Skip to main content

કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં


<p style="text-align: justify;"><strong>Kinjal Rabari:</strong> ગુજરાતી લોકસંગીત ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવનાર લોકગાયિકા કિંજલ રબારી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી તેમના કથિત અપહરણની ઘટના સામે આવ્યા બાદ કિંજલ રબારીએ પોતે વીડિયો જાહેર કરીને સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે. કિંજલ રબારીના જણાવ્યા પ્રમાણે તેમનું કોઈ અપહરણ થયું નથી અને તેઓ પોતાની મરજીથી પોતાના પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગયા છે. આ ઘટનાને પગલે તેમના આંતરજ્ઞાતિય પ્રેમલગ્નનો જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;"><strong>કોણ છે કિંજલ રબારી?</strong></p> <p style="text-align: justify;">કિંજલ રબારી ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામ સાથે જોડાયેલા લોકગાયિકા છે. ગુજરાતી લોકસંગીત, ભક્તિગીતો, દેશી લગ્નગીતો સાથે જોડાયેલા ગીતોના કારણે તેમણે પોતાની અલગ ઓળખ બનાવી છે.</p> <p style="text-align: justify;"><a title="આ પણ વાંચો...Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન" href="https://ift.tt/ZIp4J06" target="_self">આ પણ વાંચો...Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન</a></p> <p style="text-align: justify;">કિંજલ રબારીને બાળપણથી જ સંગીતમાં રસ હતો અને તેમણે ગ્રામીણ વાતાવરણમાંથી પોતાની સંગીતયાત્રાની શરૂઆત કરી હતી. તેમની ગાયકીમાં ઉત્તર ગુજરાતની લોકપરંપરાની સ્પષ્ટ છાપ જોવા મળે છે. સમય જતાં સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના કારણે તેમની લોકપ્રિયતા વધુ વધી અને ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં યોજાતા કાર્યક્રમો અને ડાયરાઓમાં પણ તેઓ જાણીતા બન્યા.</p> <p style="text-align: justify;"><strong>કેમ વિવાદમાં આવી કિંજલ?</strong></p> <p style="text-align: justify;">કિંજલ રબારીનું નામ લાંબા સમય સુધી તેમની ગાયકીના કારણે ચર્ચામાં રહ્યું હતું, પરંતુ 2026 દરમિયાન તેમના અંગત જીવન સાથે જોડાયેલા ઘટનાક્રમે તેને સમાચારના કેન્દ્રમાં લાવી દીધી. ખાસ કરીને આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન અને ત્યારબાદ બંને સમાજ વચ્ચે ઊભેલા વિવાદને કારણે મામલો ચર્ચામાં આવ્યો હતો.</p> <p style="text-align: justify;">માર્ચ 2026માં કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાની સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપી હતી. બંને અલગ સમાજ સાથે જોડાયેલા હોવાથી આ લગ્ન બાદ સામાજિક વિરોધની સ્થિતિ સર્જાઈ હતી. કિંજલ રબારીએ એક વીડિયોમાં લગ્ન પોતાની ઇચ્છાથી કર્યા હોવાની વાત કરી હતી અને સુરક્ષાની જરૂરિયાત અંગે પણ રજૂઆત કરી હતી.</p> <p style="text-align: justify;">ત્યારબાદ બંને સમાજના આગેવાનો વચ્ચે સમજાવટ અને મધ્યસ્થીના પ્રયાસોના અહેવાલો સામે આવ્યા હતા. થોડા સમય બાદ કિંજલ રબારી પોતાના પિતાના ઘરે પરત ફર્યા હોવાની માહિતી સામે આવી હતી. ઘરે પરત આવ્યા બાદ તેમણે વીડિયો જાહેર કરીને પોતાની ભૂલ સમજાઈ હોવાનું પણ જણાવ્યું હતું.</p> <p style="text-align: justify;"><strong>કિંજલ રબારીએ પહેલા કોની સાથે લગ્ન કર્યા હતા?</strong></p> <p style="text-align: justify;">કિંજલ રબારીએ 2 મે, 2024ના રોજ અશોક ચૌધરી નામના યુવક સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન આંતરજ્ઞાતિય હોવાથી બંને સમાજમાં ભારે ચર્ચા અને વિરોધની સ્થિતિ સર્જાઈ હતી. આ લગ્ન બાદ પરિવાર અને સમાજના દબાણને લઈને વિવાદ વધ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારબાદ કિંજલ રબારી અને અશોક ચૌધરીના સંબંધોનો મામલો કાનૂની પ્રક્રિયા સુધી પહોંચ્યો હતો.</p> <p style="text-align: justify;"><strong>પહેલા લગ્ન બાદ બીજા લગ્ન કોની સાથે કર્યા?</strong></p> <p style="text-align: justify;">પહેલા લગ્ન અને ત્યારબાદ ઊભેલા વિવાદ બાદ ઓગસ્ટ 2026માં કિંજલ રબારીના ફરી લગ્ન અંગેના અહેવાલો સામે આવ્યા હતા. અનેક ગુજરાતી મીડિયા અહેવાલો અનુસાર, તેમણે પાટણના ગોતરકા ગામના રહેવાસી  મુકેશ રબારી સાથે લગ્ન કર્યા હતા.</p> <p style="text-align: justify;"><strong>ક્યાંથી થયું કથિત અપહરણ?</strong></p> <p style="text-align: justify;">અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા CBD મોલ પાસેથી કિંજલ રબારી જ્યારે તેમના પતિ સાથે ફિલ્મ જોવા પહોંચી હતી ત્યારે બે કારમાં આવેલા લોકોએ તેમના પતિને પકડી રાખ્યો અને ત્યારે કિંજલ કારમાં બેસીને જતી રહી. પોલીસની પ્રાથમિક તપાસમાં CCTV ફૂટેજ સામે આવ્યા હતા.</p> <p style="text-align: justify;">ઘટના બાદ ચાંદખેડા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને મહેસાણા તથા પાટણ તરફ ટીમો મોકલવામાં આવી હતી. રાધનપુર અને મહેસાણા પોલીસને પણ સતર્ક કરવામાં આવી હતી. શરૂઆતમાં પોલીસ સામે મુખ્ય સવાલ એ હતો કે કિંજલ રબારીનું ખરેખર અપહરણ થયું છે કે પછી તેઓ પોતાની મરજીથી કોઈની સાથે ગયા છે. CCTVમાં તેઓ જાતે કારમાં બેસતા જોવા મળતાં આ મામલે અનેક સવાલો ઊભા થયા હતા.</p> <p style="text-align: justify;"><strong>કિંજલ રબારીએ અપહરણ અંગે શું કહ્યું?</strong></p> <p style="text-align: justify;">હવે સમગ્ર ઘટનામાં મોટો વળાંક આવ્યો. કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને પોતાના અપહરણની વાતને ફગાવી દીધી છે. કિંજલ રબારીના જણાવ્યા પ્રમાણે તેમનું કોઈ અપહરણ થયું નથી અને તેઓ પોતાની સંપૂર્ણ મરજીથી પોતાના પ્રથમ પ્રેમ અને પતિ અશોક ચૌધરી સાથે ગયા છે.</p> <p style="text-align: justify;">વીડિયોમાં કિંજલ રબારીએ દાવો કર્યો છે કે તેમણે પરિવારને મનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવાર ન માનતા તેઓ 10 માર્ચ, 2026ના રોજ અશોક સાથે ગયા હતા. ત્યારબાદ તેમના પિયર પક્ષના લોકોએ તેમને પકડી લીધા અને તેમના પતિને માર માર્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.</p> <p style="text-align: justify;">કિંજલ રબારીએ વધુમાં દાવો કર્યો કે તેમને બળજબરીથી રાધનપુર કોર્ટમાં લઈ જઈ છૂટાછેડાની અરજી કરાવવામાં આવી હતી અને તેમની મરજી વિરુદ્ધ અન્ય પુરુષ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, ત્યાં પોતાના જીવને જોખમ હોવાને કારણે તેમણે પોતે અશોકનો સંપર્ક કર્યો અને 6 સપ્ટેમ્બર, 2026ના રોજ સ્વેચ્છાએ તેમની સાથે જવા નિર્ણય લીધો. કિંજલ રબારીએ પોલીસ અને વહીવટીતંત્રને વિનંતી કરી છે કે તેઓ પોતાના મૂળ પતિ અશોક ચૌધરી સાથે સુરક્ષિત છે અને આ મામલે કોઈ ખોટી પોલીસ ફરિયાદ કે કેસ કરવામાં ન આવે.</p> <p style="text-align: justify;"><strong>માલધારી એકતા સમિતિના પ્રમુખનું નિવેદન શું છે?</strong></p> <p style="text-align: justify;">કિંજલ રબારીની સમગ્ર ઘટનાને લઈને માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે સમગ્ર માલધારી સમાજને આ ઘટનાથી અલગ રહેવા માટે અપીલ કરી છે. નાગજીભાઈ દેસાઈએ નિર્દોષ અને ભોળા માલધારી સમાજના લોકોને લાગણીમાં આવીને આ મામલે જોડાઈ ન જવાની વિનંતી કરી છે. તેમણે યુવાનો અને સામાજિક આગેવાનોને પણ આ ઘટનામાં જોડાઈને કોઈ પગલું ન ભરવા અપીલ કરી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...