Gujarat: ગુજરાતમાં દારૂબંધી મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા?

<p><strong>સોમનાથ:</strong> &nbsp;રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભગવાન શંકરના દર્શન માટે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ &nbsp;પત્રકારો સાથે &nbsp;રાજ્યમાં દારુબંધીને લઈ વાતચીત કરી હતી. &nbsp;આ દરમિયાન તેમણે મોટું નિવેદન આપ્યું છે.&nbsp;</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=whEuQMi0ELDuhxkg" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>ગુજરાતમાં દારૂબંધી મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન</strong></p>
<p>ભાવનગરમાં લઠ્ઠાકાંડને કારણે 13 લોકોના મોત થયા છે. નકલી દારુ પીવાથી 13 લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હવે લઠ્ઠાકાંડ અને દારુબંધી પર સોશિયલ મીડિયામાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતમાંથી કેટલાક લોકો દારુબંધી હટાવવાની પણ માંગ કરી રહ્યા છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દારુબંધી મામલે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું &nbsp;કે, દારૂબંધી હટાવવાથી સરકારને હજારો કરોડની આવક થાય એમ છે પરંતુ આપણે આવક સામે જોયું નથી. ગુજરાતની સલામતી અને સામાજીક સમરસતા માટે દારૂબંધી છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા દારૂબંધીને કારણે જ મજબૂત છે. મોટાભાગના ગુજરાતીઓ દારૂબંધીના સમર્થનમાં છે. નીતિન પટેલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના દારૂબંધી હટાવવાના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું હતું.&nbsp;&nbsp;</p>
<p data-path-to-node="3"><strong data-path-to-node="3" data-index-in-node="0">GEN-Z આંદોલન મુદ્દે નીતિન પટેલનું નિવેદન</strong></p>
<p data-path-to-node="4">રાજ્યમાં ચાલી રહેલા GEN-Z આંદોલન મુદ્દે પ્રતિક્રિયા આપતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, "આંદોલન તો આઝાદી વખતે પણ થતા હતા અને આંદોલન આઝાદી બાદ પણ થયા છે. ગુજરાતમાં જ્યારે નવનિર્માણ આંદોલન થયું હતું તે સમયે હું પણ જોડાયો હતો. GEN-Z માત્ર એક નવો શબ્દ આવ્યો છે." તેમણે ઉમેર્યું કે યુવાઓ જ્યારે કોઈ વિચાર, પ્રેરણા કે પ્રોત્સાહન મળે છે ત્યારે આંદોલન કરતા હોય છે. આ સાથે તેમણે સરકારને પણ સલાહ આપતા કહ્યું કે, સામે પક્ષે સરકારે પણ યુવાનોને પ્રેમથી સમજાવીને આંદોલન સમેટવું જોઈએ. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે દિલ્હીના જંતર-મંતર ખાતે પણ સરકારે સમજદારીપૂર્વક આંદોલનનો અંત લાવ્યો હતો.</p>
<p>ભાવનગરમાં 'નકલી દારૂ' પીવાના કારણે 13 &nbsp;લોકોનાં મોત થયાં છે. ભાવનગરમાં બનેલી આ ઘટનાથી ફરી રાજ્યમાં દારૂ અને કેમિકલ અંગે ચર્ચા શરૂ થઈ છે.&nbsp;</p>
<h4 data-path-to-node="6">રાજ્યભરમાં મીથેનોલના વિતરકો પર તપાસનો ધમધમાટ</h4>
<p data-path-to-node="7">ભાવનગરમાં લઠ્ઠાકાંડ મીથેનોલના કારણે થયો હોવાનું સામે આવ્યા બાદ પોલીસ, નશાબંધી અને આબકારી વિભાગે સતર્કતા વધારી દીધી છે: &nbsp;મીથેનોલના ઔદ્યોગિક વપરાશ અને વિતરણ અંગે સમગ્ર રાજ્યમાં દરોડા અને તપાસ શરૂ કરાઈ છે. ગુજરાતમાં મીથેનોલના આશરે 1500 જેટલા લાઈસન્સ ધરાવતા વિતરકો છે. આ તમામ વિતરકોના લાઈસન્સ, આવક-જાવકનો જથ્થો અને વર્તમાન સ્ટોકની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. &nbsp;ભવિષ્યમાં આવી કોઈ ઘટના કે લઠ્ઠાકાંડ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સાર્વત્રિક નજર રાખવામાં આવી રહી છે.&nbsp;</p>
Comments
Post a Comment