Skip to main content

Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન


<p style="text-align: justify;"><strong>Vadodara:</strong> વડોદરામાં આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાનના હસ્તે રૂ. 35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. શહેરના આ કાર્યક્રમને 'નમો ફોર વિકસિત ભારત' નામ આપવામાં આવ્યું છે, જે "વડોદરાથી વારાણસી અને વારાણસીથી વિકાસ"ના સ્લોગન સાથે યોજાશે. 8 સપ્ટેમ્બરે સવારે 10:30 કલાકે શરૂ થનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન લોકો સાથે સીધો સંવાદ કરી શકે તે પ્રકારનું સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા તમામ તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને આ ઐતિહાસિક દિવસનો હિસ્સો બનવા અને પોતાની સીટ રજીસ્ટર કરવા અપીલ કરી હતી.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;"> </p> <p style="text-align: justify;"><strong>બુક માય શો પર ઓનલાઈન રજીસ્ટ્રેશનનો નવો પ્રયોગ અને અભૂતપૂર્વ ઉત્સાહ</strong></p> <p style="text-align: justify;">મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત કોઈ સરકારી કાર્યક્રમમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા ઊભી કરવામાં આવી હતી. આ માટે 'બુક માય શો' (BookMyShow) એપ્લિકેશન થકી 5 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને લોકોમાં એવો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો કે રજીસ્ટ્રેશન શરૂ થયાના માત્ર એક જ કલાકમાં કેપેસિટી પ્રમાણેનું તમામ બુકિંગ પૂર્ણ થઈ ગયું હતું. સીટો મર્યાદિત હોવાથી લગભગ 36 હજાર જેટલા લોકો રજીસ્ટ્રેશન કરાવવાથી વંચિત રહી ગયા હતા. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, જે લોકો આ વખતે રજીસ્ટ્રેશન નથી કરાવી શક્યા તેઓને આગામી સમયના કાર્યક્રમોમાં ચોક્કસથી સમાવવામાં આવશે.</p> <p style="text-align: justify;"><a title="આ પણ વાંચો....ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો..." href="https://ift.tt/lUR3T1L" target="_self">આ પણ વાંચો....ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...</a></p> <p style="text-align: justify;"><strong>સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ તંત્ર સજ્જ</strong></p> <p style="text-align: justify;">વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. એરપોર્ટથી લઈને કાર્યક્રમ સ્થળ (પેવેલિયન) સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનની સુરક્ષા માટે 11 ડીસીપી (DCP), 17 એસીપી (ACP) અને 2 હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત શહેરના સંવેદનશીલ સ્થળો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે તેમજ નાગરિકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...