Skip to main content

Posts

Showing posts from February, 2025

ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં

<p><strong>Gujarat education system controversy:</strong> ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાઓનો સિલસિલો યથાવત છે.&nbsp; એક તરફ સમાજ શિક્ષકોને આદર્શ માને છે, ત્યારે બીજી તરફ શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવતા શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે. ફેબ્રુઆરી મહિનામાં અમરેલીથી શરૂ થયેલો શિક્ષકોના કાળા કરતુતોનો સિલસિલો બોટાદ સુધી પહોંચ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તેવો ભયજનક સંદેશો સમાજમાં ફેલાયો છે.</p> <p><strong>સાવરકુંડલા: શિક્ષક વિશાલ સાવલિયા પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ</strong></p> <p>અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 11 ફેબ્રુઆરીના રોજ શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના બની હતી. અહીં વિશાલ સાવલિયા નામના શિક્ષક પર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શિક્ષક વિશાલ સાવલિયાની ધરપકડ કરી છે. આ ઘટનાએ સાવરકુંડલા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.</p> <p><s...

દેવાયત ખવડના ડાયરામા ડખા બાબતે નવો વળાંક, પોલીસની મોટી કાર્યવાહી!

<p><strong>Devayat Khawad case update:</strong> લોકપ્રિય લોકગાયક દેવાયત ખવડ સાથે જોડાયેલા વિવાદિત કેસમાં એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. પોલીસ દ્વારા આ કેસમાં બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડાયરાના એક કાર્યક્રમ દરમિયાન થયેલા વિવાદને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.</p> <p>પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દેવાયત ખવડ અને તેમના સાથીઓ તેમજ સામા પક્ષે ભગવતસિંહ ચૌહાણ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ ક્રોસ FIR દાખલ કરવામાં આવી છે. દેવાયત ખવડ પર પોતાના વિરોધીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે ભગવતસિંહ ચૌહાણ અને તેમના પક્ષ દ્વારા પણ દેવાયત ખવડ અને તેમના સાથીઓ સામે FIR દાખલ કરાઈ છે.</p> <p><strong>FIR </strong><strong>માં નોંધાયેલા મુખ્ય નામ:</strong></p> <p>દેવાયત ખવડ</p> <p>ભગવતસિંહ ચૌહાણ</p> <p>ધ્રુવરાજસિંહ ચૌહાણ</p> <p>રામભાઈ ચૌહાણ</p> <p>મેઘરાજસિંહ ઉર્ફે બન્ના</p> <p>દેવાયત ખવડ દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલા અન્ય ૪ અજાણ્યા શ...

રાજ્યની 40 શહેર-જિલ્લાની સ્કૂલોમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ, ધોરણ 1માં પ્રવેશ માટે 13 કેટેગરીને મળશે અગ્રતા

<p><strong>RTE admission 2025</strong><strong>:</strong> ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવાના હેતુથી રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2025 થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે 12 માર્ચ, 2025 સુધી ચાલશે. આ યોજના હેઠળ રાજ્યના 40 શહેર અને જિલ્લાઓની ખાનગી શાળાઓમાં ધોરણ 1માં કુલ 93,527 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. વાલીઓ RTE ની સત્તાવાર વેબસાઈટ https://ift.tt/OGij0Nk પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.</p> <p>આ યોજનાનો લાભ રાજ્યના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકો ધોરણ 8 સુધી મફત શિક્ષણ મેળવીને લઈ શકશે. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. 1.50 લાખ નિયત કરવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં કુલ 13 કેટેગરીને અગ્રતા આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડની બેઠકોની ફાળવણીની યાદી 27 માર્ચ, 2025 ના રોજ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ખોટા દસ્તાવેજોના આધારે પ...

'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો

<p><strong>surendranagar suicide case:</strong> અમદાવાદના થલતેજ વિસ્તારમાં વાઇબ્રન્ટ રેસિડેન્સી હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાહુલ પરમાર નામના યુવકે હોટેલના રૂમમાં સુસાઈડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું હતું. સુસાઈડ નોટમાં રાહુલે પત્ની ભૂમિ પ્રજાપતિને તેના આપઘાત માટે જવાબદાર ઠેરવી હતી. વસ્ત્રાપુર પોલીસે આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</p> <p>પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના ભલગામના વતની રાહુલ દુધાભાઈ પરમાર (ઉં.વ. 27) એ થલતેજ સ્થિત વાઇબ્રન્ટ રેસિડેન્સી હોટેલના રૂમ નંબર 305માં ગળે ફાંસો ખાધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી બે મોબાઇલ ફોન, લેપટોપ, પાકીટ અને એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં રાહુલે લખ્યું હતું કે, "તું તારાં માતાપિતા, મિત્રો અને સગાંની વાતોમાં આવી ગઈ અને તેં મને છોડી દીધો. મારી આત્મહત્યા પાછળ મારી પત્ની ભૂમિ જવાબદાર છે."</p> <p>પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ અને ભૂમિએ લવ મેરેજ કર્યા હતા. મૃતક રાહુલના પિતા દુધાભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ...

Gujarat Board Exam: બન્ને શિક્ષણ મંત્રીઓએ પરીક્ષા પહેલા કંઈક આ અંદાજમાં વધાર્યો વિદ્યાર્થીઓનો ઉત્સાહ

<p>Gujarat Board Exam: બન્ને શિક્ષણ મંત્રીઓએ પરીક્ષા પહેલા કંઈક આ અંદાજમાં વધાર્યો વિદ્યાર્થીઓનો ઉત્સાહ&nbsp;</p>

Gujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પર

<p>Gujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પર&nbsp;</p> <p>આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ&nbsp; થઇ રહ્યો છે. 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ&nbsp; પરીક્ષા આપી રહ્યાં છે. મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયા&nbsp; વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે ગાંધીનગરની&nbsp; સ્કૂલમાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે&nbsp; શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષા કેંદ્રમાં ફૂલ આપીને&nbsp; &nbsp; પ્રવેશ કરાવાયો હતો.ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.કાલે ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે. જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર છે. જ્યારે 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર ...

ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનો પ્રારંભ, 14.28 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ST દ્રારા કરાઇ ખાસ વ્યવસ્થા

<p><strong>Gujarat&nbsp; Board Exam:&nbsp;</strong> આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ&nbsp; થઇ રહ્યો છે.&nbsp;14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ&nbsp; પરીક્ષા આપી રહ્યાં છે.&nbsp;મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયા&nbsp; વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે ગાંધીનગરની&nbsp; સ્કૂલમાં પહોંચ્યા હતા અને&nbsp;વિદ્યાર્થીઓને પરીક્ષા માટે&nbsp; શુભેચ્છા પાઠવી હતી.&nbsp;વિદ્યાર્થીઓને પરીક્ષા કેંદ્રમાં&nbsp;ફૂલ આપીને&nbsp; &nbsp; પ્રવેશ કરાવાયો હતો.ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.કાલે ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે. જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર છે. જ્યારે 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્...

પાલનપુરમાં ACBનો સપાટો,  સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા

<p><strong>બનાસકાંઠા:</strong> બનાસકાંઠા જિલ્લામાં ACBએ સપાટો બોલાવી દિધો છે. બનાસકાંઠા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ એસીબીના સકંજામાં આવ્યા છે. &nbsp;એસીબીએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ ઓ એસ ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. &nbsp;સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા લાંચ માંગી હતી.&nbsp;</p> <p>એસીબી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું છે. છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં હતા.&nbsp;</p> <p>નાયબ કલેક્ટર અંકિતા ઓઝા સામે જમીન- મકાન લે-વેચમાં સરકારી ચલણ ભર્યા બાદ પણ પ્રમાણપત્ર આપવામાં હેરાનગતિની ફરીયાદો હતી. તેઓ રૂપિયા ત્રણ લાખ લેતા ઝડપાયાનો ગાંધીનગર ACBએ ખુલાસો કર્યો છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની કચેરી, જિલ્લા સેવા સદન-૨, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા ખાતે ફરજ બજાવતા પ્લાનીંગ આસિસ્ટન્ટ, વર્ગ-૩, (ચ...

Gujarat: મુંબઈ જતી દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં લાગી આગ, મુસાફરોમાં અફરા તફરી

<p><strong>પંચમહાલ :</strong> ચાંપાનેર સમલાયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં આગની ઘટના બની છે. &nbsp;મુંબઈ તરફ જતી દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આ આગની ઘટના બની છે. &nbsp;આગની ઘટનાને પગલે ટ્રેન ઈમરજન્સીમાં &nbsp;રસ્તામાં થોભાવી દેવામાં આવી છે. &nbsp;ટ્રેનમાં ઉપલબ્ધ ફાયર ઉપકરણોની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો છે. &nbsp;આ બનાવને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.&nbsp;</p> <p>ટ્રેનના કોચમાં આગ લાગવાની ઘટનાને પગલે મુસાફરો ભયનાં માર્યા ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. &nbsp;હાલ ટ્રેનને સમલાયા રેલવે સ્ટેશન ખાતે થોભાવી દેવામાં આવી છે. આ બનાવ ને પગલે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી છે.&nbsp;&nbsp;</p>

PM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે વખત ગુજરાતના પ્રવાસે આવશે. મહિનાની શરૂઆતમાં 3 માર્ચ અને ત્યારબાદ 7 અને 8 માર્ચે તેઓ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 3 માર્ચ દરમિયાન સાસણમાં યોજનારી નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં ભાગ લેશે. અહીં તેઓ 3 હજાર કરોડના પ્રોજેક્ટ લાયનનું લોચિંગ કરશે.</p> <p>ગુજરાતમાં વધનારી સિંહોની વસતીને જોતા આ પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઈટ સિંહ વસવાટ કેંદ્રોમાં નિયંત્રણ, દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિતની સુવિધાઓ ખુલ્લી મુકાશે. ત્યારબાદ તેઓ સાત માર્ચના રોજ &nbsp;સાંજના સમયે સુરતના લિંબાયતમાં નીલગીરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રિ રોકાણ સુરતમાં જ કરી બીજા દિવસે સવારે નવસારીમાં વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમના પ્રવાસને લઈ સ્થાનિક પ્રશાસને પણ તૈયારીઓ શરૂ કરી છે.</p>

વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે વખત ગુજરાતના પ્રવાસે આવશે. મહિનાની શરૂઆતમાં 3 માર્ચ અને ત્યારબાદ 7 અને 8 માર્ચે તેઓ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 3 માર્ચ દરમિયાન સાસણમાં યોજનારી નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં ભાગ લેશે. અહીં તેઓ 3 હજાર કરોડના પ્રોજેક્ટ લાયનનું લોચિંગ કરશે.</p> <p>ગુજરાતમાં વધનારી સિંહોની વસતીને જોતા આ પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઈટ સિંહ વસવાટ કેંદ્રોમાં નિયંત્રણ, દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિતની સુવિધાઓ ખુલ્લી મુકાશે. ત્યારબાદ તેઓ સાત માર્ચના રોજ &nbsp;સાંજના સમયે સુરતના લિંબાયતમાં નીલગીરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રિ રોકાણ સુરતમાં જ કરી બીજા દિવસે સવારે નવસારીમાં વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમના પ્રવાસને લઈ સ્થાનિક પ્રશાસને પણ તૈયારીઓ શરૂ કરી છે.</p> <p>વડાપ્રધાન મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરશે. 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્...

Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોત

<p>Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોત&nbsp;</p> <p><strong>Gujarat Accident:</strong>&nbsp;વાપીમાં બેફામ ડમ્પર ચાલકે ફરી માનવ જિંદગીને કચડી નાખી છે. દમણગંગા મુક્તિધામ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. મૃતકો સાડી ગામે આવેલી એક કંપનીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.</p> <p>અમરેલી: અમરેલીના બાબરા નજીક ખાખરીયા ગામ પાસે ટેમ્પો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પિતા પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને રાજકોટ સારવાર માટે ખસેડાયો છે.</p> <p>લસકાણા: સુરતના લસકાણામાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, જેમાં બે લોકોના કરૂણ મોત થયા છે. લસકાણામાં ફોર વ્હીલ કારે અકસ્માત સર્જતા રાજેશ ગજેરા અને મહેશ લાઠીયા નામના બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં મહિમા નામની એક ...

Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ

<p><strong>Gujarat Weather:</strong> ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે ઠંડીનો માહોલ રહે છે તો વળી, બપોર બાદ ગરમીથી રેબઝેબ થઇ જવાય છે. હવે આ બધાની વચ્ચે અબાલાલ પટેલે મોટી આગાહી કરીને બધાને ચોંકાવી દીધા છે. આગાહી પ્રમાણે, ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ગુજરતામાં ઠેકઠેકાણે વરસાદ ખાબકશે.&nbsp;</p> <p>ગુજરાતના જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરતાં ગુજરાતમાં માવઠાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતમાં એટલે કે 24 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતના દિવસો સુધી કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા રહેશે જેના પગલે અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.</p> <p>હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.તેમજ ગુજરાતવાસીઓને આગામી 2 દિવસ ગરમીમાં શેકાવવાનો વારો ...

વાપી, અમરેલી અને લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર, ટેમ્પો અને કારનો કહેર, 8 ના મોત, અનેક ઘાયલ

<p><strong>Gujarat Accident:</strong> વાપીમાં બેફામ ડમ્પર ચાલકે ફરી માનવ જિંદગીને કચડી નાખી છે. દમણગંગા મુક્તિધામ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. મૃતકો સાડી ગામે આવેલી એક કંપનીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.</p> <p>અમરેલી: અમરેલીના બાબરા નજીક ખાખરીયા ગામ પાસે ટેમ્પો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પિતા પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને રાજકોટ સારવાર માટે ખસેડાયો છે.</p> <p>લસકાણા: સુરતના લસકાણામાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, જેમાં બે લોકોના કરૂણ મોત થયા છે. લસકાણામાં ફોર વ્હીલ કારે અકસ્માત સર્જતા રાજેશ ગજેરા અને મહેશ લાઠીયા નામના બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં મહિમા નામની એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મ...

Gujarat Politics : ભાજપ નેતાનો મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ

<p>Gujarat Politics : ભાજપ નેતાનો મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ</p>

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ: ભાજપ નેતાએ અધિકારીઓ અને વચેટિયાઓને ઘેર્યા

<p><strong>Groundnut Purchase Corruption:</strong> ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ ભાજપના નેતા ભરત કાનાબારે લગાવ્યો છે. કાનાબારે આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓની સાંઠગાંઠથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં બજારમાંથી ખરીદાયેલી હલકી ગુણવત્તાવાળી મગફળી સરકારને વેચવામાં આવી છે.</p> <p>સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ડૉ. ભરત કાનાબારે આ બાબતે અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ ગોલમાલ થઈ છે, જેમાં વેપારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓએ મિલીભગત કરીને ફાયદો ઉઠાવ્યો છે.&nbsp; કાનાબારે દિલીપ સંઘાણીના ખેડૂતો માટેના પ્રામાણિક પ્રયાસોની પ્રશંસા કરી હતી, પરંતુ સાથે જ સરકારમાં હલકી ગુણવત્તાવાળી મગફળી પધરાવવાનું કારસ્તાન ચાલતું હોવાનો દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે સરકારનો ખેડૂતોને ફાયદો કરાવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે MSP યોજના પણ ચલાવવામાં આવે છે, પરંતુ સરકારી યોજનાઓમાં ગેરરીતિ કરવાનો અધિકારીઓ દ્વારા પ્રયાસ થઈ ર...

ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર

<p><strong>Jaundice outbreak Dharmaj:</strong> આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામમાં પાણીજન્ય કમળાનો રોગચાળો ફેલાયો છે, જેના કારણે ગામમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સત્તાવાર રીતે આરોગ્ય વિભાગ દ્વારા 31 કેસ નોંધાયા છે, પરંતુ બિનસત્તાવાર આંકડો 100 થી પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર પરિસ્થિતિમાં, કમળાના રોગથી પીડિત 16 વર્ષની કિશોરીનું કરુણ મોત થતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.</p> <p>ધર્મજ ગામના ભોઈ વાસ, અક્ષર નગર, વાડી ચોક, મોટી ફળી, નવી ઓડ સહિતના વિસ્તારોમાં કમળાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગામમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાના કારણે દુષિત પાણી ભળી રહ્યું છે, જે કમળાના રોગચાળાનું મુખ્ય કારણ છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગંદુ પાણી ભળવાથી પાણી દૂષિત થયું છે અને તેના કારણે લોકો કમળાનો ભોગ બની રહ્યા છે. સત્તાવાર રીતે આરોગ્ય વિભાગે 31 કેસ નોંધ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં આ આંકડો ઘણો વધારે હોવાની શક્યતા છે, કારણ કે બિનસત્તાવાર રીતે 100 થી વધુ લોકો કમળાથી પીડિત હોવાનું કહેવાય છે.</p> <p>ગામ...

દેવાયત ખવડની ન્યાય માટે અપીલ: કાર પર હુમલો, 5 લાખની લૂંટ, છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આનાકાની

<p><strong>Devayat Khawad car attack:</strong> લોકગાયક દેવાયત ખવડ તેમની કાર પર થયેલા હુમલાના કેસમાં ન્યાય મેળવવા માટે આજે ચાંગોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમના ડ્રાઈવર દ્વારા અગાઉ કાર પર હુમલો કરનારાઓ વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી, જેના સંદર્ભે દેવાયત ખવડે આજે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી.</p> <p data-sourcepos="9:1-9:481">દેવાયત ખવડે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "બે ડાયરાના કાર્યક્રમ હતા. સનાથલના ડાયરામાં પબ્લિક ઓછું હોવાથી હું બીજા ડાયરામાં ગયો હતો. બાદમાં મારા ડ્રાઈવર કાના પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ કારના કાચ ફોડી નાખ્યા અને કાર જપ્ત કરી લીધી હતી. એટલું જ નહીં, કારમાં રાખેલા રૂ. 5 લાખ પણ લૂંટી લેવામાં આવ્યા હતા. અમે ચંગોદર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવ્યા હતા, પરંતુ પોલીસે હજુ સુધી FIR નોંધી નથી. તેથી આજે હું પોતે ફરિયાદ નોંધાવવા આવ્યો છું. ગાડી હજુ પણ આરોપીઓ પાસે જ જપ્ત છે."</p> <p data-sourcepos="11:1-11:361">દેવાયત ખવડે વધુમાં જણાવ્યું કે તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર સા...

એક જ દિવસે બે ડાયરા કરવા મુદ્દે દેવાયત ખવડે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

<p><strong>Devayat Khawad controversy:</strong> લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ તાજેતરમાં તેમની ગાડી પર થયેલા હુમલાના સમાચારો અને તે અંગેની અટકળોને લઈને ચર્ચામાં છે. શુક્રવારે બનેલી આ ઘટના બાદ, એવી વાતો વહેતી થઈ હતી કે દેવાયત ખવડે ડાયરાના કાર્યક્રમના પૈસા લીધા હોવા છતાં હાજર રહ્યા નહોતા, જેના કારણે આ હુમલો થયો. જો કે, દેવાયત ખવડે હવે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા રજૂ કરી છે અને પોતાનો પક્ષ મૂક્યો છે.</p> <p>દેવાયત ખવડે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, "હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે દેવાયત ખવડે બે ડાયરાના કાર્યક્રમો સ્વીકાર્યા હતા, પરંતુ એકમાં હાજરી આપી અને બીજામાં ગેરહાજર રહ્યા. આ વાત તદ્દન ખોટી છે. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે મેં સનાથલના ડાયરામાં હાજરી આપી હતી. આયોજકો ત્યાંના CCTV ફૂટેજ ચકાસી શકે છે. મેં સાંજે 8 થી 9:30 વાગ્યા સુધી સનાથલમાં કાર્યક્રમ આપ્યો હતો અને ત્યારબાદ આયોજકોની મંજૂરી લઈને જ હું પીપળજમાં અન્ય કાર્યક્રમ માટે રવાના થયો હતો."</p> <p>તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, "મેં કોઈ ખોટું ક...

Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

<p><strong>Gujarat Weather:</strong> હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. રાજ્યમાં ફરી એક &nbsp;વખત માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.&nbsp; &nbsp; &nbsp;&nbsp;<br />&nbsp;<br /><strong>મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા</strong></p> <p>અંબાલાલે વધુમાં જણાવ્યું કે 27 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે, જે 31 થી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તેમના અનુમાન મુજબ, ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.</p> <p><strong>ઠંડીનો ચમકારો વધવાની શક્યતા</strong></p> <p>આ ફેરફારના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાય ત...

Gujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

<div class="transcript-card-info" data-v-0ec384e6=""> <div class="table-body" data-v-0ec384e6=""> <div class="transcript-content" data-v-0ec384e6="">Gujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?</div> <div class="transcript-content" data-v-0ec384e6="">&nbsp;</div> <div class="transcript-content" data-v-0ec384e6="">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમને ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી. આગામી દિવસોમાં ઉદ્યોગમાં પણ ગ્રીન એનર્જી કોન્સેપ્ટ લાવવા માંગીએ છીએ તેવું કહ્યું. એસ્ટેટ કે જીઆઈડીસી સંપૂર્ણ રીતે ગ્રીન એનર્જી સાથે જોડાશે. સરકાર સર્ટિફિકેટ આપશે કે આ પ્રોડક્ટ ગ્રીન એનર્જી યુક્ત છે. હાલ વિચારણા ચાલી રહી છે. ભવિષ્યમાં તેનો અમલ કરવામાં આવશે. પેકેજિંગમાં પણ મેડ ઇન ઇન્ડિયા શરૂ થાય કેવો પ્રયાસ કર્યો છે, તેવું પણ સીએમએ જણાવ્યું. હવે ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતે આપી શકાય આ ગ્રીન એનર્જી એન...

દહેગામના પૂર્વ ધારાસભ્યના પતિને બે વર્ષની સજા:કોરોના કાળમાં પોલીસ કર્મચારી સાથે માથાકૂટ અને ધમકી આપવાના કેસમાં કોર્ટનો ચુકાદો

https://ift.tt/dh9EuVk દહેગામ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પૂર્વ ધારાસભ્ય કામિનીબેનના પતિ ભૂપેન્દ્રસિંહ ઉર્ફે લાલભાઈ રાઠોડને બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે તેમની સાથે રૂ. 1 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ઘટના 17 મે 2020ની છે. કોરોના કાળ દરમિયાન પ્રોહિબિશનના કેસમાં બે આરોપીઓ આગોતરા જામીન લઈને દહેગામ પોલીસ સ્ટેશને આવ્યા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન દહેગામ કોંગ્રેસ શહેર પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડ અને વિશ્વજીતસિંહ સિસોદિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. લાલભાઈએ આરોપીઓને તાત્કાલિક છોડી મૂકવાની માગણી કરી. પીએસઆઇ સોલંકીએ કાર્યવાહી પૂરી થયા બાદ છોડવાનું જણાવ્યું. આ વાત સાંભળી લાલભાઈ ઉશ્કેરાયા અને પોલીસને ધમકી આપી. જમાદાર વિક્રમભાઈએ શાંત રહેવા કહ્યું ત્યારે લાલભાઈએ તેમની સાથે ઝપાઝપી કરી મુક્કો માર્યો. પોલીસ સ્ટેશનમાંથી નીકળતી વખતે બંને આરોપીઓએ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેઓ EX MLA GUJARAT લખેલી લાલ ગાડીમાં આવ્યા હતા. પોલીસે બંને વિરુદ્ધ ઈપીકો કલમ 353, 332 સહિતની વિવિધ કલમો અને કોવિડ-19 એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. દહેગામના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક...

ગુજરાતમાં પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત! વિધાનસભામાં ઊર્જા વિભાગની જાહેરાત

<p><strong>Gujarat smart meters:</strong> ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત કરવાની જાહેરાત બાદ વિવાદ વકર્યો છે. વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રીએ સ્માર્ટ મીટરના ફાયદા વર્ણવ્યા હતા, પરંતુ વડોદરા અને ગોધરા સહિત રાજ્યભરના શહેરીજનોમાં સરકારના આ નિર્ણય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ભૂતકાળમાં સ્માર્ટ મીટર લગાવવાથી આવેલાં વધુ બિલો અને ટેક્નોલોજીથી અજાણ લોકોની મુશ્કેલીઓનો હવાલો આપી રહ્યા છે.</p> <p data-sourcepos="9:1-9:428">વિધાનસભા ગૃહમાં પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વીજ ગ્રાહકો માટે પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાવવાના નિયમો છે. મંત્રીએ દાવો કર્યો કે સ્માર્ટ મીટર અને હાલના મીટરની કામગીરી સમાન છે, અને સ્માર્ટ મીટરના અનેક ફાયદા છે. તેમણે ઉમેર્યું કે ગ્રાહકો સ્માર્ટ મીટર દ્વારા મોબાઈલ પર જ વીજ વપરાશની તમામ માહિતી મેળવી શકશે, જે વીજ વ્યવસ્થાને વધુ આધુનિક અને પારદર્શક બનાવશે.</p> <p data-sourcepos="11:1-11:512">સરકાર દ્વારા સ્મ...

રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?

<p>વિધાનસભા ગૃહની કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન &nbsp;રાજ્યમાં મફત વિજળી આપવાનું કોઈ આયોજન ન હોવાની સ્પષ્ટતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કરી હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણાના સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે &nbsp;અન્ય રાજ્યોની જેમ 200થી 300 યુનિટ વિજળી ફ્રી આપવાની હાલમાં ગુજરાતમાં કોઈ વિચારણા નહી.</p> <p><strong>પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત</strong></p> <p>અન્ય એક સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ ગૃહમાં દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત હોવાની ઉર્જા મંત્રીની વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટરના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. ગ્રાહકો માટે પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફાયદાકારક હોવાની ઉર્જામંત્રીએ જાણકારી આપી હતી.</p> <p>ગુજરાતમાં જાહેર દેવાને લઈને &nbsp...

Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત

<p style="text-align: justify;"><strong>Gujarat Budget:</strong> નાણા મંત્રી કનુ દેસાઇ ગૃહમાં બજેટ રજુ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, &nbsp;ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં &ldquo;ઘરનું ઘર&rdquo; સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ ₹૫૦ હજારના માતબર વધારા સાથે ₹૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરું છું.</p> <p style="text-align: justify;"><strong>શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ</strong><br />શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ, સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ, મહિલા અને બાળ &nbsp;વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ, અન્ન-નાગરિક...

Gujarat Budget live updates: આજે નાણામંત્રી કનુદેસાઈ સતત ચોથીવાર રજૂ કરશે બજેટ

<p>Gujarat Budget live updates: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. તેમણે 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.</p> <p>દોઢ મહિનો ચાલનારા વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.</p>

Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર

<p>Gujarat budget: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. તેમણે 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.</p> <p>દોઢ મહિનો ચાલનારા વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.</p> <p><a title="બજ...

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, આવતીકાલે નાણામંત્રી રજૂ કરશે બજેટ

<p>આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે.જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ,ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનુ બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળશે. પ્રથમ દિવસની શરૂઆત રાજ્યપાલના ભાષણથી થશે. આ પછી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને તાજેતરમાં અવસાન પામનાર કડીના ધારાસભ્ય સ્વ.કરશન સોલંકી સહિતના ધારાસભ્યોને શોકાજંલિ અપાશે.</p> <p>દિવસના અંતે ફિઝીયોથેરાપી કાઉન્સિલ રદનું અને આરોગ્ય સંસ્થાના રજીસ્ટ્રેશનનું સુધારા વિધેયક રજૂ કરાશે. તો આવતીકાલે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ બજેટ કરશે. જોકે વિધાનસભા દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો,આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો,ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે.</p> <p>ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને શાસક પક્ષના હોલમાં ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રી મંડળના સભ્યો સહિત ભાજપન...

Gujarat Local Body Elections Result: આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ, પાલિકા-પંચાયતો કોન કરશે રાજ, ભાજપ કે કોંગ્રેસનો ?

<p><strong>Gujarat Local Body Election 2025:</strong> રવિવાર 16મી ફેબ્રુઆરીએ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન યોજાયુ હતુ. આમાં 68 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે લોકો હોંશભેર મતદાન કર્યુ હતુ, હવે આજે આ તમામનું પરિણામ આવી રહ્યું છે. ચૂસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે સવારથી મતગણતરી શરૂ થઇ રહી છે. જાણો આજે ક્યાં લહેરાશે ભાજપનો ભગવો અને ક્યાં પંજો મારશે બાજી ?</p> <p>16 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણીજંગનું પરિણામ આજે આવશે. આજે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓની પરિણામ આજે જાહેર થશે. રાજ્યમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ક્યાંક EVM ખોટકાયાની ફરિયાદ તો ક્યાંક બટન નહીં દબાતું હોવાના કારણે હોબાળો મચ્યો હોવાની અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી. તો કેટલીક જગ્યાઓ પર ઓછું મ...

ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?

<p>એસટી નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો અને મોટો નિર્ણય લીધો હતો. એસ.ટીના કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન કોઈપણ પ્રકારે અવસાન થાય તો રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને 14 લાખની સહાય ચૂકવશે. આ નિર્ણયથી નિયમિત ધોરણે&nbsp; ભરતી પ્રક્રિયાથી નિમણુંક પામેલા વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓનું 24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરીમાં અવસાન થાય તો સ્વર્ગસ્થ કર્મચારીના પરિવારને 14 લાખની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. ઉપરાંત વિવિધ કચેરીમાં નિયુક્ત કરાયેલ પાંચ વર્ષીય ફિક્સ પગારની કરાર આધારિત સેવાના વર્ગ ત્રણ અને ચારના અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનોને 14 લાખની નાણાકીય સહાય ચૂકવાશે.</p> <p>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમના કર્મયોગીઓ માટે સંવેદનશીલ નિર્ણય લીધો છે. &nbsp;જે અંતર્ગત એસ.ટીના કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના પરિવારને 14 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. <br /><br />વધુમાં કહેવામાં આવ્યું હતું કે &nbsp;મુસાફરોને પોતાના ...

Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ

<p>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. નોંધનીય છે કે 16 ફેબ્રુઆરીના રોજ &nbsp;રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને ત્રણ 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે. ચોરવાડ પાલિકામાં રેકોર્ડ બ્રેક 76 ટકા મતદાન થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં નીરસતા જોવા મળી હતી. માત્ર 40 ટકા મતદાન થયું હતું. &nbsp;</p>

ગુજરાત પોલીસ PSI શારીરિક કસોટીનું પરિણામ થયું જાહેર: યાદી જોવા માટે અહીં ક્લિક કરો

<p><strong>Gujarat Police PSI result: </strong>ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 11,000થી વધુ PSI અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેના ભાગરૂપે, બિન-હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સંવર્ગ માટે 8 જાન્યુઆરી, 2025 થી શારીરિક કસોટી લેવામાં આવી હતી. આ કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોની યાદી પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.</p> <p>રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. જે ઉમેદવારોએ આ કસોટી આપી છે, તેઓ પરિણામ જોવા માટે પોલીસ વિભાગની સત્તાવાર વેબસાઇટ <a href="https://ift.tt/GqCcS2R> પર <a href="https://www.lrdgujarat2021.in/Downloads%2FPETPST_Result_Only_Q_for_Website_Dt_17022025.pdf">ક્લિક</a> કરીને વિગતવાર માહિતી મેળવી શકે છે.</p> <p>પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ભૂલથી જો કોઈ ગેરલાય...

શહેરી ગુજરાત ચમકશે! વિકાસ માટે સરકારે ખોલી તિજોરી, એક જ દિવસમાં ₹૫૩૭ કરોડના જનસુખાકારી કામો મંજૂર

<p><strong>Gujarat government funding:</strong> રાજ્યના નગરો અને મહાનગરોમાં નાગરિકોના જીવનધોરણને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે. શહેરી જનસુખાકારીના વિવિધ વિકાસ કામો માટે એક જ દિવસમાં એક સાથે કુલ ૫૩૭.૨૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ નાણાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે, જે રાજ્ય સરકારની પારદર્શી અને ઝડપી નિર્ણય પ્રક્રિયાનું ઉત્તમ ઉદાહરણ છે.</p> <p>મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજૂર કરાયેલા આ ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, આંતર માળખાકીય સુવિધાઓ, માર્ગ મરામત, પાણી પુરવઠા પાઇપલાઇન, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને શહેરી બસ પરિવહન યોજના જેવા મહત્વપૂર્ણ કામો માટે કરવામાં આવશે. આ વિકાસ કાર્યોથી શહેરીજનોના જીવનમાં નોંધપાત્ર સુધારો થશે અને શહેરોની માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે.</p> <p>આ નાણાં ફાળવણીમાં મુખ્ય શહેરો અને નગરપાલિકાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે:</p> <p>અમદાવાદ મહાનગરપાલિકા: અમદાવાદ શહેરને મુખ્યમ...

Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર

<p style="text-align: justify;"><strong>ખેડા:</strong> રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો પોતાના પતાધિકારીનો ઉપયોગ કરી રહ્યા છે. તો બીજી તરફ ખેડા જિલ્લામાંથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અહીં મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચુંટણીના મતદાન કેન્દ્ર &nbsp;પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.</p> <p style="text-align: justify;">વોર્ડ નંબર પાંચના મતદાન મથક 3 ખાતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. વીરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીધેલો પ્રિસાઇડીંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક છે. આ ઘટના બાદ કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઇડીંગ ઓફિસ ને હટાવી દેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે, જો પ્રિસાઇડીંગ ઓફિસર પીઘેલો હશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. &nbsp;હાલ પીધેલા પ્રિસાઇડીંગ ઓફિસરને સોનાવાલા હાઈસ્કૂલમાં મહેમદાવાદ પાલિકા ચુંટણી અધિકારી પાસે મોકલવામ...

Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ

<p>Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ</p> <p>Local body Election:આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. જૂનાગઢ મહાનગર પાલિકા&nbsp; સહિત , 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે વોટિંગ થઈ રહ્યું છે. આ ચૂંટણી પ્રક્રિયા 19,84,730 પુરુષ મતદારો જ્યારે 19,01,410 સ્ત્રી મતદારો તથા 15 અન્ય મતદાતા &nbsp;છે. કુલ 38,86,285 મતદારો છે. આ મતદાન દરમિયાન 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં આજે કેદ થશે. &nbsp;18 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર થશે.</p> <p>ઉલ્લેખનિય છે કે,&nbsp; 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરિફ થઇ &nbsp;છે. કુલ 1884 બેઠકો પૈકી 1677 પર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મહાનગર પાલિકાની 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ થઈ છે. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાઇ રહી છે.ય &nbsp;જેમાં 72માંથી 23 બેઠકો બિનહરીફ થઈ છે.તેથી &nbsp;કુલ મળીને 212 ઉમેદવાર બિન-હરીફ ચૂંટા...

ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા: અમદાવાદથી સુરત સુધી સર્જાયા ગમખ્વાર અકસ્માતો, અનેક લોકોના જીવ ગયા

<p><strong>Gujarat Accident:</strong> ગુજરાતમાં આજે માર્ગ અકસ્માતોની એક દુ:ખદ શ્રેણી સર્જાઈ છે, જેમાં રાજ્યના વિવિધ ભાગોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. અમદાવાદથી લઈને સુરત અને જામનગર સુધીના વિસ્તારોમાં ગમખ્વાર અકસ્માતો નોંધાયા છે.</p> <p>અમદાવાદ: અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મીઠાખળી પાસે એક સ્કોડા કારે ચારથી પાંચ વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જનાર નિલેશ પટેલ નામના યુવકની મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી છે અને યુવક નશાની હાલતમાં હોવાની આશંકા સેવાઈ રહી છે.</p> <p>જામનગર: જામજોધપુરમાં ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા એક અકસ્માતમાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો છે. જો કે, અકસ્માતમાં બાઈક ચાલકને પગમાં ઈજા પહોંચી છે અને બાઈકને ભારે નુકસાન થયું છે. સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રક સાથે અથડાયા પહેલા બાઈક સ્લીપ થઈ ગયું હતું, જેના કારણે બાઈક ચા...

ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર

<p><strong>Discrimination against Dalits in temples: </strong>વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શિવ મંદિર અને અન્ય ત્રણ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને અવગણવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવ્યો નહીં. એટલું જ નહીં, ગામના સરપંચ, જે અનુસૂચિત જાતિના છે, તેમનો ફાળો પણ નકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.</p> <p>જણાવવામાં આવી રહ્યું છે કે, 16 જાન્યુઆરીના રોજ, ગાંધીનગરથી ઈન્દ્રજિતસિંહ સોઢાને આ ભેદભાવ વિશે જાણ થતાં, તેઓ તરત જ કલ્યાણપુરા ગામે પહોંચ્યા હતા. તેમણે મંદિરના મુખ્ય સંચાલક સાથે વાતચીત કરી, જેના પગલે સંચાલકે મંદિર કમિટીને પૂછ્યા પછી જવાબ આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ, અનુસૂચિત સમાજના વડીલો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.</p> <p>પરંતુ જ્યારે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં, ત્યારે હિંદુ યુવા સંગઠન-ભારત દ્વારા 5 અને 6 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચર્ચા દરમિયાન મંજૂરી...

Gandhinagar: ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી થશે ઓનલાઈન, વેબ પોર્ટલ થયું લોન્ચ

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વગેરે ધારણકર્તા એલોટિઝનું હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના ઝડપી અસરકારક નિકાલ માટે ૨૦૧૬થી ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે. ગુજરાતમાં ૧ મે-૨૦૧૭થી અમલી થયેલા આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ(રેરા ટ્રિબ્યુનલ)ની સ્થાપના કરી છે.</p> <p style="text-align: justify;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવતાં યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલનું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ આર.એમ. છાયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કર્યું હતું. આ વેબપોર્ટલ great.gujarat.gov.in કાર્યરત થતાં હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રીબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવે છે, તેમાંથી મુક્તિ મળશે. પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલ પર કરી શકશે. એટલું જ નહીં, તે અંગેની ફી પણ ઓનલાઈન ભરી શકાશ...

રિયલ એસ્ટેટ અપીલ માટે ડિજિટલ ક્રાંતિ:ગુજરાત રેરા ટ્રિબ્યુનલની તમામ કાર્યવાહી હવે ઓનલાઈન, મુખ્યમંત્રીએ વેબ પોર્ટલ લોન્ચ કર્યું

https://ift.tt/X7RoEMt ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રેરા ટ્રિબ્યુનલના નવા યુઝર ફ્રેન્ડલી વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. ટ્રિબ્યુનલના ચેરમેન અને નિવૃત્ત ચીફ જસ્ટિસ આર.એમ. છાયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં great.gujarat.gov.in વેબસાઈટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવા પોર્ટલ દ્વારા હવે નાગરિકો ઘરે બેઠા રેરા ટ્રિબ્યુનલની 17 જેટલી વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. આ સેવાઓમાં અપીલ ફાઈલિંગ, ઓનલાઈન ફી ચુકવણી, સુનાવણીની તારીખની જાણકારી, ચુકાદાની માહિતી અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓનો સમાવેશ થાય છે. દરેક પ્રક્રિયાની માહિતી ઈ-મેઈલ અને SMS દ્વારા પક્ષકારોને મળશે. કેન્દ્ર સરકારે 2016માં રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન માટે રેરા કાયદો ઘડ્યો હતો, જે ગુજરાતમાં 1 મે 2017થી અમલમાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને પારદર્શિતાના વિઝનને અનુરૂપ આ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રેરાના મેમ્બર એડમિનિસ્ટ્રેશન એન્ડ ટેક્નીકલ રામકુમાર, જ્યુડિશિયલ મેમ્બર દવે, રજિસ્ટ્રાર વાળા અને મુખ્યમંત્રીનાં સચિવ અવંતિકા સિંઘ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપને મળ્યું મુસ્લિમ સમાજનું સમર્થન! 21 બેઠકો પર ભાજપના મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ વિજયી

<p><strong>BJP Muslim support in Gujarat:</strong> ગુજરાતમાં 68 નગરપાલિકાઓ, જૂનાગઢ મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયતોની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. કુલ 4390 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં ભાજપે 162 બેઠકો બિનહરીફ જીતી લીધી છે, જેમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ બેઠકો પૈકી 21 બેઠકો પર ભાજપના મુસ્લિમ ઉમેદવારોનો વિજય થયો છે.</p> <p>પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેંક ગણાતા મુસ્લિમ સમાજમાં આ વખતે ભાજપ તરફી મોટું પરિવર્તન જોવા મળ્યું છે. બિનહરીફ જાહેર થયેલા ભાજપના મુસ્લિમ ઉમેદવારોને તેમના વિસ્તારના મુસ્લિમ સહિત તમામ સમાજના લોકોનું સમર્થન મળ્યું છે. બીજી તરફ, બાલાસિનોરમાં કોંગ્રેસના બે મુસ્લિમ ઉમેદવારો પણ બિનહરીફ જાહેર થયા છે.</p> <p>દરમિયાન, કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે ભાજપમાંથી ચૂંટણી લડતા મુસ્લિમ ઉમેદવારો અંગે વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું હતું કે, "જે મુસ્લિમ ભાજપમાંથી ઉમેદવારી કરે તેમનું જમીર મરી ગયું હોય." આ નિવેદન બદલ ભાજપે કોંગ્રેસની માનસિકતા સામે સવાલો ઉઠાવ્યા છે.</p> <p>આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુ...