
<p><strong>Gujarat Rain Alert: &nbsp;</strong>રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ફરી એકવાર શરુ થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી 15 સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમની અસરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્યની સરખામણીએ 19 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=hEWndUmtcOVz_GBB" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 12 સપ્ટેમ્બરે ભારે વરસાદ વરસશે</strong></p>
<p>12 સપ્ટેમ્બરે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. સુરત, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે વરસાદની શક્યતા છે. &nbsp;અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સિવાય આણંદ, વડોદરા અને પંચમહાલમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. &nbsp;દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ વરસાદનું જોર જોવા મળી શકે છે.</p>
<p><strong>સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન</strong></p>
<p>સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. બોટાદ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. જ્યારે રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. &nbsp;14 સપ્ટેમ્બરે ફરી એકવાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.</p>
<p><strong>અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશરની અસર</strong></p>
<p>ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવા પાછળ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સિસ્ટમની અસરથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ સક્રિય થવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખીને માછીમારોને આવનારા દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.&nbsp;</p>
<p><strong>રાજ્યમાં વરસાદની ઘટ</strong></p>
<p>ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદની સ્થિતિ સામાન્ય કરતાં ઓછી છે. અત્યાર સુધીમાં 19 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આગામી દિવસોમાં આગાહી મુજબ વરસાદ થાય તો રાજ્યની વરસાદની ઘટમાં ઘટાડો થવાની શક્યતા છે.</p>
Comments
Post a Comment