Skip to main content

Posts

Showing posts from May, 2021

પરિણીતાને આપઘાત ની દુષ્પ્રેરણા આપનાર સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા, તા. 31 મે 2021, સોમવાર વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસે સાસરી પક્ષના પાંચ સભ્યો વિરુદ્ધ આપઘાત અંગે દુષ્પ્રેરણા આપવ, સ્ત્રી અત્યાચાર તથા મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનની રહેવાસી 27 વર્ષીય યુવતી રેખા બેન ના લગ્ન વર્ષ ૨૦૧૦ દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ લક્ષ્મીલાલ તૈલી (રહે-નિલોદ ગામ ,ચિત્તોડગઢ, રાજસ્થાન )સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. ત્યાર બાદ પતિ-પત્ની વડોદરા શહેરમાં વસવાટ કરી  સરકારી અનાજની દુકાન ચલાવતા હતા લગ્નના એક વર્ષ બાદ સાસરિયાઓએ યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જો કે વડીલોની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો જોકે ત્યારબાદ પણ સાસરિયાઓએ ઝઘડો કરી મારપીટ કરી હતી દરમિયાન ગઇકાલે રેખાબેનએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવતીના ભાઈએ સાસરિ પક્ષના લક્ષ્મીલાલ રૂપલાલ, રૂપલાલજી , વરજુબેન રૂપલાલ, અંસી પિન્ટુભાઈ અને લીલાબેન ઓમ પ્રકાશ (તમામ રહે- તરુણ નગર, છાણી જકાતનાકા, વડોદરા) વિરુદ્ધ આપઘાત કરવા માટે ...

વડોદરાઃ પ્રી મોનસુનની કામગીરીમાં નિષ્કાળજીને કારણે એક વ્યક્તિનું મોત

વડોદરા, તા. 31 મે 2021, સોમવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોનસુનની ચાલતી કામગીરી દરમિયાન નિષ્કાળજીને કારણે ગઇરાત્રેની ગઈ રાતે ગોરવા વિસ્તારમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસા પૂર્વે ની કામગીરી અત્યારે છેલ્લી ઘડી સુધી ચાલી રહી છે ત્યારે ગટરો સાફ કરવામાં આવી રહી છે. તે બાદ ગટરોના ઢાંકણાં બંધ કરવામાંનહિ આવતા સુભાનપુરા સંતોષનગરમાં રહેતા પ્રવિણભાઇ ચૌહાણ (ઉં.45) પોતાની મોટર સાઇકલ લઇ નોકરી જવા માટે નીકળ્યા હતા. ત્યારે ગોરવા ભાઇલાલ અમીન મેરેજ હોલ, પ્રકૃતિ કોમ્પ્લેક્ષ સામે ગટરના ખુલ્લા ઢાંકણાં સાથે તેઓની મોટર સાઇકલ અથડાતા પ્રવિણભાઇ બાઇક ઉપરથી રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું. જોકે, ગોરવા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે પ્રવિણભાઇ ચૌહાણ મોટર સાઇકલ લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. તે સમયે પ્રૃકતિ કોમ્પ્લેક્ષ સામે તેઓની મોટર સાઇકલ સ્લિપ ખાઇ જવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. https://ift.tt/3vDW2kb

વેબસાઇટના માધ્યમથી લગ્ન બાદ પતિ અને સાસુ દ્વારા દહેજ મુદ્દે પરિણીતાને ત્રાસ : મર્સિડીઝ કાર લાવવા પતિનું દબાણ

વડોદરા, તા. 31 મે 2021, સોમવાર વેબસાઇટના માધ્યમથી લગ્ન કર્યા બાદ પતિ અને સાસુ દ્વારા દહેજ મુદ્દે પરિણીતાને ત્રાસ ગુજારવા બદલ મહિલા પોલીસે સ્ત્રી અત્યાચાર, મારામારી અને ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી યુવતી ના લગ્ન  વેબસાઇટના માધ્યમથી વર્ષ 2020 દરમિયાન પરિવારજનોની સંમતિથી મુંબઈના રહેવાસી જીતેશ પ્રદીપકુમાર અગ્રવાલ સાથે થયા હતા .લગ્ન અગાઉ હનીમૂન મુદ્દે તકરાર થઇ હતી. લગ્ન સમયે માતા પિતાએ કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના ,ઘરવખરી અને રોકડ રૂપિયા આપ્યા હતા. પતિ અવારનવાર માનસિક ત્રાસ આપી ઘાતકી વર્તન કરતો હતો. યુવતીના માતા-પિતાએ ઓછું દહેજ આપવા મુદ્દે મહેણા ટોણા મારી મજાક ઉડાવતા હતા અને જણાવતા કે બીજી કોઈ છોકરી સાથે લગ્ન કર્યા હોત તો પાંચ કરોડ રૂપિયા મળે. તેમજ અમારા રિવાજ પ્રમાણે તહેવારોમાં છોકરીના પિયરમાંથી એસી તથા ગિફ્ટ આવતા હોય છે તારા પિયરમાંથી ભેટસોગાદ આવતી નથી. પતિ પિયરમાંથી મરસીડીઝ કાર લાવવા દબાણ કરતો હતો. જમવા બાબતે પણ સાસરિયાઓ ભેદભાવ રાખતા હતા. પતિ શારીરિક સંબંધ બાંધતો ન હતો. બિઝનેસ પાર્ટનર ગરિમા ના ક...

વડોદરા કોર્પોરેશન દ્વારા ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં છબરડા: મ્યુનિ. કમિશનરને રજૂઆત

વડોદરા, તા. 31 મે 2021, સોમવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાર્માસિસ્ટ અને મલ્ટી પર્પસ વર્કરની અંદાજે 180 જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી હતી જેમાં આન્સર-કીમાં છબરડા થતાં પરીક્ષા આપનારા ઉમેદવારોનું ભાવિ જોખમમાં છે તે અંગે આજે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરી છે જે અંગે મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત તારીખ ૨૮ માર્ચના રોજ મલ્ટીપર્પઝ અને ફાર્માસિસ્ટની 180 જગ્યા પર અંદાજે 10,200 ઉમેદવારોએ લેખિતમાં પરીક્ષા આપી હતી ત્યારબાદ જે પ્રોવિઝનલ આન્સર-કી હતી તેમાં પ્રશ્નો ખોટા હતા અને તે પછી ફાઈનલ આન્સર કી આપી છે તેમાં પણ 70% પ્રશ્ન ખોટા હતા જેથી બે વખત ફાઈનલ આન્સર કી રદ કરી હતી. પરીક્ષાની આન્સર કીમાં છબરડા થતાં હોવાને કારણે મેરીટમાં પણ અનેક ઉમેદવારો આવી શકે તેમ રહેશે નહીં અને તેઓનું ભાવિ ટૂંકમાં છે જે અંગે આજે ઉમેદવારોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી અને આન્સર કી માં થયેલા છબરડા ની તપાસ કરવા માંગણી કરી હતી. આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પીએ તેઓની રજુઆત સાંભળી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને આ પરીક્ષામાં...

ટ્રાફિક સમસ્યા હલ કરવા બનાવેલા આઈલેન્ડ એક પછી એક તોડવાની શરૂઆત

વડોદરા, તા. 31 મે 2021, સોમવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને દોઢ વર્ષ બાદ બ્રહ્મજ્ઞાન થતાં ટ્રાફિકમાં અવરોધ રૂપ સંગમ ચાર રસ્તા પાસેનું આઈલેન્ડ તોડાયું છે, જ્યારે સરદાર એસ્ટેટ પાસે આઈલેન્ડને તોડવાની કામગીરી ચાલી રહી છે. 2 દિવસ સુધી કામગીરી વિલંબમાં પડતાં સ્થાયી અધ્યક્ષે અધિકારીઓનો ઉધડો લીધો હતો. સ્થાયી ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત થતાં ટ્રાફિક આઇલેન્ડ તોડી નાખવા નિર્ણય લેવાયો છે. સંગમ ચાર રસ્તાનું ટ્રાફિક આઇલેન્ડ તોડાયા બાદ હવે ખોડિયાર નગર ચાર રસ્તા અને મહાવીર ચાર રસ્તાના ટ્રાફિક આઇલેન્ડ તોડી નખાશે. જોકે સરદાર એસ્ટેટ પાસેનું ટ્રાફિક આઇલેન્ડ તોડવામાં 2 દિવસનો સમય લેતાં ડો.હિતેન્દ્ર પટેલે ગંભીર નોંધ લઈ પૂર્વ ઝોનના સંબધિત અધિકારીને કોઈનું દબાણ છે તેવો સવાલ કર્યો છે. આખરે સરદાર એસ્ટેટ પાસેનું ટ્રાફિક આઇલેન્ડ તોડવાની કામગીરી પાલિકાએ હાથ પર લીધી છે. તે પછી ખોડિયાર નગર અને મહાવીર ચાર રસ્તાનાં આઇલેન્ડ તોડી પડાશે એક બાજુ પૂર્વ ચેરમેન ટ્રાફિક આઇલેન્ડ બનાવ્યા તેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી તયારે બીજી બાજુ હાલના ચેરમેન દવારા તોડી પાડવામાં આવ્યા છે સાથે ટ્રાફિક વ્યવસ્થા સ...

છ મહિનાથી આવતા ગંદા પાણીના મુદ્દે રહીશોનો મોરચો: ગંદા પાણીની બોટલ સાથે મેયરને રજૂઆત

  વડોદરા, તા. 31 મે 2021, સોમવાર વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની ઓફિસની સામેના ભાગમાં આવેલા મારી માતાના ખાંચામાં જ છેલ્લા છ મહિનાથી ગંદુ પાણી અને ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાના મુદ્દે આજે સ્થાનિક રહીશોનો મોરચો કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યો હતો જ્યાં તેઓએ મેયર સમક્ષ રજૂઆત કરી હતી. વડોદરા શહેરના મરી માતા ના ખાંચા સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી ગંદુ પાણી આવતું હોવા અંગે સ્થાનિક રહીશોએ કોંગ્રેસના કોર્પોરેટર વાળુ સુરવે ને કરી હતી જે અંગે કોર્પોરેટર એ જે તે વિભાગના અધિકારીઓને પણ ટૂંકુ પાણી મળે તે માટે રજૂઆત કરી હતી છતાં પણ છ મહિનાનો સમય ગાળો થઈ ગયો છે પરંતુ હજુ પણ ગંદુ પાણી આવતું રહે છે. આ અંગે આજે સ્થાનિક રહીશોએ કોર્પોરેશન ખાતે મોરચો લઇ જઇ ગંદાપાણીની બોટલ ભરીને મેયર સમક્ષ રજૂઆત કરી હતી આ રજૂઆતને સાંભળી તેઓએ વહેલી તકે ગંદાપાણીના પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી ખાતરી આપી હતી. https://ift.tt/3p5kx7k

નવીન અતિથિગૃહ બનાવવા મકરપુરા વિસ્તારમાં 29 મકાન તોડી પાડ્યા

- મકાન તૂટતાં પહેલા અન્ય સ્થળે મકાન હતા લોકોએ ફટાકડા ફોડયા વડોદરા, તા. 31 મે 2021, સોમવાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા મકરપુરા ગામ માં આવેલા ૨૯ જેટલા ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જોકે મકાનો ફાળવ્યા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ તેમની કામગીરીને બિરદાવતા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ અને સર્વે નંબર 139નો વિસ્તારમાં નવીન કોમ્યુનિટી હોલ એટલે કે નવું અતિથિગૃહ બનવા જઈ રહ્યું છે ત્યારે સોમવારે સવારે આ વિસ્તારમાં આવેલા 29 જેટલા ગેરકાયદેસર કાચા-પાકા મકાનો તોડી પાડવાની કામગીરી પાલિકાની દબાણ શાખાની ધીમે હાથ ધરી હતી. કામગીરી દરમિયાન મકરપુરા પોલીસ વીજ કંપની ફાયર વિભાગ અને જમીન માપણી સંપાદનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ મકાન ફાળવ્યા બાદ મકાનો તોડવામાં આવતાં પાલિકાની ડિમોલિશનની કામગીરી ને સ્થાનિકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી વધાવી હતી. ત્રણ જેસીબી મશીન  વડે ડિમોલિશનની કામગીરી પાર પાડવામાં આવી હતી. https://ift.tt/3gcFVUv

તંત્ર ક્યારે જાગશે? લાંછનપુર ગામે 100થી વધુનો ભોગ લેનાર નદીમાં વધુ એક યુવક ડૂબ્યો

વડોદરા, તા. 31 મે 2021, સોમવાર વડોદરા નજીકના સાવલી તાલુકામાં100 થી વધુ યુવક-યુવતીઓ ડૂબ્યા છે તેવા લાંછનપુર ખાતે ગઈકાલે વધુ એક યુવક ડૂબી જતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. લાંછનપુર ખાતે મહીસાગરમાં વારંવાર ડૂબવાના બનાવો બની રહ્યા છે અને વહીવટી તંત્ર માત્ર ચેતવણી આપતા બોર્ડ મૂકીને સંતોષ માની રહ્યું છે. જેના કારણે યુવક-યુવતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા આ સ્થળે પોલીસની હાજરી હોવા છતાં ડૂબવાના બનાવો બની રહ્યા છે. ગઈકાલે રવિવારે પણ અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. આ દરમિયાન મહિસાગરમાં નાહતા યુવક યુવતીઓ માંથી યશવંત ડામોર (p&t કોલોની, હરણી, વડોદરા) નામનો યુવક લાપતા બનતાં તેના મિત્રે જાણ કરી હતી. બનાવના પગલે સાવલી પોલીસે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેતા સવારથી યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. https://ift.tt/2R9c072

વ્યાજના રૂપિયાની ઉઘરાણીમાં ઘરમાં ઘુસી હીરા દલાલ પિતા-પુત્ર પર હુમલો

- પાલમાં રહેતા હીરા દલાલે 90 હજાર 5 ટકાના વ્યાજે લીધા હતા - હીરાના વેપારની સાથે ફાઇનાન્સનો ધંધો કરનારને રૂપિયા ચુકવી દીધા છતા ઉઘરાણી કરતો હતો સુરત, તા. 31 મે 2021, સોમવાર પાલના મણીધારી લક્ઝરીયા કોમ્પ્લેક્ષમાં રહેતા હીરા દલાલના ઘરમાં ઘુસી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી દલાલ અને તેના પુત્રને માર મારનાર વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનો વ્યવસાય કરતા પરેશ ડાહ્યાભાઇ શાહ (ઉ.વ. 45 હાલ રહે. બી/104, મણીધારી લક્ઝરીયા, નિશાલ સર્કલ નજીક, પાલ અને મૂળ રહે. સતલાસણા, તા. ખેરાલું, જિ. મહેસાણા) એ પાંચેક વર્ષ અગાઉ હીરાના વેપારની સાથે ફાઇનાન્સનું કામ કરતા સંદીપ શાહ (રહે. ચંદનવન એપાર્ટમેન્ટ, કૈલાશનગર, મજૂરા ગેટ) પાસેથી 5 ટકાના દરે 90 હજાર વ્યાજે લીધા હતા. પરેશે વ્યાજ સહિત 90 હજાર રૂપિયા બે વર્ષ અગાઉ ચુકવી દીધા હતા.  પરંતુ છેલ્લા એકાદ મહિનાથી સંદીપે વ્યાજ પેટે બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. દરમિયાનમાં ગત રાત્રે સંદીપે ફોન કરી તેના મિત્ર સાથે ઉઘરાણી માટે પરેશના ઘરે ગયો હતો. પરેશે દરવાજો ખોલતા વેંત સંદીપ અને તેના મિત્રએ પરેશને ઢીક-મુક્કીનો માર માર્ય...

વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 3.98 લાખ નાગરિકોએ કોરોનાની રસી મુકાવી

- વડોદરા શહેર 18થી 44 વર્ષના 2,37,390 લોકોએ રસી લઇ લીધી   વડોદરા, તા. 31 મે 2021, સોમવાપ વિશ્વવ્યાપી કોવીડ-19 મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન વડોદરા શહેર અને જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે.  જિલ્લા આરોગ્ય તંત્ર  દ્વારા હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ વડોદરા  જિલ્લામાં અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, 45 થી 59અને 60 વર્ષથી વધુ ઉંમરના કુલ 3,98,114 નાગરિકોએ રસી લઇ  કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.  જિલ્લામાં  કાલે સાંજ સુધીમાં 2797 નાગરિકોને  કોરોના રસીનો  ડોઝ આપવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લામાં  અત્યાર સુધી  22,971આરોગ્ય કોરોના વોરિયર, 26,825 ફ્રન્ટ  લાઈન કોરોના વોરિયર, 45 થી 59 વર્ષના 1,92,516 નાગરિકો અને 60 થી વધુ ઉંમરના 1,55,802 નાગરિકોને  કોરોના રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 3,14,088 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ તેમજ 84,026 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં 9,20,906ના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 5,99, 5...

મહિનાઓ બાદ કચ્છમાં કોરોનાથી એક પણ મોત નહિં, કેસો ઘટીને ૩૬

ભુજ,રવિવાર કચ્છ જિલ્લામાં અંદાજે બે માસ બાદ પ્રાથમ વખત એવુ બન્યુ છે કે, કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નાથી. જે કચછવાસીઓ માટે મોટા રાહતના સમાચાર છે. તો વળી, કેસો ઘટીને ૩૬ પહોંચતા લોકોના મનમાંથી કોરોનાનો ડર ઓછો થઈ રહ્યો છે.  કચ્છમાં કોરોનાના આજે સાવ ૩૬ કેસો નોંધાયા હતા. દિવસો પછી કેસો સાવ ઘટયા હતા. એટલુ જ નહિં, આજે અંદાજે બે મહિનાના લાંબા સમયગાળા બાદ કોરોનાથી એક પણ દર્દીએ જીવ ગુમાવ્યો ન હતો. આજે નોંધાયેલા ૩૬ કેસો પૈકી અબડાસા તાલુકામાં ૫, અંજાર તાલુકામાં ૨, ભચાઉ શહેરમાં ૧, ગ્રામિણ વિસ્તારમાં ૨, ભુજ શહેરમાં ૩ અને ગ્રામિણ વિસ્તારમાં ૪, ગાંધીધામ શહેરમાં ૩, ગ્રામિણમાં ૧, માંડવી શહેરમાં ૧, ગ્રામિણમાં ૩, મુંદરા શહેરમાં ૨, ગ્રામિણમાં ૧, નખત્રાણા તાલુકામાં ૩ અને રાપર તાલુકામાં ૫ એમ શહેરી વિસ્તારમાં ૧૦ અને ગ્રામિણ વિસ્તારમાં ૨૬ કેસો મળીને આજે ૩૬ કેસો નોંધાયા હતા.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો ઘટવા માંડયા છે જેમાં ગ્રામિણ વિસ્તારમાં હજુ કોરોનાના કેસો બતાવે છે. એકટીવ કેસો ઘટીને ૨૬૭૯ થયા છે. કુલ કેસોનો આંક ૧૨૨૮૦ થયો છે. દરમિયાન આજે ૧૭૮ દર્દીઓ સાજા થયા હતા. લખપત તાલુકામાં આજે એક પણ કેસ ...

છેલ્લા ૮ મહિનામાં આડેસરમાં અધધ રૃ.૨.૯૩ કરોડનો દારૃ પકડી પડાયો

ભુજ,રવિવાર પૂર્વ કચ્છ ના પ્રવેશદ્વાર એટલે રાપર તાલુકા નું આડેસર ગામ. આ આડેસર ને ઉતર ભારત ના અનેક રાજ્યો નો વાહન વ્યવહાર સાથે નિશબત છે જેમાં રાજસૃથાન મધ્ય પ્રદેશ હરિયાણા પંજાબ દિલ્હી ઉત્તર પ્રદેશ સહિત ના અનેક રાજ્યોમાં થી કંડલા પોર્ટ. મુન્દ્રા અદાણી પોર્ટ તેમજ અન્ય અનેક કંપનીઓ મા માલ પરિવહન ની આવજાવ થાય છે એટલે માલ સામાન સાથે દારૃ  અને અન્ય બે નંબરીયા માલ સામાન ની હેરફેર થાય તે સ્વાભાવિક છે અને આ માટે પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના આ પોલીસ માથક હેઠળ પોલીસ માથકે થી પાંચ કિ.મી દૂર ચેક પોસ્ટ બનાવવા મા આવી છે પરંતુ રાજ્યના પોલીસ વડા એ આ ચેક પોસ્ટ નાબુદ કરવા નો હુકમ કર્યો છે ત્યારે આડેસર પોલીસ દ્વારા વાહન દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવે છે  આ ચેકિંગ દરમિયાન છેલ્લા આઠ માસમાં આડેસર પોલીસ દ્વારા રાજસૃથાન, હરિયાણા તેમજ અન્ય પ્રાંતાથી કચ્છમાં ઘુસાડવાનો હતો તેવો પાંચેક કરોડનો દારૃ ઝડપી પાડવામાં આવેલ છે.  બોર્ડર રેન્જના આઇજી જે. આર. મોથાલીયા પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ભચાઉ પોલીસ ડીવીઝન ના નાયબ અિધક્ષક કે જી. ઝાલા રાપર સીપીઆઇ એમ એમ જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ આડેસરના  પ...

કોરોના અંકુશમાં, સૌરાષ્ટ્રમાં 536 નવા કેસ - 16 નાં મોત

- રાજકોટમાં મૃત્યુઆંક ઘટીને ૩ થયો - ૧૧૪ નવા કેસ, જામનગરમાં  કોરોના  કાબુમાં , ૭૧ કેસ - ૧ર મોત, જૂનાગઢમાં હજુ ત્રણ આંકડામાં કેસનો આંક ૧૦૮, પોરબંદર ૭પ કેસ  રાજકોટ સૌરાષ્ટ્રમાં કોરોનાનાં સરકારી આંકડા સામે આવી રહયા છે તેના પરથી એવો અંદાજ લગાવી શકાય કે કોરોના હવે અંકુશમાં આવી રહયો છે જો કે લોકો બેફિકર રહે અને કોરોના વિરોધી રસી નહિ મુકાવે તો ત્રણ - ચાર મહિના બાદ ત્રીજી ઘાતક લહેરનો સામનો કરવો પડશે તેવી ભીતી છે. હજારો  લોકોનો ભાોગ  લેવાયા બાદ ગત ફેબુ્રઆરી જેવી એટલ કે ચૂંટણી પહેલાની ફરી  નિયંત્રણની સ્થિતિ આવી રહી છે. દરમિયાન રાજકોટમાં કેસમાં સામાન્ય ઘટાડા સાથે સૌરાષ્ટ્રમાં આજે પ૩૬ નવા કેસ નોંધાયા હતા જયારે ૧૬ દર્દીનાં મોત થયા છે. જો કે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં હજુ પોઝીટીવ કેસનો આંક ત્રણ આંકડામાં આવી રહયો છે તે ચિંતાજનક છે.  રાજકોટ શહેરમાં ગઈકાલે ૧ર૬ કેસ નોંધાયા બાદ આજે સામાન્ય ઘટાડો થયો હતો અને કેસ ૧૧૪ નોંધાયા છે પરંતુ મૃત્યુઆંક મહિનાઓ બાદ ૩ નો આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. બીજી લહેરમાં કોરોના પીક પર ગયા બાદ પહેલીવાર શહેર અને જિલ્લાની હોસ્પિટલમાં મળ...

ખેડૂત યુવાનને લાકડીથી બેફામ માર મારી 4 શખ્સોએ કરેલી હત્યા

ખંભાળિયા ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૦ વર્ષીય હરેશભાઈ ગોરધનભાઈ જાવીયા  નામના  યુવાનની ગત રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ લાકડી વડે બેફામ માર મારીને હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તાલુકાના નવાગામ ખાતે રહેતો હરેશ જાવિયા ગત રાત્રીના આશરે સાડા બારેક વાગ્યે પોતાના મકાનમાં સુતો હતો ત્યારેે મોઢે બુકાની બાંધીને ચાર અજાણ્યા શખ્સો લાકડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ વાડીમાં જ રહેતા અને તલના ઢગલા પર સૂઈ રહેલા હરેશભાઈના ભાગીયા પરપ્રાંતીય યુવાન રાધુભાઈ શંભુભાઈના ગળા પર એક શખ્સે લાકડી દબાવી, તેને તથા તેના સંબંધીઓને મારી નાખવાની ધમકી આપી, નજીકમાં સૂતેલા હરેશભાઈ જાવિયા પાસે પહોંચી ગયા હતા અને હરેશભાઈ કાંઈ પણ પ્રતિકાર કરે તે પૂર્વે અન્ય ત્રણ શખ્સો તેમના પર તૂટી પડયા હતા. આરોપી શખ્સોએ હરેશભાઈને માથાના ભાગે તથા હાથ અને પગ સહિતના શરીરના જુદા-જુદા ભાગો ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડતા લોહીલુહાણ હાલતમાં તેઓ આ સ્થળે ફસડાઈ પડયા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. આ કરપીણ હત્યા નિપજાવી હત્યારા અંધારામાં ઓગળી ગયા હતા. આ બનાવ બનતા અહીંના ડીવ...

આનંદનગરમાં સ્પા ખુલ્લું રાખી જાહેરનામાનો ભંગ કરાતા ગુનો દાખલ

અમદાવાદ, રવીવાર આનંદનગરમાં દેવઓરમ બિલ્ડીંગમાં ન્યુ એરીસ્ટા વેલ સ્પા નામનું સ્પા ખુલ્લુ હોવાની માહિતીને આધારે આનંદનગર પોલીસે અહીં દરોડો પાડયો હતો. સ્પામાં હાજર બે મહિલાઓએ સ્પાના માલિક અને મેઘાણીનગરમાં રહેતા અશોક કે.પટેલના કહેવાથી સ્પા ચાલુ રાખ્યું હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. https://ift.tt/3i4lZW8

પેસેન્જરોનો કિંમતી સામાન ચોરી કરતા ૪ ઝડપાયા ઃ ૧૨ લાખનો મુદ્દામાલ કબજેે

અમદાવાદ, રવીવાર બસ સ્ટેન્ડ પર સામાન લઈને ઉભા રહેલાઓને પેસેન્જર તરીકે કાર અને રિક્ષામાં બેસાડીને તેમનો કિંમતી સામાન અને રોકડ રકમી ચોરી કરતી ગેંગના ચાર શખ્સોની ક્રાઈમ બ્રાંચે અટક કરી છે. તેમની પાસેથી પોલીસે ૧૯ ડાયમંડ, કાર અને રિક્ષા મળીને ૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.  પેસેન્જરોને કાર અને રિક્ષામાં બેસાડીને તેમના કિંમતી સામાનની ચોરી કરતી ગેગ સક્રિય હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચને મલી હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરીને ઈકો કાર અને રિક્ષામાં બીબી તળાવથી સૈયદવાડી તરફ જઈ રહેલા ચાર શખ્સોની અટક કરી હતી. જેમાં વટવાના દિનકરસિંગ બી.રાજપુત(૨૮), સરખેજના મહંમદનવાઝ ઉર્ફે સલમાન એમ.શેખ(૩૦), વટવાના ઝાકીરહુસેન ઉર્ફે બાબા ઉર્ફે પિન્ટુ એલ.સૈયદ(૫૧) અને અસરફ ઉર્ફે મુન્ના એમ.શેખ(૪૦)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસે રૃ.૭,૦૦૦ની કિંમતના ૧૯ ડાયમંડ, ઈકો કાર અને રિક્ષા કબજે કર્યા હતા. આરોપીઓએ ઉંઝા સર્કલ પાસેથી એક વ્યક્તિને પેસેન્જર તરીકે ઈકો કારમાં બેસાડીને તેના તેલામાંથી ત્રણ પર્સની ચોરી કરી હતી. તે સિવાયકાલુપુરમાં પેસેન્જરના રૃ.૯૫,૦૦૦, એક્સપ્રેસ હાઈવે પર પેસેન્જર પાસેથી રૃ.૭૪,૦૦૦ની ચોરી કરી હત...

બારડોલીના ઉમરાખ ગામના ડાયમંડ વર્કરનાં ફેફસામાં ૭૫ ટકા કોરોના સંક્રમણ, છતા કોરોનાને હરાવ્યો

બારડોલી, 30 મે 2021 રવિવાર સુરત સ્થાનિક પ્રશાસને કોરોનાની બીજી લહેર સામે ટ્રેસીંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટના ૩-ટી ના મંત્ર સાથે કરેલી આરોગ્ય કામગીરીના કારણે કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથોસાથ અનેક દર્દીઓ સારવાર લઈ કોરોનાને મ્હાત આપવામાં સફળ થઇ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં ૫૩ દિવસની લાંબી સારવાર બાદ બારડોલીના ઉમરાખ ગામના અને કોમ્પ્યુટર પર ડાયમંડ વર્કનું કામ કરતાં ૩૦ વર્ષીય આકાશ અશોકભાઈ પટેલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. આકાશ પટેલ જણાવે છે કે, ‘તા.૬ એપ્રિલના રોજ ખાંસી,શરદી, તાવ અને શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા પરિવારના સભ્યોએ મને સ્મીમેર હોસ્પિટલ ખાતે દાખલ કર્યો. જયાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો અને મને ફેફસામાં ૭૦ થી ૭૫ ટકા કોરોનાનું સંક્રમણ હતું. ડર હતો કે બચી શકીશ કે કેમ?.  કોરોના સંક્રમણને લીધે હૃદયમાં પાણી ભરાઇ ગયું હતું. ઓક્સિજન લેવલ ૮૦ થી ૮૫ ટકા હતું. જેના કારણે ૬ દિવસ સુધી બાયપેપ પર તથા તા.૧૧ મી એપ્રિલ બાદ તબિયતમાં સુધારો જણાતા ૧૫ લિટર ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો. ધીરે ધીરે તબિયતમાં સુધારો આવતો ગયો. તા.૨૬ મેના રોજ મને નોર્મલ રૂમ એર પર રાખવામાં આવ્યા ત્યારબાદ ત...

કોરોનાના દર્દીએ મેડીક્લેમ માટે ઈન્સ્યોરન્સ કંપનીમાં ખોટા દસ્તાવેજ રજુ કર્યા

અમદાવાદ, રવીવાર કોરોનાના દર્દીને તેના ઓળખીતા ડોક્ટરે દવા લખી આપીને ઘરે જ સારવાર કરવા જણાવ્યું હતું. પરંતુ દર્દીએ મેડીક્લેમ મંંજુર કરાવવા માટે ડોક્ટરની હોસ્પિટલમાં સારવાર લીધી હોવાના ખોટા દસ્તાવેજ ઈન્સ્યોરન્સ કંપનીમાં રજુ કરીને છેતરુિંડી કરી હતી. જેને પગલે ડોક્ટરે તેની વિરૃધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. બોડકદેવમાં શીતલ પ્લાઝા ખાતે રહેતા ડો.ભાવેશભાઈ ડી.ઓઝા(૪૨) સેટેલાઈટમાં અક્ષરજ્યોત કોમ્પ્લેક્સ ખાતે શિવમ હોસ્પિટલ ધરાવે છે. તેમની હોસ્પિટલની બાજુમાં ટ્રેલરની દુકાન ધરાવતા સીવાભાઈ સી.પરમાર અવારનવાર તેમની હોસ્પિટલમાં દવા લેવા માટે આવતા હોવાથી ભાવેશભાઈ તેમને ઓળખતા હતા. ૨૬ માર્ચ ૨૦૨૧ના રોજ શીવાભાઈ બિમાર થતા ભાવેશભાઈની હોસ્પિટલમાં દવા લેવા આવતા તેમનો ટેસ્ટ કરાવાતા તેમને કોરોના પોઝીટીવ આવ્યો હતો. શીવાભાઈએ ભાવેશભાઈને તેમની હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યુંહતું. જોકે ડો. ભાવેશભાઈએ તેમને તબિયત સારી હોવાથી ઘરે રહેવાની સલાહ આપી  જરૃરી દવા આપી હતી. દરમિયાન ૪ મેના રોજ આઈ.સી.આઈ.સી.આી.લોમ્બાર્ડ કંપનીના કર્મચારી તેજસભાઈ વેરીફિકેશન કરવા હોસ્પિટલ આવ્યા હતા અને ભાવેશભાઈન...

મ્યુકરમાયકોસિસ થયો હોવાના ડરથી પાલડીમાં ૮૦ વર્ષના વૃધ્ધનો આપઘાત

અમદાવાદ, રવીવાર થોડા મહિના પહેલા જ કોરોના સંક્રમિત થયેલા અને પાલડીમાં રહેતા ૮૦ વર્ષના વૃધ્ધે પોતાના ફ્લેટના ટેરેસ પર જઈને દવા પી લઈને આપઘાત કર્યો હતો. તેમણે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેમને મ્યુકરમાયકોસિસ થયો છે અને મોઢામાં સભેદ ફંગસ ચાંદા પડયા છે. જેની સારવાર શક્ય લાગતી નથી માટે હું મારા દેહનો સ્વેચ્છાએ ત્યાગ કરૃ છું. પાલડી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ બનાવની વિગત મુજબ પાલડીમાં નારાયણનગર રોડ પર અમન એપાર્ટમેન્ટ વિશ્વકુંજ સોસાયટી ખાતે નિંજનભાઈ ગરમાનભાઈ પટેલ(૮૦) તેમના પત્ની સાથે રહેતા હતા. તેમનો એક દિકરો અમેરિકા છે જ્યારે બીજો દિકરો મુંબઈ રહે છે. ચાર મહિના પહેલા તેમને કોરોના થયો હતો. તે સિવાય તેમને ડાયાબિટીશનીપણ બિમારી હતી. મોઢામાં ચાંદા પડતા તેમને મ્યુકર માયકોસિસ થયો હોવાનું લાગ્યુંહતું. જેને કારણે તેમણે ૨૭ મે ૨૦૨૧ના રોજ સાંજે તેમના ફ્લેટના ટેરેસ પર જઈને ધેરી દવા પી લીધી હતી.સારવાર માટે તેમને પાલડીની હ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન ૨૯ મે ૨૦૨૧ના રોજ સવારે તેમનું મૃત્યુ નીપજ્યુ હતું. ઘટનાસ્થળેથી પાલડી પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેને આ...

Gujarat Corona cases: રાજ્યમાં 2 હજારથી ઓછા નવા કેસ નોંધાયા,  5 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

<p>ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1871 &nbsp; નવા કેસ નોંધાયા છે અને 25 &nbsp;દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815 &nbsp;પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>રાજ્યમાં અત્યાર સુધી 7,62,270 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 35403 પર પહોંચ્યો છે. જેમાંથી 521 દર્દી વેન્ટિલેટર પર અને 34882 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.40 &nbsp;ટકા છે. &nbsp;</p>

દેશલપર-નલિયા હાઇવે ઉપર ગમે ત્યાં પાર્ક થતાં મોટા ટ્રેલરો

 આણંદપર(યક્ષ)તા.૨૯ કચ્છના વગડા(જંગલ)માં દેશી ખેર,દેશી બાવળિયો,ખારી-મીઠી જાર સહિતના અનેક ઘણા વૃક્ષો જોવા મળતા હતા.જયારાથી કચ્છમાં પવન ચક્કીઓ એ પગ પેસારો કર્યો છે.ત્યારાથી આવી નીલી ઝાડીઓનો સોથ વળી ગયો છે.સાથે વગડાઓમાં નાના મોટા તળાવો હતા તે પણ આ પવનચક્કીઓના કારણે લુપ્ત થઈ ગયા છે.વગડાઓ(જંગલ)માં જયાં જુવો ત્યાં પવનચક્કીઓ તેમજ વિજ ટાવર જોવા મળી રહ્યા છે.જે જંગલો એક દિવસ હરિયાળી ઝાડીઓાથી શોભતો હતો જે આજે પવનચક્કીઓ અને વીજ ટાવરાથી શોભી રહ્યો છે.જંગલોને ભરડો લીધા બાદ હવે રોડને પવનચક્કીઓના સાધન ભરેલા મોટા ટ્રેલરો ભરડો લઈ રહ્યા છે. હાઈવે પર જયાં થોડી ઘણી જગ્યા દેખાય એટલે આ પવનચક્કીઓના સાધનો લઈ જતા મોટા મહાકાય ટ્રેલરો રસ્તાની સાઈડમાં તેમજ રોડપર ઉભા રાખી દેવામાં આવે છે.આમ બને સાઈડમાં આવા મહાકાય ટ્રેલરોને ખડકી દેવામાં આવતા એક તો રોડની જગ્યા સાંકડી થઈ જાય છે.તેમજ લાંબા મહાકાય ટ્રેલરો હોવાથી તેમજ ગોલાઈ પર રાખવાથી સામેાથી આવતા વાહનો પણ નાથી દેખાતા આમ થવાથી ક્યારેક નાના મોટા અકસ્માત થવાનો પણ ભય રહેલો હોય છે. દેશલપર નલિયા હાઇવેપર આવેલ મંગવાણા ચોકડી પાસે આજે ત્રણ દિવસ થયા પવનચક્કીઓના સર-સમાન લઈ ...

કોરોનાના ઘટતા કેસો વચ્ચે કચ્છમાં વધુ બે ના મોત

ભુજ,શનિવાર કચ્છ જિલ્લામાં એક તરફ કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને દર્દીઓ સાજા થવાની સંખ્યા વાધી રહી છે તેવામાં મોતનો પ્રમાણ હજુ પણ જારી છે. આજે પણ કોરોના બે વ્યકિતઓને ભરખી ગયો હતો. તો બીજીતરફ કેસો ઘટી ગયા હોવાની ચર્ચા વચ્ચે બજારમાં નાસ્તા સહિતના અમુક ધંધાઓ મોડી સાંજ સુાધી ધમાધમતા હોય છે. ભુજમાં રોજના સંખ્યાબધૃધ કેસો નોંધાતા હતા તેવામાં આજે ભુજ અને ગાંધીધામ શહેરમાં માત્ર એક-એક કેસ નોંધાયા હતા જો કે, ભુજ તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં ૭ કેસ નોંધાયા હતા.  આજે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં અબડાસા તાલુકામાં ૩, અંજાર તાલુકામાં ૭, ભચાઉ શહેર-તાલુકામાં ૧-૧, ગાંધીધામ તાલુકામાં ૬, લખપત તાલુકામાં ૧, માંડવી શહેરમાં ૨, ગ્રામિણમાં ૪, મુંદરા તાલુકામાં ૧, નખત્રાણા તાલુકામાં ૪, રાપર શહેરમાં ૧ અને ગ્રામિણ વિસ્તારમાં ૪ એમ શહેરી વિસ્તારમાં ૬ અને ગ્રામિણ વિસ્તારમાં ૩૮ કેસો નોંધાયા હતા. એકટીવ પોઝીટીવ કેસો ૨૮૨૧ મળી કુલ ૧૨૨૪૪ કેસો થયા છે. આજના બે મોત સાથે રેકર્ડ પર ૨૭૫ મોત નોંધાયા છે. આજ સુાધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૯૩૧૧ થઈ છે.  દરમિયાન કેસો ઘટી રહ્યા  છે એમ માનીને લોકો બેદરકાર બનીને બહાર ઘુમી ર...

વડોદરા: નવાયાર્ડમાં કર્ફ્યુ દરમિયાન લગ્ન પ્રસંગની ઉજવણી, ગીતો પર ટોળાનો ડાન્સ:પાંચ પકડાયા

વડોદરા,તા,29 મે 2021.શનિવાર વડોદરામાં કર્ફ્યુ દરમિયાન પોલીસ કમિશનરના જાહેરનામાનો સદંતર ભંગ કરી લગ્ન પ્રસંગની ઉજવણી માટે સાઉન્ડ સિસ્ટમ પર મોડી રાતે ડાન્સ કરી રહેલા યુવકોને પોલીસે અટકાવી પાંચની અટકાયત કરી હતી. ફતેગંજ પોલીસની ટીમ મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન નવાયાર્ડ વિસ્તારમાં ફૂલવાળી ચાર રસ્તા નજીક સાઉન્ડ સિસ્ટમ પર ગીતોનો મોટેથી અવાજ આવતો હતો અને કેટલાક યુવકો ડાન્સ કરી રહ્યા હોવાની વિગતો મળતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે લગ્ન પ્રસંગની ઉજવણી દરમિયાન કર્ફ્યુ હોવા છતાં કેટલાક લોકો નાચગાન કરી રહ્યા હતા. તેમણે માસ્ક પણ પહેયૉ ન હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું ન હતું. પ્રાથમિક પૂછપરછમાં લગ્ન પ્રસંગ હોવાના કારણે નાચગાન ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઉપરોક્ત સ્થળે થી પાંચ ની અટકાયત કરી હતી. જેમાં(1) મહંમદ અનસ મીરખાન પઠાણ (2) હર્ષ દિલીપભાઈ પરમાર (3) ઇમરાન ઉર્ફે દરબાર ઈબ્રાહમ રાઠોડ (4) જાકીર ઉર્ફે કાલુ દિલીપ ભાઈ રાઠોડ અને (5) ફૈઝલ અહેમદ ખાન પઠાણ (તમામ રહે નવાયાર્ડ )નો સમાવેશ થાય છે. https://ift.tt/3vzN1bM

વડોદરામાં રૂપારેલ વરસાદી કાંસ ઉપર સ્લેબ બાંધીને બંધ કરી દેવા માગણી

- વરસાદી કાંસ ખુલ્લો હોવાથી મચ્છરો અને જીવજંતુઓનો ત્રાસ - ચોમાસામાં પાણી છલોછલ ભરેલું હોવાથી જોખમી બને છે વડોદરા,તા,29 મે 2021,શનિવાર વડોદરા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્ત્વના ત્રણ વરસાદી કાંસમાંથી રૂપારેલ વરસાદી કાંસ ઓપન હોવાથી જીવ જંતુ અને મચ્છરોનો ત્રાસ ફેલાવે છે, તેમજ ચોમાસામાં લોકો માટે જોખમી બની જતો હોવાથી તેના પર સિમેન્ટનો પાકો સ્લેબ બાંધવાની રજૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેરમાં વરસાદી કાંસ આવેલા છે, એ ખરેખર ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટેના છે. વડોદરાના દક્ષિણ અને પૂર્વ વિસ્તારના મહત્ત્વના વરસાદી કાંસ રૂપારેલમાં 30 વર્ષ અગાઉ ગટર લાઈન જોડી દેવામાં આવી છે. ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએજ પંપિંગ સ્ટેશનનું પાણી પણ આ વરસાદી કાંસમાં છોડવામાં આવે છે. જેના લીધે ગાજરાવાડી થી તરસાલી બાયપાસ સુધીના સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે. કોર્પોરેશનમાં બજેટ ની મિટિંગ હતી ત્યારે એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં રૂપારેલ વરસાદી કાંસ સિમેન્ટના સ્લેબથી બંધ કરી દેવાની માગણી હતી. ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશનથી શરૂ કરીને પસાર થતાં આ વરસાદી કાંસમાં ગટરનું પાણી છોડવાના કારણે આસ...

રૂ.1,000 ચાર્જ લેવાના મામલે વિવાદ થતા મ્યુનિ.એ પોતાનું નામ પાછું ખેંચી લીધું

GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ-થૂ્ર વેક્સિનેશન મુદ્દે એપોલો હોસ્પિટલમાં રૂ.850/- માં મળતી રસીના રૂ.1000 લેવાતા વિરોધ થયો એટલે મ્યુનિ.એ યુ ટર્ન માર્યો અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.એ એપોલો હોસ્પિટલ સાથે પીપીપી ધોરણે GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ-થુ્ર વેક્સિન રૂા. 1000માં આપવાનું નક્કી કર્યા બાદ ઉગ્ર વિવાદ થતાં મ્યુનિ.એ ચુપચાપ પોતાનું નામ પાછું ખેંચી યુ ટર્ન માર્યો હતો. જેના કારણોસર સરકાર માટે પણ શરમજનક સ્થિતિ ઉભી થઈ હતી. દરમ્યાનમાં મેયર- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરેને પણ આ નિર્ણય લેતી વખતે સાથે રાખ્યા નહીં હોવાથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમ્યાન ચેરમેને આ અંગે નારાજગી સાથે પૃચ્છા કરી હતી, જે અંગે અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી. દરમ્યાનમાં અન્ય હોસ્પિટલોને પણ આ પ્રકારની કામગીરી શરૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહેલ છે, જેથી એપોલોની તરફદારી કરવા જતાં ઉભો થયેલો વિવાદ થાળે પડી જાય. વિવાદના પાયામાં બે બાબતો મુખ્ય : (1) સરકારી ફ્રી રસી માટેની ઓનલાઇન અને વેચાતી રસી માટે સ્પોટ - જગ્યા પર જ રજીસ્ટ્રેશન શા માટે ? રૂપિયા ખર્ચે છે માટે વધારાની સવલત આપવામાં આવે છે ? (2) હોસ્પિટલ ઉપર જે રસી રૂા. 850માં આપવામાં આ...