Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

<p><strong>Gujarat Rain Forecast:</strong>હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાંભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરાયું છે તો &nbsp;અમદાવાદ સહિત 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48થી 72 કલાક દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>ઉત્તર ગુજરાતમાં આજે રેડ એલર્ટ</strong></p>
<p>હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેના પગલે નીચેના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p>
<p>બનાસકાંઠા<br />વાવ-થરાદ વિસ્તાર<br />પાટણ<br />મહેસાણા<br />સાબરકાંઠા<br />ગાંધીનગર<br />અરવલ્લી<br />ખેડા<br />સુરેન્દ્રનગર</p>
<p><strong>અમદાવાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ</strong>રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ,&nbsp; દાહોદ,મહીસાગર,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,રાજકોટ,અમરેલી,ભાવનગર,મોરબી,બોટાદ,કચ્છ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.&nbsp;</p>
<p><strong>ભારે વરસાદ પાછળ શું છે કારણ?</strong></p>
<p>હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ અને તેની સાથેનું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર વિકસ્યું છે, જે આગામી બે-ત્રણ દિવસમાં વધુ મજબૂત બનવાની શક્યતા છે.</p>
<p>આ બંને હવામાન પ્રણાલીઓ વચ્ચે સર્જાયેલા શિયર ઝોનને કારણે ગુજરાત તરફ ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. માત્ર વરસાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રતિ કલાક અંદાજે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.</p>
<p>હવામાન વિભાગે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, ખેડૂતો તેમજ પ્રવાસીઓને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી ન કરવાની સલાહ આપી છે.</p>
<p>&nbsp;</p>
<p>&nbsp;</p>
Comments
Post a Comment