Skip to main content

Posts

Showing posts from April, 2025

Gujarat Heat Wave: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, આ 4 શહેરમાં હિટવેવની ચેતવણી

<p>હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 4 મે સુધી ગરમીથી રાહતના સંકેત નથી. રાજયના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર જતાં અગનભઠ્ઠીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદમાં આકરી ગરમીની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યમાં હજુ આભમાંથી અગનવર્ષા વરસશે.હજુ બે દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે.&nbsp; મંગળવારે 44.8 ડિગ્રીમાં અમદાવાદ શેકાયું. છેલ્લા 10 વર્ષનો અમદાવાદનો સૌથી હોટેસ્ટ દિવસ 29 એપ્રિલનો રહ્યો છે. રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું&nbsp; કાલે રાજકોટનું તાપમાન 44.9 ડિગ્રી રહ્યું. અમરેલીમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જતાં આકરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે&nbsp; 4 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી આપી છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં હીટવેવની આગાહી છે.</p>

વડોદરાના સમાચાર:આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાળજી કેર સેન્ટરમાં સિનિયર સિટીઝન સેવા યોજવામાં આવી

https://ift.tt/vTCHFoJ આજના ભાગદોડભર્યા જીવનમાં, આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાળજી કેર સેન્ટરમાં સિનિયર સિટીઝન સેવા યોજવામાં આવીરિષ્ઠ નાગરિકો ઘણીવાર એકલતા અને નિરાધારતા અનુભવે છે. તેમની શારીરિક અને માનસિક જરૂરિયાતોને પહોંચી વળવું તેમના માટે એક પડકાર બની જાય છે. આવા સંજોગોમાં, આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ કાળજી કેર સેન્ટર વરિષ્ઠ નાગરિકો માટે એક આશીર્વાદરૂપ સાબિત થયું છે. વરિષ્ઠ નાગરિકો માટે અનેક સેવાઓ ઉપલબ્ધ છે કાળજી કેર સેન્ટર એક એવી જગ્યા છે જ્યાં વરિષ્ઠ નાગરિકોને માત્ર આશ્રય જ નહીં, પરંતુ પ્રેમ, સંભાળ અને સન્માન પણ મળે છે. ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વરિષ્ઠ લોકોને મદદ કરવાનો છે જેઓ એકલા છે, આ કેન્દ્રમાં વરિષ્ઠ નાગરિકો માટે અનેક સેવાઓ ઉપલબ્ધ છે. અહીં તેમને સ્વચ્છ અને સલામત રહેઠાણ, પૌષ્ટિક ભોજન અને નિયમિત તબીબી તપાસ જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, તેમની માનસિક અને ભાવનાત્મક સુખાકારીનું પણ ધ્યાન રાખવામાં આવે છે. કેન્દ્ર દ્વારા યોગા, ધ્યાન, ભજન અને અન્ય મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેનાથી વરિષ્ઠ નાગરિકો સકારાત્મક અને પ્રેરિત અનુભવે છે. કાળજી કે...

લેટેસ્ટ અપડેટઃ અમદાવાદ 44.8 ડિગ્રી તાપમાનમાં શેકાયું, હજુ 3 દિવસ સુધી રાજ્યમાં પડશે અંગ દઝાડતી ગરમી

<p><strong>Gujarat Weather News:</strong> રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આકરો ઉનાળો મે મહિનામાં તપી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, હજુ પણ આગામી બે દિવસ સુધી ગરમી વધશે. મંગળવારે અમદાવાદમા ગરમીનો પારો 44.8 ડિગ્રીને પાર પહોંચ્યો હતો, જ્યારે રાજકોટ પણ 44.9 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયુ હતુ. હાલમાં દક્ષિણ-પશ્ચિમમાંથી પવન ફૂંકાવવાના કારણે 3 દિવસ તાપમાનનો પારો સતત ઉંચો જઇ શકે છે. મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે.&nbsp;</p> <p>રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે, આગામી દિવસોમાં તાપમાનનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ હજુ આભમાંથી અગનવર્ષા વરસશે. આગામી બે દિવસ સુધી અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે. તાજા અપડેટમાં ગઇકાલે એટલે કે મંગળવારે 44.8 સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યુ હતુ, છેલ્લા 10 વર્ષનો અમદાવાદનો સૌથી હૉટેસ્ટ દિવસ 29 એપ્રિલે 44.8 ડિગ્રી સાથે નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યમાં 44.9 ડિગ્રી સાથે રાજકોટ પણ હૉટેસ્ટ સિટી બન્યુ હતુ. અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પ...

પેન્શનરો માટે મહત્વની સૂચના:1 મે થી 31 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત, નહીં તો પેન્શન બંધ થશે

https://ift.tt/KuwXaDL દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઈ.આર.એલ.એ. યોજના હેઠળ બેન્ક મારફત પેન્શન મેળવતા તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. પેન્શનરોએ 1 મે થી 31 જુલાઈ 2025 સુધીમાં બેંક મેનેજર સમક્ષ રૂબરૂ હાજર થવાનું રહેશે. જો આ સમયગાળામાં ખરાઈ નહીં કરાવે તો ઓગષ્ટથી પેન્શન બંધ કરવામાં આવશે. કુટુંબ પેન્શન મેળવનારાઓએ પુનઃલગ્ન ન કર્યા હોવાનું પ્રમાણપત્ર જિલ્લા કે પેટા તિજોરી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. 50 વર્ષથી વધુ ઉંમરની મહિલા પેન્શનરોને આ પ્રમાણપત્ર રજૂ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારે પેન્શનરોની સુવિધા માટે ડિજિટલ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે. પેન્શનરો જીવન પ્રમાણ પોર્ટલ પર આધાર નંબરથી લોગિન કરી ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકે છે. આ માટે ફેસ રિકગ્નિશન અથવા બાયોમેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. વર્ષ 2024-25ના આવકના પ્રમાણપત્રો બેંકમાં મોકલવામાં આવ્યા છે. પેન્શનરો આ પ્રમાણપત્રો બેંકમાંથી મેળવી શકે છે. વધુમાં, https://ift.tt/hxpbX92 વેબસાઈટ પરથી પણ આવકના પ્રમાણપત્રો ડાઉનલોડ કરી શકાશે.

Gujarat BJP: પ્રદેશ ભાજપ સંગઠનનું પર્વ પૂર્ણતાને આરે. આવતીકાલે બાકીના જિલ્લાના પ્રમુખોની થશે નિયુક્તિ

<p>Gujarat BJP: પ્રદેશ ભાજપ સંગઠનનું પર્વ પૂર્ણતાને આરે. આવતીકાલે બાકીના જિલ્લાના પ્રમુખોની થશે નિયુક્તિ</p>

Gujarat BJP : આગામી 15 દિવસમાં પ્રદેશ ભાજપના પ્રમુખની થઈ શકે જાહેરાત

<p>રાજ્યમાં ભાજપના બાકી રહેલા જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ નિમણૂકો આવતીકાલે, ૨૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ જાહેર થવાની પ્રબળ શક્યતા છે.</p> <p>આવતીકાલે બાકી રહેલા જિલ્લા અને શહેર પ્રમુખોના નામ જાહેર થયા બાદ, ગુજરાત ભાજપના તમામ જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂકનું કાર્ય પૂર્ણ થઈ જશે. આ સાથે, રાજ્ય સ્તરના સંગઠન માળખાની રચના એક મહત્વપૂર્ણ તબક્કો પાર કરશે. જિલ્લા અને શહેર સ્તરના પ્રમુખોની નિમણૂક પૂર્ણ થયા બાદ, સૌની નજર હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર રહેશે. સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત આગામી ૧૫ દિવસમાં એટલે કે મે મહિનાના મધ્ય સુધીમાં થઈ શકે છે.</p> <p>&nbsp;</p>

Weather: રાજકોટ 44 ડિગ્રી સાથે ફરી એકવાર સૌથી ગરમ શહેર બન્યું, આજે અમદાવાદમાં પારો પહોંચશે 44 ડિગ્રીને પાર

<p><strong>Gujarat Weather News:</strong> ગુજરાતમાં અગનવર્ષા ચાલુ છે, હવામાન વિભાગ અનુસાર, હાલમાં દક્ષિણ-પશ્ચિમમાંથી પવન ફૂંકાવવાના કારણે 3 દિવસ તાપમાનનો પારો સતત ઉંચો જઇ શકે છે. મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. તાજા આંકડા પ્રમાણે, રાજકોટમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થયો, રવિવારે 44.4 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયુ હતુ. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતુ. આજે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જઇ શકે છે.&nbsp;</p> <p>ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ઉનાળો આકરો તાપ વરસાવી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે ગરમી લૂ અને તાપમાનનો પારો ઉંચો જઇ શકે છે. અત્યારે આગ વરસાવતી ગરમીમાં ગુજરાત શેકાઇ રહ્યું છે, રવિવારે 44.4 ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યુ છે. આ ઉપરાંત 44.3 ડિગ્રીમાં સુરેન્દ્રનગર પણ શેકાયુ હતુ. હવે હવામાન વિભાગના તાજા અપડટે પ્રમાણે, હજુપણ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આજે અમદાવાદમાં ગરમીનો પારો 44...

‘2 કા 6 લાખ’ ઈન્સ્ટા પર ₹500ના બંડલ મૂકનાર ઝડપાયા:રામભાઇ પટેલ IDના વાઈરલ વીડિયોનો ભેદ ઉકેલાયો, છેતરપિંડી આચરવા નોટોના બંડલો ભરેલા પટારા બતાવ્યા

https://ift.tt/vlhq18k ભુજના અકક્ષાનગર વિસ્તારમાં એક વાઈરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં ભારતીય ચલણી રૂપિયા 500ની નોટોના બંડલો સાથે એક લોખંડની અનાજ ભરવાની પેટી અને બે લોખંડના ટ્રંક (સુટકેસ) દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ હિન્દીમાં "રામભાઇ પટેલ ગુજરાત કચ્છ ભુજ લોકેશન જાયેગા મેરા ભાઇ ઠીક હૈ" કહેતો સંભળાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો, જેના કારણે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ચુડાસમા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી. છેતરપિંડી આચરવા ફેક ID બનાવી ઇન્સ્ટાગ્રામ પર "ram_bhai_patel" નામની આઇ.ડી. પરથી વાઈરલ થયેલા ભારતીય ચલણની ₹ 500ની નોટોના બંડલવાળા વીડિયોની પાછળ એક મોટો છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો છે. આ વાઈરલ વીડિયોમાં લોખંડની અનાજ ભરવાની મોટી પેટી અને બે લોખંડના ટ્રંકમાં ભારતીય ચલણની નોટો ભરેલી દેખાતી હતી. સાથે જ, એક મોબાઇલ ફોનની સ્ક્રીન પર "Ram bhai patel 9726760787", "2 ka 6 lakh" અને "Location Gujarat Kutch" લખેલું જોવા મળ્યું હતું. આ વીડિયોમાં એક વ્યક્તિ હિન્દીમા...

'સરકારના ગુજરાતી ભાષા પર પ્રહારો યથાવત્':કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું- 'વર્ગ 1, 2ની ભરતીમાં ગુજરાતી ભાષાનું વેઇટેજ માત્ર 25% કરાયું; વિદ્યાર્થીઓ પ્રવીણતા મેળવવા તરફ દુર્લક્ષ સેવશે'

https://ift.tt/AzH9FRM ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર , કો-ઓર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સંબોધતા જણાવ્યું હતું કે, ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. જે ભારતની વસતીના લગભગ 4.5 ટકા થવા જાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા 7 કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં 26મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા તરીકેનું સ્થાન ધરાવે છે. 'વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પ્રવીણતા મેળવવા તરફ દુર્લક્ષ સેવશે' તાજેતરમાં GPSCની વર્ગ 1 અને 2ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી ભાષાને મેરિટમાંથી હટાવી લઈને એમાં 25% ગુણ મેળવી પાસ થવા સુધીનું લઘુતમ ધોરણ જરૂરી ગણવામાં આવ્યું છે. તા. 3/3/2025ના ગુજરાત સરકારના Extra Ordinary Gazzetteથી નક્કી કરેલી ગુજરાતી વહીવટી સંવર્ગની વર્ગ 1 અને 2 અને ગુજરાત નગરપાલિકા ચીફ ઓફિસરની ભરતી પરીક્ષાઓના નિયમો, 2025ની જોગવાઈઓ મુજબ section IITમાં પેપર નંબર 1 અને 2, અનુક્રમે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભ...

મોટી આગાહી... એપ્રિલના અંત અને મે ની શરૂઆતમાં ગુજરાતમાં હવામાન પલટાશે, આવશે કુદરતી આફત

<p><strong>Gujarat Weather:</strong> ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી વરસી રહી છે, આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે, ત્યારે આ બધાની વચ્ચે ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની વાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના કહેવા પ્રમાણે, રાજ્યમાં તોફાની પવનો ફૂંકાશે અને સાથે સાથે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાશે, તો વળી ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ સંભાવના છે.&nbsp;</p> <p>ગુજરાતના જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં આફતના એંધાણ છે. ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના એંધાણ છે. મે મહિનાની શરૂઆતમાં જ હવામાન આગાહીકારોએ ધૂળનું તોફાન, વાવાઝોડાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 25 એપ્રિલથી કેટલાક દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની કરી આગાહી છે. તો 8 મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર...

Gujarat: ગેરકાયદે બાંગ્લાદેશીઓને ક્યાં ક્યાંથી અને કેવી રીતે કરાયા ડિપોર્ટ?, જુઓ આ રિપોર્ટ

<p>Gujarat: ગેરકાયદે બાંગ્લાદેશીઓને ક્યાં ક્યાંથી અને કેવી રીતે કરાયા ડિપોર્ટ?, જુઓ આ રિપોર્ટ</p> <p>પહલગામ નિર્દોષના લોહીથી રકતરંજિત થયા બાદ રાજ્યની પોલીસ પણ એકશન મોડમાં છે. ગત રાત્રે સુરત અને અમદાવાદમાં ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે ગુજરાતમાં વસતા &nbsp;કુલ 990થી વધુ બાંગ્લાદેશીને &nbsp;ઝડપી પાડ્યાં છે. ગત રાત્રે મોટું ઓપરેશન હાથ ધરીને અમદાવાદમાં એક જ રાતમાં 890 ગેરકાયદે વસતાં બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં છે જેમાંથી અમદાવાદમાં 436 પુરુષ, 240 મહિલા, 214 બાળકો છે.</p> <p>જ્યારે સુરતમાંથી 132 &nbsp;ગેરકાયદે ઝડપાયા છે, જેમાં 88 પુરૂષો અને 44 મહિલાનો સમાવેશ થાય છે. &nbsp;સુરતના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરામાં સુરત પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ગેરકાયદે વસેલા બાંગ્લાદેશી પુરુષોને ડિપોર્ટ કરવા અને મહિલાઓ, બાળકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવા અંગે વિચારણા ચાલી રહી છે. &nbsp;અમદવાદમાં ગત રાત્રે પોલીસે ચંડોળા તળાવ આસપાસની ઝૂંપડપટ્ટીમાં ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 890 બાંગ્લાદેશી ઝડપાયા છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વાર...

રાજ્ય પોલીસનું મોટું ઓપરેશન, ગેરકાયદે વસતા બાંગ્લાદેશી સામે સપાટો, 900થી વધુ ઝડપાયા

<p><strong>Gujarat Police operation,</strong>:પહલગામ નિર્દોષના લોહીથી રકતરંજિત થયા બાદ રાજ્યની પોલીસ પણ એકશન મોડમાં છે. ગત રાત્રે સુરત અને અમદાવાદમાં ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે ગુજરાતમાં વસતા &nbsp;કુલ 990થી વધુ બાંગ્લાદેશીને &nbsp;ઝડપી પાડ્યાં છે. ગત રાત્રે મોટું ઓપરેશન હાથ ધરીને અમદાવાદમાં એક જ રાતમાં 890 ગેરકાયદે વસતાં બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં છે જેમાંથી અમદાવાદમાં 436 પુરુષ, 240 મહિલા, 214 બાળકો છે.</p> <p>જ્યારે સુરતમાંથી 132 &nbsp;ગેરકાયદે ઝડપાયા છે, જેમાં 88 પુરૂષો અને 44 મહિલાનો સમાવેશ થાય છે. &nbsp;સુરતના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરામાં સુરત પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ગેરકાયદે વસેલા બાંગ્લાદેશી પુરુષોને ડિપોર્ટ કરવા અને મહિલાઓ, બાળકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવા અંગે વિચારણા ચાલી રહી છે. &nbsp;અમદવાદમાં ગત રાત્રે પોલીસે ચંડોળા તળાવ આસપાસની ઝૂંપડપટ્ટીમાં ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 890 બાંગ્લાદેશી ઝડપાયા છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા&nbsp; ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ઇઓડબ્લ્યુ તેમજ ઝોન...

Pahalgam Terror Attack : પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવાના શરૂ, ભરુચથી શહીદાબીબીને પરત મોકલાયા

<p><strong>Pahalgam Terror Attack : પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવાના શરૂ, ભરુચથી શહીદાબીબીને પરત મોકલાયા</strong></p> <p><strong>Pakistanis in Gujarat:</strong>&nbsp;જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અને ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા અંગે લેવાયેલા કડક નિર્ણયોના પગલે, ગુજરાત રાજ્યમાં ઉપસ્થિત પાકિસ્તાની નાગરિકો અંગેની વિગતો સામે આવી છે. રાજ્યમાં વિવિધ વિઝા પર રહેલા પાકિસ્તાની નાગરિકોની સંખ્યા અને તેમના સ્થાન અંગે માહિતી પ્રાપ્ત થઈ છે, અને વિઝિટર વિઝા પર આવેલા નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.</p> <p>પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા ધરાવતા કુલ ૪૩૮ પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા છે. જ્યારે શોર્ટ ટર્મ વિઝા પર ગુજરાતમાં કુલ ૭ પાકિસ્તાની નાગરિકો ઉપસ્થિત છે.</p> <p>શોર્ટ ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોના સ્થાનની વિગતો જોઈએ તો, ૫ નાગરિકો અમદાવાદમાં છે, જ્યારે ભરૂચ અને વડોદરામાં ૧-૧ નાગરિક મળી આવ્યા છે.</p> <p>લોંગ ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાન...

મોંઘવારીને નાથવામાં ગુજરાત અવ્વલ: માત્ર ૨.૬૩% છૂટક ફુગાવાનો દર, રાષ્ટ્રીય સરેરાશ અને મોટા રાજ્યો કરતાં ઘણો ઓછો

<p><strong>Retail inflation Gujarat:</strong> દુનિયાભરના દેશો હાલમાં મોંઘવારીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યે આર્થિક વિકાસની સાથે સાથે ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં પણ મોટી સફળતા મેળવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ આ વાતની પુષ્ટિ કરે છે.</p> <p>મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા માર્ચ ૨૦૨૫ માટેના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત આંકડાઓ અનુસાર, ગુજરાત રાજ્યનો વાર્ષિક છૂટક ફુગાવાનો દર (રિટેઇલ ઇન્ફ્લેશન રેટ) ફક્ત ૨.૬૩ ટકા નોંધાયો છે. આ દર સમગ્ર દેશની રાષ્ટ્રીય સરેરાશ ૩.૩૪ ટકા કરતા ૦.૭૧ ટકા જેટલો નોંધપાત્ર રીતે ઓછો છે. વધુમાં, ગુજરાતનો આ ફુગાવાનો દર ઘણા મોટા અને આર્થિક રીતે વિકસિત રાજ્યોની સરખામણીમાં પણ ઘણો ઓછો રહ્યો છે.</p> <p>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર 'વિઝન વિકસિત ગુજરાત કા, મિશન જનકલ્યાણ કા' ની પ્રતિબદ્ધતા સાથે રાજ્યનો સર્વાંગી અને આધુ...

ગુજરાતમાં પાકિસ્તાનીઓનું લિસ્ટ તૈયાર! 438 લાંબા અને 7 ટૂંકા વિઝાવાળા પોલીસના હાથમાં! સૌથી વધુ અમદાવાદમાં...

<ul> <li><strong>ગુજરાતમાં લોંગ ટર્મ વીઝા ધરાવતા કુલ 438 પાકિસ્તાની નાગરિકો.</strong></li> <li><strong>શોર્ટ ટર્મ વીઝા ધરાવતા ગુજરાતમાં કુલ 7 પાકિસ્તાની નાગરિકો.</strong></li> <li><strong>શોર્ટ ટર્મ વીઝા ધરાવતા અમદાવાદમાં 5, ભરૂચ, વડોદરામાં 1-1 પાક નાગરિક.</strong></li> <li><strong>લોંગ ટર્મ વાળા સૌથી વધુ અમદાવાદમાં 77 પાકિસ્તાના નાગરીક.</strong></li> <li><strong>લોંગ ટર્મ વીઝા ધરાવતા સુરતમાં 44, કચ્છમાં 55 પાકિસ્તાની નાગરિક.</strong></li> <li><strong>ગુજરાતમાં વિઝિટર વીઝા પર આવેલા પાકિસ્તાનીઓને પરત મોકલાયા.</strong></li> </ul> <p><strong>Pakistanis in Gujarat:</strong> જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અને ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા અંગે લેવાયેલા કડક નિર્ણયોના પગલે, ગુજરાત રાજ્યમાં ઉપસ્થિત પાકિસ્તાની નાગરિકો અંગેની વિગતો સામે આવી છે. રાજ્યમાં વિવિધ વિઝા પર રહેલા પાકિસ્તાની ના...

Gujarat Weather News: હજુ આગામી ચાર દિવસ આકરી ગરમીમાં શેકાવા રહેજો તૈયાર, હવામાન વિભાગની આગાહી

<p>Gujarat Weather News: હજુ આગામી ચાર દિવસ આકરી ગરમીમાં શેકાવા રહેજો તૈયાર, હવામાન વિભાગની આગાહી&nbsp;</p>

ગુજરાત કોંગ્રેસમાં 'પત્રિકા કાંડ': કાર્યાલયમાં પત્રિકા વિતરણથી ખળભળાટ, ભાજપ સાથે 'સેટિંગ'ના આરોપ, બે નેતાઓના નામ ઉછળ્યા

<p><strong>Patrika Kand Gujarat Congress:</strong> તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં પત્રિકા વિતરણનો મામલો ચર્ચામાં રહ્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કેટલાક લોકો દ્વારા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને ભાજપ સાથે 'સેટિંગ' કર્યાનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p> <p>કોંગ્રેસ કાર્યાલય ખાતે વેચાયેલી આ પત્રિકાઓમાં ભાજપ સાથે 'સેટિંગ' કરતા નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને, પત્રિકામાં કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ, હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારના નામ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.</p> <p>પત્રિકામાં આ નેતાઓ પર કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટનામાં ભાજપ સાથે 'સેટિંગ' કર્યું હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ છે. આ ઉપરાંત, પોલીસ ફરિયાદમાં પણ ભાજપ સાથે 'સેટિંગ' કર્યાનો આરોપ આ બંને નેતાઓ પર લગાવવામાં આવ્યો...

નકલી તબીબો પર લગામ કસવા પ્રયાસ:રાજકોટનાં તમામ ક્લિનિક, લેબોરેટરી, એક્સ-રે ઇમેજિંગ સેન્ટરો અને પ્રસૂતિગૃહનું રજિસ્ટ્રેશન કરવા આદેશ

https://ift.tt/MzmaskA રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ક્લિનિક અને તબીબ ઝડપાઇ રહ્યા છે. અનેક તબીબી એકમોમાં ગેરરીતિ ચાલી રહી છે જેનો નિર્દોષ દર્દીઓ ભોગ બની રહ્યા છે. જેના પર લગામ કસવા મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મનપા દ્વારા તમામ ક્લિનિક, લેબોરેટરી, એક્સ-રે ઇમેજિંગ સેન્ટરો અને પ્રસૂતિગૃહનું રજિસ્ટ્રેશન રદ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો support-cea@gujarat.gov.in પર ઈ-મેલ કરવા તેમજ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય શાખાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. તમામ તબીબી સંસ્થાઓએ નોંધણી કરાવવી આવશ્યક પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મનપા આરોગ્ય શાખા દ્વારા ધી બોમ્બે નર્સિગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ, 1949 અંતર્ગત રાજકોટ શહેરી વિસ્તારની તબીબી સંસ્થાઓ જેવી કે ક્લિનિક, હોસ્પિટલ, ડીસ્પેન્સરી, લેબોરેટરી વગેરેની નોંધણી કરવામાં આવતી હતી. જે કામગીરી ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ - 2021 તેમજ ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ રૂલ્સ - 2022 અમલમાં આવતા બંધ કરાઈ છે. તો ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ - 2021 અંતર્ગત જાહેર તથા ખાનગી તથા ટ્રસ્ટ સંચાલિત તબીબી સંસ્...

Gujarat Government Assistance: આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય

<p>Gujarat Government Assistance: આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય</p> <p>મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. તેમના દુઃખની ચરમસીમાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આજે મૃતદેહોને માદરે વતન લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે ગુજરાત સરકારે&nbsp; આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાય અપાશે તેવી જાહેરાત કરી છે.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p>જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જે ગુજરાતી પ્રવાસીઓએ જીવ ખોયો છે તેમને રાજ્ય સરકાર તરફથી 5 લાખ રુપિયાની સહાય આપવામાં આવશે. આ દુર્ભાગ્યપૂર્ણ આતંકવાદી હુમલામાં જે ગુજરાતી પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે તેમને રાજ્ય સરકાર તરફથી 50 હજારની સહાય આપવામાં આવશે.&nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p>

ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના શૈલેષભાઈની નીકળી અંતિમ યાત્રા, મુખ્યમંત્રી અને પાટીલે પાઠવી શ્રદ્ધાંજલિ

<p>જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના શૈલેષભાઈની અંતિમ યાત્રા નીકળી હતી. &nbsp;ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો સુરતમાં કેન્દ્રિય મંત્રી સી.આર પાટીલ સહિત ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Bhavnagar | Gujarat CM Bhupendra Patel pays last respects to Sumit Parmar and Yatish Parmar, who were killed in the Pahalgam terror attack and consoles the family <a href="https://t.co/YIEG7hQHqL">pic.twitter.com/YIEG7hQHqL</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1915238580072468531?ref_src=twsrc%5Etfw">April 24, 2025</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async=...

રાજકોટ સમાચાર:મનપા કચેરીએ બજેટમાં મંજૂર થયેલા કામોની સમીક્ષા બેઠક યોજાઇ

https://ift.tt/hwdxSyJ રાજકોટ મનપા દ્વારા ગત નાણાંકીય વર્ષ 2024-25 માટે તેમજ ચાલુ નાણાંકીય વર્ષ 2025-26 સ્ટે.કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ કોર્પોરેશનના બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં કોર્પોરેશનના નાયબ કમિશનર, સીટી એન્જિનિયરો, તથા અધિકારીઓ સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે તથા કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ થશે, તે અંગે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી. આ બેઠકમાં અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં પણ બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓનું સમયબદ્ધ અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા લગત અધિકારીઓ સાથે બજેટ યોજના અન્વયે કરેલ કામગીરી અંગે સમયાંતરે બેઠક યોજવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું. મેરેજ સર્ટીફીકેટ માટે પતિ-પત્નીએ ફરજિયાત હાજર રહેવું પડશે રાજકોટ મહાનગરપાલિકાના લગ્ન નોંધણી વ...

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં સુરતના યુવકનું મોત, ભાવનગરના પિતા-પુત્ર ગુમ

<p><strong>Pahalgam Terror Attack:</strong>&nbsp;જમ્મુ કાશ્મીરના પહલગામમાં&nbsp;થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા છે. પહલગામમાં થયેલા આ આતંકી હુમલામાં એક ગુજરાતી યુવકનું મોત થયું છે. જ્યારે ભાવનગરના એક વ્યક્તિને ઇજા થઇ હતી. સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું પણ મોત થયું છે. તેઓ મૂળ સુરતના વરાછામાં આવેલા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હતા. જો કે થોડા સમયથી તેઓ મુંબઇ ખાતે રહેવા માટે ગયા હતા. આ આતંકી હુમલામાં ભાવનગરના એક વૃદ્ધના હાથમાં ગોળી લાગી છે.&nbsp;&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Surat, Gujarat | <a href="https://twitter.com/hashtag/PahalgamTerroristAttack?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#PahalgamTerroristAttack</a> | Deputy Tehsildar, district emergency operation centre, Sazid says, "Shailesh Bhai Himmat Bhai K...

Gujarat: રાજ્યના ખેડૂતો માટે ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો, જાણો વધુ વિગતો 

<p><strong>ગાંધીનગર:</strong> ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.&nbsp;<br />&nbsp;<br />પ્રવર્તમાન જોગવાઇ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ હોય તો નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર સહમાલિકનું સંમતિ પત્રક મેળવવાની રહે છે. જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેચણી કરેલ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાને કારણે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલીઓ પડતી હતી.&nbsp;<br />&nbsp;&nbsp;<br />આથી ખેડૂતો તેમજ આદિવાસી વિસ્તારના ધારાસભ્યઓની રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તે મુજબ હવેથી સહમાલીકના સંમતિ પત્રકને બદલે હવેથી અરજદાર દ્વારા નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ...

Gujarat Revenue Department : ભાડાપટ્ટાની જમીન અંગેના પરીપત્ર સામે કોંગ્રેસે શું લગાવ્યો આરોપ?

<p>Gujarat Revenue Department : ભાડાપટ્ટાની જમીન અંગેના પરીપત્ર સામે કોંગ્રેસે શું લગાવ્યો આરોપ?</p>

Weather: એપ્રિલના અંતિમ અઠવાડિયામાં તબાહીના સંકેત, અંબાલાલે હીટવેવ સાથે ધૂળની ડમરીઓ ઉડવાની કરી આગાહી, વાંચો...

<p><strong>Gujarat Weather:</strong> એપ્રિલ મહિનો પુરો થવા આવ્યો છે અને રાજ્યમાં કાળઝાળ ગરમી કહેર વર્તાવી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવે હવામાનકારો પણ એપ્રિલના અંતમાં તબાહીના સંકેતો આપી રહ્યાં છે. ગુજરાતમાં હાલ વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે. જેના કારણે તાપમાનમાં વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટતા ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે. રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફુંકાવવાનું શરૂ થયું છે. જેના કારણે બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે અને ગરમીનું પ્રમાણ વધશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલના અંતમાં 45 ડિગ્રી સુધી તાપમાન જાય તેવી આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે.</p> <p>હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, 26 એપ્રિલ બાદ ગરમીનું જોર વધશે. 30 એપ્રિલ સુધીમાં મધ્...

Gujarat Congress Protest : ખેડૂતો મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, નીકળી ખેડૂત મહારેલી

<p>Gujarat Congress Protest : ખેડૂતો મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, નીકળી ખેડૂત મહારેલી</p>

Gujarat: ખેડૂતો માટે મહત્વના સમાચાર, ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીની શરૂઆત થઇ, જાણો વિગત

<p><strong>Gujarat Farmer News:</strong> ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત થઇ ગઇ છે. આજથી 21મી એપ્રિલથી ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ ગઇ છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પી.એમ. આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખેડૂતો નિશ્ચિંત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે.</p> <p>ગુજરાતમાં ચણા અને રાયડો પકવતા ખેડૂતો માટે સરકારે ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી હતી, તેની આજથી શરૂઆત થઇ ગઇ છે. ચણા અને રાયડાની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આજથી 179 ખરીદ કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવશે, જ્યારે 87 ખરીદ કેન્દ્રો પર રાયડાની ખરીદી કરવામાં આવશે. બનાસકાંઠામાં ખેડૂતો રાયડો લઈને ખરીદ કેન્દ્રો પર પહોંચી રહ્યાં છે. બનાસકાંઠામાં રાયડા માટે 72 હજાર ખેડૂતોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. માત્...

શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ગુજરાત સરકાર: ૩ વર્ષમાં ૬૬ હજારથી વધુ યાત્રાળુઓને ₹૯.૮૬ કરોડના ખર્ચે તીર્થયાત્રા કરાવી

<p><strong>Gujarat pilgrimage scheme</strong>: ગુજરાત સરકાર સામાન્ય પ્રજાની આસ્થા અને શ્રદ્ધા પ્રત્યે અત્યંત સંવેદનશીલ રહી છે. રાજ્યમાં જે શ્રદ્ધાળુઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે પોતાના ખર્ચે તીર્થયાત્રા કરી શકતા નથી, તેમને સરકારી ખર્ચે તીર્થયાત્રા કરાવીને સરકાર તેમની પડખે ઊભી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આસ્થાપૂર્ણ અભિગમ હેઠળ, સરકાર 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને ચરિતાર્થ કરી રહી છે. અનેક ધાર્મિક સ્થળોના વિકાસની સાથે સાથે હજારો શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા માટે સહાય પૂરી પાડવામાં આવી રહી છે.</p> <p>રાજ્ય સરકાર દ્વારા 'શ્રવણ તીર્થ દર્શન યોજના', 'સિંધુ દર્શન યોજના' અને 'કૈલાશ માન સરોવર યોજના' જેવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના થકી રાજ્યના શ્રદ્ધાળુઓ સરકારી સહાય મેળવીને પોતાના મનગમતા તીર્થસ્થળોની યાત્રા કરી શકે છે. આ યોજનાઓનું સંચાલન રાજ્ય સરકારનું જાહેર સાહસ 'ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ' વર્ષ ૨૦૧૭-૧૮થી કરી રહ્યું છે.</p> <p>ગુજરાત પવિત્ર યાત્...

Gujarat Weather News: દક્ષિણ ગુજરાત સિવાયના તમામ જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાવાની આગાહી

<p>Gujarat Weather News: દક્ષિણ ગુજરાત સિવાયના તમામ જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાવાની આગાહી</p> <p>રાજ્યમાં આજથી 2 દિવસ આંધી-તોફાન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની હવામાન વિભાગે &nbsp;આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લામાં ભારે &nbsp;પવનનું અનુમાન છે. &nbsp;કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન &nbsp;ફૂંકાશે.&nbsp; જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.</p> <p>સ્ટર્સન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વતરના રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બીજી સિસ્ટમ ઇરાનથી આગળ વધી રહી છે. જેની અસર ગુજરાત પર થશે એટલે તેના કારણે ગરમીમાં ઘટાડો જોવા મળશે અને પવનની ગતિ વધશે પરંતુ વરસાદની કોઇ શકયતા નથી. આ સ્થિતિના કારણે &nbsp;તાપમાનનો પારો બેથી ત્રણ &nbsp;ડિગ્રી ગગડશે, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40ને પાર પહોંતી ગયો હતો. જેમાં હવે બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે., જેથી લોકોને 20 એપ્રિલથી 23 એપ્રિલ સુધી ગરમીમાં રાહત મ...

ગુજરાતમાં '૧૯૧૬' હેલ્પલાઇનનો જળ ક્રાંતિમાં મોટો ફાળો: ગ્રામજનોની ૯૯% થી વધુ પાણીની ફરિયાદોનો નિકાલ

<p><strong>Gujarat water complaint helpline:</strong> ગુજરાતના જળ વ્યવસ્થાપન ક્ષેત્રે થયેલી ક્રાંતિએ રાજ્યના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીના નક્કર આયોજન દ્વારા નાગરિકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઈ માટે અને ઉદ્યોગોને ઉત્પાદન માટે પર્યાપ્ત પાણી પૂરું પાડ્યું છે. એક સમયે પાણીની ગંભીર અછતનો સામનો કરતું ગુજરાત આજે 'પાણીદાર ગુજરાત' તરીકે દેશભરમાં જાણીતું છે.</p> <p>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરી વિસ્તારોની સાથોસાથ ગ્રામીણ વિસ્તારોના પણ પ્રત્યેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જોકે, સરકારે માત્ર પાણી પહોંચાડીને સંતોષ માન્યો નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પીવાના પાણી સંબંધિત કોઈપણ સમસ્યાનું નિરાકરણ ઝડપથી મળી રહે તે માટે ૨૪x૭ કાર્યરત ટોલ ફ્રી નંબર ૧૯૧૬ની સેવા ઉપલબ્ધ કરાવી છે. આ ટોલ ફ્રી નંબર ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે, જેના કારણે...

Gujarat Weather News: રાજ્યના વાતાવરણમાં પલટાના એંધાણ, 24 જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે ફુંકાશે પવન

<p><br />Gujarat Weather News: રાજ્યના વાતાવરણમાં પલટાના એંધાણ, 24 જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે ફુંકાશે પવન&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p>કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે..રાજ્યમાં 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે જિલ્લાઓના હવામાનમાં પલટો આવી શકે છે..બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફુંકાશે.. આજે અને આવતીકાલે કચ્છ, બનાસકાંઠા,સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, સોમનાથ,રાજકોટ સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાશે. &nbsp;રાજ્યના 24 જિલ્લા માટે હવામાન વિભાગે આગાહી કરી છે..&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;...

Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ

<p style="text-align: justify;"><strong>Gujarat Weather:</strong> ગુજરાતમાં તીવ્ર ગરમી વચ્ચે રાહતના સમાચાર મળી શકે છે. આગામી બે દિવસમાં ગરમી ઓછી થઈ શકે છે. જોકે, હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને ધૂળની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી હવામાન શુષ્ક રહી શકે છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. આ પછી, 19 અને 20 એપ્રિલે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, આ પછી તાપમાન ફરી વધવાની શક્યતા છે. આ ઉપરાંત, દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે. તેથી યલો એલર્ટ જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="und">Multi-Hazard Warning for 19th April, 2025<br />मल्टी-हज़ार्ड वॉर्निंग 19 अप्रैल, 2025 के लिए<a href="https...

ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ ફુલ ફોર્મમાં! સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકો મેદાને ઉતર્યા! જુઓ જિલ્લાવાર યાદી

<ul> <li>ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 'સંગઠન સર્જન અભિયાન' શરૂ.</li> <li>ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકોની નિમણૂક.</li> <li>23 એપ્રિલથી 8 મે સુધી નિરીક્ષકો જિલ્લાઓની મુલાકાત લેશે.</li> <li>દરેક જિલ્લા માટે AICC નેતા અને પ્રદેશ નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી.</li> <li>જમીની સ્તરે સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકરોમાં જોશ ભરવા કામગીરી.</li> </ul> <p><strong>AICC observers Gujarat:</strong> આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન અંતર્ગત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરો માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ નિરીક્ષકો આગામી તા. ૨૩ એપ્રિલ થી ૮ મે સુધી પોતાના સોંપાયેલા જિલ્લાઓની મુલાકાત લઈને સંગઠનાત્મક કાર્યો અને સ્થિતિની સમીક્ષા કરશે.</p> <p>પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રત્યેક જિલ્લા માટે એક AICCના સિનિયર નેતા સાથે ચાર પ્રદ...

પરીક્ષાની તૈયારી કરો સરકારના રૂપિયે:UPSC, GPSC માટે અનામત અને બિન અનામત વર્ગને મળશે રૂપિયા; જાણો લાયકાત, લાભ, ડોક્યુમેન્ટ અને અરજીની સ્ટેપ બાય સ્ટેપ માહિતી

https://ift.tt/p7aSbDr ગુજરાતના યુવાનો માટે ખુશખબર! સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકાર આપશે ₹20,000 ની સહાય... શું તમે પણ સરકારી નોકરીનું સપનું જુઓ છો? શું તમે યુપીએસસી, જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો? પરંતુ શું પરિવારની આર્થિક પરિસ્થિતિ તમારી સૌથી મોટી ચિંતા છે? તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી! ગુજરાત સરકાર તમારા માટે એક એવી યોજના લઈને આવી છે જે તમારી તૈયારીના ખર્ચમાં ઘણી મદદ કરશે. હવે ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓ પણ આત્મવિશ્વાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકશે. સરકાર દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કોચિંગ સંસ્થાઓમાં તાલીમ લેવા માટે પૂરા ₹20,000 ની સહાય આપવામાં આવશે. આ યોજના એવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેમણે ધોરણ 12માં 60 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હોય અને તેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોય. આ સહાય મેળવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. તમારે ફક્ત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વેબસાઈટ gueedc.gujarat.gov.in પર જવાનું રહેશે. ત્યાં તમારે સ્કીમ સેક્શનમાં જઈને ‘ટ્રેનિંગ સ્કીમ ફોર કો...

ગુજરાત ‘સ્પેસટેક પોલિસી’ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું, અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને હવે મળશે નવી ઉડાન

<p><strong>Gujarat spacetech policy:</strong> ગુજરાત સરકારે આજે સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રને એક નવી દિશા આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સ્પેસટેક પોલિસી ૨૦૨૫-૨૦૩૦ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે સ્પેસ ટેક્નોલોજી માટે પોતાની વિશેષ નીતિ જાહેર કરી છે. તાજેતરમાં જ ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બન્યું છે અને હવે આ નવી નીતિથી રાજ્ય અવકાશ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ નવી સિદ્ધિઓ હાંસલ કરવા માટે સજ્જ છે.</p> <p>આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સ્થાનિક અવકાશ ટેક્નોલોજી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે ગુજરાત સરકાર INSPACe, ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ સાથે ભાગીદારી કરશે. વર્તમાન સમયમાં સંરક્ષણ, નેવિગેશન, આરોગ્ય સેવા, ઈન્ટરનેટ, ડેટા ટ્રાન્સફર, હવામાનની આગાહી અને કુદરતી આપત્તિઓના વ્યવસ્થાપન જેવી અનેક મહત્વપૂર્ણ સેવાઓમાં સ્પેસ ટેક્નોલોજી એક અનિવાર્ય ભાગ બની ગઈ છે.</p> <p>ચંદ્રયાન, મંગળયાન અને SpaDeX જેવા ભારતના સફળ મિશનોએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની ખ્ય...

વડોદરાના સમાચાર:પશ્ચિમ રેલવેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વડોદરા ડિવિઝન દ્વારા પુરસ્કાર સમારોહ યોજાયો

https://ift.tt/1vC9xV4 પશ્ચિમ રેલવેનો 70મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર સમારોહ દર વર્ષે પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમના સખત મહેનત અને સમર્પણને સન્માનિત કરવા માટે આયોજિત કરવામાં આવે છે, જેઓ હંમેશા પડકારોનો સામનો કરવા તૈયાર રહે છે. રેલ સપ્તાહ દરમિયાન વિવિધ શ્રેણીઓમાં મંડળો/એકમોને દક્ષતા શિલ્ડ એનાયત કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ પ્રસંગે, મહા પ્રબંધક અશોક કુમાર મિશ્રએ તે મંડળો અને એકમોને પ્રતિષ્ઠિત મહાપ્રબંધકની સમગ્ર કાર્યકુશળતા શિલ્ડ સહીત 26 કાર્યકુશળતા શિલ્ડો પ્રદાન કરી જેણે વર્ષ 2024-25 માટે વિવિધ ક્ષેત્રોમાં સૌથી વધુ કુશળ જોવા મળ્યા હતા. વડોદરા મંડળના ડીઆરએમ રાજુ પ્રભાકર ભડકેએ માહિતી આપી હતી કે વર્ષ 2024-25 માંવિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય માટે વડોદરા મંડળને પ્રતિષ્ઠિત 4 દક્ષતા શિલ્ડ પ્રાપ્ત થયા છે. રોજગારલક્ષી સેમિનાર તથા નામ નોંધણી કેમ્પ યોજાશે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામક રોજગાર અને તાલીમ કચેરીના નિયંત્રણ હેઠળની યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી) કચેરી, એમ એસ યુ કેમ્પસ, વડો...

હવે ગામડાં પણ બનશે સ્માર્ટ: પંચાયતો માટે કરોડોની ભેટ, કચેરીઓ અને આવાસ થશે આધુનિક! મુખ્યમંત્રીની મોટી જાહેરાત

<p><strong>Gujarat panchayat grant:</strong> મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પંચાયત વ્યવસ્થાના માળખાને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં નોંધપાત્ર વધારો કર્યો છે.</p> <p>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જે ગ્રામ પંચાયતોના પંચાયત ઘર જર્જરિત હાલતમાં છે અથવા તો પંચાયત ઘર વિહોણી છે, તેવી ગ્રામ પંચાયતોને નવા પંચાયત ઘરના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા અનુદાનમાં મોટો વધારો કર્યો છે. હવેથી, 10 હજાર કે તેથી વધુની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયત ઘરના નિર્માણ માટે અગાઉ અપાતી 27 લાખ રૂપિયાની સહાયની જગ્યાએ મહત્તમ 40 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.</p> <p>આ ઉપરાંત, 5 હજારથી 10 હજાર સુધીની વસ્તીવાળા ગામોમાં પંચાયત ઘરોના બાંધકામ માટેની મહત્તમ યુનિટ કોસ્ટ 22 લાખ રૂપિયાથી વધારીને 34.83 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે 5 હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોમાં નવા પંચાયત ઘરના નિર્માણ માટે અપાતી 17 લાખ રૂપિયાની સહ...

ગુજરાતમાં અકસ્માતોની સુનામી: સુરત, પાટણ, મોડાસા સહિત અનેક જિલ્લામાં લોહીની નદીઓ વહી!

<p><strong>Gujarat road accidents:</strong> રાજ્યમાં આજે અનેક સ્થળોએ માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાટણમાં એક જ પરિવારના છ સભ્યોના કરુણ મોત થયા છે, જ્યારે સુરત, મોડાસા, દાહોદ, ભરૂચ અને સાબરકાંઠામાં પણ અકસ્માતો નોંધાયા છે.</p> <p>સુરતમાં પાલનપોર ઉગત કેનાલ રોડ પર એક બેફામ દોડતા ડમ્પર અને નંબર પ્લેટ વિનાની સીટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા પાછળથી પુર ઝડપે આવી રહેલા ડમ્પરે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર કેટલાક મુસાફરોને નાની ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ પ્રતિબંધિત સમયમાં રોડ પર બેફામ દોડતા ડમ્પર અને નંબર પ્લેટ વિનાની બસને લઈને લોકોમાં ચર્ચા જાગી છે.</p> <p>પાટણ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. સમી-રાધનપુર રોડ પર વાદી લોકો રીક્ષામાં પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સર...

ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓને દુર કરાશે, ગુજરાત મહત્વનું અહીં લડવું આસાન નથીઃ મોડાસામાં રાહુલ ગાંધી

<p><strong>Congress Mission Gujarat Campaign:</strong> કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસની ગુજરાત મુલાકાતે છે, ગઇકાલે અમદાવાદ પ્રદેશ કાર્યાલયમાં કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સંગઠનને મજબૂત બનાવવા રણનીતિ બનાવી હતી. હવે આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ સંગઠન અને માળખાને નવેસરથી મજબૂત રીતે ઉભુ કરવા પર ભાર મુક્યો હતો. મોડાસામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જિલ્લા સ્તરનું સંગઠન મજબૂત કરવામાં આવશે, તેમને આ કામગીરીમાં જિલ્લા પ્રમુખો અને MLA- MP સુધીના નેતાઓના કામ વિશે વાત કરી હતી.&nbsp;</p> <p>ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી આજે ગુજરાતમાં ફરી એકવાર ધામા નાંખ્યા છે, AICC- પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો સાથે બેઠક કરીને સંગઠનનું નવસર્જન કરવા પર ચર્ચા વિચારણા કરાઇ રહી છે. ખાસ વાત છે કે, છ દિવસમાં રાહુલ ગાંધીની આ બીજીવારની ગુજરાત મુલાકાત છે.</p> <p>આજે ગુજરાત મુલાકાતના બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસામાં પહોંચ્યા હતા, અહીં તેમને કાર્ય...