Skip to main content

Posts

Showing posts from November, 2021

સુરેન્દ્રનગર શહેરમાં ગાંજા સાથે મહિલા બીજીવાર ઝડપાઈ ગઈ

- એસઓજીની ટીમે મફતિયાપરામાં રહેતી મહિલાને ગાંજાની 19 પડીકીઓ સાથે પકડી સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમ પાંચ હનુમાન પાસે મફતીયાપરામાં રહેતી મહિલા ગાંજાનું ગેરકાયદે વેચાણ કરવાના ગુનામાં બીજીવાર એસ.ઓ.જી પોલીસના હાથે ઝડપાઈ ગયેલ છે. એસ.ઓ.જી. પી.આઈ. વી.વી. ત્રિવેદીએ સ્ટાફ સાથે બાતમીના આધારે પાંચ હનુમાન પાસે મફતીયાપરામાં દરોડો પાડયો હતો. દરોડામાં પોલીસે નિલુબેન અબ્દુલભાઈ સૈયાદ નામની ૩૫ વર્ષની મહિલાને ગેરકાયદે ગાંજાનુ વેચાણ કરતા ઝડપી લીધી હતી. તેની પાસેથી રૂા.૫૭૦૦ની કિંમતની ૯૫૦ ગ્રામ ગાંજાની ૧૯ પડીકીઓ કબજે કરવામાં આવી હતી પોલીસે ગાંજા ઉપરાંત સ્કુટર સહિત કુલ રૂા.૮૫૭૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો પોલીસના જણાવ્યા બુજ આ મહિલા અગાઉ ૮ કિલો ૨૧૯ગ્રામ ગાંજો કિં.રૂ.૪૯૩૧૪ સાથે ઝડપાઈ હતી. સુરેન્દ્રનગર સીટી એડીવીજન પોલીસમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. https://ift.tt/3lm7CgJ

સુરેન્દ્રનગરમાં 120 નિવાસી અને જૂનિયર તબીબોના પ્રતિક ધરણાં

- તબીબોના પ્રતિક ધરણાથી આરોગ્ય સેવા પર અસર - નીટ અને પી.જી.ની કાઉન્સીલીંગ પ્રક્રિયા પાછી ઠેલાતા કામનુ ભારણ વધતા આંદોલનનો માર્ગ અપનાવ્યો સુરેન્દ્રનગર : નીટ-પી.જીનુ કાઉન્સેલીંગ-એડમીશન પ્રક્રિયા પાછળ ઠેલાઈ હોવાથી રેસીડેન્ટ ડોકટરો ઉપર કામનું ભારણ વધતુ જાય છે ત્યારે નારાજ ડોકટરોએ પ્રતિક ધરણા યોજી વિરોધ વ્યકત કર્યો હતો. સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજમાં ૧૨૦ જેટલા રેસીડન્ટ અને જૂનિયર ડોકટરોએ હડતાલ પાડી ધરણા યોજયા હતા. સુપ્રિમકોર્ટમાં કેસના કારણે નીટ પીજીના કાઉન્સેલીંગ, એડમીશન સીહતની પ્રક્રિયા હવે છે જાન્યુઆરી માસમાં હાથ ધરાનાર છે કાઉન્સેલીંગ અટકી પડયુ છે અને કાઉન્સેલીંગ પ્રક્રિયા શરૂ થશે એ પછીની પ્રક્રિયામાં પણ દરેક મહિનો લાગશે. નવા એડમીશન નહી થવાના કારણે સરકારી હોસ્પીટલોમાં કોરોનાના કાળ વખતથી ફરજ બજાવતા વર્તમાન રેસીડેનટ ડોકટરો પર કાર્ય ભારણ વધી ગયુ છે તેથી નારાજ રેસી.ડોકટરોએ પ્રતિક ધરણા યોજી ગુજરાતભરમાં વિરોધ વ્યકત કર્યો હતો જેના અનુસંધાને સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે પણ ૧૨૦ જેટલા જૂ. અને રેસીડેન્ટ ડોકટરોએ હડતાલ પાડી ધરણા યોજ્યા હતા. જો કે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખ...

કતારગામ લેકગાર્ડન નજીક જુના ઝઘડાની અદાવતમાં યુવાનને છરાથી રહેંસી નાંખ્યો

- અગાઉના ઝઘડાનું રૂપિયા લઈ સમાધાન કરી દેવાયું હતું - ભાર્ગવ મારુ અને સાગરીતોએ યુવાનને છરાના ઉપરાછાપરી ઘા ઝીંક્યા : છોડાવવા આવેલા મિત્રને પણ પેટમાં છરો માર્યો : પાંચની અટકાયત સુરત, : સુરતના કતારગામ લેક ગાર્ડન નજીક ખુલ્લા મેદાનમાં ગતસાંજે મિત્ર સાથે બેસેલા સૈયદપુરાના યુવાનને અગાઉ તેના ઘરની સામે જ રહેતા યુવાન અને છ સાગરીતોએ જુના ઝઘડાની અદાવતમાં છરાના પાંચ થી છ ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવાનને છોડાવવા આવેલા મિત્રને પણ તેમણે પેટમાં છરો મારતા તેની પણ હાલત ગંભીર છે. કતારગામ પોલીસે હત્યા અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર ભાર્ગવ મારુ સહિત પાંચની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં સૈયદપુરા રામપુરા પેટ્રોલ પંપ પાસે નાગોરીવાડ ઘર નં.101 માં રહેતા સુનીતાબેન રામનરેશ ગુપ્તાનો પુત્ર મંદિપ તેના મિત્ર અનિકેત ઉર્ફે બાબુ રાકેશભાઇ રાઠોડ સાથે ગતસાંજે ચાર વાગ્યે કતારગામ લેક ગાર્ડન પાસે ખુલ્લા મેદાનમાં બેસેલો હતો ત્યારે અગાઉ તેના જ મહોલ્લામાં રહેતો અને હાલ કતારગામ બહુચરનગરમાં રહેતો ભાર્ગવ મ...

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી

- અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનના પગલે  - વરસાદની સાથે 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાથી ખેડૂતોમાં ઉચાટ સુરેન્દ્રનગર : વિદાય લેતા નવેમ્બરના અંતની સાથે ફરી એકવાર ભર શિયાળે ચોમાસુ માહોલ જામવાની શકયતા છે હવામાન ખાતા દ્વારા આજથી ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સુરેનદ્રનગર જીલ્લામાં પણ માવઠુ થવાની શકયતા છે. હવામાન ખાતાના જણાવ્યા બુજ આજે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ખેડા, આણંદ સહીતના જીલ્લાઓમાં વરસાદ વરસી શકે છે તા ૧ અને ૨ ડિસેમ્બરે પણ વરસાદ થવાની શકયતા છે કયાંક કયાંક ભારેથી અતિભારે વરસાદ થવાની અને ૪૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરવામાં આવી છે સુરેનદ્રનગર જીલ્લા કલેકટર દ્વાાર લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જીલ્લાના ખેડુતોએ પાક સંરક્ષણના જરૂરી પગલા હાથ ધરી સતર્ક રહેવા અપીલ કરી છે ખેડુતોએ પોતાના ઉત્પાદીક થયેલ પાક એટલે કે, ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાળપત્રી ઢાંકીને રાખવી,  એ.પી.એમ.સી. અથવા ખરીદ કેનદ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત પેદાશોને ઢાંકીને લઈ જવી શક...

લગ્ન પ્રસંગમાં બંદૂકથી ફાયરિંગ કરાતા હોબાળો

- હળવદના રાયધ્રા ગામે જાહેરમાં ડબલ બેરલ બંદૂકથી ભડાકા કરાયાનો વીડિયો વાઇરલ થયો - ખુશીના ઉન્માદમાં ભાન ભૂલેલા યુવાનોને પકડવા માટે પોલીસ તંત્ર દોડતું થયું : ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ હથિયારબંધી જાહેર હોવા છતાં ફાયરિંગના બનાવથી ચકચાર મચી  હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે તાજેતરમાં એક લગ્ન પ્રસંગમાં જાહેરમાં ડબલ બેરલ બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જાહેરમાં ફાયરિંગની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં હથિયારબંધી લાગૂ કરવામાં આવી છે. તેવા સમયે ગ્રામ્ય વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગની ઘટનાના વીડિયોથી સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચ્યો હતો. પોલીસે બનાવ અંગે જાણકારી મેળવવાની સાથે સમગ્ર બનાવની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને જાહેરમાનુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે હેઠળ જિલ્લામાં ચૂંટણી પૂર્ણ ના થાય ત્યાં સુધી હથિયારબંધી પણ જાહેર કરવામાં આવી છે. પરવાનાવાળા હથિયાર ધરાવનારા મોટાભાગના લોકોએ પોતાના બંદૂક સહિતના હથિયાર પોલીસમાં જમા કરાવ્યા છે. ...

અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પીઆઇ ડામોરને ડિસમિસ કરાયા

  અમદાવાદ,સોમવાર અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર ડામોરને ડીજીએ ડિસમિસ કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા હતા ત્યારે બંદોબસ્ત દરમિયાન દારુ પીધેલી હાલતમાં પકડાયા હતા. તપાસમાં ચાલું  ફરજ દરમિયાન દારુ પીધેલા હોવાનું જણાઇ આવતા ડીજીએ હુકમ કર્યો આ કેસની વિગત એવી છે કે  અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કે.એ. ડામોરને ગુજરાત પોલીસ વડાએ ડિસમિસ કર્યા હતા. મળતી માહિતી મુજબ તેઓ અગાઉ સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા હતા ત્યારે બંદોબસ્તમાં દારુ પીધેેલી હાલતમાં પકડાયા હતા, જેેની ઇન્કવાયરી ચાલી રહી હતી ખાતાકીય તપાસમાં તેઓ ફરજ દરમિયાન દારુ પીધેલી હાલતમાં હોવાનું જણાઇ આવતાં તેઓને ડિસમિસ કરવાનો ડીજીએ હુકમ કર્યો હતો. અમરાઇવાડી પીઆઇ ડામોરને ડિસમિસ કરતા પોલીસ કમિશનરે  હાલમાં તાત્કાલીક અસરથી  પોલીસ  કન્ટ્રોલ રૃમમાં ફરજ બજાવતા જસ્મીન રોઝિયાને તેમની જગ્યાએ અમરાઇવાડી પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે. https://ift.tt/3xCzulV

દાણીલીમડામાંથી ૪૫૦ કિલો પશુઓના માંસના જથ્થા સાથે ત્રણ આરોપી પકડાયા

અમદાવાદ,સોમવાર અમદાવાદમાં પશુઓેની ચોરી કરીને કતલ કરવાના કિસ્સા વધી રહ્યા છે, દાણીલીમડામાં પોલીસે પશુઓના ૪૫૦ કિલો માંસના જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી પાડીને તેમની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પશુઓની કતલ કરીને ચંડોળા તળાવ તરફથી લોડિંગ રિક્ષામાં પશુ માંસ ભરીને જતા હતા પોલીસે રંગે હાથ  ઝડપી  પાડયા   આ કેસની વિગત એવી છે કે દાણીલીમડા પોલીસેને જીવદયા પ્રેમીઓ દ્વારા બાતમી મળી હતી કે ચંડોળા તળાવ તરફથી પશુઓના માંસ લઇને લોડિંગ રિક્ષા આવી રહી છે, બીજીતરફ જીવદયા પ્રેમીઓએ પણ રિક્ષાનો પીછો કર્યો હતો અને પોલીસની મદદથી રિક્ષાને દાણીલીમડા ચાર રસ્તા પાસે ગંજ શહીદ કબ્રસ્તાન પાસે રોકી હતી અને અંદર તપાસ કરતાં રૃા. ૪૫,૦૦૦ની કિંમતનું ૪૫૦ કિલો પશુઓનું માંસ મળી આવ્યું હતું.  દાણીલીમડા પોલીસે  નુરાની મહોલ્લા  અલ્લાહનગર દાણીલીમડા ખાતે રહેતા જમીર રહીમભાઇ શેખ તથા ગોલ્ડન પાર્ક, હલીમનગરની બાજુમાં વટવા ખાતે રહેતા મોહંમદ અરબાઝ કુરેશી અને રહેમાની મહોલ્લા બહેરામપુરા ખાતે રહેતા સમીર સબ્બરભાઇ સૈયદની ધરપકડ કરીને તેમની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ...

રામોલ ટોલનાકા પાસે અચાનક બ્રેક મારતા મોપેડ ચાલક યુવકનું કરુણ મોત

  અમદાવાદ,સોમવાર વાહન ચાલકની બેદરકારીના કારણે પૂર્વ વિસ્તાર અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે,  વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો યુવક જશોદાનગર જઇને આવું છું કહીને ગયો હતો દરમિયાન રામોલ ટોકનાકા પાસે મોેપેડને અચાનક બ્રેક મારતાં જમીન ઉપર પટકાવાથી મોતને ભેટ્યો હતો. જશોદાનગર જઇને આવું કહીને યુવક ઘરેથી ગયો હતો  ઃ  એક કલાકમાં એકના એક પુત્રના મોતના સમાચારથી વિધવા માતા શોકમાં ગરકાવ આ કેસની વિગત એવી છે કે  વસ્ત્રાલ વિસ્તારમાં એસ.પી.રિંગરોડ ઉપર આર.એ.એફ. કેમ્પની સામે બ્લ્યું આઇરીસ ફ્લેટમાં રહેતા વૈશાખભાઇ શ્રીકુમાર  નંલોધીરી ( ઉ.વ.૨૮)નામનો યુવક ગઇકાલે સાંજે ૫.૩૦ વાગે જશોદાનગર જવાનું કહીને ઘરે નીકળ્યો હતો દરમિયાન વસ્ત્રાલથી રામોલ તરફ જતો હતો અને ટોલનાકા નજીક મઢુલી ચાલીની કીટલી પાસે મોપેડને અચાનક બ્રેક મારતાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં યુવક વાહન સાથે રોડ  ઉપર  પટકાયો હતો માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોધી તપાસ કરતાં મૃતક યુવક  વિધવા માતાનો એક નો એક પુત્ર હતો. ઉલ્લેખનીય છે...

ગોમતીપુરમાં પાણીની ટાંકીમાંથી વૃધ્ધની લાશ મળી ઃ હત્યા કે આત્મહત્યા ઘુંટાતુ રહસ્ય

અમદાવાદ,સોમવાર ગોમતીપુર વિસ્તારમાં જીવરામ ભટ્ટની ચાલીમાં અંડર  ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી એક વૃધ્ધની લાશ મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.જો કે હત્યા કે આત્મહત્યા તે અંગે રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. ગોમતીપુર  હાલતો પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. દુર્ગધ આવતા સ્થાનિકોએ પોલીસને  જાણ કરી  જાહેર શૌચાલયની અંડર ગ્રાઉન્ડ ટાંકી તોડીને તપાસ કરતા મૃતદેહ મળ્યો આ કેસની વિગત એવી છે કે   ગઇકાલે સાંજે ૫.૩૦ વાગે પોલીસ કન્ટ્રોલમાં સ્થાનિક રહીશે મેસેજ કર્યો હતો કે ગોમતીપુર વિસ્તારમાં જીવરામ ભટ્ટની ચાલી પાસે જાહેર શૌચાલય પાસે મૃતદેહની દુર્ગધ મારી રહી છે, આ મેસેજ આધારે પોલીસે  ફાયર બ્રિગેડની મદદથી તપાસ કરીને જાહેર શૌચાલયની અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી તોડીને જોયું તો એક વૃધ્ધની લાશ મળી હતી. ગોમતીપુર પોલીસે તપાસ હાથ ધરતાં  ગોમતીપુરમાં જીવરામ ભટ્ટની ચાલી નજીત ફૂટપાથ ઉપર રહેતા ઇન્દ્રવદનભાઇ અમરાભાઇ ખુમાણ (ઉ.વ.૬૪)નો મૃતદેહ હોવાનું બહાર આવ્યુ ંહતું. પોલીસે હાલતો અકસ્માતે મોત નોંધી તપાસ કરતાં  પ્રાથમિક તપાસમાં  કેટલાક દિવસો પહેલા પાણીની ટાંકી...

ભાવનગરમાં શહિદ સ્મારક બનાવવાની દરખાસ્ત ભાજપે બહુમતીના જોરે ફગાવી

- મહાપાલિકાની સાધારણ સભામાં 14 ઠરાવને સર્વાનુમતે બહાલી અપાઈ  - કિસાન આંદોલનમાં 700 જેટલા ખેડૂતના મૃત્યુ થયા તેનુ શહિદ સ્મારક બનાવવા વિપક્ષના નેતાએ દરખાસ્ત કરી હતી, ભાજપના 38 નગરસેવકે નામંજુર કરી  ભાવનગર : ભાવનગરમાં શહિદ સ્મારક બનાવવાની કોંગ્રેસની દરખાસ્ત આજે સોમવારે મહાપાલિકાની સાધારણ સભામાં ભાજપે બહુમતીના જોરે ફગાવી દીધી હતી તેથી કોંગ્રેસમાં રોષ ફેલાયો હતો. મનપાની સાધારણ સભામાં જુદા જુદા કામના ૧૪ ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સાધારણ સભામાં કોંગ્રેસના નગરસેવકોએ જર્જરીત શોપીંગ સેન્ટર સહિતના કેટલાક સવાલ ઉઠાવી યોગ્ય કરવા માંગણી કરી હતી.   મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે આજે સોમવારે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી, જેમાં કોંગ્રેસના નગરસેવક અને વિપક્ષના નેતા ભરત બુધેલીયાએ દરખાસ્ત કરી હતી કે, કિસાન વિરોધી બીલ પરત ખેંચવા માટે ઉપવાસ પર ઉતરેલા કિસાનોનો વિજય થયો છે અને છેલ્લા એક વર્ષથી ચાલતા આંદોલોન સામે સરકાર જુકી છે. કિસાનોએ લોકશાહી ઢબે આંદોલન કરી સરકારમાં બીલ પરત કરવા માટે મજબુર કરેલ અને પરિણામે લોકશાહીનો વિજય થયો પરંતુ દુઃખની બાબતએ છે કે, ૭૦૦ જેટલા ખેડ...

23.94 લાખના દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાયો

- ભાવનગર-અમદાવાદ માર્ગ પરના પીપળી નજીક પોલીસે ટ્રકને આંતર્યો - રાજસ્થાનના ટ્રક ચાલક, ક્લીનર દારૂનો જથ્થો ભાવનગરનાં નાગદાન ગઢવીને આપવા આવી રહ્યાં હતા : દારૂની ૬૧૫૮ બોટલ, ટ્રક, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે લેવાયો  ભાવનગર : ભાવનગર-અમદાવાદ માર્ગ પર આવેલ પીપળી ગામ નજીકથી ગત રાત્રીના અરસા દરમિયાન રાજસ્થાનથી મસમોટો દારૂનો જથ્થો ટ્રકમાં ભરી ભાવનગર ડીલીવરી આપવા જઈ રહેલા રાજસ્થાનનાં ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઈ ટ્રકની તલાસી લેતા રૂપિયા ૨૩.૯૪ લાખના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કબ્જે લઈ પુછપરછ કરતા રાજસ્થાન હરિયાણાના ૭ શખ્સોના નામ ખુલવા પામ્યા હતા જ્યારે દારૂનો જથ્થો ભાવનગરના દાન ગઢવીને આપવાનો હોવાની વિગતો ખુલવા પામી હતી. જેને લઈ પોલીસે ૬૧૫૮ દારૂની બોટલ, ટ્રક, મોબાઈલ મળી લાખોનો મુદ્દામાલ કબજે લઈ દસ શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે.  બનાવની જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી રાહે હકીકત મળી હતી કે, વટામણ તરફથી ટ્રક નં. જી.જે.૦૮વાય. ૩૪૨૩માં વિદેશી દારૂ છુપાવી ભાવનગર તરફ લઈ જવાઈ રહ્યો છે. જે હકીકત આધારે પીપળી નજીક હોટલ...

પેટલાદ પાલિકાના વોર્ડ નં. 1 ની પેટાચૂંટણીમાં 62 ટકા મતદાન

- આજે મતગણતરી હાથ ધરવામાં આવશે - નોંધાયેલા 5204 મતદારો પૈકી 3228 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો આણંદ, વલ્લભવિદ્યાનગર : રવિવારના રોજ યોજાયેલી પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટાચૂંટણીમાં નોંધાયેલા ૫૨૦૪ મતદારો પૈકી ૩૨૨૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા ૬૨.૦૩ ટકા મતદાન નોંધાયું હતું. જો કે ભાજપ દ્વારા ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરાતા હોબાળો મચતા થોડીવાર માટે મતદાન અટક્યું હોવાના અહેવાલ સાંપડયા છે. વધુમાં મળતી વિગતો મુજબ રવિવારના રોજ યોજાયેલ પેટલાદ નગરપાલિકાના વોર્ડની ૧ની પેટાચૂંટણી સંદર્ભે બે મતદાન મથકો ખાતે ઉભા કરાયેલ પાંચ બુથો ખાતે સવારના ૭ઃ૦૦ કલાકથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટાચૂંટણીમાં નોંધાયેલા ૫૨૦૪ મતદારો પૈકી સાંજના ૬ઃ૦૦ કલાક સુધીમાં ૩૨૨૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા ૬૨.૦૩ ટકા મતદાન નોંધાયું હતું. વહેલી સવારથી જ બે મતદાન મથકો ખાતે આવેલ પાંચ બુથો ખાતે મતદારોની લાઈનો લાગી ગઈ હતી. જો કે બપોરના સુમારે મતદાન પ્રક્રિયા મંદ પડી હતી અને ત્યારબાદ અંતિમ કલાકોમાં ઉમેદવારના સમર્થકો દ્વારા મતદાતાઓને મત આપવા જવા સમજાવ્યા હતા. ...

આણંદ જિલ્લામાં કોરોનાના મૃતકોના સ્વજનોને રૂ.19 લાખની સહાય ચૂકવાઇ

- 38 લોકોના વારસદારોને આર્થિક મદદ કરાઇ  - કોરોના મૃતક સહાય માટે જિલ્લામાં આર્થિક સહાય માટે 224 ફોર્મ લેવામાં આવ્યા હતા વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં કોરોના મૃત્તકોના સ્વજનોએ ૨૨૪ ઉપરાંતના ફોર્મ ઉપાડયા હતા. જેમા કેટલાક પરિવારજનોએ ૫૦ હજારની સહાયના ફોર્મ સંપૂર્ણ વિગત સાથે કલેક્ટરાલયમાં ભરીને પરત કર્યા હતા.  કમિટીએ તમામ ફોર્મની ત્વરિત ચકાસણી હાથ ધરીને તેઓના સીધી બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવ્યા છે. જેમા ૩૮ મૃત્તકોના વારસદારોને ૧૯ લાખની સહાય કલેક્ટરાલય કચેરી દ્વારા ચુકવી દેવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે.  જીવલેણ વાયરસે હાહાકાર મચાવતા અનેક લોકોએ સમયાંતરે સારવાર દરમ્યાન હોસ્પિટલમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે કોર્ટના નિર્દેશ બાદ સરકારે ચોકકસ ગાઇડલાઇન સાથે વારસદારોને ૫૦ હજારની સહાયની જાહેરાત કરી છે. જેમા આણંદ જિલ્લામા વીતેલા દિવસોમાં ૨૨૪ થી વધુ ફોર્મ મૃત્તકોના પરિવારજનોએ મેળવીને ભરીને પરત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમા અત્યાર સુધીમાં ૩૮ લોકોએ ફોર્મ ભરીને પરત કરતાં તેની ચકાસણી કર્યા બાદ વહીવટીતંત્રએ તેઓને નિર્ધારીત રકમ તેઓના બેંક એકાઉન્ટમાં જમા કરી છે. જોકે હજુ પણ કેટલાક વ...

ગોરવામાં આઘેડને ગાયે ભેટી મારી હવામાં ઉછાળી પટક્યો

વડોદરા તા.29 શહેરના ગોરવા વિસ્તારમાં રાત્રે ચાલવા નીકળેલા આઘેડને ગાયે ભેટી મારી હવામાં ઉછાળી નીચે પટક્યા બાદ છાતી પર પગ મૂકી દેતા ઇજાગ્રસ્ત આઘેડને સારવાર માટે ખસેડાયો છે. આ અંગેની વિગત એવી છે કે ગોરવા વિસ્તારમાં સોલંકી ફળિયામાં રહેતા જયેશભાઇ મહેતા (ઉ.વ.૫૦) ડ્રાઇવિંગ કરે છે. ગઇ રાત્રે ઘેર જમ્યા બાદ તેઓ ઘર પાસે ચાલવા માટે નીકળ્યા હતાં. આ વખતે પાછળથી આવેલી એક ગાયે જયેશભાઇને ભેટી મારી હવામાં ઉપર ઉછાળી નીચે પટક્યા હતાં. બાદમાં ગાયે પાંચ ભેટી મારી હતી અને જયેશભાઇની છાતી પર પગ મૂકી દીધો હતો. જયેશભાઇએ બૂમાબૂમ કરતા ત્યાં હાજર યુવાનો દોડી આવ્યા  હતાં અને ગાયના વધારે હુમલાથી જયેશભાઇને બચાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. આ બનાવ બાદ વિસ્તારમાં મારકણી ગાયથી ફફડાટ ફેલાયો છે. https://ift.tt/2ZDMNG4

અદાણી પોર્ટ પર પાર્ક ઓઇલ ભરેલા ટેન્કરની બારોબાર ડિલીવર કરી દેવાઇ

- પેમેન્ટની વાત ચાલતી હતી ત્યારે ઓલપાડની કંપનીના કર્મચારીએ પોતાના નામનું બિલ બનાવી ડિલીવરી લઇ લીધી સુરત હજીરા સ્થિત અદાણી પોર્ટના પાર્કિંગમાં પાર્ક રૂ. 17.39 લાખની કિંમતનું 21,060 કિલોગ્રામ બેઝ ઓઇલ ભરેલા ટેન્કરનું ઓલપાડની કંપની વતી બારોબાર બિલ બનાવી ડિલીવરી લઇ પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ હજીરા પોલીસમાં નોંધાય છે. દિલ્હીના નોર્થ-વેસ્ટ સ્થિત ખેરાકલનગામ ખાતે ગોડાઉન ધરાવતી પારસ લ્યુબ્રીકેન્ટ્સ લિ. નામની કંપનીએ 24 નવેમ્બરે ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયા લિ. કંપનીમાંથી 21,060 કિ.ગ્રામ બેસ ઓઇલ કિંમત રૂ. 17.39 લાખનું ખરીદયું હતું. આ ઓઇલ માર્કેટીંગનું કામ કરતા રવિકુમારે વડોદરાની હાઇટેક ઇમ્પેક્ષ કંપનીના માર્કેટીંગ મેનેજર સાગર ઠક્કરનો સંર્પક કર્યો હતો. સાગરે ઓલપાડની જે.પી. પેઇન્ટ્સ એન્ડ કેમિકલ કંપનીના મંગેશ જીવતરામ ફુલવાની (રહે. સનવ્યુ રો હાઉસ, ગૌરવ પથ, પાલ) એ ખરીદવાની તૈયારી દર્શાવતા હજીરા સ્થિત અદાણી પોર્ટ પર માલ મંગાવ્યો હતો. જયાંથી પ્રતિભા ટ્રાન્સપોર્ટના ટેન્કર નં. જીજે-5 એયુ-9025 ના ડ્રાયવર જયપ્રકાશ વિશ્વકર્માએ 21,060 કિલોગ્રામ બેસ ઓઇલની ડિલીવરી લેવા આવ્યો હતો. પરંતુ મંગ...

ફેસબુક પર ફોટો શેર કરતા પતિનો ભાંડો ફૂટયો: કામરેજના પરિણીત રત્નકલાકારે યુવતી સાથે બીજા લગ્ન કરી માતા બનાવી તરછોડી દીધી

- વરાછામાં નોકરી કરતો હોવા છતા મુંબઇ હીરામાં નોકરી કરે છે એવું કહ્યું, ભાંડો ફૂટયા પછી પણ પહેલી પત્નીને ભાભી ગણાવી હતી સુરત કામરેજ વિસ્તારમાં રહેતા રત્નકલાકારે પરિણીત અને એક સંતાનનો પિતા હોવા છતા કાપોદ્રા વિસ્તારની યુવતી સાથે પ્રેમલગ્ન કરી એક સંતાનની માતા બનાવી તરછોડી દેતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે. પુત્રને જન્મ આપ્યાના ત્રણ મહિનામાં જ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થતા પ્રેમલગ્ન કરનાર યુવતીની હાલત કફોડી થવા પામી છે. કાપોદ્રાના જલધારા એપાર્ટમેન્ટમાં રહેતી દિપાલી દિનેશ ચાવડા (ઉ.વ. 27) ને છ વર્ષ અગાઉ હાર્દિક ઘનશ્યામ કાત્રોડિયા (રહે. એલ્પલાઇન ગ્રીન વેલી, કામરેજઃ સાથે થયો હતો. સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. મુંબઇમાં હીરાનું કામ કરતો હોવાનું કહેનાર હાર્દિક શનિવાર-રવિવારની રજામાં સુરત આવતો ત્યારે બંને મળતા હતા અને હાર્દિકના પરિવારની જાણ બહાર દિપાલીના ઘરે બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ અમરોલી-કોસાડ રોડ પર સહજાનંદ પેલેસમાં હાર્દિકના નાના ભાઇના ખાલી ઘરમાં તેઓ રહેવા ગયા હતા. લગ્ન બાદ દિપાલીને જાણવા મળ્યું હતું કે હાર્દિક મુંબઇમાં નહીં પરંતુ વરાછા મીની બજારમાં નોકરી કરે છે અને એક સંતાનનો પિ...

નવેમ્બરમાં રિઝર્વેશેન ટિકિટ રદ થવાના કિસ્સામાં S.T.ને 1.23 કરોડની આવક

અમદાવાદ,તા.28 નવેમ્બર 2021,રવિવાર આ વર્ષે નવેમ્બર મહિનો એસ.ટી.નિગમને ફળ્યો છે. રિઝર્વેશન ટિકિટ રદ થવાના કિસ્સામાં  ટિકિટ કેન્શન ફી અને રિઝર્વેશન ફીના નામે નિગમને ૧,૨૩,૮૩,૭૬૭ રૂપિયાની જંગી રકમની આવક થવા પામી છે. ચાલુ માસમાં ૨૫ નવેમ્બર સુધીમાં કુલ ૧૭,૬૬,૯૦૯ ટિકિટ બુક તઇ હતી જેમાંથી ૧,૧૦,૫૩૨ ટિકિટ રદ થવા પામી હતી. આ ટિકિટ રદના કિસ્સામાં ૨,૦૨,૭૨,૭૭૯ રૂપિયાનું મુસાફરોને રિફંડ ચૂકવી દેવાયું છે.  નવેમ્બર માસમાં દિવાળીના તહેવારો અને દિવાળી વેકેશન દરમિયાન એસ.ટી.નિગમ દ્વારા રૂટીન બસો દોડાવવા ઉપરાંત એકસ્ટ્રા બસો દોડાવીને કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. મુસાફરોએ મોબઇલ, વેબસાઇટ સહિતના મોધ્યમથી ઓનલાઇન ટિકિટ બુક કરાવી લીધી હતી. પાછળથી મુસાફરી રદ થવાના કિસ્સામાં નિગમે કેન્સલ ફી અને રિઝર્વેશન ફી કાપીને બાકીનું  રકમુનં રિફંડ કરી દીધું હતું.  નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ ટિકિટ રદ કરવાના કિસ્સામાં ટિકિટ બુકિંગની તારીખ આગળની તારીખમાં લઇ જવાની પણ મુસાફરોને સવલત અપાઇ હતી. જરૂરિયાતવાળા મુસાફરોએ આ પ્રમાણે મુસાફરી પણ કરી હતી.  તા.૨૫ ઓક્ટોબરથી તા. ૨૪ નવેમ્બર સુધીમાં કુલ ૨૦,૭૨,૮૫...

અમદાવાદ જિલ્લામાં 'હર ઘર દસ્તક' અભિયાન, ઘર આંગણે રસીકરણ શરૂ

અમદાવાદ,તા.28 નવેમ્બર 2021,રવિવાર અમદાવાદ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી હવે 'હર ઘર દસ્તક' અભિયાન સુધી પહોંચી ગઇ છે. જેમાં આરોગ્ય વિભાગના બે હજારથી વધુ કર્મચારીઓ દરેક તાલુકામાં લોકોના ઘરે ઘરે જઇને પ્રથમ-બીજો ડોઝ આપી રહ્યા છે. જિલ્લાના ૪૬૭ માંથી ૪૬૫ ગામોમાં પ્રથમ ડોઝ રસીકરણની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે બીજા ડોઝમાં ૮૧ ટકા જેટલી કામગીરી પુરી થઇ ગઇ છે. જિલ્લામાં કોરોના રસીકરણના પ્રથમ ડોઝમાં  જિલ્લાના ૯ તાલુકા , મ્યુનિ.હદ વિસ્તારના , બીજા જિલ્લાના, ઔદ્યોગિક એમકોના કુલ ૧૮ પ્લસ ઉંમરવાળા લોકોનને અને ખાનગી સીવીસી મળીને કુલ ૧૩,૦૬,૦૭૭ લોકોને રસી મૂકી દેવામાં આવી છે. આમ જોતા પ્રથમ ડોઝમાં રસીને પાત્ર ગણાય તેવા ૧૧૦.૪ ટકા લોકોને રસી મૂકી દેવામાં આવી છે. બીજા ડોઝમાં ૧૧,૫૩,૨૮૧લોકોને રસી મૂકી દેવાઇ છે. જિલ્લાના ૯ તાલુકાની વાત કરીએ તો બાવળા અને સાણંદમાં ૧૦૫ ટકા રસીકરણ થયું છે. સાણંદમાં બીજા ડોઝનુ રસીકરણ સૌથી વધુ ૯૯.૮૧ ટકા પૂર્ણ થયું છે. દસક્રોઇમાં ૯૨.૮૧ ટકા, દેત્રોજમાં ૯૫.૧૪ ટકા, ધંધૂકામાં ૮૭.૧૨ ટકા, ધોલેરામાં ૯૪.૧૨ ટકા, ધોળકામાં ૭૮.૮૯ ટકા, માંડલમાં ૮૨.૮૫ ટકા અને વિરમગામમાં ૮૧...

ઓઢવમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન કાયમી બન્યો, રહીશો ત્રાહિમામ

અમદાવાદ,તા.28 નવેમ્બર 2021,રવિવાર ઓઢવ વલ્લભનગર સ્કૂલ, તેની સામે આવેલી બીએસએનએલની કચેરી તેમજ એસબીઆઇ બેંક તરફનો આરો રોડ ગટરોના ઉભરાતા પાણીથી ખદબદી રહ્યો છે. વર્ષો જુની આ સમસ્યાના ઉકેલમાં મ્યુનિ.તંત્ર સદંતર નિષપળ રહ્યું છે. રાહદારીઓ હેરાન થઇ રહ્યા છે. વાહનોની અવર-જવરથી ગંદુ પાણી ઉડતા લોકોના કપડા ગંદા થઇ રહ્યા છે. છેલ્લા પંદરેક દિવસથી સતત ગટર ઉભરાઇ રહી છે. ઓઢવ ફાયર સ્ટેશન અને તેની આજુબાજુનો ભાગ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી વરસાદી પાણી ભરાવું, ગટરો બેક મારવી આ સમસ્યા સામાન્ય બની ગઇ છે. મ્યુનિ.તંત્ર કાયમી ઉકેલ લાવી શક્યું નથી. ફાયરબ્રિગેડની બાજુમાં આરસીસી રોડ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ સારી કામગીરી છે પરંતુ ગટરનો પ્રશ્ન પણ ઉકેલવામાં આવે તેવું રહીશો જણાવી રહ્યા છે. જોકે ગટર લાઇનનો પ્રશ્ન ઉકેલવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ તેના પરિણામ દેખાઇ રહ્યા નથી. વલ્લભનગર સ્કૂલના ગેટ પર જ ગટરના પાણી ફરી વળ્યા છે. સ્કૂલો ચાલુ થઇ ગઇ છે. બાળકો સ્કૂલે આવતા થઇ ગયા છે. ત્યારે આ ગંદકીના કારણે માખી-મચ્છરના લીધે બાળકોને ડેન્ગ્યૂ, મલેરિયા સહિતના રોગ થવાની પુરેપુરી શક્યતા છે. નવાઇની વાત એ છ...

અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર છેલ્લા 6 માસથી સ્ટ્રીટલાઇટો બંધ

અમદાવાદ,તા.28 નવેમ્બર 2021,રવિવાર ઓઢવ રિંગ રોડથી ઇન્દોર જવાના રાષ્ટ્રીય ધોરી માર્ગ અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર જ સળંગ બે કિ.મી.સુધીના પટ્ટામાં સ્ટ્રીટલાઇટો છેલ્લા છ માસથી બંધ પડી છે. અમદાવાદ શહેરના રહેણાંક વિસ્તારથી ભરચક, ભારે ટ્રાફિકવાળા આ રોડ પર લાઇટો જ બંધ હોવાથી વાહન અકસ્માતના કિસ્સા બની રહ્યા છે. સ્થાનિકોની રજૂઆતો છતાંય સ્ટ્રીટલાઇટનો આ પ્રશ્ન મ્યુનિ.તંત્ર કે ઔડા કોઇપણ ઉકેલી શક્યું નથી કે ઉકેલવામાં રસ દાખવી રહ્યું ન હોવાનું રહીશોનું માનવું છે. ઓઢવ રિંગ રોડ પર ઓવરબ્રિજની આગળ ભાગ્યોદય હોટલથી લઇને છેક વડવાળી ચાલી સુધીના  બે કિ.મી.ના પટ્ટામાં સ્ટ્રીટલાઇટો બંધ છે. ઇન્દોર જતા તમામ વાહનો આ માર્ગેથી જાય છે. ભારે વાહનોની અવર-જવર અને ઓવર સ્પીડના લીધે આ રોડ પર સાંજ બાદ અકસ્માતો બનવાની શક્યાત વધી જાય છે. અંધારામાં કંઇ દેખાતું ન હોય, સામેથી આવતા વાહનોની હેડ લાઇટના ફોક્સના લીધે વાહનચાલક અંજાઇ જતો હોય છે.  જેના કારણે અકસ્માત થઇ રહ્યા છે. થોડા દિવસો પહેલા સાંજે રોડ ક્રોસ કરતા  સ્થાનિક રાહદારી યુવકને પેસેન્જર ઇકો કારે ટક્કાર મારતા તે યુવાનનું મોત નિપજ્યું હતું. સ્થાનિક આગેવાન સ...

પોઝિટિવ આવતા તમામ દર્દીઓના સેમ્પલ પૂનાની લેબમાં મોકલી અપાશે

વડોદરા :  કોરોનાના નવા વેરિઅન્ટના કારણે લોકોમાં ભય ફેલાઇ રહ્યો છે.અને આરોગ્ય વિભાગ દ્વારા પણ આગોતરૃં આયોજન કરવામાં આવ્યું છે.અગાઉ કોરોના પોઝિટિવ આવતા દર્દીઓ પૈકી માત્ર ૧૦ ટકા દર્દીઓના જ સેમ્પલ ચકાસણી માટે  પૂના મોકલવામાં આવતા હતા.પરંતુ,નવા વેરિઅન્ટના ફેલાવાના પગલે હવે પોઝિટિવ આવતા તમામ દર્દીઓના સેમ્પલ પૂનાની લેબમાં મોકલી આપવામાં આવે છે. કોરોનાનો નવો વેરિઅન્ટ  સાઉથ આફ્રિકા ઉપરાંત ે ઇઝરાયેલ અને અન્ય  દેશોમાં પણ દેખાયો છે.આ વેરિઅન્ટના કારણે વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.અગાઉના ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં આ વેરિઅન્ટ બે થી ત્રણ ગણો ઝડપથી ફેલાઇ રહ્યો છે.તેના કારણે સરકારી  તંત્ર સતર્ક થઇ ગયું છે.અગાઉ કોરોનાના પોઝિટિવ આવતા કેસો પૈકી માત્ર ૧૦ ટકા કેસ જ જીનોમ સિક્વન્સના ટેસ્ટ માટે  પૂનાની લેબમાં મોકલવામાં આવતા હતા. હાલમાં સયાજી હોસ્પિટલમાં ૫૦૦ બેડ તૈયાર છે.અને ૪૫૦ વેન્ટિલેટર,૧૫૦ મલ્ટી પેરા મોનિટર,૨૦ હજારની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ઉપલબ્ધ છે.તેમજ ૪૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે.હાલ ં સયાજી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ દર્દી સારવાર માટે દાખલ નથી. ht...

કોરોનાના નવા ૭ કેસ નોંધાયા : ૧૧ દર્દીઓને રજા અપાઇ

વડોદરા :  શહેરના પાંચ  વિસ્તારો તથા પાદરામાંથી આરોગ્ય વિભાગની ટીમે ૪,૪૩૩ લોકોના સેમ્પલ લીધા  હતા.જે પૈકી ૭ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે ૧૧  દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શહેરમાં ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે.આરોગ્ય વિભાગની ટીમે શહેરના દિવાળીપુરા,ગોત્રી,સવાદ,અકોટા,જેતલપુર, નવીધરતી અને પાદરા વિસ્તારમાંથી ૪,૪૩૩ લોકોના સેમ્પલ લીધા હતા.ચોવીસ કલાક દરમિયાન સાત નવા કેસ નોંધાયા છે.જ્યારે ૧૧ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.શહેરમાં હાલમાં કોરોનાના ૪૮ એક્ટિવ કેસ છે.જે પૈકી ત્રણ દર્દીઓ ઓક્સિજન  પર છે.કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ૯૯ દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન છે.૨૪  કલાક દરમિયાન મ્યૂકોરમાઇકોસિસનો એકપણ નવો કેસ નોંધાયો નથી.હાલમાં મ્યૂકોરમાઇકોસિસના ૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે મેલેરિયાના શંકાસ્પદ ૮૬ દર્દીઓ આજે ચેકિંગ માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા.જે પૈકી એક દર્દીનો  રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. https://ift.tt/317fpYL

ચરસ અને ગાંજાના સપ્લાયરને પકડવા પોલીસની ટીમ રાજસ્થાન રવાના

વડોદરા :  ઓલ્ડ પાદરા રોડ પર આવેલા આવિષ્કાર કોમ્પલેક્સના સેમી બેઝમેન્ટમાં ચરસ અને ગાંજાનું વેચાણ કરતા ભાઇ બહેનનેે નશીલા દ્રવ્ય વેચવા આપનાર આરોપીને  પીસીબીએ ઝડપી લીધા હતો.તેને સપ્લાય કરનાર રાજસ્થાનના આરોપીને  પકડવા માટે પોલીસની ટીમ રાજસ્થાન રવાના થઇ છે. પીસીબી પોલીસેમળેલી માહિતીના આધારે ,ઓલ્ડપાદરા રોડ આવિષ્કાર કોમ્પલેક્સમાં સેમી બેઝમેન્ટમાં ચરસ ગાંજો વેચતા ભાઇ બહેનને ઝડપી પાડયા હતા.પકડાયેલા શાકીબ મુનશીએ પોલીસને જણાવ્યું હતું કે,તેની બહેન મુહસીના મુનશી ચરસ અને ગાંજાનો જથ્થો પોતાની પાસે સંતાડી રાખે છે.અને અમારા ગ્રાહકોને આવિષ્કાર કોમ્પલેક્સ ખાતે બોલાવી સપ્લાય કરે છે.પોલીસે મુહસીનાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,હું  તથા મારો ભાઇ નશીલા પદાર્થનું વેચાણ કરીએ છે.અગાઉ મારા સાવકા પિતા અબ્દુલ્લા  પટેલ સાથે આણંદ ચકલાસી ખાતે રહેતા દિલીપ કાકા નામના વ્યક્તિ પાસેથી લાવ્યા છે. આ  ગુનામાં માદક પદાર્થનો સપ્લાય કરતા દિલીપભાઇ ઉર્ફે દિલીપ કાકા ભાથીભાઇ જાદવ (રહે.ચકલાસી ,જાદવપુરા,તા.નડિયાદ,જિ.ખેડા)ને પીસીબી પોલીસે મળેલી  માહિતીના આધારે ફાજલપુર  પાસેથી ઝડપી લીધો...

માતા પુત્રીને પાછળથી ટક્કર મારી નીચે પાડી દેતો બાઇકચાલક

વડોદરા :  સરદાર એસ્ટેટ પર સ્કૂટર લઇને જતી માતા પુત્રીને બૂમો પાડીને બાઇક ચાલકે  ઉભા રહેવાનું કહ્યું હતું.પરંતુ, મહિલા ઉભી  નહી રહેતા બાઇક ચાલકે પાછળથી અકસ્માત કરી માતા પુત્રીને ઇજા પહોંચાડી હતી. વાઘોડિયારોડ પરની એક હોસ્પિટલમાં નોકરી કરતી ૩૪ વર્ષની પરિણીતા ગઇકાલે પુત્રીના જન્મદિવસની ખરીદી માટે પુત્રીને લઇને સ્કૂટર પર નીકળી હતી.મહિલા સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસેથી મહિલા પસાર થતી  હતી.ત્યારે બાઇક પર આવેલા આરોપી અશોક મહીજીભાઇ રાજપૂતે (રહે.ન્યૂ વી.આઇ.પી.રોડ)   બૂમ પાડીને તેને  ઉભી રહેવા કહ્યું હતું.પરંતુ,મહિલા ઉભી રહી નહતી.જેના કારણે ઉશ્કેરાયેલા અશોકે પોતાની બાઇક મહિલાના સ્કૂટરને પાછળથી ઔઅથાડતા મહિલા અને તેની પુત્રી સ્કૂટર પરથી નીચે પડી ગયા હતા.રોડ પર પડી ગયેલી મહિલાને બંને પગના ઘૂંટણ તથા ડાબા હાથની  કોણી  પર ઇજા થઇ  હતી.જ્યારે તેની પુત્રીને પણ સાધારણ ઇજા થઇ  હતી.જે અંગે મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. https://ift.tt/3rlHjuX

વાસણારોડની મિયષ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરના સંચાલકે ડોક્ટર સાથે ૩૨ લાખની છેતરપિંડી કરી

વડોદરા :   હોસ્પિટલમાં ડોક્ટર સાથે ભાગીદારીમાં ચાલતા મેડિકલ સ્ટોરના સંચાલક દ્વારા ખરીદ અને વેચાણ બિલમાં ગોટાળા કરીને ઓછો નફો બતાવી ૩૨ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વાસણા ભાયલી રોડ પર શ્રી હરિ રેસિડેન્સીમાં રહેતા ડો.હિરેન વિનોદરાય પોપટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  જણાવ્યું છે  કે,મેં અને મારી પત્ની ડો.સ્વાતિ એ જૂન-૨૦૨૦ માં વાસણારોડ પર આવેલી કાર્તિકેય નગર સોસાયટીમાં મકાન ભાડે લઇ મિયષ હોસ્પિટલ શરૃ કરી હતી.હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર સમનકુમાર પ્રવિણભાઇ પંડયા (રહે.જય જલારામ સોસાયટી,ગોત્રીરોડ)એ શરૃ કર્યો હતો.તેણે પોતાની ઓળખાણ ફાર્મસિસ્ટ તરીકે અને તેની  પત્ની ડો.નમ્રતા ચૌહાણની ઓળખાણ કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકેની આપી હતી. મેડિકલ સ્ટોર માટે સમન  પંડયાએ અમારી સાથે કરાર પણ કરાર કર્યો હતો.જે મુજબ નફાના પચાસ ટકા રકમ અમને આપવાનું નક્કી કર્યુ હતું.કોરોનાના કારણે એપ્રિલ-૨૦૨૧ માં અમારી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલમાં રૃપાંતરિત થઇ હતી.મે-૨૦૨૧ માં દર્દીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે,મેડિકલ સ્ટોરના બિલો મ...