Skip to main content

Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો


<p style="text-align: justify;"><strong>Ahmedabad:</strong> અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી પારિવારિક સંબંધોને શરમસાર કરતી એક અત્યંત કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષીય સગીરા સાથે તેના જ સાવકા પિતા દ્વારા છેલ્લા 2 મહિનાથી સતત દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે સગીરાની માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો (POCSO) અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી સાવકા પિતાની ધરપકડ કરી લીધી છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">મળતી વિગતો અનુસાર, આરોપી અને સગીરાની માતાએ વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા. આરોપી વ્યવસાયે એક કપડાની દુકાનમાં નોકરી કરે છે. છેલ્લા 2 મહિનાથી જ્યારે પણ સગીરાની માતા અને ભાઈ ઘરની બહાર જતા અથવા તેમની ગેરહાજરી હોય, ત્યારે સાવકો પિતા આ વાતનો ગેરલાભ ઉઠાવીને સગીરા સાથે અડપલાં કરતો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો.</p> <p style="text-align: justify;"><a title="આ પણ વાંચો...અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ,  7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ" href="https://ift.tt/R30uSv6" target="_self">આ પણ વાંચો...અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ,  7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ</a></p> <p style="text-align: justify;">લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ સહન કરી રહેલી સગીરાએ અંતે હિંમત ભેગી કરીને આ સમગ્ર આપવીતી પોતાની માસીને જણાવી હતી. સગીરાએ માસી સમક્ષ સાવકા પિતાના કાળા કરતૂતોનો ભાંડો ફોડતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને સગીરાની માતા તુરંત જ દીકરીને લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.</p> <p style="text-align: justify;">ચાંદખેડા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે. હાલમાં પોલીસે આરોપી સામે જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની અને સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p> <p style="text-align: justify;"><strong>ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ</strong><br />તો બીજી તરફ વડોદરાના ચર્ચિત અને ચકચારી ભાયલી સગીરા સામુહિક ગેંગરેપ કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વડોદરાની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ આજે આજીવન કેદની સજા સંભળાવી છે. સેસન્સ જજ સી. એમ. પવાર દ્વારા તમામ પાંચેય દોષિતોને આજીવન કેદની સજાની સાથે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સેન્ટ્રલ જેલથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ કેસમાં સરકાર પક્ષ દ્વારા આરોપીઓને ફાંસી અથવા તો છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા આપવા માટેની ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. પોલીસ પ્રશાસન દ્વારા આ મામલે 6 હજાર પાનાની વિશાળ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...