
<p style="text-align: justify;"><strong>Vadodara:</strong> રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રોજ વડોદરાની SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટર્સ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.</p>
<p style="text-align: justify;">&nbsp;</p>
<p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p style="text-align: justify;">આ સંવાદ દરમિયાન સાઇકાઇટ્રિક વિભાગના રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સમક્ષ વિભાગના ડૉ. ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિતમાં અત્યંત ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદમાં મેડિકલ કોલેજના R1, R2, R3 અને સિનિયર રેસિડેન્ટ સહિત આશરે 18 જેટલા તબીબોએ આક્ષેપ કર્યો હતો કે ડૉ. બારોટ દ્વારા તેમની શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે.</p>
<p style="text-align: justify;"><a title="આ પણ વાંચો...ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ" href="https://ift.tt/L2uKsUH" target="_self">આ પણ વાંચો...ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ</a></p>
<p style="text-align: justify;">રેગિંગ, અશ્લીલ મેસેજ અને ધમકીના ગંભીર આક્ષેપો<br />તબીબો દ્વારા કરાયેલી રજૂઆતમાં રેગિંગ, અભદ્ર મેસેજ મોકલવા, કામકાજના સમય પછી પણ અયોગ્ય માંગણીઓ કરવી, હોસ્ટેલના રૂમ નંબર પૂછવા તેમજ ચાલુ કામ દરમિયાન અશ્લીલ ટિપ્પણીઓ કરવા જેવા ચોંકાવનારા આરોપો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, રેસિડેન્ટ ડૉક્ટરોને થીસીસ અને પરીક્ષામાં ફેલ કરવાની ધમકીઓ અપાતી હોવાનું પણ લેખિત રજૂઆતમાં જણાવાયું હતું.</p>
<p style="text-align: justify;"><strong>તાત્કાલિક ધોરણે ભાવનગર બદલીના આદેશ</strong><br />આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સાઇકાઇટ્રિક વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરોની રજૂઆતને અત્યંત ગંભીરતાથી લઈને ત્વરિત કડક નિર્ણય લીધો હતો. રજૂઆતના ટૂંક જ સમયમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત ડૉ. ચિરાગ બારોટની સરકારી મેડિકલ કોલેજ, વડોદરાથી તાત્કાલિક અસરથી સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે.</p>
<p style="text-align: justify;"><strong>ગેરવર્તણૂક સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ: આરોગ્ય મંત્રી</strong><br />આ મામલે કડક વલણ અપનાવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીઓ અને તબીબોની સુરક્ષા, માન-સન્માન તથા માનસિક શાંતિ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. રેગિંગ, શારીરિક-માનસિક શોષણ કે ગેરવર્તણૂક સામે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ છે."</p>
<p style="text-align: justify;">તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડોદરા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને ફરિયાદોને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતની કોઈપણ મેડિકલ શૈક્ષણિક સંસ્થામાં આવી અશિસ્ત કે હેરાનગતિ જરાય ચલાવી લેવાશે નહીં અને દોષિતો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.</p>
Comments
Post a Comment