- સિહોરની ટાણા ચોકડી નજીકથી પોલીસે ટ્રક આંતર્યો - વલ્લભીપૂર, પાલીતાણાના ત્રણ શખ્સની અટકાયત, પશુઓના જીવ બચાવી પાંજળાપોળ છોડી મુકાયા ભાવનગર : સિહોર પોલીસે ટાણા ચોકડી પાસે મળેલ બાતમી આધારે વોચ ગોઢવી અબોલ પશુને ક્રુરતાપુર્વક પાસ પરમીટ વિના ધાસચારા કે પાણીની સવલત વિના ટ્રકમાં ગોંધીને લઈ જતા વલ્લભીપુર, પાલીતાણાના ત્રણ શખ્સને ઝડપી પાડી ૧૧ અબોલ પશુને પાંજરાપોળ મુકવાની વ્યવસ્થા હાથ ધરી શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસ ગત રાત્રીના નાઈટ પેટ્રોલીંગમાં હતી તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, અબોલ પશુને ગોંધી રાખી ટ્રક પસાર થઈ રહ્યો છે. જે હકીકત આધારે ટાણા ચોકડી પાસે વોચ ગોઠવતા રાત્રીના ૧૦.૦૦ કલાકના અરસા દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતા ટ્રક નંબર જીજે.૧૩.વી.૫૭૮૨ને અટકાવી તલાશી લેતા ટ્રકના થાપડામાં ધાસચારા કે પાણીની સવલત વિના પાસ પરમીટ વગર ક્રુરતાપુર્વક દયનીય હાલતે રખાયેલ ૧૦ ભેંસ અને એક પાડો મળી કુલ ૧૧ અબોલ પશુ મળી આવતા સિહોર પોલીસે ટ્રક સાથે રહેલ ચાલક મજીદ વલીભાઈ તરકવાડીયા ( રે. કાટકીવાજ, વલ્લભીપુર ), આરીફ હબીભાઈ લાખાણી અને ઈરફાન સતારભાઈ લાખાણી ( રે. બ...