Skip to main content

રાજ્યમાં 108 લૉ પ્રોફેસરની ભરતીનો ઓર્ડર રદ, હાઈકોર્ટની ફટકાર બાદ સરકારનો નિર્ણય


<p><br />ગુજરાતમાં 108 લૉ પ્રોફેસરની ભરતીને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા 27 કોલેજોમાં ફિક્સ પગારના ધોરણે 108 લૉ પ્રોફેસરની ભરતી માટે અપાયેલો વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને GeM પોર્ટલના ઉપયોગ સામે હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>27 કોલેજોમાં 108 પ્રોફેસરની ભરતી થવાની હતી</strong></p> <p>મળતી માહિતી મુજબ રાજ્યની 27 કોલેજોમાં 108 લૉ પ્રોફેસરની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી એજન્સી મારફતે ફિક્સ પગારના ધોરણે કરવાની હતી. આ માટે GeM પોર્ટલના માધ્યમથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવામાં આવી હતી.</p> <p><strong>આ પણ વાંચો: <a title="સૈનિકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોતાના ઘર પર નહીં ભરવો પડે ટેક્સ" href="https://ift.tt/5LvSaxt" target="_self">સૈનિકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોતાના ઘર પર નહીં ભરવો પડે ટેક્સ</a></strong></p> <p><strong>હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલો</strong></p> <p>ભરતી પ્રક્રિયાને લઈને પાટણના એક ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે લૉ પ્રોફેસર જેવા શૈક્ષણિક પદની ભરતી એજન્સી મારફતે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવાના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે પ્રોફેસર શું વર્ગ-4નો કર્મચારી છે કે તેની ભરતી માટે એજન્સીની જરૂર પડે? હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે ભરતી માટે અપાયેલો વર્ક ઓર્ડર રદ કરી દીધો છે.</p> <p><strong>ડી.જી. નાકરાણીને અપાયેલો વર્ક ઓર્ડર રદ</strong></p> <p>આ ભરતી માટે મેસર્સ ડી.જી. નાકરાણીને આપવામાં આવેલો વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ 108 લૉ પ્રોફેસરની આ ભરતી પ્રક્રિયા અટકાવવી પડી છે.</p> <p><strong>ભરતી પ્રક્રિયા પર ફરી વિચારણા થશે?</strong></p> <p>હાઈકોર્ટની ટકોર બાદ હવે લૉ પ્રોફેસરની ભરતી કઈ પદ્ધતિથી કરવામાં આવશે તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. 27 કોલેજોમાં 108 પ્રોફેસરની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હવે નવી રીતે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. સરકાર તરફથી કોર્ટમાં  આ મામલે બાંહેધરી આપવામાં આવી છે<strong>.</strong> શુક્રવારે મુખ્ય સરકારી વકીલ હાઇકોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે લૉ કોલેજોમાં પ્રોફેસરોની નવી ભરતીની પ્રક્રિયા હવે સરકાર મારફતે કરવામાં આવશે. આ સાથે શિક્ષણ વિભાગના એકમ KCG-નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા 11 સપ્ટેમ્બરે ડી.જી. નાકરાણીને GeM પોર્ટલ મારફતે આપવામાં આવેલો વર્ક ઓર્ડર રદ કરવાનો પરિપત્ર પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેની નોંધ લેતાં હાઇકોર્ટે હળવી મૌખિક ટકોર કરી હતી કે, “આ તો ફાસ્ટ ટ્રેક જસ્ટિસ થઈ ગયું”, જોકે કોર્ટે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...