Skip to main content

Junagadh: ભર ચોમાસે પાણી માટે તરસી રહ્યા છે માળિયા હાટીના વિસ્તારના લોકો, જાણો સરકાર પાસે શું કરી માંગ


<p style="text-align: justify;"><strong>Junagadh:</strong> જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કાલીંભડા ગીર સહિત આસપાસના અનેક ગામોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા ગંભીર બની છે. વ્રજમી જળાશયમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં સ્થાનિક ગામોને પૂરતું પાણી મળતું ન હોવાનો ખેડૂતોનો આરોપ છે. ત્યારે કાલીંભડા ગીર ખાતે ખેડૂતો એકત્ર થઈ સરકાર સમક્ષ તાત્કાલિક જળાશયમાં પાણી છોડવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે પાણી નહીં મળે તો પીવાના પાણીની સાથે પાક અને પશુધન પર પણ ગંભીર અસર પડી શકે છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;"> </p> <p style="text-align: justify;">માળિયા હાટીના તાલુકાના દૂધાળા ગીર સહિત આસપાસના છ જેટલા ગામોમાં હાલ પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ખેડૂતો જણાવ્યા મુજબ, ગામની નજીક ડેમ હોવા છતાં તેનું પાણી બહારના તાલુકા તરફ, ખાસ કરીને માંગરોળ તરફ જાય છે. જ્યારે સ્થાનિક ગામોમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી. ખેડૂતોની માંગ છે કે સરકાર વ્રજમી જળાશયમાં તાત્કાલિક પાણી ઠાલવે, જેથી સ્થાનિક ગામોના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે. સાથે જ જળાશયમાં પાણી આવવાથી કૂવા અને બોરના તળ ઊંચા આવે અને ખેડૂતોને મર્યાદિત સિંચાઈ માટે પણ પાણી મળી રહે. પાણીની ઉપલબ્ધતા વધવાથી પશુધન માટે જરૂરી ઘાસચારાની સમસ્યા પણ હળવી થવાની ખેડૂતોને આશા છે.</p> <p style="text-align: justify;"><a title="આ પણ વાંચો...ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન" href="https://ift.tt/3jzaXgY" target="_self">આ પણ વાંચો...ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન</a></p> <p style="text-align: justify;">વાંદરવડ ગામના ખેડૂતોએ પણ પાણીની ગંભીર સમસ્યા અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આસપાસના પાંચ ગામોમાં પીવા માટેનું પાણી પણ પૂરતું નથી, જ્યારે આ વિસ્તારમાંથી પાણી માંગરોળ તરફ લઈ જવામાં આવે છે.</p> <p style="text-align: justify;"><br /><img src="https://ift.tt/8p7coDF" /></p> <p style="text-align: justify;">ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે કાં તો જળાશયમાં પાણી નાખીને સ્થાનિક લોકોને પીવાનું પાણી આપવામાં આવે અથવા તો માંગરોળ તરફ જતું પાણી બંધ કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે હાલના ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ સહિતની કોઈ વ્યવસ્થા નથી અને તેનો મુખ્ય હેતુ પીવાના પાણીનો છે. તેમ છતાં સ્થાનિક લોકોને જ પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે.</p> <p style="text-align: justify;">કાલીંભડા ગીરના ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે તેમના ગામ ખાતે વ્રજમી જળાશય આવેલું છે અને તેનું હેડ ચોરવાડ ખાતે છે. હાલ વિસ્તારમાં પિયતનું પાણી સુકાઈ રહ્યું છે અને ઘાસચારાની પણ ભારે અછત છે. જેના કારણે પશુધન બચાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ મુદ્દે કાલીંભડા ગીર ખાતે સૌની યોજનાના પમ્પિંગ સ્ટેશન નજીક ખેડૂતોની બેઠક યોજાઈ હતી. આસપાસના 8 થી 10  ગામોના ખેડૂતો આ બેઠકમાં જોડાયા હતા. ખેડૂતોનું કહેવું છે કે પાણી વહેલી તકે આવવાનું હતું, પરંતુ હજુ સુધી લાઇનમાં પાણી પહોંચ્યું નથી. જેથી આગામી બે દિવસમાં જળાશયમાં પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.</p> <p style="text-align: justify;">ખેડૂતોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. જો સમયસર પાણી નહીં મળે તો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. સાથે પશુધન માટે પાણી અને ઘાસચારાની અછત પણ વધુ ગંભીર બની શકે છે. ખેડૂતોએ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, તાલુકા પ્રમુખ દિલીપભાઈ સહિતના આગેવાનોને આ મામલે સહકાર આપવા અપીલ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ કોઈ હઠ નહીં, પરંતુ પોતાના પીવાના પાણી, ખેતી અને પશુધન બચાવવા માટે સરકાર સમક્ષ ન્યાયસંગત માંગ કરી રહ્યા છે.</p> <p style="text-align: justify;">જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ ન પડ્યો હોવાનો ખેડૂતોનો દાવો છે. ત્યારે હવે સરકાર દ્વારા વ્રજમી જળાશયમાં ક્યારે પાણી છોડવામાં આવે છે અને ખેડૂતોની માંગ અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર આસપાસના અનેક ગામોના ખેડૂતોની નજર છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...