Skip to main content

Posts

Showing posts from October, 2021

શ્રમજીવી વૃધ્ધને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ફરાર

અમદાવાદ,શનિવાર  અમદાવાદમાં દિવસે ને દિવસે હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે, અમરાઇવાડીમાં દસ દિવસ પહેલા શાકભાજીનો વ્યવસાય કરતા વૃધ્ધને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર હાલતમાં વૃધ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. નાગરવેલ હનુમાન સત્યમ શાક માર્કેટ પાસે દસ દિવસ પહેલા  ટક્કર મારી હતી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતા સારવાર દરમિયાન મોત થયું  અમરાઇવાડી નાગરવેલ હનું માન મંદિર પાસે ચંપાબેનની ચાલીમાં રહેતા અને  નાગરવેલ હનુમાન મંદિર પાસે સત્યનગર શાકમાર્કેટમાં શાકભાજીનો વ્યવસાય કરતા રામશંકર રામપાલ જયસ્વાલ (ઉ.વ.૬૦)  ગત  તા. ૧૭ના રોજ  શાકભાજીની લારી  બંધ કરીને ચાલતા ઘરે જઇ રહ્યા હતા   આ સમયે રાતે ૧૦ વાગે  સંજયચોક દદુપાર્ટી પ્લોટ પાસે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. આ બનાવની જાણ થતાં તેમના ભાઇ દોડી આવ્યા હતા તેઓએ આવીને જોયું તો વૃધ્ધ બેહોશ હાલતમાં રોડ ઉપર પડેલા હતા જેથી તેમને એમ્બ્યુલન્સનમાં તાત્કાલીક એલ.જી.હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દસ  દિવસની સ...

મણિનગર ગુરુજી ઓવરબ્રિજ ઉપરથી છલાંગ મારતા વૃધ્ધનું મોત

  અમદાવાદ,શનિવાર મણિનગર વિસ્તારમાં ગુરુજી ઓવરબ્રિજ ઉપરથી આજે સવારે  એક વૃધ્ધે અચાનક છલાંગ મારી હતી, રેલવેના પાટા ઉપર પડતાં માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજા થતાં  ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે મણિનગરથી ખોખરા તરફ જવાના માર્ગ ઉપર ટ્રાફિક ચક્કાજામ થયો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વૃધ્ધની ઓળખ પરખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અજાણ્યા વૃધ્ધની ઓળખ પરખની કાર્યવાહી હાથ ધરી  આ કેસની વિગત એવી છે કે મણિનગરથી ખોખરા તરફ જવાના ગુરુજી ઓવર બ્રિજ ઉપરથી આજે વહેલી સવારે ૬૦ વર્ષની ઉમરના અજાણ્યા વૃધ્ધે છલાંગ મારી હતી જેથી  રેલવેના પાટા ઉપર પડતાં માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું.  આપઘાતની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા  તેમજ  ઓવર બ્રિજ ઉપર પણ વાહન ચાલકો આડેધડ વાહન પાર્ક કરતા ટ્રાફિક ચક્કા જાણ થઇ ગયો હતો.  આ બનાવ અંગે મણિનગર પોલીસે  લાશને પીએમ માટેહોસ્પિટલમાં મોકલીને અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતક વૃધ્ધના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે, જો ...

જિલ્લામાં ટેકાનાભાવે મગફળી ખરીદીનું લાભપાંચમથી મુહૂર્ત

ગ્રામ્યકક્ષાએ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવાની કામગીરી કાર્યરતઃગત વર્ષ કરતા અડધા ખેડૂતોની જ નોંધણીઃપ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૫ , ૫૫૦ ટેકાનો ભાવ ગાંધીનગર:  ગાંધીનગર જિલ્લામાં પણ આગામી લાભપાંચમથી ટેકાનાભાવે મગફળી ખરીદીનો તંત્ર દ્વારા પારંભ કરવામાં આવનાર છે. હાલ ખેડૂતોના નામની નોંધણી કરવામાં આવી રહી છે જેમાં ગત વર્ષની સાપેક્ષમાં અડધાથી પણ ઓછા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે લાભપાંચમ પહેલા ટેકાનાભાવે પોતાની મગફળી વેચવાનું ઇચ્છતા ખેડૂતો પોતાનું રજીસ્ટ્રેશન કરાવે તે માટે ગ્રામ્યકક્ષાએ વ્યવસ્થા ગોઠવવા અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે માટેની સુચના કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો પર કુદરત મહેરબાન નહીં હોવાથી પાક તથા ખેતીવાડીને વ્યાપક નુકશાન થાય છે. ખેડૂતો મોંઘા બિયારણ , ખાતર , સિંચાઇ કરીને પોતાના પરસેવે ખેતી કરે છે પરંતુ બજારમાં તેનો યોગ્ય ભાવ મળતો નથી જેના કારણે ખેડૂતો સરકારે આપેલા ટેકાનાભાવે પોતાનું ઉત્પાદન વેચે છે.ગત વર્ષે મોટાભાગના ખેડૂતોએ મગફળીનું ટેકાનાભાવે વેચાણ કરવાનું પસંદ કર્યું હતું ગાંધીનગર જિલ્લામાં પાંચ હજારથી વધુ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાનાભાવે...

આજે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક, વિધાનસભા ચૂંટણીની ચર્ચા

આજે કોંગ્રેસ સભ્ય નોંધણી અભિયાન શરૂ  કરશે આગામી દિવસોમાં ભાજપ સરકાર સામે લડત લડવા આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક રવિવારે મળવા જઇ રહી છે. પ્રદેશ પ્રભારી ડો.રઘુ શર્માના વડપણ હેઠળ મળનારી આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી મુદદે રણનીતિ ઘડવા ચર્ચા કરાશે. આ ઉપરાંત કોંગ્રેસ રવિવારથી સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ કરશે. રવિવારે અમદાવાદ શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ બપોરે દોઢ વાગે કોંગ્રેસના ધારાસભ્યો ઉપરાંત શહેર જિલ્લા પ્રમુખ,નગરપાલિકા-તાલુકાના પ્રમુખની બેઠક મળનાર છે. સૂત્રોના મતે, આ બેઠકમાં આગામી દિવસોમાં ભાજપ સરકાર સામે મોંઘવારીથી માંડીને અન્ય મુદ્દાઓને લઇને પ્રજા વચ્ચે જવા આંદોલનાત્મક કાર્યક્રમ ઘડવામાં આવશે. આ વખતે કોંગ્રેસે કાર્યકરોને કયા કયા મુદ્દાઓને લઇને  આંદોલનાત્મક કાર્યક્રમ કરવા તે અંગે તાલીમ આપવા ય નક્કી કરાયુ છે. આ બેઠકમાં અમદાવાદમાં યોજાનારી ચિંતન શિબિરને લઇને પણ ચર્ચા કરવામાં આવનાર છે.  ખાસ કરીને સભ્ય નોંધણી અભિયાનને વેગવંતુ જ નહી, અસરકારક રીતે અમલ થાય તે માટે પણ કોંગ્રેસે આયોજન કર્યુ છે. ઉલ્લેખનીય છે...

મહેસૂલ વિભાગમાં ફેરફારો, ત્રણ નાયબ સચિવની નિયુક્તિના આદેશ

ગાંધીનગર : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિકારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કામનું ભારણ વધી જતાં રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ત્રણ નાયબ સચિવની નિયુક્તિના આદેશ કર્યા છે. આ વિભાગમાં નાયબ સચિવ આરજી ભટ્ટને મહેકમ, ભાવિન ડી ભટ્ટને જમીન સંપાદન અને ગુજરાત વહીવટી સેવાના વર્ગ-1ના અધિકારી એમજે પંડયાને એટીવીટીમાં નિયુક્તિ આપવામાં આવી છે. નાયબ સચિવ આરજી ભટ્ટને તેમની હાલની ફરજો ઉપરાંત બજેટ, સંકલન અને આઇટીના નાયબ સચિવનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. યુએલસીના સંયુક્ત સચિવ પીએન મકવાણાને એટીવીટીના નાયબ સચિવના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જમીન વિભાગના નાયબ સચિવ ડીઆર ભમ્મરને મહેકમ, સેવા વિભાગના એકે ઉપાધ્યાયને બજેટ અને તપાસ વિભાગના એએચ મનસુરીને સંકલન તેમજ આઇટીના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગમાં ત્રણ નાયબ સચિવોએ દિવાળી પહેલાં તેમના નવા હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે તેથી વિભાગના પાંચ અધિકારીઓ વધારાના હવાલામાંથી મુક્ત થયા છે. https://ift.tt/2ZCcd6m

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વીજળીના યુનિટદીઠ દરમાં ૫૦ પૈસાનો વધારો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેજ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ વીજળીના યુનિટદીઠ દરમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ૫૦ પૈસાનો વધારો કરવામાં આવતા ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ જોડાણધારકોને માથે રૃા. ૧૩૧૮ કરોડનો વધારાનો ખર્ચબોજ આવશે. વીજળી પેદા કરવા માટે કરવા પડતા ઇંધણ ખર્ચ ઉપરાંત પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ ખરીદવામાં આવતી વીજળીના ખર્ચના ઉમેરાની સરેરાશ સાથે એફપીપીપીએનો ત્રિમાસિક ગાળાનો સરેરાશ દર યુનિટદીઠ રૃા. ૨.૪૦ આવ્યો છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં આ દર યુનિટે રૃા. ૧.૯૦નો હતો. ગુજરાતની સરકારી કંપનીઓએ ખાનગી કંપનીઓ પાસેથી યુનિટદીઠ ઊંચા ભાવે વીજળી ખરીદી હોવાથી સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ૫૦ પૈસાનો વધારો આવ્યો છે. તેમાંથી ૧૦ પૈસાનો વધારો કંપનીઓએ પોતે જ કરી દીધો છે. બાકીના ૪૦ પૈસાનો વધારો જર્કની મંજૂરી માટે મૂક્યો છે. ઓક્ટોબર, નવેમ્બર અનેડિસેમ્બરની બિલિંગ સાઈકલમાં વીજ કંપનીઓ ગ્રાહકો પાસેથી યુનિટે દસ પૈસા વધારે વસૂલશે. જર્ક મંજૂૂરી આપે તે પછી વધારા ૪૦ પૈસાની વસૂલીનું આયોજન કરવામાં આવશે. જોકે જર્કે એફપીપીપીએના મહત્તમ દર યુનિટે રૃા. ૨.૧૦ના ...

રાજસ્થાન સેવા સમિતિને બધી પ્રોક્સી રદ કરી ફિઝિકલ વોટિંગ જ કરાવો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર રાજસ્થાન સેવા સમતિની ચૂંટણીમાં પ્રોક્સીને મુદ્દે ભારે વિવાદ થયો છે. રાજસ્થાન સેવા સમિતિના વર્તમાન મેનેજમેન્ટ એકતા પેનલની વધુ પ્રોક્સી આવ્યાનું જાણ થતાં એકતા પેનલની વધુ પ્રોક્સી રદ બાતલ ઠેરવીને તેમની વિજયી સરસાઈને તોડી નાખવાનો પ્રયાસ કર્યો છે. એકતા પેનલનો આક્ષેપ છે કે રાજસ્થાન સેવા સમિતિના ૧૪૨૯ સભ્યની કુલ ૧૪૪૨ પ્રોક્સી આવી હતી. તેમાંથી એકતા પેનલની ૭૫૪ પ્રોક્સી હતી. તેમની પ્રોક્સીમાં સરસાઈ હતી. આ સરસાઈ ખતમ  કરવાનો તેમણે ખેલ કર્યો હતો. ડુપ્લીકેટ પ્રોક્સી ૨૭૩ કેન્સલ કરવા ઉપરાંત તેમની ૧૭૨ બીજી પ્રોક્સી કેવાયસીને નામે કેન્સલ કરી હતી. તેની સામે તટસ્થ હોવાનો દેખાવ કરવા માટે તેમની સંસ્કાર પેનલના અંદાજે ૬૦ જણની પ્રોક્સી પણ રદ કરી હતી. આ સંજોગોમાં એકતા પેનલની મતો તૂટી જાય તો સંસ્કાર પેનલના વિજયનો રસ્તો ખૂલી જાય તેવો ખેલ પાડયો હતો. તેથી એકતા પેનલે તેનો વિરોધ કર્યો હતો. એકતા પેનલે કેવાયસી આપ્યા છતાંય તેમણે તે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો  હતો. આ પ્રોક્સી રદ કરવા માટેના કારણો કેવાયસીના છે કે સહી મિસમેચિંગના છે તે અંગે વ્યવસ્થિત કારણ આપતા નથી. કેવાયસીમાં ૨...

આજે સરદાર પટેલ જયંતિ, મનપાને પ્રતિમા સાફ કરવાનુ યાદ ના આવ્યુ

- શહેરના સરદારબાગની હાલત ખરાબ, ફરવા આવતા લોકોમાં કચવાટ - પક્ષી ઘરમાં કેટલાક પક્ષીના મૃત્યુ, કેટલાક ઈજાગ્રસ્ત : ફુવારા પણ ઘણા સમયથી બંધ  ભાવનગર : આવતીકાલે તા. ૩૧ ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે પરંતુ સરદારબાગની ખરાબ હાલત જોવા મળી રહી છે. સરદાર પટેલની પ્રતિમાની પણ સફાઈ કરવામાં આવી નથી તેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.  ભાવનગર શહેરના સરદારબાગ (પીલગાર્ડન)માં મહાપાલિકા દ્વારા હજુ બે વર્ષ પૂર્વે કરોડો રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને રીનોવેશન કરવામાં આવ્યુ હતુ પરંતુ હાલ પીલગાર્ડનની ખરાબ હાલત જોવા મળી રહી છે. આવતીકાલે રવિવારે સરદાર પટેલની જન્મ જયંતિ છે પરંતુ સરદારબાગમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાની સફાઈ પણ કરવાનુ મહાપાલિકાના ગાર્ડન વિભાગને સુજ્યુ ના હોય તેમ પ્રતિમા પર ધુળ, ચરક જોવા મળ્યુ હતુ તેથી જાગૃત નાગરીકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. સરદારબાગના પક્ષી ઘરમાં બે પક્ષીના મૃત્યુ થયા હતા અને આશરે ૩ પક્ષી ઈજાગ્રસ્ત હોવાનુ જાણવા મળેલ છે. આ અંગે ગાર્ડન વિભાગના અધિકારી કે.કે.ગોહિલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, એક કબુતરનુ મૃત્યુ થયુ હતુ તેનો મૃતદેહ લઈ લેવામાં આવેલ છે, પક્ષી ઈજા...

સ્ટર્લિંગ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા કોર્પોરેશનની ગાઇડલાઇનનો ભંગ થવાછતાંય પોલીસ ગુનો દાખલ કરતી નથી

  વડોદરા,સ્ટર્લિંગ હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિ અંગે પોલીસમાં ફરિયાદ આપ્યાના બે મહિનાથી વધુનો સમય થઇ  ગયો હોવાછતાંય હજી ફરિય ાદ  દાખલ કરવામાં આવી  નથી . આ કેસમાં કોર્પોરેશનની ગાઇડલાઇનનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ છે.મે ં આ  કેસને લગતા તમામ  પુરાવાઓ પોલીસને આપ્યા છે.તેવું આ હોસ્પિટલ સામે લડત ચલાવી રહેલા પલ્મોનોલોજિસ્ટ સુપર સ્પેશ્યાલિસ્ટ  ડો.સોનિયા દલાલે જણાવ્યું છે.સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેનાર શહેરના અને બહારગામના ૧૦ દર્દીઓએ  આજે તેમનો સંપર્ક કર્યો છે. કોરોનાની સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પાસેથી કોર્પોરેશનની ગાઇડલાઇનનો ભંગ કરીને કરોડો રૃપિયા પડાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરનાર પલ્મોનોલોજિસ્ટ સુપર સ્પેશ્યાલિસ્ટ  ડો.સોનિયા દલાલે જણાવ્યું છે કે,સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા કોર્પોરેશનની ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવતા તે અંગે મેં પોલીસ કમિશ્નર કચેરીમાં ફરિયાદ પણ કરી છે.આ અંગે મેં તમામ  પુરાવાઓ પણ પોલીસને  આપ્યા છે.તેમછતાંય  પોલીસ હજી ગુનો દાખલ કરતી નથી.અને નિવેદનો લેવાનું ચાલુ છે,તેવો જવાબ આપે છે. વધુમાં...

આણંદ શહેરમાં મંજૂરી વગર ધમધમતી ફટાકડાની હાટડીઓ છતાં તંત્રનું મૌન

- ભીડવાળા વિસ્તારોમાં હાટડીઓથી જાહેર સલામતી સામે જોખમ - ફાયર વિભાગ દ્વારા ફક્ત ૬૪ને એનઓસી અપાઈ  અનેક વેપારીઓએ મસમોટો જથ્થો સંગ્રહ કર્યો આણંદ : લગભગ અઢી માસ પૂર્વે આણંદ શહેરની એક ફટાકડાની દુકાનમાં લાગેલ ભીષ્ણ આગના ધુમાડા તો હાલ સમી ગયા છે પરંતુ દિવાળી પર્વને લઈ આણંદ શહેરની રહેણાંક વિસ્તારોમાં પુનઃ એકવાર ફટાકડાની હાટડીઓ ધમધમતી થઈ છે. આણંદ ફાયર વિભાગ દ્વારા દારૂખાનાના વેપાર અંગે ૬૪ એનઓસી આપવામાં આવી છે. જો કે કેટલાક વેપારીઓએ લાયસન્સ વિના જ ધંધો શરૂ કર્યો હોવાની સાથે તંત્રના નિયમોની ઐસીતૈસી કરી મોટી માત્રામાં દારૂખાનાના જથ્થાનો સંગ્રહ કરી વેપલો શરૂ કર્યો હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. દિવાળી પર્વને લઈ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ દારૂખાનાના વેપારીઓને વેપાર કરવા માટે હંગામી પરવાનો આપવામાં આવી રહ્યો છે. દિવાળી પર્વ નિમિત્તે ૧૦ દિવસ માટે ફટાકડાનો વેપાર કરવા માટે આણંદ ફાયર વિભાગ દ્વારા ૬૪ વેપારીઓને એનઓસી આપવામાં આવી છે. જો કે તંત્ર દ્વારા દુકાનોમાં માત્ર ૪૦૦ કિલોનો જ જથ્થો સંગ્રહ કરવાની પરવાનગી હોવા છતાં કેટલાક વેપારીઓ દ્વારા મોટી માત્રામાં દુકાનોમાં દારૂખાનાનો જથ્થો સંગ્રહ કર...

ઠાસરા હોસ્પિટલના 25 દિવસે તાળા ખુલ્યા : ઓ.પી.ડી શરૂ થઈ

- ફાયર સેફ્ટીની સુવિધા ગોઠવાઈ જવાને પગલે - ફાયર સેફ્ટી સુવિધા ગોઠવાતા આખરે સીલ ખોલાયું : ગાંધીનગરની ટીમે સીલ માર્યું હતું નડિયાદ : ઠાસરાની રેફરલ હોસ્પિટલના આજે ૨૫ દિવસ બાદ તાળા ખોલવામાં આવ્યા છે. આજ થી ૨૫ દિવસ અગાઉ ગાંધીનગરની સ્ટેટ ફાયર સેફટી ટીમે ફાયર સેફટી ના અભાવે ઓ. પી. ડી રૂમને સિલ મારી દીધુ માર્યુ હતુ. ફાયર સુવિધા ઉપલબ્ધ થતા અધિકારીઓની હાજરીમાં સિલ ખોલવામાં આવ્યા છે.હાઇકોર્ટમાં ચાલી રહેલ પી.આઇ.એલ હુકમને લઇ ગાંધીનગરથી એક ટીમ ઠાસરા રેફરલ હોસ્પિટલમાં ગત તા.૦૫-૧૦-૨૦૨૧ ના રોજ આવી હતી. જ્યા સ્થાનિક વિભાગની ટીમ અને ગાંઘીનગરથી આવેલ ટીમે હોસ્પિટલની ઓ.પી.ડી રૂમમાં તપાસ કરી હતી. ફાયર સેફટીને લગતા સાઘનો ન હોવાના કારણે સિલ મારવામાં આવ્યુ હતુ. આ બનાવ અંગે હોસ્પિટલને આવારનવાર નોટીસે પણ મેકલવામાં આવી હતી. તેમ છતા તેનો કોઇ અમલ ન થતા ટીમે  બનાવ સ્થળે પહોચી હોસ્પિટલમાં આવેલ ઓ.પી.ડી સિલ માર્યુ હતુ. તેમજ રેફરલ હોસ્પિટલના ઓ.પી.ડી  રૂમને તાળુ મારી સિલ મારી એક નોટીસ ચોટાડવામાં આવી હતી. આજે બપોરે ઠાસરા ચીફઓફિસર,ગાંઘીનગર ફાયર સેફટીકપડવંજ નગરપાલિકાના ફાયર સેફટીના કર્મચારી આવ્યા હતા. તે સમયે ...

છાણીમાં રિક્ષાનું વેલ્ડિંગ કરતી વખતે આગ લાગતાં વેલ્ડરનું મોતઃ મદદને બદલે લોકો રેેકોર્ડિંગ કરતા હતા

વડોદરાઃ  શહેરના છાણી વિસ્તારના એક ગેરેજમાં આજે સાંજે એક રિક્ષામાં વેલ્ડિંગ દરમિયાન અચાનક લાગેલી આગમાં વેલ્ડિંગ કામ કરતા ગેરેજના સંચાલકનું મોત નીપજ્યું હતું. છાણી ગુરૃદ્વારા સામે આવેલા મોહન ગેરેજમાં આજે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં બનેલા બનાવને પગલે આસપાસના લોકો અને વાહનચાલકો હેતબાઇ ગયા હતા.આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક તબક્કે વેલ્ડિંગ કરતી વખતે કોઇ કારણસર આગ લાગી હોવાનું મનાય છે. ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,ગેરેજ ચલાવતા હુસૈનખાન પઠાણ રિક્ષાની નીચે વેલ્ડિંગ કરતા હશે અને તે દરમિયાન આગ લાગી હોવી જોઇએ.રીપેરિંગ માટે આવેલી રિક્ષામાં કાપડ જેવો માલ ભરેલ હોવાનું પણ જણાઇ આવતાં પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ફાયર બ્રિગેડના અધિકારીનું માનવું છે કે,આગ લાગવાને કારણે મિકેનિકને  બહાર નીકળવાની તક નહીં મળી હોય અને તેને કારણે તેઓ રિક્ષાની નીચે દબાયા હોવા જોઇએ તેમજ બીજીતરફ આગમાં લપેટાતાં શરીરના કેટલાક ભાગોએ ઇજા થઇ હતી.જેથી મોતનું ચોક્કસ કારણ જાણવા છાણી પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટર્મ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. ફાયર બ્રિગેડ ...

વરાછાની ધો.12 ની વિદ્યાર્થિનીને ભગાડી ગયેલા વિધર્મીને સ્થાનિકોએ ઝડપી લીધો

- તરુણીને પ્રેમ કરતો હોવાનો દાવો કરનાર કોસાડ આવાસના અરબાજ ખાન વિરુદ્ધ અપહરણ, એટ્રોસીટી એક્ટ અને પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ સુરત, : સુરતના વરાછા વિસ્તારમાં ગતરાત્રે ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતી તરુણીને ભગાડી જતા વિધર્મી યુવાનને સ્થાનિકોએ ઝડપી લીધો હતો.તરુણીને પ્રેમ કરતો હોવાનો દાવો કરનાર કોસાડ આવાસના અરબાજ ખાન વિરુદ્ધ વરાછા પોલીસે અપહરણ, એટ્રોસીટી એક્ટ અને પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં વરાછા વિસ્તારમાં અટલજીનગરમાં રહેતા શ્રમજીવીની સૌથી નાની બહેન રચના ( ઉ.વ.16 ) વરાછાની એક સ્કૂલમાં ધો.12 માં અભ્યાસ કરે છે. ગતરાત્રે રચના સોસાયટીના નાકા પરથી વિધર્મી યુવાન અરબાજ ખાન મોહમ્મદ ઈદ્રીશ ખાન ( રહે.એચ-2,156/એ-12 ઇડબ્લ્યુએસ કોસાડ આવાસ, અમરોલી, સુરત ) સાથે ભંગી જતી હતી ત્યારે તેને મોટી બહેન અને સ્થાનિકોએ બંનેને ઝડપી લીધા હતા. અરબાજે રચનાના મોટાભાઈને કહ્યું હતું કે તે રચનાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. રચનાના પરિવારજનોએ તેને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ તે નહીં માનતા છેવટે વરાછા ...

કરફ્યૂમાં ફ્ટાકડા ફોડી તલવાર વડે કેક કાપનાર બર્થ ડે બોય સહિત ત્રણ ઝડપાયા

- અડાજણ-નાનપુરાને જોડતા મક્કાઇ પુલ પર રાત્રી કરફ્યૂમાં તલવાર વડે કેક કાપી, માસ્ક અને ડિસ્ટન્સ જાળવ્યું ન હતું સુરત અડાજણ-નાનપુરા વિસ્તારને જોડતા તાપી નદી પરના મક્કાઇ પુલ પર રાત્રી દરમિયાન ફ્ટાકડા ફોડી અને જાહેરમાં તલવાર વડે કેક કાપી બર્થ ડેની ઉજવણી કરતો વિડીયો વાયરલ થવાના પ્રકરણમાં પોલીસે બર્થ ડે બોય સહિત ત્રણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કાયદાનો સરેઆમ ભંગ કરતા હોય તેવો વિડીયો વાયરલ થવાનો સિલસીલો યથાવત રહ્યો હતો. જે અંતર્ગત ગત રોજ અડાજણ અને નાનપુરાને જોડતા તાપી નદી પરના મક્કાઇ પુલ પર રાત્રી દરમિયાન કરફ્યૂ સમયમાં ફ્ટાકડા ફોડવાની સાથે ફૂટપાથની દિવાલ પર અંગ્રેજીમાં સમીર લખેલી એક સાથે છથી સાત કેક તલવાર વડે કાપી બે હાથ ઉંચા કરતો એક યુવાન અને તેના મિત્રો નજરે પડી રહ્યા હતા. રાત્રી કરફ્યૂ દરમિયાન માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવ્યા વિના ખુલ્લેઆમ તલવાર વડે કેક કાપવાના વિડીયોને પગલે દોડતી થયેલી રાંદેર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. જે અંતર્ગત બર્થ ડે બોય મોહમદ સમીર મોહમદ સોએબ જરીવાલા (ઉ.વ. 19 રહે. અંજર એપાર્ટમેન્ટ, નાનપુરા) અને તેના બે મિત્ર અલતમસ ઇરફાન શે...

કેનેડાના એગ્રીકલ્ચર વિઝાના નામે 39.28 લાખ પડાવનાર બેંગ્લોરના ઠગ એજન્ટની ધરપકડ

- મંડળીમાં કેનેડિયન ફાઇનાન્સ કંપનીનું 49 ટકા રોકાણની લાલચ આપી હતીઃ કોરોનાને લીધે ફાઇલ સ્થગિત થઇ છે કહી ફોન બંધ કરી દીધો હતો સુરત બમરોલી વિસ્તારમાં રહેતા ડાઇંગ મિલના સુપરવાઇઝર સહિત ત્રણ મિત્રોને કેનેડાના એગ્રીકલ્ચર વિઝા અને સહકારી મંડળીની સ્થાપના કરી કેનેડિયન ફાઇનાન્સ કંપનીનું 49 ટકા રોકાણ કરાવી આપવાની લાલચ આપી રૂ. 39.28 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર બેંગ્લોરના બે ઠગ એજન્ટ પૈકી એકની ધરપકડ કરી છે. બમરોલીની આસ્થા રેસીડન્સીમાં રહેતા ડાઇંગ મિલના સુપરવાઇઝર હરેશકુમાર શંકરલાલ પટેલ (ઉ.વ. 40) એ 2017 માં કેનેડા જવા ઓનલાઇન સર્ચ કરી બેંગ્લોરની પેન્ટન કન્સલ્ટીંગ પ્રા. લિ નામની એજન્સીના નિથીન ચંદ્રાનો સંર્પક કર્યો હતો. નિથીને હરેશને કેનેડા બોલાવી કંપનીના એમડી સુરેશ મેનન સાથે મુલાકાત કરાવી હતી. સુરેશે કેનેડાના એગ્રીકલ્ચર વિઝા અને ત્યાંની ફેરફેક્સ ફાઇનાન્સ હોલ્ડીંગ લિ. નામની કંપનીના 49 રોકાણ થકી સહકારી મંડળીનું કેનેડિયન ગર્વમેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવી આપવાની લાલચ આપી રૂ. 13.53 લાખ પડાવ્યા હતા. નિથીને હરેશ ઉપરાંત દિપેશ પટેલ પાસેથી રૂ. 2.75 લાખ, રાજેશ પટેલ પાસેથી રૂ. 17 લાખ લઇ લીધા હતા. ત્યાર બાદ મ...

રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં મોટા ભાગના જવાબમાં કહ્યું, મને ખબર નથી

મોઢ વણિક સમાજની માનહાનિના કેસમાં નિવેદન લેવાયું  બચાવમાં કંઇ કહેવા માંગો છો ? પ્રશ્ન સામે કહ્યું, મારી સામે ખોટો કેસ કરાયો છે સુરત : બે વર્ષ પહેલાં મોઢ વણિક સમાજના માનહાનિ કેસમાં આજે તત્કાલીન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર એન.દવેની કોર્ટ સમક્ષ ત્રીજી વખત ઉપસ્થિત રહ્યા હતા. ફરિયાદપક્ષના બંને સાક્ષીઓની જુબાની સંદર્ભે પુછાયેલા મોટા ભાગના પ્રશ્નોના જવાબમાં મને ખબર નથી કહીને ડીનાઈલ કર્યો હતો. જ્યારે બચાવમાં વધુ કંઈ કહેવા માંગો છો ? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે મારી સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે. કર્ણાટક કોલાર ડીસ્ટ્રીક્ટ ખાતે વર્ષ-2019માં લોકસભાની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ બધા મોદી ચોર છે એમ ભાષણમાં કહેતા મોઢ વણિક સમાજની બદનક્ષી અંગે સુરત પશ્વિમના ધારાસભ્ય અને હાલના મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત સીજીએમ કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો હતો. ન્યાયિક પ્રક્રિયામાં વધુ બે સાક્ષીની જુબાની બાદ કાર્ટે ખુલાસો કરવાની તક આપવાની કાનૂની જોગવાઇ મુજબ સીઆરપીસી-313 હેઠળ ફર્ધર સ્ટેટમેન્ટ માટે આરોપી રાહુલ ગાંધીને હુકમ કર્યો હતો. આજે બપોરે એરપોર્ટ ...

દિવાળીના તહેવારોમાં 108 ના ઇમરજન્સી કેસમાં 35 ટકા સુધીના વધારાનું અનુમાન

અમદાવાદ,તા.29 ઓક્ટોબર 2021, શુક્રવાર દિવાળીના તહેવારમાં ફટાડકા ફોડવાના કારણે આગ, અકસ્માતના કેસોમાં સામાન્ય દિવસો કરતા વધારો જોવા મળતો હોય છે. આ વર્ષે ઇમરજન્સી સેવા ૧૦૮ના અનુમાન પ્રમાણે દિવાળીના દિવસે ૧૬.૬૯ ટકા કેસ વધુ જોવા મળશે.બેસતા વર્ષના દિવસે ૨૭.૩૬ ટકાનો અને ભાઇબીજના દિવસે ૩૪.૭૨ ટકાનો ઇમરજન્સી કેસમાં વધારો થનાર હોવાનું એક અભ્યાસમાં પૂર્વાનુંમાન કરવામાં આવ્યું છે. આ સ્થિતિને ધ્યાને લેતા રાજ્યભરમાં તમામ ૮૦૦ જેટલી ઇમરજન્સી ૧૦૮ની વાનને એલર્ટ રહેવા તાકીદ કરાઇ છે. અમદાવાદમાં ૧૩૦  જેટલી ૧૦૮ની ગાડીઓ તૈનાત રહેશે. ૧૦૮ના સ્ટાફની રજાઓ રદ કરીને તેઓને લોકસેવામાં ખડેપગે રહેવાની સુચના આપી દેવાઇ છે. ઇમરજન્સી સેવા ૧૦૮ના પૂર્વાનુમાનના આધારે વર્ષ ૨૦૨૧માં  રાજ્યભરમાંથી દિવાળીના દિવસે ૪,૧૩૮ કેસ આવવાની શક્યતા છે. નવા વર્ષના દિવસે ૪,૫૨૫ કેસ અને ભાઇબીજના દિવસે ૪,૭૭૭ કેસ ઇમરજન્સીના આવવાનું અનુમાન છે. હાલમાં સામાન્ય દિવસોમાં રોજના ૩,૫૪૬ કેસ આવતા હોય છે. જેમાં વધારો જોવા મળશે. દિવાળીના દિવસે વાહન અકસ્માતના કેસમાં ૭૯.૭૯ ટકાનો વધારો રહેશે જે મુજબ ૬૮૫ કેસ નોંધાવાની શક્યતા રહેલી છે. નવા વર્ષમાં ૭૦૯ ...

અમરાઇવાડીમાં ભર બપોરે તાજા જન્મેલા બાળકને ત્યજી દીધું

અમદાવાદ,શુક્રવાર  અમદાવાદમાં તાજા જન્મેલા બાળકોને તડછોડવાના કિસ્સા વધી રહ્યા છે, અમરાઇવાડી વિસ્તારમાં ઇન્દિરા આવાસ યોજનાના ચાર માળના મહાલક્ષ્મીનગરમાં આજે બપોરે કોઇક અજાણી વ્યક્તિ તાજુ જન્મેલું બાળક ત્યજીને પલાયન થઇ ગઇ હતી. અમરાઇવાડી પોલીસે ગુનો નોંધીને બાળકના માતા-પિતાની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બાળકના રડવાના અવાજથી લોકો દોડી આવ્યા,બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ  ઃ બાળકના માતા-પિતાની શોધખોળ કરવા પોલીસ દોડતી થઇ  અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, કે.એ.ડામોરના જણાવ્યા મુજબ આજે  બપોરે અમરાઇવાડી વિસ્તારમાં  ન્યું કોટન પોલીસ ચોકી નજીક આવેલા ઇન્દિરા આવાસ યોજનાના લક્ષ્મીનગર ચાર માળિયા મકાનના પ્રથમ માળના પગથિયામાં કોઇક અજાણી વ્યક્તિ તાજુ  જન્મેલા પુુરુષ બાળકને ત્યજી દીધું હતું. બાળકના રડવાના અવાજથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસ જાણ કરી હતી પોલીસે  તુરંત એન્બ્યુલન્સ મારફતે  બાળકને એલ.જી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને બાળકના વાલી વારસને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસની પ્રાથ...

ગોવિંદવાડી પાસે લોડિંગ રિક્ષા પલટી ખાતા યુવકનું કરુણ મોત

અમદાવાદ,શુક્રવાર પૂર્વમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે,  ઇસનપુર તરફ જવાના માર્ગ  ઉપર ગોવિંદવાડી પાસે લોડિંગ રિક્ષા પલટી ખાતા યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે લોડિંગ રિક્ષા ચાલક સામે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે. લોડિંગ  રિક્ષા નીચે દટાવાથી યુવકનું  બેભાન  હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત   આ કેસની વિગત એવી છે કે કાંકરિયા ગોવર્ધન વાડી ટેકરા પાસે હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ મોતીલાલ બોથરાએ  ટ્રાફિક જે  ડિવિઝન પોલીસ સ્ટેશનમાં  લોડિંગ રિક્ષા ચાલક ઉપેન્દ્રભાઇ પ્રતાપસિંગ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ફરિયાદીની કંપનીના જીન્સના પેન્ટનો કાચો માલ લઇને લોડિંગ રિક્ષા ચાલક  ઉપેન્દ્રભાઇની સાથે હેમલભાઇ શ્યામબાબુ સાગર જતા હતા. તેઓ ખોખરા અનુપમ સિનેમા સામે આવેલા જીન્સના પેન્ટના કારખાનામાંથી કાચો માલ લઇને જઇ રહ્યા હતા. મણિનગરથી ઇસનપુર તરફ  જઇ રહ્યા હતા આ સમયે પૂર ઝડપે જઇ રહેલી લોડિંગ રિક્ષાના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી બેસ...

નરોડામાં યુવકને માર મારી લૂંટ ચલાવી, ધમકી આપી

 અમદાવાદ,શુક્રવાર નવા નરોડા વિસ્તારમાં નવરાત્રિમાં સોસાયટીમાં કમિટી બનાવવાની તકરારમાં ચાર શખ્સોએ યુવકને માર મારીને તેની પાસેથી મોબાઇલની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારમાં આવેલા શખ્સોએ યુવકને પકડીના  ફાઇબરની પાઇપથી માર મારી ફોન  લઇ ગયા આ કેસની વિગત એવી છે કે નવા નરોડા વિસ્તારમાં ધરણીધર બંગલોઝ પાસે  મધુવન ગ્લોરી ખાતે રહેતા અને સિલાઇ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશભાઇ પ્રકાશભાઇ ભાવસારે પડોશમાં રહેતા સંજય ઉર્ફે સીઝર તથા બબલુ સહિત ચાર શખ્સો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે  નવરાત્રિમાં સોસાયટીમાં કમિટી બનાવવાની હતી જેમાં યુવકે કમિટીમાં રહેવાની ના પાડી હતી જેની તકરારની અદાવતને તા. ૨૧ની મોડી રાતે ચારેય શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા રાતે યુવક સોસાયટીમાં હાજર હતો ત્યારે કારમાં ચારેય શખ્સો આવ્યા હતા અને ેએક વ્યક્તિએ યુવકનો હાથ પકડયો હતો અને  સંજયે ફાઇબરની પાઇપના ફટકા માર્યા હતા અને બબલુએ મોંઢાના ભાગે ફેંટો મારી હતી. ફોન ઝૂંટવીને કોઇને ફોન કરીશ તો જાનથી...

ગિરનાર રોપ-વેની ટિકિટના દર નહીં ઘટે તો આંદોલનની ચીમકી

- તમામ માટે 150 અને બાળકો, વૃદ્ધો માટે 50 રૂપિયા ટિકિટ રાખો - સામાન્ય જનતાને નથી મળ્યો કોઈ ફાયદો, વર્ષે 36 કરોડની આવકમાંથી સરકારે પણ જીએસટી પેટે 18 ટકા રળી લીધા! જૂનાગઢ : જૂનાગઢના ગિરનાર રોપવેને એક વર્ષ પૂર્ણ થયું પરંતુ રોપવેના વધુ પડતા ટિકિટના દરના લીધે હજુ વિરોધ યથાવત છે. રોપવે બનતા  સામાન્ય જનતાને કોઈ ફાયદો થયો નથી.આ મુદ્દે આજે સીપીએમ અને કોંગ્રેસે રોપવેના ટિકિટના દર ઘટાડવાની માંગ સાથે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી આ મામલે દરમ્યાનગીરી કરવા રજૂઆત  કરી છે . હાલ જૂનાગઢના ગિરનાર રોપ-વેમાં   પ્રવાસીઓ પાસેથી   ૭૦૦ રૂપીયા  તેમજ જૂનાગઢ શહેરના લોકો માટે  ૬૦૦રૂપીયા લેવામાં આવે છે.આ ભાવ વધારા સામે જૂનાગઢના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા અવારનવાર  રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં ગિરનાર રોપ-વે ને એક વર્ષ પૂર્ણ થયુ છે. ત્યારે રોપ-વે કંપનીના વધુ ભાવ થી જનતાના એક વર્ષની ટિકિટ ની આવક રૂપિયા ૩૬ કરોડ થઇ છે. તેમાં સરકારને પણ  ૧૮ ટકા જીએસટીની આવક થઈ છે. રોપ-વેમાં વર્ષ દરમ્યાન ૬.૬૦ લાખ  પ્રવાસીઓ એ જ રોપ-વે ની સફર કરી છે. ટિકિટ ના...

ટ્રેનમાં માસિક ટિકિટ પાસ ધારકોે મુસાફરી કરી શકશે

અમદાવાદ,તા.28 ઓક્ટોબર 2021, ગુરૂવાર પશ્ચિમ રેલવે દ્વારા તા.૨૯ ઓક્ટોબરથી કેટલીક વિશેષ ટ્રેનોમાં માસિક પાસ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપી છે. અમદાવાદ વિભાગમાંથી પસાર થતી મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ, વલસાડ-અમદાવાદ સ્પેશિયલ, અમદાવાદ-સોમનાથ સ્પેશિયલ, ભાવનગર-ઓખા સ્પેશિયલ ટ્રેન, વડોદરા-જામનગર સહિતની ટ્રેનોમાં અનઆરક્ષિત કોચમાં હવેથી માસિક ટિકિટ ધારકો મુસાફરી કરી શકશે. https://ift.tt/3Bkie4R

યતીન ઓઝા સિનિયર એડવોકેટ તરીકે પુન:સ્થાપિત

સુપ્રીમ કોર્ટે બે વર્ષ માટે દરજ્જો પરત આપ્યો બે વર્ષ દરમિયાનની વર્તણૂક જોયા બાદ કાયમી બહાલી અંગે હાઇકોર્ટ નિર્ણય લે : સુપ્રીમ  અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટની રજિસ્ટ્રી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બદલ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાનો સીનિયર એડવોકેટનો દરજ્જો હાઇકોર્ટે પરત લીધો હતો. આજે સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને સીનિયર એડવોકેટનો દરજ્જો કામચલાઉ ધોરણે બે વર્ષ માટે પરત કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સુપ્રીમે નોંધ્યું છે કે સીનિયર એડવોકેટ તરીકની વર્તણૂક જોયા બાદ તેને કાયમી બહાલી આપવી કે નહીં તે અંગે હાઇકોર્ટ નિર્ણય લે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની ખંડપીઠે નોંધ્યું છે કે કોર્ટનો અભિપ્રાય છે કે એડવોકેટ ઓઝાને સીનિયર એડવોકેટનો દરજ્જો કામચલાઉ ધોરણે પરત આપવો જોઇએ અને આ સમયગાળો 1-1-2022થી શરૂ થશે.  સીનિયર એડવોકેટ તરીકે અરજદાર કેવી વર્ણૂક કરે છે તેનું હાઇકોર્ટ નિરીક્ષણ કરે. બે વર્ષના આ નિરીક્ષણ બાદ હાઇકોર્ટ અંતિમ નિર્ણય લે કે અરજદારની વર્તણૂક સ્વીકાર્ય છે કે નહીં અને સીનિયર એડવોકેટનો દરજ્જો કાયમી ધોરણે પરત આપવો કે નહીં. કોર્ટે અરજદારને તક અને બે વર્...

ગાય, ગૌચર અને વસાહતના મામાલે માલધારીઓ ઉગ્ર આંદોલન કરશે

અમદાવાદ,તા.28 ઓક્ટોબર 2021, ગુરૂવાર અમદાવાદમાં આનંદનગર ખાતે ગઇકાલે માલધારી સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં ગાય, ગૌચર અને માલધારી વસાહતના મામલે સરકારના બેવડા ધોરણો અને નિષ્ફળ રણનીતિ અંગે ચર્ચા થવા પામી હતી. માલધારીઓના અસ્તિત્વના પ્રશ્નને લઇને લડી લેવા માટે આંદોલનની રૂપરેખા ઘડાઇ રહી છે. જેના અનુસંધાનમાં માલધારી આગેવાનોએ શહેરભરમાં અને આજુબાજુના ગામડાઓમાં બેઠકોનો દોર આરંભી દીધો છે. આગામી દિવસોમાં આ આંદોલનને ઉગ્ર બનાવવાની નેમ રખાઇ છે. સ્માર્ટસિટીમાં માલધારીઓ રોજી રોટી વગરના અને મકાન વગરના થઇ જશે તેવા ભયના કારણે માલધારી પરિવારો ચિંતામાં મુકાઇ ગયા છે. સરકાર કોઇ ઠોસ પગલા લેતી નથી, મધ્મમ માર્ગ કાઢતી નથી. જેના કારણે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.  આ અંગે માલધારી એકતા સમિતીના પ્રમુખ નાગજીભાઇ દેસાઇના જણાવ્યા મુજબ સરકારની નીતિ ખોટી છે. અમદાવાદને સ્માર્ટસિટી બનાવવી છે પરંતુ તેના માટે જે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી પડે, માળખું તૈયાર કરવું પડે તે સરકારે કર્યું નથી. માલધારીઓને અને ગાયોને  શહેરમાંથી ખદેડી દેવાથી સ્માર્ટસિટી નહીં બની જાય.  શહેરની બહાર માલધારી વસાહતો બનાવો, ગાયોના નિભાવ માટે ...