
<p style="text-align: justify;"><strong>Kinjal Rabari:</strong> ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના અમદાવાદના ચાંદખેડા સ્થિત સીબીડી મોલ (CBD Mall) પાસેથી કથિત અપહરણના કેસમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. એક તરફ પતિ મુકેશ રબારીએ અપહરણની ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને અપહરણની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. કિંજલે પોતાના પરિવારજનો પર ગંભીર આરોપો લગાવતા સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની મરજીથી પોતાના પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે.</p>
<p style="text-align: justify;">&nbsp;</p>
<p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p style="text-align: justify;"><strong>પરિવાર પર ગંભીર આરોપ અને મૈત્રી કરારનો ખુલાસો</strong></p>
<p style="text-align: justify;">અપહરણના અહેવાલો વચ્ચે કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે જણાવ્યું કે, તેના પિયર પક્ષ અને પરિવારજનોએ જબરદસ્તીથી અશોક ચૌધરી સામે છૂટાછેડાની અરજી કરાવડાવી હતી અને તેની મરજી વિરુદ્ધ તેને પરપુરુષ સાથે મોકલી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અશોક ચૌધરી સાથે કાનૂની છૂટાછેડાનો કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે અને છૂટાછેડા ન થયા હોવાના કારણે જુલાઈ મહિનામાં મુકેશ રબારી અને કિંજલ વચ્ચે માત્ર મૈત્રી કરાર કરવામાં આવ્યા હતા.</p>
<p style="text-align: justify;"><a title="આ પણ વાંચો...કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં" href="https://ift.tt/3ODB2zt" target="_self">આ પણ વાંચો...કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં</a></p>
<p style="text-align: justify;">કિંજલે દાવા સાથે જણાવ્યું છે કે તે અશોક ચૌધરી સાથે જ સંપૂર્ણપણે સલામત અને ખુશ છે. પરિવારના ત્રાસથી બચવા માટે તે પોતાની સ્વેચ્છાએ ગઈ હોવાનું કહી તેણે પોલીસ ફરિયાદ ન કરવા વિનંતી કરી છે.</p>
<p style="text-align: justify;"><strong>ચાંદખેડા મોલ બહારથી ગાયબ થવાની ઘટના</strong></p>
<p style="text-align: justify;">અમદાવાદ એસીપી (L ડિવિઝન) ડી.વી. રાણાના જણાવ્યા અનુસાર, ચાંદખેડા પીસીઆરને કિંજલ રબારીના પતિ નરસિંહ રબારી ઉર્ફે મુકેશ રબારી તરફથી અપહરણ અંગેનો કૉલ મળ્યો હતો. પરિવાર સાથે મોલમાં ફિલ્મ જોવા ગયેલી કિંજલની તબિયત લથડતાં તે બહાર આવી હતી. મુકેશ રબારી ગાડી લેવા ગયા ત્યારે અજાણ્યા શખ્સે તેમને પકડી રાખ્યા હતા અને કિંજલ કાળા રંગની ક્રેટા ગાડીમાં બેસીને રવાના થઈ ગઈ હતી. આ મામલે મુકેશ રબારીએ અશોક ચૌધરી પર આશંકા વ્યક્ત કરી અપહરણની ફરિયાદ નોંધાવી હતી.</p>
<p><strong>કોણ છે કિંજલ રબારી?</strong></p>
<p>કિંજલ રબારી ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામ સાથે જોડાયેલા લોકગાયિકા છે. ગુજરાતી લોકસંગીત, ભક્તિગીતો, દેશી લગ્નગીતો સાથે જોડાયેલા ગીતોના કારણે તેમણે પોતાની અલગ ઓળખ બનાવી છે.</p>
Comments
Post a Comment