Skip to main content

Posts

Showing posts from May, 2022

રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ક્યારે શરુ થશે ચોમાસું અને કેટલો વરસાદ પડશે

<p><strong>અમદાવાદઃ</strong> કેરળમાં નેઋત્યનું ચોમાસું ત્રણ દિવસ વહેલું જ શરુ થઈ ગયું હતું ત્યારે હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને વરસાદ કેવો થશે તેને લઈ અમદાવાદ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ સારો રહેશે એવું અનુમાન કર્યું છે.</p> <p><strong>હવામાન વિભાગની આગાહીઃ</strong><br />આજે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરુઆત થઈ જશે. જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે. આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આગામી પહેલી અને બીજી જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ત્યાર બાદ બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત રહેશે.</p> <p>ઉલ્લેખનીય છે કે, કેરળમાં નેઋ...

જમીન બચાવો અભિયાન : ઇશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ સાથે ગુજરાત સરકાર કરશે MOU

<p style="text-align: justify;"><strong>Gandhinagar :</strong> ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ (Sadguru Jaggi Vasudev) જમીન બચાવો અભિયાન (Save Soil Campaign)ને લઈને ગુજરાતમાં આવ્યાં &nbsp;છે. જામનગરના રાજવી જામસાહેબના આમંત્રણને માન આપીને સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગર ગયા હતા. અને આજે 30 મેં ના રોજ તેઓ આ અભિયાન સાથે અમદવાદમાં આવ્યા છે. ગુજરાતમાં ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવના જમીન બચાવો અભિયાન અંગે મોટા સમાચાર મળી રહ્યાં છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>જમીન બચાવો અભિયાન અંતર્ગત MOU&nbsp;</strong><br />ગુજરાત સરકાર (Gujarat Government) અને &nbsp;ઇશા ફાઉન્ડેશન (Isha Foundation)ના સદગુરુ જગ્ગી વાસુદેવ વચ્ચે જમીન બચાવો અભિયાન (Save Soil Campaign) માટે MOU કરવામાં આવશે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સદગુરુ જગ્ગી વાસુદેવની ઉપસ્થિતિમાં આ MOU થશે. &nbsp;જમીન બચાવો અભિયાન &nbsp; માટે MOU કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનશે. ગુજરાત સરકારના મંત્રી વિનુ મોરડીય...

IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?

<p><strong>Gujarat Titans vs Rajasthan Royals IPL 2022 Final Rules:</strong><strong> આજે</strong>&nbsp;IPL 2022ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે જ રાજસ્થાન પણ ફોર્મમાં છે. તેથી આ મેચ દર્શકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે. ફાઈનલને લઈને <a title="આઈપીએલ" href="https://ift.tt/BXT8pUn" data-type="interlinkingkeywords">આઈપીએલ</a>ના કેટલાક નિયમો પણ છે. જો વરસાદને કારણે મેચ ન થઈ શકે તો વિજેતા તરીકે કોને પસંદ કરવામાં આવશે તે અંગેની લોકોમાં અનેક સવાલો છે.</p> <p>IPL ફાઈનલમાં વરસાદને લઈને ઘણા નિયમો છે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ રિઝર્વ ડે પર પહોંચતા પહેલા ઘણા નિયમોનું ધ્યાન રાખવું પડે છે. એક ન્યૂઝ વેબસાઈટના સમાચાર અનુસાર, જો વરસાદના કારણે મેચમાં વિલંબ થાય છે તો ઓવરો કાપ્યા વિના મેચ 9:20 વાગ્યા સુધી શરૂ થઈ શકે છે. જો વરસાદ ચાલુ રહેશે તો 5-5...

Junagadh : મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહોની લટાર, જુઓ વિડીયો

<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>Junagadh :</strong> જૂનગાઢ જિલ્લાના મેંદરડા તાલુકાના એક ગામમાં બે સિંહો લટાર મારતા દેખાયા. મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહો ગામની શેરીમાંથી નીકળતા દેખાયા હતા. બે સિંહો ગામમાં લટાર મારી રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જો કે ગીર જંગલની આસપાસના ગામોમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય માનવામાં આવે છે. શિકારની શોધમાં વનરાજ ગામડાઓમાં પ્રવેશે છે અને પશુનું મારણ કરતા હોય છે. </span></p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">જૂનાગઢ : મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહોની લટાર <a href="https://t.co/hsKfDmzyVL">pic.twitter.com/hsKfDmzyVL</a></p> &mdash; ABP Asmita (@abpasmitatv) <a href="https://twitter.com/abpasmitatv/status/1530586035855704064?ref_src=twsrc%5Etfw">May 28, 2022</a></blockquote> <p> <script src=...

PM MODI GUJARAT VISIT LIVE: પીએમ મોદી આજે ગુજરાત પ્રવાસે, જાણો મહત્વના અપડેટ

<p><strong>PM MODI GUJARAT VISIT:</strong> PM મોદી થોડીવારમાં ગુજરાત પહોંચશે. તેઓ રાજકોટથી સીધા જસદણ તાલુકાના આટકોટ ખાતે એક હોસ્પિટલના ઉદ્ધાટનમાં સામેલ થશે. પીએમ મોદીના હસ્તે આ નવનિર્મિત હોસ્પિટલનું ઉદ્ઘાટન થશે. પીએમ મોદીને આવકારવા બીજેપીના કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. રાજકોટમાં પીએમ મોદીનું સીએમ ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સ્વાગત કરશે</p> <p>વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સહકાર સે સમૃદ્ધિ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે. આ સેમિનારમાં કેંદ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.</p> <p>ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000થી વધુ ...

ગોધરા સિવિલ હોસ્પિટલમાં દર્દીએ બીજા માળેથી માર્યો કૂદકો

<p><strong>પંચમહાલ :</strong> ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક દર્દીએ બીજા માળેથી કૂદકો માર્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઓર્થોપેડિક વોર્ડમાં સારવાર લઇ રહેલ યુવકે કોઈ અગમ્ય કારણોસર હોસ્પિટલના બીજા માળેથી કુદકો મારતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ ઘટનામાં યુવકને થોડી ઇજા પહોંચી છે. હાલમાં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તપાસ બાદ સામે આવશે કે યુવકે ક્યા કારણોસર આ પગલું ભર્યું.</p> <p><strong>અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો</strong><br />Pre Monsoon Activity: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૭, ૨૮ અને ૨૯ના રોજ &nbsp;રાજ્યમાં પવનગતિમાં વધારો થશે. &nbsp;હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામા...

માતાજીના માંડવામાં ધૂણતા જોવા મળ્યા મંત્રી અરવિંદ રૈયાણી, જુઓ વીડિયો

<p style="text-align: justify;"><strong>રાજકોટ:</strong> રાજ્ય સરકારમાં મંત્રી અરવિંદ રૈયાણી માતાજીના માંડવામાં ધૂણતા જોવા મળ્યા હતા. ગુંદા ગામે રૈયાણી પરિવારના માંડવામાં મંત્રી રૈયાણી ધૂણ્યા હતા. જેનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. આ પ્રસંગે રાજકોટ તાલુકાના ગુંદા ગામે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણીને માતાજી પર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે. તમને જણાવી દઈએ કે, ગુંદા ગામ અરવિંદ રૈયાણીનું મૂળ ગામ છે. આ પહેલા પણ માતાજીના માંડવા અનેકવાર રૈયાણી ધૂણ્યા હતા.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/Dy2R3hUrRn0" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;"><strong>કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે</strong><br /...

ગૃહમંત્રી અમિત શાહ શનિવારે યાત્રાઘામ દ્વારકામાં પધારશે, જાણો સમગ્ર કાર્યક્રમ

<p style="text-align: justify;"><strong>દ્વારકા:</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજી જાહેર નથી થઈ પરંતુ દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઈ ગયા છે. આ કડીમાં હવે દેશના ગૃહમંત્રી અનિત શાહ આવતીકાલે એટલે કે 28 મે ના રોજ યાત્રાધામ દ્વારકા આવશે. તેઓ જામનગર એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફત શનિવારે સવારે 10:55 વાગ્યે દ્વારકા પહોંચશે.ગૃહમંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યે જગત મંદિર ખાતે ભગવાન દ્વાકાધીશના દર્શન પૂજન કરશે. ત્યાર બાદ 12 વાગ્યાથી 1.15 સુધી દ્વારકાના મોજપ ખાતે આવેલ કોસ્ટલ પોલિસ એકેડેમીની મુલાકાત લેશે. સાથે સાથે મરીન એકેડેમી ખાતે તાલીમ લઈ રહેલા મરીન પોલીસ કર્મીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહ સંવાદ પણ કરશે, ત્યાર બાદ 1:20 ગૃહમંત્રી દ્વારકા હેલિપેડ ખાતેથી જામનગર જવા રવાના થશે.</p> <p><strong>કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે</strong><br />ગાંધીનગરઃ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. મળતી જાણકારી અનુસાર, હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાનો તખ્તો તૈયાર થઈ ચુક્યો છે. &nbs...

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો

<p style="text-align: justify;"><strong>Pre Monsoon Activity:</strong> રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૭, ૨૮ અને ૨૯ના રોજ &nbsp;રાજ્યમાં પવનગતિમાં વધારો થશે. &nbsp;હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. સવારથી જ વાદળોના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે. &nbsp;તપામાનમા ૩ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/KxVg5qHpl9E" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં...

કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે

<p>ગાંધીનગરઃ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. મળતી જાણકારી અનુસાર, હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાનો તખ્તો તૈયાર થઈ ચુક્યો છે. &nbsp;30 મેના રોજ હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. પ્રદેશ કાર્યાલય કમલમમાં હાર્દિક પટેલ કેસરિયા કરશે.</p> <p>ભાજપમાં પ્રવેશ કરતા પહેલા હાર્દિક પટેલ સભા યોજી શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે. કેંદ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા હાર્દિકના ભાજપ પ્રવેશ દરમિયાન હાજર રહે તેવી શક્યતા છે.&nbsp; જો કે હાર્દિક કે ભાજપ તરફથી હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. હાર્દિકના નજીકના વ્યક્તિએ આ માહિતી આપી હતી. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ હાર્દિકે પોતાના નજીકના સાથીઓને ફોન અને મેસેજ કરી 29 અને 30 તારીખે ગાંધીનગર આવવા માટે કહ્યું છે.</p> <h3 class="article-title ">Gujarat Rain: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના</h3> <p><strong>Gujarat Rain:</strong>&nbsp;કેરળમાં ચોમાસુ સક્રિય થયાના 48 કલાક બાદ રાજ્યમા...

Gujarat Rain: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

<p><strong>Gujarat Rain:</strong> કેરળમાં ચોમાસુ સક્રિય થયાના 48 કલાક બાદ રાજ્યમાં ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરાશે. હાલ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ચુકી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. &nbsp;હવામાન વિભાગના મુજબ આ વર્ષે ચોમાસુ સામાનય રહી શકે છે. અરબી સમુદ્રમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેને લઈ 27 થી 29 તારીખ દરમિયાન દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે.</p> <p>અમરેલી જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ પર દરિયામાં કરંટ જોવા મળ્યો હતો, અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં વાદળછાયા વાતાવરણને લઈ આજે તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે છે. ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરે તે પહેલાં તકેદારી માટે પૂરતી કામગીરીને લઈ સરકાર સજ્જ છે.</p> <p>તો હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે વરસાદ પડ્યો. વલસાડના હાલર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદને પગલે કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીઓ નીચે પડી રહી ...

PM Modi in Gujarat: વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતને 8 વર્ષમાં શું-શું ભેટ આપી ? જાણો વિગત

<p>PM <a href="mailto:Modi@8:">Modi@8:</a>&nbsp; 26 મેના રોજ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આઠ વર્ષ પૂર્ણ થશે. આ 8 વર્ષોમાં દેશમાં તેમણે વિકાસના ઘણા કામ પૂર્ણ કરીને દેશને નવી ઓળખ આપી છે. આ કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને વિશેષ પ્રાથમિકતા આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતને દેશના વિકાસ મોડલ તરીકે સ્થાપિત કર્યું છે. જોકે તેમ છતાં અમુક એવા વિષયો પણ હતા, જે તેમની પહોંચની બહાર હતા.&nbsp; મતલબ કે એવા વિષયો કે જેમાં કેન્દ્ર સરકારની સીધી દખલગીરી હોય અને જે વિષયો ગુજરાત માટે મહત્વના હતા. પરંતુ યુપીએની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે તેના પર ખાસ ધ્યાન આપ્યું ન હતું. આવી સ્થિતિમાં વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તે પ્રશ્નોના નિરાકરણ અંગે ગુજરાતની સરકાર અને લોકોમાં આશા બંધાઇ હતી અને તે પ્રમાણે થયું પણ ખરું!</p> <p><strong>પીએમ બન્યાના 17 દિવસની અંદર જ લીધો આ મોટો નિર્ણય</strong></p> <p>વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ તુરંત જ તેમણે ગુજરાતને લગતા તે તમામ વિષયો પર ઝડપી નિર્...

Petrol Diesel Price: મહારાષ્ટ્રમાંથી કેમ લોકો ગુજરાતમાં આવી રહ્યા છે પેટ્રોલ પુરાવવા ? જાણો શું છે કારણ

<p><strong>Petrol Diesel Price in Gujarat:</strong> &nbsp;મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકોને રાહત આપવા માટે મોદી સરકારે 21 મેના રોજ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. એક્સાઈઝ ડ્યુટીમાં પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી લોકોને ચોક્કસ રાહત મળશે. કેન્દ્ર સરકારે ડ્યુટીમાં ઘટાડો કર્યો હોવા છતાં ઘણા રાજ્યો ઘટાડો કરવા તૈયાર નથી. પરિણામે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાંથી ઘણા વાહન ચાલકો અહીં પેટ્રોલ પુરાવવા આવે છે.</p> <p><strong>મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં કેટલા સસ્તા છે પેટ્રોલ-ડીઝલ</strong></p> <p>મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી હોવાથી મહારાષ્ટ્રના સરહદી વિસ્તારના લોકો અહીં ઈંધણ પુરાવવા આવે છે. વલસાડના એક પેટ્રોલ પંપના માલિકે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, મહારાષ્ટ્ર બોર્ડર અહીંથી 2 કિમી દૂર છે. લોકો અમારા પંપ પરથી ઇંધણ ખરીદે છે. કારણ કે મહારાષ્ટ્ર કરતાં અહીં પેટ્રોલમાં રૂ. 14/લિટર અને ડીઝલમાં રૂ. 3.5/લિટરનો તફાવત છે.</p> <p>...

Ration Card: ગુજરાતમાં રેશનકાર્ડને લગતી તમામ માહિતી આ એપથી મેળવી શકશો, જાણો કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન

<p style="text-align: left;"><strong>Ration Card:</strong>&nbsp; જાહેર વિતરણ વ્યવસ્થામાં નાગરિકોને સુગમતા રહે તે હેતુસર ભારત સરકાર દ્વારા &ldquo;Mera Ration&rdquo; Mobile App તૈયાર કરવામાં આવી છે. તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા તથા નાગરિકોને રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ સરળતાથી ઉપલ્બ્ધ કરાવવા વહીવટી સુધારણાના ભાગરૂપે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ધ્વારા NIC-Gujarat ના સહયોગથી ભારત સરકારની &ldquo;Mera Ration&rdquo; Mobile app ના આધારે &ldquo;My Ration&rdquo;&nbsp; Mobile app તૈયાર કરવામાં આવી છે.</p> <p style="text-align: left;"><strong>ગવર્નમેન્ટ ટુ સિટીઝન છે આ એપ્લિકેશન</strong></p> <p style="text-align: left;">આ એપ્લીકેશન ગવર્નમેન્ટ ટુ સિટીઝન (G2C) એપ્લિકેશન છે. જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા અને રેશનકાર્ડને લગતી જુદી- જુદી માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ઘ કરાવવામાં આવી છે. &ldquo;My Ration&rdquo; Mobile app રેશનકાર્ડ ધારકોની...

ગીર ગઢડાના ખિલાવડ રોડ પર એક સાથે 11 સિંહ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ, જુઓ સિંહોનો આ વિડીયો

<p style="text-align: justify;"><span style="font-weight: 400;">Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં એક સાથે 11 સિંહો રોડ પર લટાર મારતા દેખાયા હતા. આ 11 સિંહોના ટોળામાં સિંહણ અને સિંહબાળ પણ સામેલ હતા.મોડી રાત્રે&nbsp; એક સાથે 11 સિંહોનું ટોળું&nbsp; રોડ પર આવતા અમુક સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ વિડીયો ક્યાંનો છે એ સ્પષ્ટ થઇ શક્યું નથી, પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ગીર ગઢડાના ખિલાવડ રોડ પરનો છે. એક સાથે 11 સિંહ આવતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે અને&nbsp; ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે.&nbsp; આ વિડિઓ હાલ સોશિયલ&nbsp; મીડિયા પર વાઇરલ થયો છે. જુઓ આ વિડીયો&nbsp;</span></p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">ગીર સોમનાથના ગીર ગઢડામાં એક સાથે 11 સિંહો રોડ પર લટાર મારતા દેખાતા <a href="https://twitter.com/hashtag/GirSomnath?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#GirSomnath</a> <a href="https...

રાહત:રેશનકાર્ડ ધારકો હવે રેશનકાર્ડ સંબંધિત કોઇપણ માહિતી “My Ration” મોબાઇલ એપ પરથી મેળવી શકશે

https://ift.tt/HVQOiKX રેશનકાર્ડમાં નામ ઉમેરવું- કમી કરવું સુધારો વગેરે Digital Gujarat પ્લેટફોર્મ પર ઓનલાઇન અરજી કરી શકાશે

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત

<p>ગાંધીનગરઃ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવતીકાલથી ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે. તો 24 અને 25 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે.</p> <p>જો કે, આજે રાજ્યના 8 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો. અમદાવાદમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતુ. અમદાવાદમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.&nbsp;</p> <p><strong>રાજ્યના IAS અધિકારી પર CBIએ પાડ્યા દરોડા&nbsp;</strong><br />CBIની &nbsp;ટીમે ગાંધીનગરમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. આઈએએસ કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીની CBI ટીમે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. નોંધનિય છે કે, કે. રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર રહી ચૂક્યા છે. આ દરોડ મોડી રાતે પાડવામાં પાડવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના વતની અને વર્ષ...

ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત

<p><strong>Gujarat Education News:&nbsp;</strong>રાજ્યમાં શિક્ષકો અને શિક્ષણના પડતર મુદ્દાઓને લઈ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફસન્સ યોજી હતી. જેમાં મોટી જાહેરાતો કરવામા આવી. &nbsp;તેમણે કહ્યું આચાર્ય સહિત ત્રણના મહેકમમા શિક્ષણને અસર થતી હતી. આવી શાળાઓમા એક શિક્ષક વધારે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આચાર્ય સહિત ચારનુ મહેકમ મળશે. સંચાલક મંડળ તથા બધાજ સંગઠનો સાથે ચર્ચા કરી નિર્ણય કરાયો છે. એમના આર્થિક અને સર્વિસ બાબતોના પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છીએ, જેના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ના પરીવારમા દિવાળી હશે.</p> <p>આચાર્યને એલટીસીના લાભ મળશે. ફિક્સ પગારમાં નિમણૂક પામેલ માધ્યમિક શિક્ષણના શિક્ષણ સહાયક, વહિવટી સહાયક સહિતના ૩૯૦૦ કર્મચારીઓને સળંગ નોકરી ગણાશે. શિક્ષકો વધારાનો સમય આપે અને વાલીઓની સંમતી સાથે વિધ્યાથીઓને ભણાવવાની ખાતરી મળી છે. નોન ટીચિંગ સ્ટાફની બઢતી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ પરીક્ષા ન લેવાય ત્યાં સુધી શરતી બઢતી અને ભરતીનો નિર્ણય કર્યો છે</p> <p><strong>HMATની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં &n...

Gujarat Elections 2022: ભાજપની ચિંતન શિબિર આજે પૂર્ણ થઇ, વિધાનસભા ચૂંટણી માટે વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી

<p style="text-align: justify;"><span style="font-weight: 400;">AHMEDABAD : ગુજરાત ભાજપની&nbsp; બે દિવસીય ચિંતન શિબિર અથવા મંથન સત્ર સોમવારે સાંજે અમદાવાદ નજીક એક રિસોર્ટમાં સમાપ્ત થઇ. ગુજરાત સરકારના પ્રવક્તા, શિક્ષણ મંત્રી જીતુ વાઘનીએ જણાવ્યું&nbsp; કે આ શિબિરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ, રાજ્ય એકમના વડા સીઆર પાટીલ સાથે વિધાનસભાની ચૂંટણીની વ્યૂહરચના ઘડવાના ઉદ્દેશ્ય સાથે લગભગ 30 અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન શું થયું તેની વિગતમાં ગયા વિના, ભાજપ 2017ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયેલી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">મંત્રી જીતુ વાઘાણીએ&nbsp; કહ્યું, "અમે ખુબ મોટા...

રાજ્યમાં આજે 4 જિલ્લાઓમાં નવા 33 કોરોના કેસ નોંધાયા, અમદાવાદમાં કેસ ઘટ્યા બાદ નવા કેસમાં વધારો

<p><strong>Gujarat Corona Update:</strong> ગુજરાતમાં હાલ કોરોનાના સામાન્ય કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં થોડા દિવસ પહેલાં કોરોનાના કેસમાં (Corona Case) ઘટાડો નોંધાયો હતો. ત્યારે આજે ફરીથી કેસમાં આંશિક વધારો થયો છે. 16 મેના દિવસે આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના કુલ 33 કેસ નોંધાયા છે. જેમાં ફક્ત 4 જિલ્લાઓમાં જ કોરોના કેસ નોંધાયા છે. બાકીના જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. આજે કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી.&nbsp;</p> <p>રાજ્યમાં જિલ્લા પ્રમાણે નોંધાયેલ કેસની વિગતો જોઈએ તો આજે અમદાવાદ શહેરમાં 25 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં 3, ગાંધીનગરમાં 3, અમદાવાદ જિલ્લામાં 1 કેસ અને સુરતમાં 1 કોરોના કેસ નોંધાયો છે. આમ 4 જિલ્લાઓમાં કુલ 33 નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના નવા 15 કેસ જ નોંધાયા હતા અને વડોદરામાં 10 કેસ નોંધાયા હતા. આમ અમદાવાદના કેસમાં વધારો અને વડોદરાના કેસોમાં ઘટાડો નોંધાયો છે.</p> <p>આ સાથે રાજ્યમાં આજે કુલ 25 દર્દી સાજા થયા ...

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને શું આપી સૂચના ? જાણો વિગત

<p><strong>અમદાવાદઃ</strong> ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. હાલ કોંગ્રેસની ઉદયપુરમાં ચિંતન શિબિર ચાલી રહી છે તો અમદાવાદના બાવળામાં ભાજપે પણ ચિતંન શિબિરનું આયોજન કર્યું છે. મીશન 2022 માટે રાહુલ ગાંધીએ શહેરિ વિસ્તારની રણનીતિ બનાવવા ગુજરાત કોંગ્રેસને સૂચના આપી છે.</p> <p>રાહુલ ગાંધીએ શહેરી વિસ્તારની બેઠકો જીતવા માઇક્રો પ્લાનિંગ કરવા અને તેનો રિપોર્ટ એક સપ્તાહની અંદર મોકલવા સૂચના આપી છે.જે અંગે તેમણે ગ્રામીણ વિસ્તારના મુદ્દા શહેરમાં અસર ન કરતાં હોવાનો મત વ્યક્ત કર્યો છે.</p> <p><strong>યુથ કોંગ્રેસ શરૂ કરશે ગુજરાત માગે રોજગાર અભિયાન</strong></p> <p>યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના કહેવા મુજબ, મીશન 2022 માટે કોંગ્રેસ 'ગુજરાત માગે રોજગાર' અભિયાન શરૂ કરશે. 17મી તારીખથી આ અભિયાન શરૂ કરવામાં આવશે. યુથ કોંગ્રેસ 17મીથી જિલ્લા રોજગાર કમિશ્નર કચેરીનો ઘેરાવ કરશે. ગાંધીનગર રોજગાર કચેરીનો ઘેરાવ કરીને અભિયાનની શરૂઆત કરાશે.</p> <p><strong>કોંગ્રેસના કયા કદ્દાવર નેતાએ પ...

ક્વોરી ઉદ્યોગમાં હડતાળને કારણે બાંધકામ ક્ષેત્રે મોટું નુકસાન, 7000 સેક્ટરમાં બાંધકામ ઠપ્પ

<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>Gujarat :</strong> ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો હલ ન થતાં ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સેક્ટરો હડતાળ પર ઉતરી જતા રાજ્યભરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સમસ્યામાં મુકાયા છે રાજ્યમાં ક્વોરી&nbsp; ઉદ્યોગ સાથે સંકળાયેલા સેક્ટરો દ્વારા રાજ્ય સરકારને તેમના પડતર પ્રશ્નો હલ કરવા અનેક રજૂઆતો કરાઈ હતી પરંતુ પ્રશ્નો હલ ન થતાં આખરે ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સેકટરો બંધ પડ્યા છે ક્વોરી ઉત્પાદન બંધ થતા બાંધકામમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી કપચી બિલ્ડરોને ન પહોંચતા તમામ બાંધકામના પ્રોજેક્ટ હાલ બંધ પડ્યા છે.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">વહેલી તકે કપચીનો&nbsp; સપ્લાય નહિ પહોંચે તો બિલ્ડરોને કરોડોનું નુકસાન થવાની સાથે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિલ્ડર, કોન્ટ્રાક્ટરો અને મજૂરો માટે પણ વિકટ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કરોડોના ઇન્વેસ્ટમેન્ટ હાલ માથે પડી રહ્યા છે જો વરસાદનું આગમન થઈ ગયું તો બ...

અમદાવાદ: મૃત્યુ બાદ પણ અંગદાન થકી અન્યના શરીરમાં જીવીત રહેશે ખેડાનો આ યુવાન

<p><strong>અમદાવાદ:</strong> સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 60મું અંગદાન કરવામાં આવ્યું છે. ખેડાના 35 વર્ષીય યુવાનને બ્રેઇન હેમરેજ થતા તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમા હૃદય, બે કિડની અને એક લિવરનું દાન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 96 કિડની, 52 લીવર, 6 સ્વાદુપિંડ,10 હૃદય, 4 હાથ અને 8 ફેફસા સાથે 184 અંગના દાન કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, અંગદાન કરવાથી ઘણા લોકોને નવું જીવન મળે છે. આ પહેલા પણ અંગદાન થકી ઘણા લોકોની જિંદગી બચી શકી છે.</p> <p><strong>ગુજરાતમાં આવી પીએમ મોદી વિશે આ શું બોલ્યા અસસુદ્દીન ઔવેસી</strong><br />Assuddin Owaisi Gujarat Visit: આજથી અસસુદ્દીન ઔવેસી બે દિવસ ગુજરાત પ્રવાસે છે, તારે આજે સરસપુર ખાતે ઈદ મીલાદ મિલન પ્રોગ્રામમાં તેમણે હાજરી આપી હતી. આ પ્રોગ્રામમાં ઔવેસીએ ભાજપ સરકાર સામે અને કોંગ્રેસ સામે ઘણા આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત જ્ઞાનવાપી મસ્જીદને લઈ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજે દેશમાં નોકરીઓ નથી, બેરોજગાર સોથી વધાર...

ગુજરાતમાં આવી પીએમ મોદી વિશે આ શું બોલ્યા અસસુદ્દીન ઔવેસી

<p style="text-align: justify;"><strong>Assuddin Owaisi Gujarat Visit:</strong> આજથી અસસુદ્દીન ઔવેસી બે દિવસ ગુજરાત પ્રવાસે છે, તારે આજે સરસપુર ખાતે ઈદ મીલાદ મિલન પ્રોગ્રામમાં તેમણે હાજરી આપી હતી. આ પ્રોગ્રામમાં ઔવેસીએ ભાજપ સરકાર સામે અને કોંગ્રેસ સામે ઘણા આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત જ્ઞાનવાપી મસ્જીદને લઈ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજે દેશમાં નોકરીઓ નથી, બેરોજગાર સોથી વધારે આપણા દેશમાં છે, કોલસાની તંગી છે, સેમી કંડક્ટર મળતા નથી, ઓક્સિજન ન મળ્યો માત્ર નફરત વધારે છે. આઠ વર્ષમાં મોદી સરકારે આ આપ્યું છે. એવા પ્રયત્ન થઇ રહ્યા છે કે મુસલમાનોના કલ્ચરને ખતમ કરી નાખવામાં આવે. મોંઘવારી વિશે વાત નથી થતી, રૂપિયો ગગડી રહ્યો છે તેની વાત નથી થતી. પ્રધાનમંત્રી બન્યા પહેલાં મોદી કહેતા હતી કે પ્રધાનમંત્રી અને રૂપિયા વચ્ચે હોડ લાગી છે.</p> <p style="text-align: justify;">તેમણે જ્ઞાન વાપી મસ્જીદ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, 1991માં આ મુદ્દા પર અલ્હાબાદ કોર્ટે સ્ટે આપ્યો હતો. હવે નામ બદલી કોર્ટમાં જવામાં આવે છે. 1991ના સ્ટે ને ધ્યાને લેવામાં ...

2022 વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ કોને કોને આપશે ટિકિટ?, જાણો શું રાખવામાં આવી શરતો?

<p>ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, મિશન 2022ને લઈને કૉંગ્રેસ &lsquo;નો રિપિટ થીયરી&rsquo; અપનાવશે. &nbsp;જે બેઠક પર ત્રણ વખત ચૂંટણી હાર્યા છે તેના પર કૉંગ્રેસ &lsquo;નો રિપીટ થિયરી&rsquo; અપનાવશે. એટલુ જ નહીં માત્ર ઉમેદવાર જ નહીં, પણ જ્ઞાતિ માટે પણ કૉંગ્રેસ &lsquo;નો રિપિટ થીયરી&rsquo; અપનાવશે.</p> <p>મળતી જાણકારી અનુસાર, જે જ્ઞાતિના ઉમેદવારને ત્રણ વાર ટિકિટ આપવા છતા હાર થઈ છે તેવી જ્ઞાતિમાંથી પણ કોઈ ઉમેદવારની પસંદગી કરવામા આવશે નહીં. જે ઉમેદવાર ત્રણ ચૂંટણી હાર્યા છે તેને પણ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ટિકિટ આપશે નહીં. &nbsp;જે તે બેઠક પર એક જ્ઞાતિને ટિકિટ આપ્યા બાદ પણ હાર થઈ તેની જગ્યાએ બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતી જ્ઞાતિના ઉમેદવારને ચૂંટણી લડવાની તક આપવામાં આવશે.</p> <p><strong>ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી</strong></p> <p>દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. ...

રાજ્યમાં આગામી બે દિવસ હિટવેવની કરી આગાહી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર

<p>ગાંધીનગરઃ રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર- કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને કચ્છમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.</p> <p>રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત છે. &nbsp;પાંચ શહેરમાં 43 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયુ હતું. બે દિવસ કાળઝાળ ગરમીને પગલે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર,પાટણ, સુરેંદ્રનગર, બોટાદ, અમરેલી અને કચ્છમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે 24 કલાક બાદના ત્રણ દિવસ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા છે. &nbsp;શુક્રવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 44.3 ડિગ્રી સાથે સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જ્યારે અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. રાજકોટમાં ગરમીનો પારો 43.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદમાં ગરમીનો પારો 43.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે વલ્લભવિદ્યાનગરમ...

ગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું, આજે 8 જિલ્લાઓમાં ફક્ત 28 કેસ નોંધાયા

<p><strong>Gujarat Corona Update:</strong> ગુજરાતમાં હાલ કોરોનાના સામાન્ય કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલાં આવેલા કેસના ઉછાળા બાદ આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. 12 મેના દિવસે આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના કુલ 28 કેસ નોંધાયા છે. જેમાં ફક્ત 8 જિલ્લાઓમાં જ કોરોના કેસ નોંધાયા છે. બાકીના જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. આજે કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી.&nbsp;</p> <p>રાજ્યમાં જિલ્લા પ્રમાણે નોંધાયેલ કેસની વિગતો જોઈએ તો આજે અમદાવાદ શહેરમાં 20 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં 2, જામનગરમાં 1, આણંદમાં 1, ગાંધીનગરમાં 1 ખેડામાં 1, સુરતમાં 1 અને મહેસાણામાં 1 કોરોના કેસ નોંધાયો છે. આમ 8 જિલ્લાઓમાં કુલ 28 નવા કેસ નોંધાયા છે. થોડા દિવસ પહેલાં અમદાવાદ શહેરના પાલડીમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)માં કોરોના સંક્રમણ ફેલાતાં અમદાવાદના કુલ કેસોમાં વધારો જોવા મળ્યો હતો.</p> <p>આ સાથે રાજ્યમાં આજે કુલ 23 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 9, વડોદરા શહેરમાં 8 દર્દી...

ભરૂચઃ ઉત્કર્ષ સમારોહમાં બે દિકરીઓનું ડોક્ટર બનવાનું સપનું જાણીને ભાવુક થયા PM મોદી, જાણો પછી શું કહ્યું....

<p><strong>Utkarsh Samaroh:</strong> પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભરુચના અંકલેશ્વરમાં યોજાઈ રહેલા 'ઉત્કર્ષ સમારોહ'માં વર્ચ્યુલી હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત પણ કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ હેઠળ રાજ્ય સરકારની 4 યોજનાઓનો લાભ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને પીએમ મોદીએ આ લાભોનું વિતરણ કર્યું હતું.</p> <p>કાર્યક્રમની શરુઆતમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આજનો કાર્યક્રમ આ વાતનું પ્રમાણ છે કે, અમારી સરકાર ઈમાનદાર અને એક સંકલ્પ લઈને લાભાર્થી સુધી પહોંચવાવાળી સરકાર છે. પીએમ મોદીએ કહ્યું કે, ભરુચ જિલ્લા વહિવટી તંત્રને અને ગુજરાત સરકારને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલી 4 યોજનાઓ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે હું અભિનંદન આપું છું.</p> <p><strong>ભાવુક થઈ ગયા પ્રધાનમંત્રીઃ</strong><br />આ કાર્યક્રમમાં પીએમ મોદીએ એક લાભાર્થી સાથે વાત...

GSEB Gujarat CET Results: ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર, જાણો કેવી રીતે જોઇ શકશો?

<p>ગુજરાત શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરી દીધુ છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જોઇ શકશે.&nbsp; ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરાયુ છે. ત્યારબાદ શાળા ખાતેથી પરિણામ મેળવી શકાશે. આજે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને દસ દિવસ બાદ બોર્ડની માર્કશીટ અપાશે.&nbsp;</p> <p>ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યુ છે. 72 ટકા વિદ્યાર્થીઓ, જ્યારે 72.05 ટકા વિદ્યાર્થીનીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા હતા. 196 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે 3303 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ&nbsp; સાથે પાસ થયા હતા. અંગ્રેજી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું હતું. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું છે. &nbsp;એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.04 ટકા, બી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 68.58 ટકા, એબી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 78.38 ટકા આવ્યુ હતું.</p> <p>ધોરણ 12 સાયન્સ અને ગ...

રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

<p>દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) આજે સાંજે શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા યોજી હતી. આ સભાનું ટાઈટલ "એક મોકો કેજરીવાલને" રાખવામાં આવ્યું હતું. આવનારી વિધાનસભા ચૂંટણીને ઉદ્દેશીને થયેલી આમ આદમી પાર્ટીની જાહેર સભામાં સૌરાષ્ટ્રના આમ આદમી પાર્ટીના નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. આ સાથે આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, આપ નેતા ઈસુદાન ગઢવી, ઈન્દ્રનીલ રાજગુરુ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.</p> <p><strong>સી.આર.પાટીલ પર કર્યા પ્રહારઃ</strong><br />અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે, સી.આર પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે પણ ગુજરાતના લોકો કહે છે ગુજરાતના CM સી.આર પાટીલ છે. સી. આર પાટીલે થોડા દિવસ પહેલાં આપેલા મહાઠગના નિવેદન ઉપર વળતો પ્રહાર કરતાં કેજરીવાલે કહ્યું કે, "તમને લાગે છે હું ઠગ છું? શું શિક્ષણ માટે અને આરોગ્ય માટે સારું કામ કરેએ ઠગ છે?" પેપર ફુટવા અંગે કેજરીવાલે કહ્યું કે, સરકારને પેપર લેતાં નથી આવડતું સરકાર શું ચલાવશો?</p>...

ગુજરાત કોરોના અપડેટઃ આજે ફક્ત 4 જિલ્લાઓમાંથી કુલ 31 કોરોના કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

<p>ગુજરાતમાં હાલ કોરોનાના સામાન્ય કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલાં આવેલા કેસના ઉછાળા બાદ આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. 11 મેના દિવસે આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના કુલ 31 કેસ નોંધાયા છે. જેમાં ફક્ત 4 જિલ્લાઓમાં જ કોરોના કેસ નોંધાયા છે. બાકીના જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.</p> <p>રાજ્યમાં જિલ્લા પ્રમાણે નોંધાયેલ કેસની વિગતો જોઈએ તો આજે અમદાવાદ શહેરમાં 19 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં 8, અમદાવાદ જિલ્લામાં 1, જામનગર શહેરમાં 1, નવસારીમાં 1, સુરત શહેરમાં 1 કેસ નોંધાયો છે. આમ 4 જિલ્લાઓમાં કુલ 31 નવા કેસ નોંધાયા છે. થોડા દિવસ પહેલાં અમદાવાદ શહેરના પાલડીમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)માં કોરોના સંક્રમણ ફેલાતાં અમદાવાદના કુલ કેસોમાં વધારો જોવા મળ્યો હતો.</p> <p>આ સાથે રાજ્યમાં આજે કુલ 21 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 8, વડોદરા શહેરમાં 4 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 3, નવસારીમાં 2, આણંદમાં 1, ભાવનગર શહેરમાં 1, ગાંધીનગર શહેરમાં 1, મોરબીમાં 1 મળીન...

Rahul Gandhi Gujarat Visit 2022: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ વિધાનસભા ચૂંટણીમાં કેટલી સીટો જીતવાનો કર્યો દાવો ?

<p><strong>Rahul Gandhi Gujarat Visit:</strong> &nbsp;ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. ગુજરાત કોગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ મંચ પર ઉપસ્થિત છે. સંમેલનમાં સંબોધન કરતાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.</p> <p><strong>રઘુ શર્માએ શું કહ્યું</strong></p> <p>ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું, ગુજરાતના આદિવાસીઓને તેમનો હક મેળવો જોઇએ. વડાપ્રધાન દાહોદ માં કાર્યક્રમ કરીને ગયા, તેઓ એકપણ વાક્ય આદિવાસી હકો માટે ના બોલ્યા. <br />આદિવાસીઓને ભાજપ સરકાર શા માટે તેમના હકો થી દુર રાખે છે. આદિવાસી વિસ્તારોમાં સંવિધાન ચોપાલ કરીશું. 10 લાખ આદિવાસીઓ પાસે જઈ હકપત્ર ભરાવીશું. 2022 માં ગુજરાતમાં 125 થી વધુ બેઠકો જીતીશું. <br />ગુજરાતમાં વિપક્ષ ને આંદોલન કરવાની મંજૂરી નથી, આંદ...

Rahul Gandhi Gujarat Visit 2022: જગદીશ ઠાકેરે રાહુલ ગાંધીને શું આપ્યું વચન ? જાણો કોને ટિકિટ આપવાની કહી વાત

<p><strong>Rahul Gandhi Gujarat Visit:</strong> &nbsp;ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. થોડીવારમાં તેઓ&nbsp; દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન પર સંબોધન કરશે.</p> <p><strong>જગદીશ ઠાકોરે રાહુલ ગાંધીને શું આપ્યું વચન</strong></p> <p>આદિવાસી સત્યાગ્રહના મંચ પરથી જગદીશ ઠાકોરે રાહુલ ગાંધીને વચન આપતાં કહ્યું, આદિવાસી સમુદાયની તમામ બેઠક કોંગ્રેસને જીતાડિશું. આદિવાસી અનામત 27 બેઠક અને આદિવાસી પ્રભાવિત 13 બેઠક પણ જીતીશું. 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. જે આદિવાસી સમુદાય વચ્ચે જઈને કામ કરશે તેને જ ટિકિટ મળશે. ખાટલા બેઠક, ચોપાલ અને ઘરેઘરે જશે તેને જ આગામી ચૂંટણીમાં ટિકિટ મળશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" la...

Rahul Gandhi Gujarat Visit Live: સ્ટેજ પર પહોંચ્યા રાહુલ ગાંધી, થોડીવારમાં કરશે સંબોધન

<p>Rahul Gandhi Gujarat Visit 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં અચાનક તમામ રાજકીય પક્ષોનો આદિવાસી પ્રેમ ઉભરાઈ રહ્યો છે. ભાજપમાંથી પ્રધાનમંત્રી મોદી, આપમાંથી અરવિંદ કેજરીવાલ આદિવાસી સંમેલન સંબોધી ચુક્યા છે અને આજે રાહુલ ગાંધી પણ આદિવાસીઓને સંબોધશે.</p>

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને કોર્ટ આપી મોટી રાહત, જાણો સમગ્ર મામલો

<p><strong>અમદાવાદ:</strong> કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. &nbsp;હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તોડફોડ અને રાયોટીંગનાના ગુના સબબ થયેલી ફરિયાદ પરત ખેંચવા રાજ્ય સરકારે કરેલી રિવિઝન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. જેમાં હાર્દિક પટેલ અને અન્ય 20 આરોપીઓને રાહત મળી છે. નોંધનિય છે કે પાટીદાર આંદોલન સમયે રાજ્યમાં ઘણી જગ્યાએ તોડફોડની ઘટના બની હતી. જે મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. તો બીજી તરફ હાર્દિક પટેલની ચૂંટણી લડવાનો માર્ગ પહેલા જ મોકળો થઈ ચૂક્યો છે.</p> <p>&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/E4e9om66sAs" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>નરેશ પટેલ 15 મેએ રાજકારણમાં એન્ટ્રીની કરશે જાહેરાત, જાણો કયા પક્ષમાં જોડાશે</strong><br />રાજકોટ: ખોડલધામ ચેરમેન નરેશ પટેલે હા...

નરેશ પટેલ 15 મેએ રાજકારણમાં એન્ટ્રીની કરશે જાહેરાત, જાણો કયા પક્ષમાં જોડાશે

<p style="text-align: justify;"><strong>રાજકોટ:</strong> ખોડલધામ ચેરમેન નરેશ પટેલે હાલમાં દિલ્હીમાં ધામા નાખ્યા છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાઓ સાથે આજે સાંજે બેઠક કરશે. અત્યાર સુધીમાં નરેશ પટેલ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠક કરી ચુક્યા છે. તો બીજી તરફ નરેશ પટેલને રાજકારણમાં જવું કે નહીં તે બાબતે મોટા ભાગનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. આગામી 15 મે આસપાસ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે જાહેરાત કરશે. તો બીજી તરફ હાલમાં ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યો પણ દિલ્હી પહોચ્યા છે. નરેશ પટેલ સાથે દિલ્હીમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો પણ પહોંચ્યા છે. નરેશ પટેલ સાથે ધારાસભ્ય પ્રતાપ દુધાત, લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ દિલ્હી પહોંચ્યા છે. નરેશ પટેલ અને કોંગ્રેસના 4 MLA એ કે. સી વેણુગોપાલ સાથે બેઠક કરી. બેઠકમાં રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સામેલ હતા. તેથી હવે કહી શકાય કે નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાય તો નવાઈ નહીં.</p> <p style="text-align: justify;"><strong>મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધી દાહોદથી ર...

આવતીકાલે રાહુલ ગાંધી આવશે ગુજરાત, આદિવાસી સત્યાગ્રહને લઈને કોંગ્રેસની તડામાર તૈયારી

<p><strong>Mission 2022:</strong> ગુજરાત કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આવતીકાલે રાહુલ ગાંધીની હાજરીમાં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ યોજાશે. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે. આદિવાસી વિસ્તારથી રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. આદિવાસીઓના અધિકાર અંગે કોંગ્રેસ વાત કરશે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં કોંગ્રેસ આદિવાસી સત્યાગ્રહ કરશે. રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણ કરશે. એક બેઠક આદિવાસી આગેવાનો અને અન્ય સિનિયર નેતાઓ સાથે કરશે જ્યારે બીજી બેઠક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરશે.</p> <p><strong>Gujarat: ભાજપનો ભરતી મેળોઃ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં થયા સામેલ, જાણો વિગત</strong></p> <p><strong>Elections 2022: &nbsp;</strong>વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં જોડાવાનું શરૂ જ છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાયા છે. આજે કમલમ ખાતે પ્...