Skip to main content

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...


<p><strong>Ambalal Patel forecast:</strong> ગુજરાતમાં મેઘરાજા હજુ પણ મન મૂકીને વરસવાના મૂડમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને એક મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમની આગાહી મુજબ, 30 જુલાઈથી રાજ્યના તમામ ઝોનમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે અને 3 થી લઈને 20 ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર વધુ રહેવાની સંભાવના છે, સાથે જ ઓગસ્ટ મહિનામાં પણ નવી સિસ્ટમ બનવાના સ્પષ્ટ એંધાણ છે.</p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. ત્યારબાદ, એટલે કે 30 જુલાઈથી વરસાદનું જોર અચાનક વધી જશે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે એકસાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ્સની અસરને કારણે 30 જુલાઈથી 3 ઓગસ્ટની વચ્ચે આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાનું અનુમાન છે.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યનો એક પણ ઝોન એવો નહીં હોય જ્યાં વરસાદની અસર જોવા ન મળે. તમામ ઝોનમાં વરસાદની આગાહી છે અને કેટલાક જિલ્લાઓમાં તો પરિસ્થિતિ એટલી ગંભીર બની શકે છે કે ત્યાં 3 થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. જો અલગ-અલગ વિસ્તારોની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ ખાબકવાનું અનુમાન છે, જ્યારે સૌરાષ્ટ્ર પંથકમાં પણ ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે.</p> <p>વરસાદનો આ રાઉન્ડ માત્ર ઓગસ્ટની શરૂઆતમાં જ પૂરો નથી થતો. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 8 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વધુ એક નવી વરસાદી સિસ્ટમ આકાર લેશે. આ નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ફરીથી વરસાદી માહોલ જામશે અને તેના પરિણામે 5 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ સુધીના સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-weather-nowcast-update-light-rain-warning-next-3-hours-imd-986959">હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી</a></strong></p> <p><strong>હવામાન વિભાગની આગાહી</strong></p> <p>ડિપ ડિપ્રેશન, મોનસૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 30 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે આજે ચાર જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તો 30 અને 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 30 જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 31 જુલાઈએ તો નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અતિભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ સાવચેત રહેવાની અપીલ કરી છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/weather-update-29-july-imd-storm-alert-heavy-rain-16-states-details-986964">હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...