Skip to main content

નેપાળ પૂર દૂર્ઘટનામાં હજુ પણ 30 ગુજરાતીઓ ગુમ, ઓળખ માટે પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરાયા


<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં ગૂમ થયેલા ગુજરાતનાં વતનીઓ અને બિન-નિવાસી ગુજરાતીઓ (NRG)ને શોધવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલી ડીએનએ (DNA) સેમ્પલ એકત્રિત કરવાની કામગિરી પુરી થવા આવી છે. </p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">લેટેસ્ટ માહિતી પ્રમાણે, કુલ 30 લોકો નેપાળમાં પૂર પછી સંપર્ક વિહોણા છે. આ 30 લોકોમાંથી 29નાં પરિવારજનોના DNA સેમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયા ગુજરાત સરકારે પૂર્ણ કરી છે. બાકી રહેલા એક કેસમાં પણ પ્રક્રિયા ચાલી રહી છે. એકત્રિત કરવામાં આવેલા DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી અચાનક આવેલા વિનાશક પૂરમાં મૃત્યુ પામેલા લોકોના મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ કરી શકાય. </p> <p style="text-align: justify;"><a title="Gandhinagar: કુડાસણ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણો દુર્ઘટના અંગે શું કહ્યું?" href="https://ift.tt/MRzVm8P" target="_self">Gandhinagar: કુડાસણ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણો દુર્ઘટના અંગે શું કહ્યું?</a></p> <p style="text-align: justify;">સામાન્ય વહીવટ વિભાગના NRI ડિવિઝન હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRGF) દ્વારા DNA સેમ્પલ એકત્ર કરવાની સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ ગુમ થયેલા લોકોની ઓળખ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં પરિવારોને માર્ગદર્શન અને સહાય આપવામાં આવી રહી છે.</p> <p style="text-align: justify;">ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, ગુમ થયેલા લોકોના નજીકનાં પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરવા અને DNA પ્રોફાઇલિંગ માટે દેશભરમાં નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરીઓની ઓળખ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ અનુસાર, આ હેતુ માટે દેશભરમાં નિયુક્ત કરવામાં આવેલી તમામ લેબોરેટરીઓ DNA પ્રોફાઇલિંગની સેવા નિઃશુલ્ક આપશે. ગુજરાતમાં આવી છ નિયુક્ત લેબોરેટરીઓ આવેલી હોવાથી રાજ્યના પરિવારોને અધિકૃત સુવિધાઓનો લાભ મળી રહ્યો છે.</p> <p style="text-align: justify;">નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર, વિદેશ મંત્રાલય (MEA) સાથે સંકલનમાં રહીને ભારતમાં એકત્ર કરવામાં આવેલા DNA સેમ્પલના પ્રોફાઇલિંગ તથા નેપાળમાં ચાલી રહેલી ઓળખ પ્રક્રિયા સાથે તેના સંકલન અંગેની કામગીરી કરી રહી છે.</p> <p style="text-align: justify;"><strong>ગુમ થયેલા લોકોનાં પરિવારજનોને વ્યક્તિગત માર્ગદર્શન </strong></p> <p style="text-align: justify;">ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ NRGF દરેક ગુમ થયેલી વ્યક્તિના પરિવારજનોનો વ્યક્તિગત સંપર્ક કરીને તેમને નિયુક્ત લેબોરેટરીઓ, ઉપલબ્ધ સુવિધાઓ તથા DNA સેમ્પલ એકત્ર કરવાની અને પ્રોફાઇલિંગની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી રહ્યું છે. NRGF વિદેશમાં રહેતા NRGs અને પરિવારજનોના પણ સંપર્કમાં છે અને તેમના સંબંધિત દેશોમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી મેળવી રહ્યું છે.</p> <p style="text-align: justify;">ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા તથા આફ્રિકન દેશોમાં રહેતા પરિવારજનોના કિસ્સામાં NRGF સંબંધિત સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા DNA સેમ્પલ તથા ઓળખ પ્રક્રિયાની સ્થિતિ અંગે માહિતી મેળવી રહ્યું છે. આવા અનેક કિસ્સાઓમાં વિદેશમાં રહેતા પરિવારજનોના DNA સેમ્પલ સંબંધિત દેશોના સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પહેલેથી જ એકત્રિત કરવામાં આવ્યા છે. NRGF પરિવારો સાથે સતત સંપર્કમાં રહીને નેપાળમાં ઓળખ પ્રક્રિયા માટે જરૂરી માહિતીના સંકલનની કામગીરી કરી રહ્યું છે.</p> <p style="text-align: justify;"><strong>ગુમ થયેલા બિન-નિવાસી ગુજરાતીઓનાં પરિવારોનાં સતત સંપર્કમાં</strong></p> <p style="text-align: justify;">એકત્રિત કરવામાં આવેલા DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ અને રાજકોટ ખાતે આવેલી નિયુક્ત લેબોરેટરીઓ મારફતે કરવામાં આવી રહ્યું છે. વિદેશમાં રહેતા પરિવારજનોના સેમ્પલ તેમના સંબંધિત દેશોના સત્તાવાળાઓના સંકલનથી એકત્રિત કરવામાં આવ્યા છે. DNA પ્રોફાઇલિંગના અહેવાલો સંબંધિત લેબોરેટરીઓ દ્વારા નેપાળ સરકાર દ્વારા આ હેતુ માટે જાહેર કરવામાં આવેલા સત્તાવાર ઇમેઇલ સરનામાં અને સંપર્ક નંબરો મારફતે સીધા નેપાળ સરકારને મોકલવામાં આવી રહ્યા છે.</p> <p style="text-align: justify;">પૂર બાદ ગુમ થયેલા અથવા સંપર્કવિહોણા થયેલા રાજ્યના લોકો તથા વિદેશમાં રહેતા ગુજરાતીઓને શોધવા માટે ગુજરાત સરકાર ભારત સરકાર અને નેપાળમાં કાર્યરત કોન્સ્યુલર સત્તાવાળાઓ સાથે સંકલનમાં રહીને કામગીરી કરી રહી છે.</p> <p style="text-align: justify;"><strong>SEOC, જિલ્લા વહીવટીતંત્ર અને NRGFના સંકલિત પ્રયાસો</strong></p> <p style="text-align: justify;">આ દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોના પરિવારજનોને સહાય પહોંચાડવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC), જિલ્લા વહીવટીતંત્ર અને NRGF સંકલિત રીતે કામગીરી કરી રહ્યા છે. SEOC અને NRGF દ્વારા તૈયાર કરવામાં આવેલી ગુમ થયેલા અને સંપર્કવિહોણા લોકોની યાદી પણ નેપાળ સરકારને આપવામાં આવી છે. </p> <p style="text-align: justify;">નેપાળ સરકારે 26 ઓગસ્ટ, 2026ના રોજ ભોટ કોશી નદી વિસ્તારમાં આવેલા અચાનક પૂરમાં મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ માટે DNA પ્રોફાઇલિંગની પ્રક્રિયા શરૂ કરી છે. આ દુર્ઘટનામાં સેંકડો લોકોનાં મોત થયા હતા, હજારો લોકો વિસ્થાપિત થયા હતા અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.</p> <p style="text-align: justify;">અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર, સુરત, વલસાડ, રાજકોટ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોના લોકો ગુમ થયેલા અથવા સંપર્કવિહોણા હોવાના અહેવાલો છે. આ પૈકીના કેટલાક લોકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ અને અલગ-અલગ માર્ગો મારફતે કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગયા હતા.</p> <p style="text-align: justify;">DNA આધારિત ઓળખ પ્રક્રિયા દ્વારા મળી આવેલા માનવ અવશેષોને ગુજરાત, ભારતના અન્ય રાજ્યો તથા અન્ય દેશોના ગુમ થયેલા લોકો સાથે મેચ કરવામાં મદદ મળશે. આ પ્રક્રિયા થકી ગુમ થયેલા પરિવારજનોની સ્થિતિ અંગે તેમના પરિવારોને સત્તાવાર પુષ્ટિ મળી શકશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...