Skip to main content

તહેવારોની ઉજવણી થઈ મોંઘી, ખાંડ બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો 


<p>મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે હવે તહેવારોની ઉજવણી મોંઘી થઈ છે. ખાંડના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલોને પાર થયા બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. હાલ શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસાદમાં ધરાવાતા લાડુથી માંડીને અનેક આઈટમોમાં વપરાતા કિસમીસના ભાવમાં 80 ટકાનો વધારો નોંધાયો છે. તો બદામના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો થયો હતો. કિસમીસના ભાવ પ્રતિ કિલો 250થી વધીને 450 રૂપિયા પહોંચી ગયા છે. તો બદામના ભાવ જે એક સપ્તાહ પહેલા 1 હજાર હતા તેના ભાવ 1200 થઈ ગયા છે. તો એલચીનો ભાવ 3500 રૂપિયા પ્રતિ કિલો હતો તે વધીને 4500 રૂપિયા થઈ ગયા છે. પિસ્તાનો ભાવ 1800થી વધીને 2200 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=sc943QJR5SXO7Drj" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ડ્રાયફ્રુટના ભાવમાં 20થી 80 ટકાનો વધારો</strong></p> <p>જન્માષ્ટમીના તહેવારો પહેલા ખાંડના ભાવમાં વધારા બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. ખાસ કરીને કિસમીસ, બદામ, પિસ્તા, એલચીના ભાવ વધતા સામાન્ય પરિવારના બજેટ પર વધારાનો બોજ આવ્યો છે. ડ્રાયફ્રુટમાં સૌથી મોટો ભાવવધારો કિસમીસમાં જોવા મળ્યો છે. કિસમીસનો ભાવ અગાઉ પ્રતિ કિલો રૂ.250 આસપાસ હતો, જે હવે વધીને રૂ.450 સુધી પહોંચી ગયો છે. એટલે કે કિસમીસના ભાવમાં અંદાજે 80 ટકાનો વધારો થયો છે. બદામના ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય બદામનો ભાવ એક સપ્તાહ પહેલા પ્રતિ કિલો રૂ.1,000 આસપાસ હતો, જે હવે વધીને રૂ.1,200 થયો છે. </p> <p><a title="આ પણ વાંચોઃ Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા" href="https://ift.tt/F5dg8w3" target="_self">આ પણ વાંચોઃ Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા</a></p> <p><strong>પિસ્તા અને એલચીના ભાવમાં પણ વધારો</strong></p> <p>પિસ્તાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ પ્રતિ કિલો રૂ.1,800માં મળતા પિસ્તા હવે રૂ.2,200 સુધી પહોંચી ગયા છે. જ્યારે એલચીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. એલચીનો ભાવ અગાઉ રૂ.5,800 પ્રતિ કિલો હતો, જે વધીને રૂ.6,400 થયો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ડ્રાયફ્રુટની માંગ વધે છે. આવી સ્થિતિમાં તહેવારો પહેલા જ ભાવ વધતા સામાન્ય પરિવાર માટે તહેવારની ખરીદીનું <a title="બજેટ" href="https://ift.tt/vfAS5zW" data-type="interlinkingkeywords">બજેટ</a> ખોરવાઈ રહ્યું છે. </p> <p data-path-to-node="5"><strong data-path-to-node="5" data-index-in-node="0">ગુજરાતમાં ડુંગળીના ભડકે બળતા ભાવ</strong></p> <p data-path-to-node="6">ગુજરાતભરમાં ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. એક સપ્તાહ પહેલા જે ડુંગળીનો ભાવ 30 થી 40 રૂપિયા હતો, તે હવે હોલસેલ માર્કેટમાં 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. જ્યારે છૂટક બજારમાં પ્રતિ કિલો ડુંગળીના ભાવ 60 થી 70 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...