ્ટેમ્બરની શરૂઆતથી ઉત્તર ભારતમાં ચોમાસાની વિદાય શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.</p> <p><strong>ઓડિશામાં વરસાદનું રેડ એલર્ટ</strong></p> <p>છત્તીસગઢમાં પણ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તરાખંડ, પૂર્વી મધ્ય પ્રદેશ માટે પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...