Skip to main content

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર


<p><strong>Gujarat Rain Forecast:</strong>ગુજરાતમાં આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે. 6 જિલ્લામાં અતિભારે તો 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. નોંધનિય છે કે,  મધ્યપ્રદેશના વિદર્ભ વિસ્તારમાં બનેલા ડિપ્રેશન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સક્રિય ટ્રફના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p><strong>આ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ </strong></p> <ul> <li>અમદાવાદ</li> <li> આણંદ</li> <li>બોટાદ</li> <li>ભાવનગર</li> <li>રાજકોટ</li> <li>સુરેન્દ્રનગર </li> </ul> <p>હવામાન વિભાગે આજે રાજ્યના અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</p> <p><strong>આ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર </strong></p> <ul> <li>કચ્છ</li> <li>મોરબી</li> <li>અમરેલી</li> <li>ભરૂચ</li> <li>અરવલ્લી</li> <li>ગાંધીનગર</li> <li>સાબરકાંઠા</li> <li>મહેસાણા</li> <li>પાટણ</li> <li>બનાસકાંઠા</li> </ul> <p>વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતી હોવાથી ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે ઉપરોક્ત જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. નોંધનિય છે કે ગાજવીજ સાથે વરસાદ વરસવાની સાથે પવનની ગતિ પણ વધી શકે છે. 50 કિમીની ઝડપે પવન ફુંકવાની સાથે આ 10 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે ઓરેંજ  એલર્ટ જાહેર કર્યું છે. </p> <p><strong>આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ </strong><br />દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ, ભાવનગર સિવાય સૌરાષ્ટ્રના તમામ કોસ્ટલ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ અમલમાં છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે" href="https://ift.tt/bkr7zTp" target="_self">ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે</a></strong></p> <p>હવામાન વિભાગના અનુમાન મુજબ રવિવારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેશે, જ્યારે સોમવારથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. તેથી આગામી બે દિવસ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને મુસાફરી કરતા લોકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.</p> <p>નોંધનિય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાંવરસાદ નોંધાયો  છે. 13 તાલુકામાં 10થી 24 ઈંચ તો 37 તાલુકાઓમાં  પાંચથી 10 ઈંચ વરસાદ વરસ્યો છે. 84 તાલુકાઓમાં 2થી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.  સાથે જ 41 તાલુકાઓમાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે. </p> <p>રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની શક્યતાને લઈને શનિ અને રવિવારના યોજાનારી મોટાભાગની પરીક્ષાઓ  પાછી ઠેલાઈ છે. ધો. 11-12ના શિક્ષક માટેની TAT-HSની મેઈન્સ 2 ઓગષ્ટના બદલે 8 ઓગષ્ટે લેવાશે  તો GPSCની વિવિધ 24 પ્રકારની આજે લેવાનારી પરીક્ષાઓ 9 ઓગષ્ટના લેવાશે.</p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...