Skip to main content

Gujarat rain: ગુજરાતમાં મેઘમહેર: સવારથી 51 તાલુકામાં વરસ્યો, વલસાડમાં સૌથી વધુ 3.82 ઇંચ વરસાદ


<p><strong> Gujarat rain Update:</strong> ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 51 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>હવામાન વિભાગના આંકડા મુજબ, સવારથી અત્યાર સુધીમાં 26 તાલુકામાં 1થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ યથાવત રહેતા વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.</p> <p>સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં 3.82 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ સુરત જિલ્લાના પલસાણામાં 3.70 ઇંચ, મહુવામાં 2.95 ઇંચ, તાપી જિલ્લાના વ્યારામાં 2.91 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.76 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો છે.</p> <p>આ ઉપરાંત ગણદેવીમાં 2.72 ઇંચ, પારડીમાં 2.64 ઇંચ, વાલોડમાં 2.60 ઇંચ અને અંબિકા વિસ્તારમાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો છે.</p> <p>અન્ય વિસ્તારોમાં ઉમરપાડા, નવસારી અને જલાલપોરમાં 1.97 ઇંચ, કપરાડા અને ઉકાઈમાં 1.93 ઇંચ, સોનગઢમાં 1.89 ઇંચ, નાનાપોંઢામાં 1.73 ઇંચ, મોરબીમાં 1.57 ઇંચ તેમજ બારડોલીમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર" href="https://ift.tt/xYRF9lH" target="_self">Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર</a></strong></p> <p>દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તંત્રે લોકોને જરૂરી સાવચેતી રાખવા અને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે..</p> <p class="abp-article-title"><strong>વલસાડ-નવસારીમાં જળબંબાકાર</strong></p> <p>દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વલસાડ, નવસારી તેમજ સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.</p> <p><strong>વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા-કોલેજોમાં રજા જાહેર</strong></p> <p>હવામાન વિભાગ દ્વારા વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામા આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. વલસાડમાં આંગણવાડી, તમામ શાળાઓ અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. નવસારીમાં પણ આંગણવાડી, શાળાઓ, કોલેજો ઉપરાંત ITIમાં પણ રજા રાખવાનો આદેશ કરાયો છે.  સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં પણ સ્કૂલો, કોલેજો, આંગણવાડી અને ITI બંધ રાખ નિર્ણય લેવાયો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...