Skip to main content

Posts

ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર

<p><strong>Gujarat AAP new structure 2026:</strong> ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) એ આગામી સમયની રાજકીય તૈયારીઓના ભાગરૂપે પોતાનું સંગઠન વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે. પાર્ટીએ આજે ગુજરાત પ્રદેશ માટે નવા પદાધિકારીઓની એક મોટી યાદી જાહેર કરી છે. આ ફેરફારમાં પ્રદેશ કક્ષાએ 12 નવા ઉપપ્રમુખ, 14 સંગઠન મંત્રીઓ ઉપરાંત મહિલા, યુવા અને છાત્ર મોરચાના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ નવા માળખા દ્વારા પાર્ટીએ રાજ્યના તમામ વર્ગોને સાંકળીને એક નવી ઊર્જા સાથે મેદાનમાં ઉતરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.</p> <p><strong>12 નવા ઉપપ્રમુખોની નિમણૂક</strong></p> <p>પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નવા હોદ્દેદારોની વાત કરીએ તો, પ્રદેશ કક્ષાએ કુલ 12 નેતાઓને ઉપપ્રમુખ પદની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ડૉ. જ્વેલબેન વસરા, કૈલાશ ગઢવી, રામભાઈ ધડુક, ગૌરીબેન દેસાઈ, યુવરાજસિંહ જાડેજા, બિપિન ગામેતી, રાજુ વલવાઈ, મયુર સાકરીયા, રાજ કરણ ઠાકોર, ડૉ. કાયનાબેન આથા, જીગીશા પટેલ અને જયંતી પ્રણામી...

Gujarat Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં થશે ફેરફાર, જાણો વેધર અપડેટ્સ

<p><strong>Gujarat Weather Updates:</strong>  હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન પલટાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટ છવાયો વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી પણ આંશિક રાહત મળવાની  શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. રાજ્યમાં 40થી 41 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.  પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. આગામી દિવસોમાં ગરમી સાથે ઉકળાટનો અનુભવ થશે. ખાસ કરીને દરિયાકાઠાના વિસ્તારમાં અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન આવતા હોવાથી ગરમી સાથે બફારાનો અનુભવ થશે. <br />હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જો કે છૂટછવાયા એકાદ જગ્યાએ વરસાદ સિવાય સાર્વત્રિક વરસાદની કોઇ શકયતા નથી હો થોડુ વાદળછાયું વાતાવરણ રહેશે, રાજ્યમાં ...

Gujarat Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 44.5 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર

<p>રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રવિવારે 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ 43.1 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું. અમરેલીમાં 43.3,  રાજકોટમાં 43.5, ગાંધીનગરમાં 43 ડિગ્રી, વડોદરા, ભુજમાં 42.6 ડિગ્રી, ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીની સાથે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. </p> <p>હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ ગરમીમાં ઘટાડો થઈ શકે છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. એટલે કે ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. તો આ વર્ષે કેરળમાં ચોમાસું 26 મેના રોજ બેસવાની સંભાવના છે.</p> <p>હવામાનને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મેના રોજ આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 26 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસાનું આગમન થઈ શકે ...

Gandhinagar: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની ખુલી પોલ, 2,936 શાળામાં ફક્ત એક જ શિક્ષક

<p>સરકાર એક તરફ ગુજરાતનું શિક્ષણ મોડલ અને શાળા પ્રવેશોત્સવ સહિતના તાયફાઓ કરી પોતાની પીઠ થબથબાવી રહી છે.  બીજી તરફ નીતિ આયોગના એક અહેવાલે ગુજરાત સરકારના શિક્ષણ મોડલના ધજાગરા ઉડાવ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ રાજ્યની 2 હજાર 936 શાળાઓ એવી છે કે જ્યાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમ છતાં દરેક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત તો એ છે કે રાજ્યની 63 શાળામાં ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી છતાં ત્યાં 78 શિક્ષક રોજ હાજરી પૂરીને પગાર લઈ રહ્યા છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=XWwR9Wlqvvns4qnz" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>અહીં સવાલ તો એ થાય કે વિદ્યાર્થી જ નથી તો શિક્ષકો ભણાવી કોને રહ્યા છે. નીતિ આયોગન...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં IAS - IPS બનવાનું સ્વપ્ન સાકાર:CCDC, JIO UPSC ભવન, વિવેકાનંદ સ્ટડી સેન્ટરથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અનોખો ત્રિકોણ સર્જાયો

https://ift.tt/Wc3QJSe સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં GPSC અને UPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કોચિંગનો અનોખો ત્રિકોણ સર્જાયો છે. અહીં વર્ષ 2006 માં CCDC સેન્ટર, વર્ષ 2019 માં JIO UPSC ભવન અને 2025 માં સ્વામી વિવેકાનંદ IAS સ્ટડી સેન્ટર શરૂ થયુ. જેના થકી 130 થી વધુ વિદ્યાર્થીઓ GPSC ની પરીક્ષા પાસ કરી ઓફિસર બની ચૂક્યા છે. અહીંના CCDC સેન્ટરમાં રૂ.1000 ના ટોકન દરે તો વિવેકાનંદ સેન્ટરમાં રૂ.5000 તો JIO UPSC ભવનમાં રૂ.8000 ની ડિપોઝિટ સાથે કોચિંગ આપવામાં આવે છે. જે રકમ રિફંડેબલ છે એટલે કે વિદ્યાર્થીઓ જ્યારે પોતાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યારે તમામ રકમ પરત આપી દેવામાં આવે છે. જેથી એક્સપર્ટ ફેકલ્ટીના માધ્યમથી વિનામૂલ્યે તાલીમ આપતું આ સેન્ટર IAS અને IPS બનવાનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે અહીં વર્ષ 2019 થી UPSC સેન્ટર ચાલે છે. જે માટે મોટું અનુદાન JIO તરફથી પ્રાપ્ત થયું છે. એક અહીં પૂર્ણ સમયના ફેકલ...

ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત

<p><strong>Rajasthan road accident:</strong> બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના લોકો માટે રાજસ્થાનનો પ્રવાસ ગોઝારો સાબિત થયો છે. રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પાછા ફરી રહેલા યાત્રાળુઓની કાર રાજસ્થાનના ભારતમાલા રોડ પર અચાનક નીલગાય સામે આવી જતાં પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં થાવર ગામના 3 આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.</p> <p><strong>કેવી રીતે સર્જાયો અકસ્માત?</strong></p> <p>મળતી માહિતી મુજબ, ધાનેરાના થાવર ગામના આ યાત્રાળુઓ પોતાની સ્કોર્પિયો કારમાં રણુજા દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે બાલોતરા જિલ્લાના આસોતરા નજીક ભારતમાલા રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક જ એક નીલગાય રસ્તા પર દોડી આવી હતી. નીલગાયને બચાવવા જતાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી ...

Rain Forecast: 19 મેથી 23 મે વચ્ચે આ જિલ્લામાં વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની આગાહી

<p>Rain Forecast:હવામાનને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મેના રોજ આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 26 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસાનું આગમન થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, અરબ સાગર આગામી દિવસોમાં વધુ સક્રિય રહેશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા પણ છે. 19 મેથી 23 મે દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત 8 જૂનના રોજ અરબ સાગરમાં પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા હોવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. જ્યારે 23 જૂનથી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.   </p> <p><iframe title=&...