
<p><strong>Mehsana News:</strong> ગુજરાતના મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત થયા છે. કેટલાક દબાયેલા મજૂરોને બહાર કાઢવાનું કામ ચાલુ છે. દુર્ઘટના જસલપુર નજીકના ગામમાં થઈ છે. નિર્માણાધીન કંપનીમાં દીવાલ બનાવતી વખતે માટી ધસી પડી, જેની નીચે કામ કરી રહેલા મજૂરો દબાઈ ગયા. ઘટનાસ્થળે પાંચથી વધુ એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ હાજર છે.</p> <p>આ અકસ્માતમાં 7 મજૂરોના મોત થયા છે જેમાં 7 દાહોદ જિલ્લાના ઝાલોદના વતની છે જ્યારે 2 રાજસ્થાનના વસાવડા જિલ્લાના વતની છે.</p> <p>આ દુર્ઘટના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જસલપુર ગામ નજીક થઈ, જ્યાં એક ખાનગી કંપનીની દીવાલ બનાવતી વખતે માટી ધસી પડવાથી ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઘટનાસ્થળે પોલીસ બળ તૈનાત છે.</p> <p>માહિતી અનુસાર નિર્માણાધીન સ્ટીલ કંપનીમાં કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ભૂસ્ખલન થઈ ગયું. ઘટનાસ્થળે પાંચ એમ્બ્યુલન્સ હાજર છે. હાલ JCBની મદદથી મજૂરોને બહાર કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મજૂરોના મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે.</p> <p>કડી થાણાના નિરીક્ષક પ્રહ્લાદ સિંહ વાઘેલાએ જણાવ્યું કે જસલપુર ગામમાં એક ફેક્ટરી માટે ભૂગર્ભ ટાંકી બનાવવા માટે ઘણા મજૂરો ખાડો ખોદી રહ્યા હતા, ત્યારે માટી ધસી પડી અને તેઓ જીવતા દટાઈ ગયા.</p> <p>આ મામલે પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ કેન્દ્ર સરકારે મૃતકો અને ઘાયલો માટે સહાયની જાહેરાત કરી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">गुजरात के मेहसाणा में दीवार गिरने से हुई दुर्घटना अत्यंत दुखद है। इसमें जिन्होंने अपनों को खोया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर उन्हें इस पीड़ा को सहन करने का संबल प्रदान करे। इसके साथ ही मैं घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में…</p> — PMO India (@PMOIndia) <a href="https://twitter.com/PMOIndia/status/1845061306493304939?ref_src=twsrc%5Etfw">October 12, 2024</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>પીએમઓ ટ્વીટ કર્યું કે, “ગુજરાતના મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાથી થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાયમાં રોકાયેલ છે: પીએમ”</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">An ex-gratia of Rs. 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Mehsana, Gujarat. Rs. 50,000 would be given to those injured. <a href="https://ift.tt/OJbCXD9> — PMO India (@PMOIndia) <a href="https://twitter.com/PMOIndia/status/1845063453654057074?ref_src=twsrc%5Etfw">October 12, 2024</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>સહાયની જાહેરાત કરતાં પીએમઓએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં મૃતકના નજીકના સંબંધીઓને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.</p> <p>આ પણ વાંચોઃ</p> <p><a href="https://ift.tt/TRqAcEU Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય</a></p>
Comments
Post a Comment