
<p style="text-align: justify;"><strong>Gujarat Weather Update:</strong> રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો હતો. જોકે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આવતા 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજ વહેલી સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાંયુ વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે. જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા પડતા ખેડૂતોમાં પાકને જીવતદાન મળવાની આશા જાગી છે.</p>
<p style="text-align: justify;">&nbsp;</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/ATRmtq-ulkA?si=yFPV1BVLhuh9qj4Y" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p style="text-align: justify;">ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદની 39% ઘટ નોંધાઈ છે અને છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ચોમાસુ પૂરું થવા આવ્યું હોવા છતાં સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ખાલીખમ છે, જેમાં રાજકોટ જિલ્લાના આજી, ન્યારી અને ભાદર સહિતના મુખ્ય ડેમો પણ ખાલી છે. જો સમયસર ભારે વરસાદ ન પડે તો માત્ર ગ્રામ્ય વિસ્તાર જ નહીં પરંતુ શહેરી વિસ્તારમાં પણ પીવાના પાણીની ભારે અછત સર્જાઈ શકે છે. આ ઉપરાંત ઘાસચારાની અછત પણ સર્જાઈ છે, તેથી જો સારો વરસાદ પડે તો માત્ર ખેડૂતો જ નહીં પરંતુ માલધારીઓના પશુઓને પણ મોટો ફાયદો થશે. જો ભારે વરસાદ પડશે તો કપાસ, મગફળી, સોયાબીન સહિતના ખરીફ પાકોને નવું જીવતદાન મળશે.</p>
<p style="text-align: justify;"><a title="આ પણ વાંચો...Rain Forecast: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ" href="https://ift.tt/BDOnxpz" target="_self">આ પણ વાંચો...Rain Forecast: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ</a></p>
<p style="text-align: justify;"><strong>સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરુ</strong></p>
<p style="text-align: justify;"><strong>ગીર સોમનાથ:&nbsp;</strong><br />ગીર સોમનાથમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે 6:00 વાગ્યાથી 15-15 મિનિટના અંતરાલ પર વેરાવળ અને સોમનાથમાં ભારે વરસાદી ઝાપટાં પડ્યા છે, જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.</p>
<p style="text-align: justify;"><strong>ધોરાજી:&nbsp;</strong><br />થોડા દિવસના વિરામ બાદ ધોરાજી પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે. સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક તેમજ નાની પરબડી, વેગડી, તોરણીયા, ફરેણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.</p>
<p style="text-align: justify;"><strong>ગોંડલ:&nbsp;</strong><br />ગોંડલ તાલુકામાં સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું છે. ગોંડલ શહેર અને દડવા, ત્રાકુડા, ગોમટા, દેરડી (કુંભાજી), બિલીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા છે. ગોંડલ પંથકમાં જો 3 થી 4 ઈંચ વરસાદ પડશે તો ખેતીપાકોને મોટો ફાયદો થશે.</p>
<p style="text-align: justify;"><strong>જેતપુર:&nbsp;</strong><br />જેતપુરમાં વહેલી સવારથી જ બસ સ્ટેન્ડ ચોક, તીનબતી ચોક, વડલી ચોક, ફૂલવાડી, નવાગઢ, એમજી રોડ, ચાંદની ચોક અને ગ્રામ્ય વિસ્તારો જેવા કે પેઢલા, ગુંડાળા, મંડલીકપુર, જેતલસર, સાંકળી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ અને ઝાપટાં વરસ્યા છે. આ વરસાદથી લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે અને મગફળી, એરંડા, સોયાબીન, કપાસ અને તુવેરના પાકને સંજીવની મળશે.</p>
<p style="text-align: justify;"><strong>ઉપલેટા:&nbsp;</strong><br />ઉપલેટા પંથકમાં વહેલી સવારથી જીરાપા પ્લોટ, રેલવે સ્ટેશન રોડ, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા મગફળી, એરંડા, સોયાબીન અને કપાસના પાકને જીવતદાન મળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.</p>
<p style="text-align: justify;"><strong>અમરેલી</strong>:&nbsp;<br />અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ધારી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી શરૂ થયેલ ધીમીધારના વરસાદથી ખેડૂતોની મુરઝાતી મૌલાતને નવું જીવતદાન મળ્યું છે, જેનાથી કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકોને સીધો ફાયદો થશે.</p>
Comments
Post a Comment