
<p>ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. &nbsp;હવામાન વિભાગે &nbsp;આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=00pfCDgxFWJhPqfF" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>રાજ્યમાં અત્યાર સુધી 9 ટકા ઓછો વરસાદ&nbsp;</strong></p>
<p>રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ યથાવત રહેવાની શક્યતા હોવાથી વરસાદની ઘટમાં ઘટાડો થઈ શકે છે. ભારે વરસાદની સંભાવનાવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.</p>
<p><strong>દ્વારકામાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ</strong></p>
<p>આખરે દ્વારકામાં મેઘરાજા મહેરબાન થયા છે. &nbsp;આ વખતે સૌથી ઓછો વરસાદ દ્વારકા જિલ્લામાં વરસ્યો છે. જેના કારણે ધરતીપુત્રો ચિંતામાં હતા પરંતુ આજ સવારથી જ દ્વારકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. &nbsp;દ્વારકામાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દ્વારકાના દર્શન માટે આવેલા ભક્તોએ વરસાદ વચ્ચે દર્શન કર્યા બાદ વરસાદની મજા માણી હતી. ધોધમાર વરસાદને કારણે ભદ્રકાલી ચોક અને ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતા. &nbsp;ખાસ કરીને ઇસ્કોન ગેટ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. &nbsp;આ તરફ ઓખા,મીઠાપુર સહિતના ગામોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા જિલ્લાપર હજુ પણ મેઘરાજા હેત વરસાવે તેવી ખેડૂતોને આશા છે.&nbsp;</p>
<p>જેતપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેતપુર તાલુકામાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેતપુર શહેરના તીનબત્તી ચોક, ફૂલવાડી ચોક, બસ સ્ટેન્ડ ચોક, ચાંદની ચોક, એમજી રોડ, મતવા શેરી અને અમરનગર રોડ, જૂનાગઢ રોડ સહિત આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.&nbsp;</p>
<p>સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, ડુંગળી સહિતના પાકોને ધીમીધારે વરસાદથી ફાયદો થશે. વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થયા હતા.&nbsp; જેતપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 18.40 ઈંચ સાથે 59.35 ટકા વરસાદ વરસ્યો છે.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p>
<p>&nbsp;</p>
Comments
Post a Comment