<p><strong>Gujarat education system controversy:</strong> ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાઓનો સિલસિલો યથાવત છે. એક તરફ સમાજ શિક્ષકોને આદર્શ માને છે, ત્યારે બીજી તરફ શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવતા શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે. ફેબ્રુઆરી મહિનામાં અમરેલીથી શરૂ થયેલો શિક્ષકોના કાળા કરતુતોનો સિલસિલો બોટાદ સુધી પહોંચ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તેવો ભયજનક સંદેશો સમાજમાં ફેલાયો છે.</p> <p><strong>સાવરકુંડલા: શિક્ષક વિશાલ સાવલિયા પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ</strong></p> <p>અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 11 ફેબ્રુઆરીના રોજ શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના બની હતી. અહીં વિશાલ સાવલિયા નામના શિક્ષક પર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શિક્ષક વિશાલ સાવલિયાની ધરપકડ કરી છે. આ ઘટનાએ સાવરકુંડલા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.</p> <p><s...