Skip to main content

અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે


<p><strong>Ambalal Patel Weather Forecast:</strong> ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. તેમની નવી આગાહી મુજબ, રાજ્યમાં બહુ જલ્દી પ્રિ-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. આગામી 29 મેથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જેનાથી તાપમાનનો પારો નીચે જશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે. આ ઉપરાંત, કેરળમાં ચોમાસાની એન્ટ્રી અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તારીખો અંગે પણ તેમણે મહત્વપૂર્ણ અંદાજ વ્યક્ત કર્યો છે.</p> <p><strong>રોહિણી નક્ષત્ર બેસતા જ શરૂ થશે વરસાદ</strong></p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 મે એટલે કે કાલથી રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. આ નક્ષત્ર ઉતરતાની સાથે જ વાતાવરણમાં મોટો પલટો આવશે અને રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસવાનું શરૂ થઈ જશે. ખાસ કરીને 29 મેથી લઈને 8 જૂન વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે.</p> <p>તેમણે જણાવ્યું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 1 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ 1 ઈંચ સુધીનો પ્રિ-મોનસૂન વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>આજે સાંજે આ વિસ્તારોમાં પલટાશે વાતાવરણ</strong></p> <p>આજના હવામાન અંગે વાત કરીએ તો, આજે સાંજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 10 થી 15 મીમી જેટલો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી છાંટા પડી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આજથી જ રાજ્યમાં પવનની ગતિમાં વધારો જોવા મળશે. આશરે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. આ વાદળછાયા વાતાવરણ અને તેજ પવનના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત અનુભવાશે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/extremely-heavy-rainfall-alert-imd-weather-monsoon-update-dust-storm-980917">આ રાજ્યોમાં 30 મે સુધી દેશમાં ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ</a></strong></p> <p><strong>જૂન મહિનામાં ક્યાં-ક્યાં પડશે વરસાદ?</strong></p> <p>જૂન મહિનાની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે 8 જૂન પછી સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં માવઠા સ્વરૂપે ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે 7 જૂન સુધીમાં સાબરકાંઠા અને પંચમહાલ પંથકમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ જૂન મહિનામાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ અને આણંદમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p> <p>ખેડૂતો માટે સારા સમાચાર આપતા અંબાલાલ પટેલે ચોમાસાના આગમન અંગે પણ મોટી વાત કરી છે. તેમના અનુમાન મુજબ 26 મેથી લઈને જૂનની શરૂઆત સુધીમાં ચોમાસું કેરળ પહોંચી જશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...