Skip to main content

નવરાત્રીમાં ભાડે મળશે ગરબા પાર્ટનર? વાયરલ પોસ્ટ પર સાયબર ક્રાઈમની મોટી ચેતવણી


<p><strong>Rent a Garba Partner viral post:</strong> નવરાત્રીનો પવિત્ર તહેવાર હવે જ્યારે ગણતરીના દિવસો જ દૂર છે, ત્યારે ગુજરાતભરમાં ખેલૈયાઓ ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતની ઓળખ સમાન આ પર્વમાં ગરબા રમવા માટે લોકો મહિનાઓ અગાઉથી તૈયારીઓ કરતા હોય છે. પરંતુ આ ઉત્સાહ અને ઉમંગ વચ્ચે સોશિયલ મીડિયા પર એક અત્યંત ચોંકાવનારો અને વિવાદાસ્પદ ટ્રેન્ડ શરૂ થયો છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર 'રેન્ટ અ ગરબા પાર્ટનર' (Rent a Garba Partner) એટલે કે ગરબા રમવા માટે પાર્ટનર ભાડે મેળવવાની જાહેરાત કરતી પોસ્ટ ભારે વાયરલ થઈ રહી છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ ગઈ છે અને સાયબર સ્પેસમાં સતત મોનિટરિંગ કરીને કડક પગલાં લઈ રહી છે.</p> <p><strong>વાયરલ પોસ્ટમાં 1,000 થી 4,000 સુધીના આકર્ષક પેકેજના દાવા</strong></p> <p>સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પ્રકારની પોસ્ટમાં યુવાનોને આકર્ષવા માટે અલગ-અલગ સુવિધાઓ સાથેના વિવિધ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં યુઝર્સને લલચાવવા માટે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જેવી આકર્ષક કેટેગરીઓ બનાવવામાં આવી છે. આ પેકેજની કિંમત 1,000 થી લઈને 4,000 રૂપિયા સુધીની દર્શાવવામાં આવી છે. જોકે, અમદાવાદ સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં એવું સ્પષ્ટ તારણ બહાર આવ્યું છે કે આ પ્રકારની પોસ્ટ માત્ર લોકોનું ધ્યાન ખેંચીને પોતાના એકાઉન્ટના ફોલોઅર્સ અને લાઈક્સ વધારવાનો એક સસ્તો કીમિયો હોઈ શકે છે. તેમ છતાં, સુરક્ષાના ભાગરૂપે સાયબર ક્રાઈમની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમે આવી કેટલીક શંકાસ્પદ પોસ્ટ ઇન્ટરનેટ પરથી તાત્કાલિક હટાવી દીધી છે અને આવા પેજ ચલાવનારાઓ પર બાજનજર રાખવામાં આવી રહી છે.</p> <p><strong>અમદાવાદ સાયબર ક્રાઈમની નાગરિકોને ખાસ અપીલ</strong></p> <p>નવરાત્રીના આ પર્વ દરમિયાન કોઈ નિર્દોષ યુવક કે યુવતી ઓનલાઈન ઠગાઈનો ભોગ ન બને તે માટે સાયબર ક્રાઈમે સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરીને લોકોને કેટલીક મહત્વની અપીલ કરી છે:</p> <p>સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાના ગરબા પાર્ટનર ન બનાવો.</p> <p>અજાણી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા ભ્રામક દાવાઓ અને આકર્ષક ઓફર્સ પર આંધળો વિશ્વાસ ન કરો.</p> <p>ગરબા પાર્ટનર બનવાના નામે ગરબાના પાસ, ઇવેન્ટની ટિકિટ, ફૂડ, હોટલ બુકિંગ કે ટ્રાવેલિંગ ખર્ચના બહાને કોઈપણ પ્રકારનો ઓનલાઈન નાણાકીય વ્યવહાર કરવાનું ટાળો.</p> <p>અજાણ્યા લોકો સાથે તમારી અંગત માહિતી શેર ન કરો. જો તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય, તો તાત્કાલિક સાયબર ક્રાઈમનો સંપર્ક કરો.</p> <p><strong>ધાર્મિક આસ્થા પર પ્રહાર: સંત જ્યોર્તિનાથ બાપુનો સખત વિરોધ</strong></p> <p>આધુનિકતાના નામે સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ 'રેન્ટ અ ગરબા પાર્ટનર' ટ્રેન્ડનો સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સનાતન ધર્મ સમિતિના અગ્રણી સંત જ્યોર્તિનાથ બાપુએ આ મુદ્દે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ગરબા પાર્ટનર ભાડે આપવાની વાતને આપણી પવિત્ર સાંસ્કૃતિક ધરોહરની વિરુદ્ધ અને અત્યંત નુકસાનકારક ગણાવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આદ્યશક્તિ માતાજીની આરાધનાના આ નવ દિવસો ભક્તિ અને પવિત્રતાના પ્રતીક છે, તેમાં આવા અનૈતિક વેપાર કોઈ પણ કાળે ચલાવી લઈ શકાય નહીં.</p> <p>તેમણે વાલીઓ, ગરબા આયોજકો અને ખાસ કરીને યુવાનોને આ બાબતે જાગૃત થવાની હૃદયપૂર્વક અપીલ કરી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ આ મુદ્દાને ગંભીરતાથી લે અને આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરે તેવી પણ સંત જ્યોર્તિનાથ બાપુએ પ્રબળ માંગ કરી છે. નવરાત્રી એ શક્તિ અને ભક્તિનો પવિત્ર તહેવાર છે, તેને વ્યાપારીકરણ અને સાયબર ઠગાઈથી બચાવવો એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...