Skip to main content

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ


<p>Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ</p> <p><strong><br />Gujarat Heavy Rain Alert:</strong> આગામી બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને કરી અપીલ. આગામી બે દિવસ પંચમહાલ અને વડોદરા જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જે આગાહીને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટે વીડિયોના માધ્યમથી આગામી બે દિવસ પાવાગઢ આવવાનું ટાળવાની શ્રદ્ધાળુઓને અપીલ કરી છે. મંદિર ટ્રસ્ટે અતિભારે વરસાદની આગાહીને લીધે શ્રદ્ધાળુઓને ઘરે પોતાના પરિવાસ સાથે સુરક્ષિત રહેવાની અપીલ કરી છે. <br /><br />ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના અમદાવાદ, વડોદરા, નવસારી અને આણંદ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરોના આદેશ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.<br /><br /></p> <p><strong>ભારે વરસાદની આગાહીને પગલે લેવાયો મહત્વનો નિર્ણય</strong></p> <p>હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. વિદ્યાર્થીઓને વરસાદ દરમિયાન મુશ્કેલી ન પડે અને સલામત રીતે ઘરે રહી શકે તે માટે ચાર જિલ્લાઓમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર આવતીકાલે જિલ્લાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.</p> <p><strong>ગત સપ્તાહની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય</strong></p> <p>ગત સપ્તાહ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાએ જતાં અને ઘરે પરત ફરતાં મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ અને રસ્તાઓ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી ફસાઈ ગયા હતા. આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે અગાઉથી સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p> <p><strong>નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ જાહેર કરી રજા</strong></p> <p>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આવતીકાલે પોતાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.</p> <p><strong>મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ કાર્યવાહી</strong></p> <p>મ્યુનિસિપલ કમિશનરના આદેશને અનુસરીને કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પણ આવતીકાલે રજા રહેશે. ભારે વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓને અનાવશ્યક મુસાફરી કરવી ન પડે અને કોઈ જોખમ ઊભું ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...