
https://ift.tt/ihrxJOR
રાજ્યના ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તેવા હેતુથી ખરીફ સીઝન 2026-27 માટે મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરાયું છે. રાજ્યભરમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલી નોંધણી ઝુંબેશ આગામી 9 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. જોકે, સરકારી યોજનાઓ અને ટેકાના ભાવની જાહેર ખબરો વચ્ચે કચ્છમાં ખેડૂતો તરફથી ઠંડો પ્રતિસાદ સાંપડી રહ્યો છે, જેનું કારણ વરસાદની ખેંચ અને બજારમાં મળી રહેલા ઊંચા ભાવ છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે સમગ્ર કચ્છમાં ખેતી પર વિપરીત અસર પડી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અંદાજે 1.60 લાખ હેક્ટર જેટલું ઓછું વાવેતર નોંધાયું છે. બજારના સાનુકૂળ સમીકરણોને કારણે ટેકાના ભાવે વેચાણ માટેની નોંધણીના આંકડા નીચા આવ્યા છે. ખેડૂતો પોતે ઘરે બેઠા પોતાના ફોનથી gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને અથવા Farmer Registry Gujarat મોબાઈલ એપ ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે. ગ્રામ પંચાયત ખાતેના VCE/VLE ઓપરેટર, નજીકના CSC સેન્ટર અથવા ગ્રામસેવક મારફતે ઈ-ગ્રામ કેન્દ્રો પરથી વિનામૂલ્યે આધાર ઓથેન્ટિકેશનથી નોંધણી કરાવી શકાશે. ખરીદી બાદ તમામ ખેત જણસીઓની ચૂકવણી DBT મારફતે કરાશે. તેથી, ખેડૂતોએ પોતાના બેંક એકાઉન્ટ સાથે આધાર સીડીંગ કરાવવું ફરજિયાત છે. રાજ્યના કૃષિ વિભાગે તમામ પાત્ર ખેડૂતોને સમયસર ફાર્મર આઈડી સાથે પોતાના તમામ સર્વે નંબર આવરી લઈને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. વર્ષ 2026-27 માટે જાહેર કરાયેલા ટેકાના ભાવ
વાવેતરમાં મોટો ઘટાડો તેમજ વિવિધ નોંધણીની વાસ્તવિકતા નોંધણી નીરસ રહેવા પાછળના મુખ્ય પરિબળો
હાલ ખુલ્લા બજારમાં વેપારીઓ દ્વારા મગફળી સહિતની જણસીઓના ભાવ સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ અપાઈ રહ્યા છે. સરકારી પ્રક્રિયામાં માલ જમા કરાવવો, ગ્રેડિંગ અને ચૂકવણીની રાહ જોવા કરતા ખેડૂતો સીધો વેપારીઓને રોકડેથી માલ વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. વરસાદની ખેંચને લીધે પાકની ઉપજ અને વાવેતર વિસ્તાર ઘટ્યા છે.
Comments
Post a Comment