Skip to main content

Gujarat Rain: સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ


<p><strong>Gujarat Rain:  </strong>ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ, આજે સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રાજકોટ, બોટાદ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  જ્યારે 23 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=elJHuAQVu0cfPQpF" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ</strong></p> <p>હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ, સાંજે 4 વાગ્યા સુધી રાજકોટ, બોટાદ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ દરમિયાન ગાજવીજ સાથે પવન ફૂંકાવાની પણ શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.</p> <p><strong>23 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ</strong></p> <p>રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં  ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર,  ખેડા, અરવલ્લી, મહિસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. </p> <p><strong>સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદની આગાહી</strong></p> <p>હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. અહીં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.</p> <p>આ પણ વાંચો- <a title="Rain Alert: ગુજરાત સહિત 21 રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, IMD અપડેટ" href="https://ift.tt/tuiQpEe" target="_self">Rain Alert: ગુજરાત સહિત 21 રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, IMD અપડેટ</a>  </p> <p><strong>સંઘપ્રદેશોમાં પણ યલો એલર્ટ</strong></p> <p>ગુજરાત સાથે સંકળાયેલા સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સાંજે 4 વાગ્યા સુધી વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. </p> <p>હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.  </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...