
<p><strong>Morbi:</strong> મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે જ આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી એક યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p>
<p>&nbsp;</p>
<p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p>પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ મનોજ થાપા (નેપાળી) તરીકે થઈ છે, જે નજીકમાં આવેલી ઠાકર લોજના ક્વાર્ટરમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે. એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p>
<p><a title="આ પણ વાંચો....સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ" href="https://ift.tt/ohukVbH" target="_self">આ પણ વાંચો....સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ</a></p>
<p><strong>ચેકડેમમાં ડૂબી જતા ચાર બાળકોનાં કમકમાટીભર્યાં મોત</strong></p>
<p>રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દહીસરા ગામમાં જન્માષ્ટમીના તહેવારે કરૂણ દુર્ઘટના સર્જાઈ છે. મામાના ઘરે આવેલા ચાર બાળકો ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા, પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતા ચારેય બાળકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. &nbsp;મળતી માહિતી મુજબ, દહીસરા ગામના દીપ રાજપરા 5 સપ્ટેમ્બરના રોજ &nbsp;મામાના ઘરે ગયા હતા. આ દરમિયાન તે આજી ગામ ખાતે આવેલા પાટવાળા હનુમાન મંદિર પાસે પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે ચેકડેમ પાસે ગયો હતો. રમતા-રમતા ચારેય બાળકો પાણીમાં ન્હાવા પડ્યા હતા. જોકે, પાણી વધારે ઊંડું હોવાના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.</p>
<p>બાળકો પાણીમાં ડૂબ્યાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ &nbsp;ભારે જહેમત હાથ ધરી હતી અને લગભગ આઠ કલાકની શોધખોળ બાદ ચારેય બાળકોના મૃતદેહ ચેકડેમમાંથી બહાર કાઢ્યા હતા. ચાર માસૂમ બાળકોના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. એકસાથે ચાર બાળકોના મોતથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.</p>
<p>ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારના દિવસોમાં બનેલી આ કરૂણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.</p>
Comments
Post a Comment