Skip to main content

Posts

Showing posts from December, 2025

Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

<p>ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડીની રાહ વચ્ચે બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ભરશિયાળે વાતાવરણમાં બદલાવ આવશે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં વાદળો ઘેરાવવાની સાથોસાથ કેટલાક સ્થળોએ છૂટ્ટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યકત કરાઈ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છના વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 24 કલાક્માં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. આજે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા, સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને મોરબી તથા કચ્છ પંથકમાં હળવા કમોસમી વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડીનો દૌર હજુ સુધી શરૂ થયો જ નથી. સામાન્ય રીતે નવેમ્બરના અંત કે ડિસેમ્બરના પ્રારંભે જ હાડ થિજાવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. &nbsp;</p>

Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ

<p><!--StartFragment --></p> <p class="pf0"><span class="cf1">Gujarat new DGP appointment 2025: </span><span class="cf0">ગુજરાત પોલીસ </span><span class="cf0">બેડામાં</span><span class="cf0"> આજે મોટા </span><span class="cf0">ફેરફારના</span> <span class="cf0">સંકેતો</span><span class="cf0"> મળી રહ્યા છે. રાજ્યના </span><span class="cf0">પોલીસવડા</span><span class="cf0"> (</span><span class="cf1">DGP) </span><span class="cf0">વિકાસ </span><span class="cf0">સહાયનો</span> <span class="cf0">કાર્યકાળ</span><span class="cf0"> આજે પૂર્ણ થઈ રહ્યો છે. અગાઉ તેમને </span><span class="cf0">એક્સ્ટેન્શન</span><span class="cf0"...

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે

<p><strong>Gujarat new DGP appointment 2025:</strong> ગુજરાત પોલીસ બેડામાં આજે મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. રાજ્યના પોલીસવડા (DGP) વિકાસ સહાયનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. અગાઉ તેમને એક્સ્ટેન્શન મળ્યું હતું, પરંતુ હવે નવા એક્સ્ટેન્શનની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોય તેવું લાગે છે. સુત્રોના જણાવ્યા મુજબ, 1992 ની બેચના IPS અધિકારી ડૉ. કે.એલ.એન. રાઓ રાજ્યના નવા પોલીસવડા તરીકેની જવાબદારી સંભાળી શકે છે.</p> <p><strong>વિકાસ સહાયના એક્સ્ટેન્શનનો આજે અંતિમ દિવસ</strong></p> <p>ગુજરાતના વર્તમાન ડીજીપી (Director General of Police) વિકાસ સહાયને જૂન મહિનામાં રાજ્ય સરકાર દ્વારા અંતિમ ઘડીએ 6 મહિનાનું એક્સ્ટેન્શન (Extension) આપવામાં આવ્યું હતું. જેનો સમયગાળો આજે પૂર્ણ થઈ રહ્યો છે. વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે તેમને ફરીથી મુદત વધારો મળી શકે છે. પરંતુ, ગાંધીનગર કન્ટ્રોલરૂમ દ્વારા પોલીસ ભવનના સ્ટાફને ઉદ્દેશીને પરિપત્રિત કરાયેલા એક આંતરિક પત્ર બાદ હવે તેમની વિદાય નિશ્ચિત મનાઈ રહી છે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકાર...

Gujarat DGP : ગુજરાતને ઇન્ચાર્જ DGP મળવાની પ્રબળ શક્યતા

<p>Gujarat DGP : ગુજરાતને ઇન્ચાર્જ DGP મળવાની પ્રબળ શક્યતા</p>

ભાગેડુ લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર: તલાટીની સત્તા પર મુકાશે કાપ, જાણો હવે કોણ આપશે મંજૂરી

<p><strong>Gujarat marriage registration rules change 2025:</strong> ગુજરાતમાં પ્રેમ લગ્ન કે ભાગીને લગ્ન કરનારા યુગલો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર હવે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં (Marriage Registration Process) ધરખમ ફેરફાર કરવા જઈ રહી છે. ખાસ કરીને જે યુવક યુવતીઓ ઘરેથી ભાગીને લગ્ન કરે છે, તેમના રજીસ્ટ્રેશનના નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે. હવે તલાટી પાસે સીધી સત્તા નહીં રહે, પરંતુ ક્લાસ 2 અધિકારીની મંજૂરી અને માતા પિતાને જાણ કરવી ફરજિયાત બની શકે છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) આ નવા નિયમોને લીલી ઝંડી મળી શકે છે.</p> <p><strong>તલાટીની સત્તા પર કાપ: હવે Class 2 અધિકારીની મંજૂરી લેવી પડશે</strong></p> <p>સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા સુધારા બાદ તલાટી કમ મંત્રી (Talati Cum Mantri) હવે સીધેસીધી લગ્ન નોંધણી કરી શકશે નહીં. અત્યાર સુધીની પ્રક્રિયામાં તલાટી સ્તરેથી જ રજીસ્ટ્રેશન થઈ જતું હતું, પરંતુ હવે તેમાં એક નવું સ્ટેપ ઉમેરવામાં આવશે. તલાટીએ લગ્ન નોંધણીની અરજીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરી, ત...

Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?

Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

<p><strong>Kirit Patel resignation:</strong> ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) ચાલી રહેલો આંતરિક કલેશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. પક્ષમાં પોતાની અવગણના અને ખોટી નિમણૂકોથી નારાજ થઈને તેમણે આવતીકાલે પક્ષના દંડક (Party Whip) પદેથી રાજીનામું (Resignation) આપવાની જાહેરાત કરી દીધી છે. આ ઘટનાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.</p> <p><strong>આવતીકાલે રાજીનામું: પ્રદેશ નેતૃત્વ સામે ખુલ્લો બળવો</strong></p> <p>પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કિરીટ પટેલે પ્રદેશ નેતૃત્વ સામે બાયો ચડાવી છે. પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના (SC Morcha) પ્રમુખની નિમણૂકને લઈને તેઓ અત્યંત નારાજ છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો તેમની વાત સાંભળવામાં નહીં આવે તો તેઓ કડક પગલું ભરશે. આખરે, તેમની માંગણીઓ ન સંતોષાતા તેમણે જાહેરાત કરી છે કે તેઓ આવતીકાલે વિધિવત રીતે કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું ધરી દેશે.</p> <p><strong>'હરાવનારાઓને હોદ્દા અને જીતાડનારાન...

3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

<p><strong>gujarat government guidelines:</strong> ગુજરાતમાં શિક્ષણ જગત માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓના આપઘાત (Student Suicide) ના કેસો સતત વધી રહ્યા છે. આ ગંભીર સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સરકારે હવે રાજ્યની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને ખાનગી કોચિંગ સેન્ટર્સ માટે નવી ગાઈડલાઈન (Guidelines) જાહેર કરી છે. જે અંતર્ગત દરેક શૈક્ષણિક સંસ્થામાં 'મેન્ટલ હેલ્થ પોલિસી' (Mental Health Policy) લાગુ કરવી હવે ફરજિયાત બની ગઈ છે.</p> <p><strong>100 વિદ્યાર્થીએ એક કાઉન્સેલરનો કડક નિયમ</strong></p> <p>નવી ગાઈડલાઈન મુજબ, હવે દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં દર 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો 1 લાયકાત ધરાવતો કાઉન્સેલર (Counselor) રાખવો ફરજિયાત રહેશે. જે સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 100 કરતા ઓછી છે, તેમણે બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે રેફરલ વ્યવસ્થા ગોઠવવી પડશે. ખાસ કરીને પરીક્ષા સમયે કે અભ્યાસના ભારણ વખતે વિદ્યાર્થીઓને ગુપ્ત અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચ...

Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ

<p>હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકાદ બે દિવસ બાદ વાદળો જોવા મળશે. કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ વધશે, ખાસ કરીને રાજયમાં 30 તારીખથી હવામાનમાં થોડો ફેરફાર થઇ શકે છે એટલે કે આ સમય દરમિયાન તાપમાનનો પારો 3થી4 ડિગ્રી ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત,પૂર્વ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં તાપમાન 10થી 12 ડિગ્રી તાપમાન થઇ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાન 10થી 12 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ રાત્રિનું તાપમાન પ્રમાણમાં ઘટતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત કચ્છના વિસ્તારમાં પણ 10 ડિગ્રીથી પણ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં 3 જાન્યુઆરી બાદ પવનની ગતિ પણ થોડી વધી શકે છે. શિયાળાની શરૂઆત થઇ પરંતુ ગુજરાતમાં પ્રમાણસર ઠંડીનો અભાવ રહ્યો. માત્ર વહેલી સવારે અને મ...

Gujarat Congress : રાજ્યમાં 13થી 16 વર્ષની 1633 સગીરા ગર્ભવતી, કાયદાની અમલવારીમાં સરકાર નિષ્ફળ

<p>Gujarat Congress &nbsp;: રાજ્યમાં 13થી 16 વર્ષની 1633 સગીરા ગર્ભવતી, કાયદાની અમલવારીમાં સરકાર નિષ્ફળ</p>

ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

<p><strong>Beti Bachao Gujarat report:</strong> 'વિકાસ મોડેલ' ગણાતા ગુજરાતમાં દીકરીઓની સ્થિતિ અંગે અત્યંત ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા જારી કરાયેલા તાજેતરના ડેટા મુજબ, માત્ર 13 થી 16 વર્ષની વયની 1633 દીકરીઓ સગર્ભા હોવાનું ખૂલ્યું છે. આ આંકડાઓએ બાળલગ્ન પ્રતિબંધક કાયદાની નિષ્ફળતાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરતા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. વાંચો કયા જિલ્લામાં સ્થિતિ સૌથી ગંભીર છે.</p> <p><strong>આરોગ્ય વિભાગના સર્વેમાં ઘટસ્ફોટ</strong><strong>: </strong><strong>નાની ઉંમરે માતૃત્વનો બોજ</strong></p> <p>ગુજરાત સરકાર ભલે 'બેટી બચાવો' (Beti Bachao) ના નારા લગાવતી હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ઈશારો કરે છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ રજૂ કરેલી વિગતો મુજબ, આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર 2025 દરમિયાન એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 3 ડિસેમ્બર 2025 ના રોજ સામે આવેલા સત્તાવાર ડેટા (Official Data) પ્રમાણે,...

Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

<p>જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી પડશે હાડ થીજાવતી ઠંડી.આ આગાહી કરી છે હવામાન વિભાગે</p> <p>જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી પડશે હાડ થીજાવતી ઠંડી.આ આગાહી કરી છે હવામાન વિભાગે. જાન્યુઆરીના પ્રારંભ સાથે જ આખરે શિયાળો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી શકે છે. આગામી 1થી સાત જાન્યુઆરી સુધી લઘુતમ તાપમાન 11થી 13 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ગઈકાલ રાત્રે અમદાવાદમાં 15.1 ડિ્ગરી સાથે લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 2.1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો..આગામી 31 ડિસેમ્બર સુધી અમદાવાદનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ જ નોંધાઈ શકે છે..જો કે 1 જાન્યુઆરીથી ઠંડીનું જોર વધશે..શનિવારે નલિયામાં 11.2, ડીસામાં 13.2, અમરેલીમાં 13.8, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 14.4, વડોદરામાં 14.6, ભાવનગરમાં 16.8, સુરતમાં 17.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગના મતે &nbsp;આગામી પાંચ દિવસ તાપમાનમાં ફેરફારની સંભાવના નહીવત છે..આ પછી તાપમાન ચાર ડિગ્રી જેટલું ઘટી શકે છે..</p>

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન

<p><strong>Gujarat BJP news:</strong> ગુજરાત રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ (State President) જગદીશ વિશ્વકર્માએ પોતાની નવી ટીમની જાહેરાત કરી દીધી છે. 27 December 2025 ના રોજ મોડી રાત્રે જાહેર કરાયેલા આ લિસ્ટમાં અનુભવી અને યુવા ચહેરાઓનું સંતુલન જોવા મળ્યું છે. જેમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને કોષાધ્યક્ષ જેવા મહત્વના પદો પર નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહામંત્રી પદે </strong><strong>4 </strong><strong>નેતાઓની પસંદગી </strong><strong>(General Secretaries Appointment)</strong></p> <p>ગુજરાત ભાજપના સંગઠનમાં જેમના પર સૌથી મહત્વની જવાબદારી હોય છે, તેવા પ્રદેશ મહામંત્રી (General Secretary) તરીકે 4 નામોની જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકમાં પ્રાદેશિક સંતુલન જાળવવાનો પ્રયાસ થયો છે.</p> <ul> <li>કચ્છ જિલ્લામાંથી <strong>અનિરુદ્ધ દવે</strong></li> <li>સુરેન્દ્રનગર જિલ્લામાંથી <strong>હિતેન્દ્રસિંહ ચૌહાણ</stron...

બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો

<p><strong>RERA complaint process:</strong> ગુજરાતમાં ઘરનું ઘર ખરીદનારા સામાન્ય નાગરિકો માટે એક મોટા રાહતના સમાચાર છે. જો કોઈ બિલ્ડર તમને સમયસર મકાનનો કબજો (Possession) ન આપે અથવા કરાર મુજબ સુવિધા ન આપે તો હવે તમારે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથી. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે RERA (Real Estate Regulatory Authority) દ્વારા ગ્રાહકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે તમે GujRERA ના પોર્ટલ પર ઘરે બેઠા બિલ્ડર વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ (Online Complaint) નોંધાવી શકશો.</p> <p><strong>ગ્રાહકોને મળશે ઝડપી ન્યાય, બિલ્ડરોની મનમાની અટકશે</strong></p> <p>નવી ડિજિટલ પ્રક્રિયાને કારણે હવે રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રમાં પારદર્શિતા આવશે. ગ્રાહકો હવે સ્કીમમાં ફેરફાર, પઝેશનમાં વિલંબ કે અન્ય અન્યાય સામે અવાજ ઉઠાવી શકશે. ઓનલાઈન સિસ્ટમ હોવાથી ફરિયાદોનો નિકાલ ઝડપી આવશે અને બિલ્ડરોની મનમાની પર લગામ કસાશે. જોકે, ઓનલાઈન અરજી કર્યાના 7 દિવસની અંદર તમારે તેની ફિઝિકલ કોપી (Hard Copy) RERA કચેરીમાં જમા કરાવવી ફરજિયાત રહેશે.</p> <p...

રેરાની નવી માર્ગદર્શિકા:મિલકત ખરીદદારોની ઓનલાઇન ફરિયાદોને હવે પ્રાથમિકતા અપાશે

https://ift.tt/hS3CN6u ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)એ મિલકત ખરીદદારોની ફરિયાદોના ઝડપી અને પારદર્શક નિકાલ માટે નવી માર્ગદર્શિકા અમલમાં મૂકી છે, જે મુજબ ઓનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાથમિકતા અપાશે. ફરિયાદ નોંધાવતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો ફરજિયાત અપલોડ કરવાના રહેશે. કેસનું સ્ટેટસ, સુનાવણીની તારીખ અને આદેશોની માહિતી રેરા ડેશબોર્ડ પર ઉપલબ્ધ રહેશે. ફરિયાદોને ફોર્મ A અને ફોર્મ B તરીકે વર્ગીકૃત કરાશે. આ પગલાંથી ફરિયાદ નિવારણ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે. રેરામાં ઓનલાઇન ફરિયાદ કેવી રીતે કરી શકાય? ફરિયાદ કરતી વખતે આ તૈયારીઓ રાખો ફરિયાદનો પ્રકાર નક્કી કરો? ફોર્મ A અને ફોર્મ Bના વિકલ્પ હશે http://www.gujrera.gujarat.gov.in પર યુઝર પ્રોફાઇલ બનાવો. આ ઓફિશિયલ વેબસાઇટ પર સાઇનઅપ થવું ફરજિયાત છે. કોની સામે ફરિયાદ કરી શકાય? રજિસ્ટર્ડ પ્રોજેકટ્સ અથવા ફરજિયાત રજિસ્ટર કરવા પાત્ર પ્રોજેક્ટ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ઓનલાઇન ફરિયાદ પહેલા ફોર્મ ભરવું, ત્યાર બાદ રૂ. 1 હજાર ફી ભરવી અને દસ્તાવેજ અપલોડ કરવા. આટલા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે ઍનેક્સર-ડી, ઍનેક્સર-ઈ, ઍનેક્સર-એફ ઓનલાઇ...

મારવાડી યુનિવર્સિટીએ AI સ્નેક રોબોટ વિકસાવ્યો:ભૂકંપ બચાવ કામગીરીમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધશે

https://ift.tt/YMO1eLr મારવાડી યુનિવર્સિટીના સંશોધકોએ ભૂકંપ અને અન્ય આપત્તિઓમાં બચાવ કામગીરી માટે AI આધારિત સર્પાકાર (સ્નેક) રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટ ખાસ કરીને ઇમારતો ધરાશાયી થવા કે રાસાયણિક દુર્ઘટનાઓ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં કાટમાળ નીચે દટાયેલા જીવિત અથવા મૃત લોકોને શોધવામાં મદદરૂપ થશે. આ સ્નેક રોબોટનું શરીર સાપ જેવી લચીલાશ ધરાવે છે, જેના કારણે તે સંકુચિત જગ્યાઓ, તૂટેલા કૉન્ક્રિટના ઢગલાં અને અનિયમિત માળખાંમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. રોબોટ સાથે જોડાયેલ હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને અન્ય સેન્સર ગ્રાઉન્ડ કંટ્રોલ સેન્ટરને લાઇવ વિડિયો ફીડ મોકલે છે, જેના આધારે બચાવ ટીમ તાત્કાલિક નિર્ણય લઈ શકે છે. રોબોટમાં ઉપયોગમાં લેવાયેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વિડિયો ફીડમાં નરી આંખે સ્પષ્ટ ન દેખાતા માનવ અંગો, હલનચલન અથવા શરીરના સંકેતોને પણ ઓળખી શકે છે. આનાથી બચાવ કામગીરી વધુ ઝડપી, ચોક્કસ અને સુરક્ષિત બનશે, જે આપત્તિના સમયમાં જીવ બચાવવાની સંભાવનામાં નોંધપાત્ર વધારો કરશે. આ સંશોધન અંગે પ્રોજેક્ટના ઇન્વેસ્ટિગેટર શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "ભૂકંપ જેવી આપત્તિમાં દટાયેલા લોકો માટ...

GEBEA નું ત્રિવાર્ષિક અધિવેશન યોજાશે:​GEBEA ના ત્રિવાર્ષિક અધિવેશનમાં ઉમટશે 7 હજાર ઇજનેરો; મંત્રી ઋષિકેશ પટેલ અને ગોરધન ઝડફિયાની હાજરીમાં બે દિવસીય કાર્યક્રમ યોજાશે.

https://ift.tt/9WfgOG0 ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના ઇજનેરોના સંગઠન GEBEA (Gujarat Electricity Board Engineers' Association) દ્વારા જૂનાગઢના આંગણે ભવ્ય ત્રિવાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વિગતો આપવા માટે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એસોસિએશનના જનરલ સેક્રેટરી હરેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આગામી ૨૭ અને ૨૮ ડિસેમ્બરના રોજ ઇજનેરોનો આ વિરાટ મહાસંગમ યોજાશે. જૂનાગઢની ધોરાજી ચોકડી પાસે આવેલા હરિભાઈ ગોધાણી કેમ્પસ ખાતે આ બે દિવસીય અધિવેશન યોજાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અને જીઈબી એસોસિએશનના પ્રેસિડેન્ટ ગોરધન ઝડફિયા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જૂનાગઢના સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો પણ કાર્યક્રમમાં હાજરી આપશે. એસોસિએશનના જનરલ સેક્રેટરીએ વધુમાં જણાવ્યું કે GEBEA માં હાલ 7000 થી વધુ સભ્યો જોડાયેલા છે. આ અધિવેશનમાં ગુજરાતભરના વીજ ઇજનેરો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહેશે, જેના કારણે અંદાજે ૬૦૦૦થી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આ પ્રકારના આયોજનથી રાજ્યના તમામ વીજ ઇજનેરોમાં એકત...

Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત

<p>ગુજરાતના વન્યજીવન ઇતિહાસમાં એક મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. 33 વર્ષની રાહ જોયા પછી ગુજરાતે સત્તાવાર રીતે ભારતના વાઘ મેપ પર પોતાનું સ્થાન પાછું મેળવ્યું છે. એટલે કે ગુજરાતને ફરી એકવાર ટાઇગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યુ છે, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA) એ રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને આગામી 2026 વાઘ ગણતરીમાં રાજ્યનો સમાવેશ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ સાથે જ હવે ગુજરાતમાં માત્ર સિંહની ત્રાડ જ નહીં વાઘની ગર્જના પણ સંભળાશે.&nbsp;</p> <p>ગુજરાતને સિંહોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તે વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. ગુજરાતમાં પાંચ મુખ્ય સિંહ સંરક્ષણ કેન્દ્રો છે, જેને ગીર અભયારણ્યનો ભાગ ગણવામાં આવે છે. ગુજરાતમાં પાંચ મુખ્ય કેન્દ્રો છે</p>

Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના

<p><strong>Gujarat Tiger State:</strong> ગુજરાતના વન્યજીવન ઇતિહાસમાં એક મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. 33 વર્ષની રાહ જોયા પછી ગુજરાતે સત્તાવાર રીતે ભારતના વાઘ મેપ પર પોતાનું સ્થાન પાછું મેળવ્યું છે. એટલે કે ગુજરાતને ફરી એકવાર ટાઇગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યુ છે, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA) એ રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને આગામી 2026 વાઘ ગણતરીમાં રાજ્યનો સમાવેશ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ સાથે જ હવે ગુજરાતમાં માત્ર સિંહની ત્રાડ જ નહીં વાઘની ગર્જના પણ સંભળાશે.&nbsp;</p> <p>ગુજરાતને સિંહોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તે વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. ગુજરાતમાં પાંચ મુખ્ય સિંહ સંરક્ષણ કેન્દ્રો છે, જેને ગીર અભયારણ્યનો ભાગ ગણવામાં આવે છે. ગુજરાતમાં પાંચ મુખ્ય કેન્દ્રો છે:</p> <p><strong>ગુજરાત બન્યુ 'ટાઇગર સ્ટેટ'&nbsp;</strong><br />દશકોથી, ગુજરાત વિશ્વભરમાં એશિયાઇ સિંહોના એકમાત્ર ઘર તરીકે જાણીતું હતું, પરંતુ હવે વાઘની ગર્જના તેના જંગલોમાં પણ ગુંજ...

અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'

<p><strong>Ambaji Aathmani Puja:</strong> ગુજરાતની શ્રદ્ધાના કેન્દ્ર સમાન અંબાજી મંદિર (Ambaji Temple) ને લઈને ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે વર્ષો જૂની પરંપરાનો અંત લાવતા સ્પષ્ટ કર્યું છે કે, હવેથી નવરાત્રી દરમિયાન આસો સુદ આઠમની મહાઆરતી અને પૂજામાં દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષ હક કે વિશેષાધિકાર (Privilege) રહેશે નહીં. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે સામાન્ય શ્રદ્ધાળુઓ (Devotees) માટે પણ આ પવિત્ર પૂજાના દ્વાર ખુલી ગયા છે.</p> <p><strong>અંબાજીમાં રાજાશાહી પરંપરા અને કાનૂની જંગ</strong></p> <p>સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં દાયકાઓથી એક પરંપરા ચાલી આવતી હતી, જેના કારણે મંદિર ટ્રસ્ટ અને દાંતા સ્ટેટના રાજવી પરિવાર વચ્ચે કાનૂની વિવાદ (Legal Dispute) ચાલી રહ્યો હતો. રાજવી પરિવારનો દાવો હતો કે, રાજાશાહીના સમયથી આઠમના દિવસે થતી હવન વિધિ અને મુખ્ય આરતી કરવાનો તેમનો પ્રથમ અધિકાર છે. તેઓ આને પોતાનો અંગત ધાર્મિક અને કાનૂની હક ગણાવતા હતા, પરંતુ મંદિર વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આ બાબતે કોર્ટમાં રજ...

ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી

<p><strong>Gujarat rooftop solar:</strong> ગુજરાત હવે 'ગ્રીન એનર્જી હબ' બનવાની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એક મોટી અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં 5 Lakh થી વધુ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેની કુલ ઉત્પાદન ક્ષમતા 1879 MW સુધી પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં સમગ્ર ભારતમાં અગ્રેસર બન્યું છે.</p> <p>આ સફળતાની ગૂંજ આગામી 10 January ના રોજ રાજકોટ ખાતે યોજાનારી 'વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ' (VGRC) માં સંભળાશે. આ કોન્ફરન્સમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર પર ફોકસ રહેશે, જ્યાં ગુજરાતની આ 'સોલાર ક્રાંતિ'ની સફળતાની વાતો રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં વિવિધ યોજનાઓ મળીને રાજ્યમાં કુલ 11 Lakh થી વધુ સોલાર ઇન્સ્ટોલેશન થયા છે, જે પોતે એક મોટો રેકોર્ડ છે.</p> <p>ગુજરાત સરકારે માત્ર વર્...

60% દિવ્યાંગતા ધરાવતાને માસિક રૂ. 1000 પેન્શન:રાજ્યમાં સંત સુરદાસ યોજના હેઠળ લાભ મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે

https://ift.tt/dNG3o2Q રાજ્ય સરકારે દિવ્યાંગ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સંત સુરદાસ યોજના અમલમાં મૂકી છે. ચાલુ નાણાકીય વર્ષથી, આ યોજનાના માપદંડોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આવક મર્યાદા વિના માસિક રૂ. 1000 પેન્શન મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ મનોદિવ્યાંગ અને ન્યુરોલોજીકલ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને પણ લાભ મળશે. બૌદ્ધિક અસમર્થતા (મનોદિવ્યાંગ) ધરાવતા 50 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, તેમજ 40 ટકા કે તેથી વધુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ પણ પાત્ર બનશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક પાત્ર દિવ્યાંગજનોએ સરકારના ESAMAJKALYAN.GUJARAT.GOV.IN પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગતાની ટકાવારીમાં કરાયેલા ફેરફારને કારણે વધુ પાત્ર નાગરિકોને આ યોજનાનો લાભ મળી શકશે. બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગજનો, જેઓ હાલમાં સંત સુરદાસ યોજનાનો લાભ મેળવી રહ્યા નથી, તેઓને પણ ઉપરોક્ત પોર્ટલ પર અરજી કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. યોજના અંગે વધુ મા...

Gujarat Winter : આવતી કાલથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

<p>Gujarat Winter : આવતી કાલથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી</p>

Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા

<p><strong>Gujarat Police Bharti:</strong> ગુજરાત પોલીસમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા ઉમેદવારો માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી PSI અને LRD ની ઐતિહાસિક ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 23 December છે. કુલ 13,591 જગ્યાઓ માટેની આ મેગા ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. જો તમે હજુ સુધી ફોર્મ નથી ભર્યું, તો છેલ્લી ઘડીની રાહ જોયા વિના આજે જ પ્રક્રિયા પૂર્ણ કરી લો, કારણ કે જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ ટેસ્ટ શરૂ થવાના સંકેતો મળી ચૂક્યા છે.</p> <p>ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળની મોટાપાયે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. હજારો યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે તક હવે હાથવેંતમાં છે. 3 December, 2025 થી શરૂ થયેલી આ ઓનલાઈન અરજી પ્રક્રિયા આવતીકાલે રાત્રે સમાપ્ત થશે.</p> <p><strong>OJAS પર અરજી કરવાની છેલ્લી તક&nbsp;</strong></p> <p>ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે અરજી કરવાની છેલ્લી તારીખ 23 December, 2025 છે. આવતીકાલે રાત્રે 11:59 PM સુધી જ પોર્ટલ ખુલ્...

જોઇએ છે...:મોરબી મહાપાલિકાને‎ સારું બજેટ બનાવવા માટે મંતવ્યો‎

https://ift.tt/caNgxPF મોરબી મહાનગર પાલિકા જાહેર થયાને આગામી પહેલી જાન્યુઆરીના રોજ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને-ગત નાણાકીય વર્ષમાં મનપા દ્વારા રૂ. 781 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, અને તેના આધારે મનપા દ્વારા કામગીરી પણ શરુ કરવામાં આવી હતી. જો કે આ એક વર્ષ દરમિયાન મનપા દ્વારા જાહેર કરાયેલા ઘણા કામ સમય મર્યાદામાં પૂર્ણ થયા તો કેટલાક કામ પ્રગતિમાં છે. બીજી તરફ હવે 2025 -26 નાણાકીય વર્ષ પૂર્ણ થવાને માત્ર ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે હવે આ મહાનગર પાલિકાની હિસાબી શાખાની ટીમ દ્વારા નવા વર્ષના બજેટ માટે તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વિવિધ વિભાગમાં ભવિષ્યમાં લેનાર વિકાસ અને વહીવટી ખર્ચ સહિતની માહિતી મેળવશે,મહાનગર પાલિકાનું બજેટ મોરબી શહેરની જનતાના વિકાસ અને સુખાકારી માટે બનતું હોય ત્યારે લોકોની શું જરૂરિયાત છે લોકોની શું ફરિયાદ છે તેઓ શું ઈચ્છી રહ્યા છે તેમને કઈ સુવિધાઓ ખુટે છે તેમજ જે પણ અલગ અલગ વિભાગમાં નિષ્ણાંત વ્યકિત હોય તેઓ પોતાના ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ લોકોની સુખાકારી માટે કરી શકે તે માટે આ બજેટમાં કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા લોકોના અભિપ્રાય મેળવવા પણ પ્રયાસ શરુ ક...

Gujarat Police: ગુજરાત પોલીસમાં ધરખમ ફેરફાર, 68 PI ને DySP તરીકે બઢતી, 7 અધિકારીઓની બદલીનો હુકમ

<p><strong>Gujarat Police news:</strong> રાજ્યના ગૃહ વિભાગ (Home Department) દ્વારા પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને નાયબ પોલીસ અધિક્ષક (DySP) તરીકે બઢતી (Promotion) આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ 7 જેટલા DySP કક્ષાના અધિકારીઓની બદલીના પણ આદેશો કરવામાં આવ્યા છે. આ હુકમમાં હથિયારી, બિન-હથિયારી અને વાયરલેસ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે.</p> <p>ગુજરાત પોલીસ (Gujarat Police) માં ફરજ બજાવતા અધિકારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી સરળતા માટે રાજ્ય સરકારે પોલીસ અધિકારીઓની બઢતી અને બદલીનો ગંજીપો ચીપ્યો છે. ગૃહ વિભાગના સત્તાવાર પરિપત્ર મુજબ, રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 75 અધિકારીઓ ની બઢતી અને બદલી કરવામાં આવી છે.</p> <p>કોને મળ્યું પ્રમોશન? (Promotion Details) સરકારી આદેશ અનુસાર, કુલ 68 PI (Police Inspectors) ને તેમના વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને DySP (Deputy Superintendent of Pol...

ABRSM ગુજરાત-પ્રાંતે રાજ્ય સ્તરીય સંગોષ્ઠીનું આયોજન કર્યું:NEP-2020 અને અનુસ્નાતક કાર્યક્રમો પર ચર્ચા કરાઈ

https://ift.tt/W1mg5De અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત-પ્રાંત, ઉચ્ચ શિક્ષણ સંવર્ગ (ABRSM-Gujarat) દ્વારા એક દિવસીય રાજ્ય સ્તરીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ અને 180 જેટલા વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલગુરુ ડો. કે. સી. પોરીયાએ પ્રાસંગિક ઉદબોધન આપતા શિક્ષણમાં આવતા બદલાવોને આવકારવા અને ગુણવત્તાસભર શિક્ષણ પર ભાર મૂક્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઑફ મેનેજમેન્ટના સિનિયર સભ્ય દિલીપભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા શિક્ષણ જગતમાં સંગઠનની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ સંગોષ્ઠીના મુખ્ય વક્તા કે. કે. પટેલ (H.O.D., હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) એ "NEP-2020 હેઠળ એક વર્ષીય VS બે વર્ષીય અનુસ્નાતક કાર્યક્રમ: પાત્રતા, માળખું અને પરિણામો" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે તેમના વક્તવ્યમાં નવી શિક્ષણ નીતિ (NEP-2020) મુજબ અનુસ્નાતક (PG) અભ્યાસક્રમમાં થયેલા બદલાવોની ઝીણવટભરી માહિતી આપી. તેમણ...

ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં તમારું નામ આ 3 સ્ટેપથી ચેક કરો:4.34 કરોડ મતદાર નોંધાયા અને 73.73 લાખ કપાયા, SIR-2026ની ડ્રાફ્ટ યાદી અંગે જાણવા માગો છો એ બધું જ

https://ift.tt/HTwulPq ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદી(SIR)ની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં મતદારોની ગણતરીની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. અહીં ક્લિક કરી ડ્રાફ્ટ વોટર લિસ્ટની જિલ્લા અને વિધાનસભા વાઇઝ વિગત જાણો 4.34 કરોડ મતદાર નોંધાયા, 73.73 લાખ નામ કપાયા સતત દોઢ માસ ચાલેલી SIRની અસરકારક કામગીરી બાદ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જમાં 4.34 કરોડ મતદારો નોંધાયા છે. જ્યારે 18 લાખ લોકોના મોત થવા સહિત કુલ 73.73 લાખ મતદારોના નામ મુસદ્દા મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યાં છે. 18 જાન્યુઆરી સુધીમાં વાંધા રજૂ કરી શકાશે હવે તા.18મી જાન્યુઆરી,2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પ...

રાજકોટમાં 23.91 લાખમાંથી 1.66 લાખ મતદારોના નામ રદ:SIR અંતર્ગત 8 વિધાનસભાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 18 મી જાન્યુઆરી સુધી વાંધા અરજી રજૂ કરી શકાશે, 27 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદાર યાદી

https://ift.tt/MxclEIe ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.27 ઓક્ટોબરના Special Intensive Revision (SIR) એટલે કે 'ખાસ સઘન સુધારણા' કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ તા.4 નવેમ્બરથી તા.14 ડિસેમ્બર દરમ્યાન Enumeration Form (EF) ગણતરી ફોર્મનો સમયગાળો નકકી કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 23.91 લાખ મતદારોની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં 89,553 મૃત મતદારો મળી આવ્યા છે. જ્યારે 58,942 મતદારો સ્થળ પર હાજર મળી આવ્યા નથી તો 10,736 મતદારો ડુપ્લીકેટ મતદારો હોવાથી તેઓના નામ ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જ્યારે 7304 મતદારોના અન્ય કારણોથી નામ દૂર કરવામાં આવ્યા છે. આમ કુલ 1,66,535 મતદારોના નામ રદ થયા છે. આજે 19 ડિસેમ્બરના ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કર્યા બાદ હવે વર્ષ 2026માં 18 જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે. જેઓના હિયરિંગ બાદ 17 ફેબ્રુઆરીના ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 23,91,027 મતદારોની BLO દ્વારા ખરાઈ કરવામાં આવી. જેમાંથી 8,23...

Gujarat SIR: આજે ગુજરાતમાં જાહેર થશે SIR ડ્રાફ્ટ મતદાર યાદી, જાણો નામ ચેક કરવાની પુરેપુરી પ્રોસેસ

<p><strong>Gujarat SIR Voter List:</strong> ગુજરાતમાં હાલમાં મતદાર યાદીઓની ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યભરમાં 100% મત ગણતરી પૂર્ણ થયા બાદ, આજે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ યાદી બપોર સુધીમાં જાહેર કરવામાં આવશે, ત્યારબાદ મતદારો તેમના નામ અને વિગતો ઓનલાઈન ચકાસી શકશે.</p> <p><strong>જો તમારું નામ ના આવે તો તમને એક મહિનાનો સમય મળશે&nbsp;</strong><br />જો કોઈ મતદારનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ન આવે, તો ગભરાવાની કોઈ જરૂર નથી. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે આવા મતદારોને તેમની વિગતો ઉમેરવા, દૂર કરવા અથવા સુધારવા માટે દાવા અથવા વાંધા દાખલ કરવાની પૂરતી તક આપવામાં આવશે. આ પ્રક્રિયા આજથી, 19 ડિસેમ્બર, 2025 થી શરૂ થશે અને 18 જાન્યુઆરી, 2026 સુધી ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે મતદારો પાસે આખો એક મહિનાનો સમય હશે.</p> <p><strong>ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારું નામ ઓનલાઈન કેવી રીતે તપાસવું&nbsp;</strong><br />ડ્રાફ્ટ યાદી બહાર પડ્યા પછી, મતદારો તેમના ઘરના આરામથી તેમના ના...

Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

<div class="abp-article-byline">રાજ્યના 282 વકીલ મંડળોની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે. ચાલુ વર્ષે બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત છે.</div> <p class="pf0"><span class="cf0">ગુજરાતમાં બાર&nbsp;</span><span class="cf0">એસોસિએશનની</span><span class="cf0"> ચૂંટણી અંતર્ગત આજે(19 ડિસેમ્બર) મતદાન થઇ રહ્યું છે. જેમાં ગુજરાત </span><span class="cf0">હાઇકોર્ટ</span><span class="cf0">&nbsp;એડવોકેટ&nbsp;</span><span class="cf0">એસોસિયેશનમાં</span><span class="cf0">&nbsp;2500 કરતાં વધુ&nbsp;</span><span class="cf0">મતદારો</span><span class="cf0">&nbsp;મતદાન કરશે. રાજ્યના 282 વકીલ&nbsp;</span><span class="cf0">મંડળોની</span><span class="cf0">&nbsp;ચૂંટણીને લઈ મતદાન થઇ રહ્યું છે...

આજે SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે:પાંચ સ્ટેપમાં સમજો, યાદીમાં તમારું નામ છે કે નહીં?, નામ ન હોય તો 18 જાન્યુઆરી સુધી વાંધો રજૂ કરી શકાશે

https://ift.tt/HTwulPq ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદી(SIR)ની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં મતદારોની ગણતરીની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. આજે બપોર સુધીમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ મતદારો ઓનલાઈન પોતાના નામની ચકાસણી કરી શકશે. પાંચ સ્ટેપમાં નામની ચકાસણી થઈ શકશે. જો ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ નથી તો ચિંતા કરવાની જરુર નથી. નામ નહીં હોય તેની સામે કારણ પણ આપેલું હશે. જે કારણને લઈ તમે 18મી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકશો. ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ તમે કઈ રીતે ઓનલાઈન નામ ચેક કરશો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અહીં સમજાવીશું. આજે ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થયા બાદ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરી તમારી માહિતી મેળવી શકશો. સ્ટેપ 1 સૌથી પહેલાં તમારે ઇન્ટરનેટ પર જઇને સીઇઓ ગુજરાત (ceo gujarat) ટાઇપ કરવાનું રહેશે. સર્ચ રિઝલ્ટમાં તમને સીઇઓ ગુજરાત- ગુજરાત સ્ટેટ પોર્ટલ (CEO Gujarat - Gujarat State Por...