Skip to main content

Gujarat Rain | દશેરાના દિવસે ગુજરાતમાં ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ, જુઓ અહેવાલ


<p>Gujarat Rain | દશેરાના દિવસે ગુજરાતમાં ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ, જુઓ અહેવાલ</p> <p>સુરત શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. સામાન્ય વરસાદમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. વેસુ વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. ભગવાન મહાવીર કોલેજની પાસે ભરાયેલા પાણીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાય ગયા છે.</p> <p>ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ધૂધમાર વરસાદ પડ્યો છે. સવારથી ડાકોરમાં વાદળ છાયું વાતાવરણ હતું. બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદને લઈ ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. ડાકોરની બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. કેટલીક દુકાનોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. મંદિરના મુખ્ય દ્વાર પાસે પાણી ભરાતા દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.</p> <p>જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છે. માળિયાહાટીના શહેર અને તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો છે. માળિયાહાટીના શહેરના મહારાણા પ્રતાપ ચોક, કેશોદ રોડ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો તાલુકાના આંબેચા, ગલોદર સહિતના ગામોમાં વરસાદ સતત વરસી રહ્યો છે. વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. હવામાન વિભાગે આજે અને આવતી કાલે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. કેશોદ શહેરમાં પણ સમી સાંજે વરસાદ પડ્યો છે. કેશોદના નવદુર્ગા ચોક, માંગરોલ રોડ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.</p> <p>અમરેલી શહેર અને આસપાસના ગામોમાં ધૂધમાર વરસાદ પડ્યો છે. સવારથી જ અમરેલીમાં બાદળછાયું વાતાવરણ હતું. સમી સાંજે ધૂધમાર વરસાદ વરસ્યો. અમરેલી શહેરની બજારોમાં બરસાદી પાણી વહેતા થયા છે. અમરેલી જિલ્લામાં સતત વરસતા વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.</p> <p>જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. જામનગરના કાલાવાડ નીકાવામાં વરસાદ વરસ્યો છે.</p> <p>સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતી કાલે પોરબંદર, જૂનાગઢ, ગીર, સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.</p> <p>હવામાન વિભાગના મતે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. જો કે દક્ષિણ ગુજરાતમાં હજુ ચોમાસાએ વિદાય નથી લીધી. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 139% વરસાદ વરસી ચૂક્યો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...