Skip to main content

Posts

Showing posts from September, 2026

શાહુકારોના લાયસન્સ રદ થતા રાજુ કરપડાની સ્પષ્ટતા, કહ્યું - ‘મેં પોતે જ લાઈસન્સ...’

<p><strong>Surendranagar news:</strong> સુરેન્દ્રનગર જિલ્લામાં નાણાં ધીરધારનો વ્યવસાય કરતા શાહુકારો સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા અને સમયસર કાર્યવાહી ન કરનારા 79 જેટલા શાહુકારોના લાયસન્સ એકસાથે રદ કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કડક કાર્યવાહીમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ 79 શાહુકારોની યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન રાજુ કરપડાનું નામ પણ સામેલ છે અને તેમનું પણ નાણાં ધીરધારનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.</p> <p>પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા નાણાં ધીરધારનો વ્યવસાય કરવા માટે આપવામાં આવેલા લાયસન્સની કાયદેસરની અવધિ પૂર્ણ થઈ ગઈ હતી. મુદત પૂરી થવા છતાં અનેક શાહુકારોએ પોતાના લાયસન્સ રિન્યુ કરાવ્યા ન હતા. આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આવા તમામ લાયસન્સ ધારકોને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસમાં તેઓને લાયસન્સ રિન્યુ કરાવવા અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા...