Skip to main content

બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ


<p><strong>Lathi Taluka Panchayat Election:</strong> અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતોના પ્રમુખોની આવતીકાલે વરણી થવા જઈ રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા લાઠી તાલુકા પંચાયતની થઈ રહી છે. અહીં રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. લાઠીમાં સ્પષ્ટ બહુમતી ભાજપ પાસે હોવા છતાં, પ્રમુખ પદની ખુરશી પર આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર બેસે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રમુખ પદ OBC મહિલા માટે અનામત હોવાથી, ભાજપે પોતાના પક્ષમાં યોગ્ય ઉમેદવાર ન હોવાથી 'ઉછીના ઉમેદવાર' તરીકે AAP ના મહિલા સભ્યને ટેકો આપીને ફોર્મ ભરાવ્યું છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ભાજપ, કોંગ્રેસ તેમજ AAP વચ્ચે સીધો જંગ જામ્યો છે.</p> <p>લાઠી તાલુકા પંચાયતનું સંખ્યાબળ જોઈએ તો કુલ સભ્યોમાંથી 10 સભ્યો ભાજપના, 4 AAP ના અને 2 કોંગ્રેસના ચૂંટાયેલા છે. આંકડાકીય રીતે ભાજપ પાસે મજબૂત બહુમતી છે, પરંતુ આ વખતે પ્રમુખ પદ OBC મહિલા માટે અનામત છે. ભાજપના 10 સભ્યોમાંથી કોઈ OBC મહિલા સભ્ય ન હોવાથી પાર્ટી મૂંઝવણમાં મુકાઈ હતી. આનો રસ્તો કાઢતા ભાજપે સભાડિયા બેઠક પરથી ચૂંટાયેલા AAP ના મહિલા સભ્ય રમીલાબેન કુનકીયા સાથે ગઠબંધન કરી લીધું છે અને ભાજપના ટેકાથી રમીલાબેને પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ભાજપના આ રાજકીય દાવથી આમ આદમી પાર્ટી નારાજ છે. AAP ના મહામંત્રીએ સીધો આરોપ લગાવ્યો છે કે ભાજપે તેમના મહિલા સભ્યને હાઈજેક કરીને પોતાની તરફ ખેંચી લીધા છે. જોકે, આમ આદમી પાર્ટીએ હાર માન્યા વગર પોતાના તરફથી સત્તાવાર રીતે ક્રિષ્નાબેન ખુમાણને પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/jamnagar-lalpur-taluka-panchayat-bjp-divyaaba-president-aap-far-from-power-980826">જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?</a></strong></p> <p>બીજી તરફ, આ રાજકીય ખેંચતાણમાં કોંગ્રેસ પણ પાછળ રહી નથી. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીને ચૂંટણીમાં હરાવીને ચર્ચામાં આવેલા કોંગ્રેસના સભ્ય શાંતાબેન ડેરે પણ પ્રમુખ પદ માટે પોતાનું ફોર્મ ભર્યું છે.</p> <p>ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સાંસદ ભરત સુતરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ચેતન શિયાળ, કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમ્મર અને AAP ના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવે આવતીકાલે લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપ પ્રેરિત AAP ઉમેદવાર, મૂળ AAP ઉમેદવાર અને કોંગ્રેસ વચ્ચે રસપ્રદ ત્રિપાંખિયો જંગ ખેલાશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...