
<p><strong>Gujarat Rain Alert:</strong> રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે લેટેસ્ટ નાઉકાસ્ટ જાહેર કર્યું. આગામી 3 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના 19 જિલ્લાને ઓરેન્જ એલર્ટ જ્યારે 15 જિલ્લાને યલો એલર્ટ આપ્યું છે. ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=elJHuAQVu0cfPQpF" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>રાજ્યના 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ</strong></p>
<p>હવામાન વિભાગના નાઉ કાસ્ટ મુજબ આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર અને પોરબંદરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર અને પોરબંદરમાં આગામી ત્રણ કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં લોકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની જરૂર છે.</p>
<p><strong>15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર</strong></p>
<p>આ ઉપરાંત રાજ્યના 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.</p>
<p><strong>આગામી ત્રણ કલાક મહત્વપૂર્ણ</strong></p>
<p>હવામાન વિભાગના નાઉ કાસ્ટ અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્ર અને નાગરિકોને હવામાનની સ્થિતિ પર નજર રાખવાની સલાહ છે.&nbsp;</p>
<p><strong>રાજ્યમાં ચોમાસાની વિદાયની શરુઆત થશે</strong></p>
<p>ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે. ચોમાસાની વિદાય પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ જોવા મળી શકે છે. નૈઋત્યના ચોમાસાએ 19મી સપ્ટેમ્બર 2026ના રોજ વિદાય લેવાની શરૂઆત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ત્રણ-ચાર દિવસમાં એટલે કે 23મી સપ્ટમ્બેર સુધીમાં ચોમાસુ પરત ખેંચાય તે માટે સાનુકૂળ સંજોગો હોવાનું પણ જણાવાયું છે.&nbsp; હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp; &nbsp; &nbsp;&nbsp;</p>
Comments
Post a Comment