Skip to main content

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ


<p><strong>Gujarat Weather :</strong>  રાજ્યમાં અલનીનોની અસરના કારણે આ વર્ષે સિઝનમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. જો કે ગુજરાત રિજ્યનમાં તેમ છતાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને પૂર્વ ગુજરાતમાં હળવો અને કેટલીક જગ્યા મધ્યમ વરસાદ નોંધાયો છે. જાણીએ આગામી દિવસોમાં રાજ્યમાં કેવું હવામાન રહેશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશના વિસ્તારો પર ખૂબ ગાઢ વાદળો છે. અહીં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં પણ અહીં સારો વરસાદ પડશે, ગુજરાતની વાત કરીએ તો હજુ  ગુજરાત રિજ્યનમાં હળવો વરસાદ થતો રહેશે પરંતુ કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા ઓછી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.  ટૂંકમાં એવી કોઇ પ્રબળ સિસ્ટમ હાલ નથી જેના કારણે ગુજરાતમાં ધોધમાર  વરસાદ વરસશે, હાલ સ્થિતિને જોતા 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં  ભારે વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 25 બાદ એક સિસ્ટમ સર્જાઇ શકે છે અને તેનાથી ગુજરાતમાં ફરી સારો વરસાદ વરસશે તેવી આશા સેવાઇ રહી છે. </p> <p><strong>ક્યાં પડશે વરસાદ </strong><br />હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ. વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ખેડામાં વરસાદ વરસી શકે શકે છે. તેવી જ રીતે હળવા વરસાદી ઝાપટાં, વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા, પાટણ,  ગાંધીનગર,અમદાવાદમાં પણ પડી શકે છે. આ સાથે ગીર સોમાથ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર,અમરેલી, જૂનાગઢમાં દિવસ અને રાત દરમિયાન છૂટછવાયો હળવો વરસાદ પડી શકે છે.</p> <p>હવામાન વિભાગના અનુમાન મુજબ  આગામી એક સપ્તાહ દરમિયાન અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસવાની આગાહી છે.  મહિસાગર, દાહોદ અને છોટાઉદેપુર તેમજ નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત, સંઘપ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ડિપ્રેશન સક્રિય છે. સાથે જ મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નહિ પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે  વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.<br /> </p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...