Skip to main content

Posts

Showing posts from June, 2021

ઝાકમઝોળભર્યા માહોલ વચ્ચે યોજાતા લગ્ન સમારંભો કોરોના કાળમાં ફીક્કા પડયાં

આણંદ : કોરોના મહામારી પૂર્વે ઝાકમઝોળભર્યા માહોલ વચ્ચે યોજાતા લગ્ન સમારંભો કોરોના કાળમાં ફીક્કા પડયા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ મંદ પડતા હવે લગ્ન પ્રસંગોમાં ૧૦૦ જેટલા મહેમાનોની ઉપસ્થિતની છુટ મળતા હાલ લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે. બીજી તરફ લગ્નસરાની સિઝનમાં જુલાઈ માસ દરમિયાન ૪ મહુર્ત જ બાકી રહ્યા હોઈ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. તા.૨૦મી જુલાઈને દેવપોઢી એકાદશી બાદ ચાર માસના વિરામ પછી તા.૧૪મી નવેમ્બરથી લગ્નસરાની સિઝન શરૂ થશે. કોરોના મહામારીને પગલે કેટરીંગ, ઈવેન્ટ મેનેજમેન્ટ, સહિત બગી, બેન્ડવાજા, ફુલહાર સહિતના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો છેલ્લા સવા વર્ષ ઉપરાંતથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ગત નવેમ્બર માસમાં લગ્નના ૨ અને ડિસેમ્બર માસમાં લગ્નના ૩ મુહુર્ત હતા જ્યારે કમુરતા બાદ ફેબુ્રઆરી માસ દરમ્યાન લગ્નના બે મુહુર્ત હતા. ત્યારબાદ હોળાષ્ટક અને ગુરૂ-શુક્રનો અસ્ત  હોઈ દોઢ મહિના જેટલો સમયના વિરામ બાદ એપ્રિલ માસ દરમ્યાન પુનઃ મુહુર્તની શરૂઆત થઈ હતી. જો કે આ સમયગાળા દરમિયાન કોરોનાના સંક્રમણની ગતિ વધતા નિયંત્રણોના કારણે લગ્ન પ્રસંગો કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે કરવા...

બોટાદ જિલ્લામાં કોરોનાના કેસ ઘટતા વેપારમાં છુટછાટ

ભાવનગર : ગુજરાત સરકારના ગૃહ વિભાગના ગત તા.૨૫ જુન ૨૦૨૧ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા અન્ય માર્ગદશકાઓ બહાર પાડવામા આવેલ છે તેમજ નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે. બોટાદ અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ બોટાદ જિલ્લામાં ગત તા.૨૬ જુન ૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાકથી આગાામી તા.૧૦ જુલાઈ ૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નિયંત્રણો મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. બોટાદ જિલ્લામાં ગત તા.૨૬ જુન ૨૦૨૧ થી આગામી તા.૧૦ જુલાઈ ૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન તમામ દુકાનો, વાણિજયક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી, બજાર, હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તા.૧૦ જુલાઈ ૨૦૨૧ સુધીમાં વેકિસનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા એકમો ચાલુ રાખી શકાશે નહી તથા જે વ્યકિતઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પિટલમાંથી રજા આપ્યાના તારીખથી ૯૦ દિવસ...

હિંદુ દેવી-દેવતાઓ વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં નાગરિકની અરજી

નડિયાદ : નડિયાદમાં સોશિયલ મિડિયામાં હિન્દુ ધર્મને બદનામ કરવાના વિરોધમાં અરજી કરવામાં આવી છે. એક શખ્સ દ્વારા યુટયુબના માધ્યમથી હિન્દુ દેવીદેવતાઓ વિરુદ્ધ અભદ્ર ભાષામાં નફરત ફેલાવવામાં આવતી હોવાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે. નડિયાદપોલીસ મથકમાં એક  નાગરિકે  ધાર્મિક લાગણી દુભવનાર અને  નફરત ફેલાવનાર  શખ્સ વિરુદ્ધ અરજી આપી છે.  અરજીમાં જણાવ્યા પ્રમાણે જૂનાગઢ મૂકામે રહેતો એક શખ્સ સોશિયલ મિડિયાના માધ્યમથી હિન્દુ દેવી-દેવતાઓની અભદ્ર ભાષામાં અપમાન કરી રહ્યો છે. ઉપરાંત હિન્દુ ધર્મની કથાઓના નામે મનઘડંત કથાઓ કહીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.  અરજીમાં એવું પણ જણાવાયું છે કે આ શખ્સ પોતાને રાવણના નામે ઓળખાવીને વિડિયોઝ બનાવી વાયરલ કરી રહ્યો છે, જેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે. સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવવાના હેતુથી આ શખ્સ અશ્લીલ ભાષામાં હિન્દુ ધર્મને લક્ષ્ય રાખીને વિડિયો બનાવી રહ્યો છે અને તેને યુટયુબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડિયા પ્લેર્ફોર્મ પર વાયરલ કરી રહ્યો છે. અરજીમાં આ શખ્સ વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી ક...

આણંદ શહેરના અમૂલ ડેરી રોડ 8 થી 10 જેટલા વૃક્ષોનું નિકંદન

આણંદ : આણંદ શહેરના અમૂલ ડેરી રોડ ઉપર જાહેરાતના મોટા હોર્ડિંગ્સની આડે આવતા આશરે ૮ થી ૧૦ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે ગામડી ગામના એક અરજદાર દ્વારા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી વૃક્ષ કાપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. વધુમાં મળતી માહિતી મુજબ આણંદ શહેરના અમૂલ ડેરી રોડ ઉપર ડેરીથી રેલ્વે ફાટક સુધી મોટા મોટા જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે રોડની બંને સાઈડોમાં તેમજ રોડની મધ્યે ડીવાઈડર વચ્ચે લીલાછમ વૃક્ષોની હારમાળા પથરાયેલી જોવા મળે છે. જો કે ઘટાદાર વૃક્ષોના કારણે કેટલીક જાહેરાતના હોર્ડિંગ્સ ઢંકાઈ જવાના કારણે આજે કેટલાક શખ્શો દ્વારા અમૂલ ડેરીથી રેલ્વે ફાટક વચ્ચે આવેલ ૮ થી ૧૦ વૃક્ષો કાપી હોર્ડિંગ્સ ખુલ્લા કરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. એક તરફ સરકાર દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વધુ વૃક્ષો વાવોની પહેલ કરવામાં આવી છે ત્યારે કેટલાક શખ્શો દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. લીલા વૃક્ષો કાપવા...

ભાવનગરમાં કોરોના વિરોધી વેકિસન માટે નાગરીકોને આરોગ્ય સેન્ટરના ધક્કા

ભાવનગર : ભાવનગર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વિરોધી વેકિસનની અછત છે ત્યારે લોકોની મૂશ્કેલી વધી ગઈ છે અને લોકોને આરોગ્ય સેન્ટરના ધક્કા થઈ રહ્યા છે. બંને વેકિસનની અછત હોવાથી લોકો પરેશાન છે અને બીજા ડોઝવાળાને તો વધુ તકલીફ પડતી હોવાનુ જાણવા મળેલ છે. સરકારમાંથી જ ઓછો જથ્થો ભાવનગરમાં આવી રહ્યો છે તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  સરકાર એકબાજુ લોકોને કોરોના વિરોધી રસી લેવા જાગૃત કરે છે અને બીજીબાજુ રસીની જ અછત છે ત્યારે લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વિરોધી રસીની અછત જોવા મળી રહી છે તેથી લોકોને આરોગ્ય સેન્ટર સુધી ધક્કા થઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં રોજ આશરે ૩ હજાર વેકિસન આવે છે તેથી વહેલા તે પહેલા ધોરણે રસી આપવામાં આવે છે અને જે લોકો આરોગ્ય સેન્ટરે મોડા પહોંચે છે તેને રસી મળતી નથી. કેટલાક લોકોને રસી મળી જાય છે, જયારે ઘણા લોકોને રસી નથી મળતી નથી તેથી લોકો રોષ ઠાલવતા નજરે પડી રહ્યા છે.  બંને રસીની અછત હોવાથી કયારેક કોવિશીલ્ડ વેકિસન આવે છે તો કયારેક કોવેકિશનનો જથ્થો આવે છે તેથી પ્રથમ ડોઝવાળાને તો ગમે તે રસી ચ...

ધંધુકામાં યુવાનની આંખમાં મરચુ છાંટી બુકાની ધારીઓએ કર્યો હુમલો

ભાવનગર : ધંધુકાના યુવાનને પાનના ગલ્લે ઈકો કારમાં આવેલા સાતથી આઠ શખસો પૈકી એક શખસે ઈકો કારમાં માવો અંબાયાવ તેમ કહી તેની આંખમાં બુકાની ધારી શખસોએ મરચું છાંટી દઈ છરા, ધોકા જેવા હથિયારો વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી જ્યારે તેને બચાવવા દુકાનધારક વચ્ચે પડતા તેને પણ ધારદાર હથિયાર મારી બુકાનીધારીઓએ ઈજા પહોંચાડી નાસી છુટયા હતા.  બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ધંધુકાના મીરાવાડી ચમારવાસમાં રહેતા અને નગરપાલિકામાં જેસીબી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ વીરાભાઈ મકવાણાએ ધંધુકા પોલીસ મથકમાં અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યુ ંહતું કે, ગઈકાલે સાંજનાં ૭.૧૫ કલાકના અરસા દરમિયાન ધંધુકા અડવાળ નાકા પાસે ભરતભાઈ પાલાભાઈ મકવાણાના પાનના ગલ્લે માવો ખાવા માટે ગયા હતા તે વેળાએ ઈકો કારમાંથી એક બુકાની બાંધેલા શખસે ઉતરી દુકાને આવી તેઓને ઓલા ભાઈને માવો આપી દો તેમ કહેતા તેઓ કારમાં માવો આપવા જતા ઈકો કારમાં બેસેલા ત્રણથી ચાર અજાણ્યા શખસોએ તેની આંખમાં મરચું છાંટી દઈ તેના પર હુમલો કરી છરા-ધોકા હથિયારો જેવા વડે તેમજ ગડદા પાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી જ્યારે ભરતભાઈ મકવાણા તેને બચાવવા આવતા તેને પણ મ...

ગુજરાતના સૌથી છેલ્લા ગામમાં પ્રજ્ઞાાચક્ષુ શિક્ષકે કોરોનામાં બાળકો માટે 'ફળિયા શિક્ષણ' શરુ કર્યું

દાહોદ: ભલે બાળકો શાળાએ ન આવી શક્તા હોય પણ અમે તો તેના ઘરે જઈને ભણાવી જ શકીએ છીએ આવી વિચારસરણી સાથે ગુજરાતના સૌથી છેલ્લા ખંગેલા ગામની પ્રાથમિક શાળાના અંધ શિક્ષક હેતલભાઈ કોઠારી અને તેમના સાથી શિક્ષકોએ બાળકો માટે કોરોના કાળમાં 'ફળિયા શિક્ષણ' શરુ કર્યું છે.  ગુજરાતનો આદિવાસી વિસ્તાર એવો છે કે જ્યાં મા-બાપને બાળકોને ભણાવવા કરતા મજૂરી કામ કરાવવામાં વધારે રસ હોય છે. રાજ્યનું છેવાડાનું ખંગેલા ગામ પણ કંઈક આવું જ છે જેના વિશે હેતલભાઈએ કહ્યું કે દિવાળી પછી આદિવાસીઓ શહેરમાં મજૂરી કરવા નીકળી પડે એટલે તેમના બાળકોને પણ મજૂરી અર્થે જોડે લઈ જાય છે જેથી તેમના શિક્ષણ ઉપર ખૂબ અસર પડે છે અધૂરામાં પૂરુ આ કોરોના આવી જતા શાળાઓ બંધ થઈ ગઈ છે. સરકારે ટીવી અને મોબાઈલના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપવાનું તો શરુ કર્યું પણ આ અતિપછાત વિસ્તારના આદિવાસીઓ ખૂબ જ ગરીબ હોવાથી ના તો તેમની પાસે ટીવી છે કે ના સ્માર્ટ ફોન. આવા સમયમાં બાળકોનું ભણતર ન બગડે તેથી અમે ફળિયા શિક્ષણ શરુ કર્યું હતું. ખંગાલ ગામમાં કુલ ૧૨ ફળિયા આવેલા છે, અમુક ડુંગરાઓ પર છે તો કેટલાક ખેતરોની વચ્ચે છૂટાછવાયા છે. એટલે ખંગેલા પ્રાથમિક શાળાના શિક્ષક...

જન્મદિવસની પાર્ટીમાં મિત્રની હત્યા કરનાર મિત્રની ધરપકડ

ભાવનગર : ભાવનગર શહેરના વોરાબજાર વિસ્તારમાં આવેલ ચકુ મહેતાના ડેલામાં બે દિવસ પૂર્વે પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા યુવાને તેના મિત્રોને જન્મદિવસની પાર્ટી આપી હતી. પરંતુ પાર્ટીમાં મિત્ર સાથે નજીવી બાબતે બોલાચાલી થતા તેના મિત્રએ જ છરીના ઘા ઝીંકી દેતા યુવાનનો જન્મદિન જ મૃત્યુદિન બની ગયો હતો. જે મામલે પોલીસે શખસની ધરપકડ કરી લઇ તેના કબજામાંથી હત્યા વેળાએ વપરાયેલ હથિયાર કબજે લીધું હતં. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશન પાસે રહેતા ગોપાલભાઇ ઉર્ફે ડોંગર જીતુભાઇ રાઠોડ (ઉ.વ.૨૭)નો ગત બે દિવસ પૂર્વે રવિવારે જન્મદિવસ હતો. જેને લઇ તેના મિત્રો માટે વોરાબજારમાં આવેલ ચકુ મહેતાના ડેલાના મકાનમાં પાર્ટી આપી હતી. પાર્ટી દરમિયાન સાંજે ૫.૧૫ કલાકના અરસામાં ગોપાલ રાઠોડને તેના જ મિત્ર વિશાળ ઉર્ફે લાંબો મુળજીભાઇ ગોહેલ સાથે નજીવી બાબતે બોલાચાલી થતા વિશાલે ઉશ્કેરાઇ તેના જ મિત્ર ગોપાલને છરીના જીવલેણ ઘા ઝીંકી દેતા ગોપાલનો જન્મદિવસ મૃત્યુ દિવસમાં પરિણમ્યો હતો. મિત્રની હત્યા કરી વિશાલ ફરાર બન્યો હતો. જ્યારે બનાવની જાણ થતા મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. રક...

પાયોનિયર હાઈસ્કુલ નજીક મકાનમાં તસ્કરોએ 1.90 લાખની મતાની ચોરી કરી

આણંદ : આણંદ શહેરની પાયોનિયર હાઈસ્કુલ નજીક આવેલા શક્તિભુવન ખાતે ગઈકાલે રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી અંદરથી રૂા.૧.૯૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા આ અંગે આણંદ શહેર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આણંદ શહેરની પાયોનિયર હાઈસ્કુલ નજીક આવેલ શક્તિ ભુવનમાં દિપેશભાઈ અમૃતભાઈ ગાંધી તથા તેઓના મોટાભાઈ સતીષભાઈ ગાંધી પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા.૨૭મીના રોજ દિપેશભાઈના ભાઈ સતીષભાઈ પરિવાર સાથે બહારગામ ગયા હતા. દરમિયાન રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનની પાછળના ભાગે આવેલ કાચની બારીમાંથી મકાનમાં પ્રવેશ કરી ઉપરના તથા નીચેના માળે મુકેલ લાકડાના કબાટના દરવાજા તેમજ લોકર તોડી અંદર મુકેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ્લે રૂા.૧.૯૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.  બીજા દિવસે વહેલી સવારના સુમારે દિપેશભાઈએ ઉઠીને ઘરમાં તપાસ કરતા માલસામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો. પ્રથમ માળે તપાસ કરતા ત્યાં પણ માલસામાન વેરવિખેર પથરાયેલ હોઈ ચોરી થઈ હોવાનું માલુમ પડતા દિપેશભાઈ ગાંધીએ આ અંગે આણંદ શહ...

2 જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટનામાં માત્ર 10 ની અટકાયતથી પોલીસ સામે રોષ

નડિયાદ : નડિયાદ શહેરમાં આશરે છવ્વીસ દિવસ પહેલા તળાવની માટી કાઢવા અંગે લોહીયાળ જંગ ખેલાયો હતો. બે જૂથો વચ્ચે પથ્થરમારા બાદ તોફાની ટોળાઓએ ત્રણથી વધુ વાહનોને ટાર્ગેટ બનાવી તોડફોડ કરી હતી અને ચારથી પાંચ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચાડી હતી. આ બનાવ અંગે અત્યાર સુધી ફક્ત દસ વ્યક્તિઓની અટકાયત કરાતા પોલીસની કાર્યદક્ષતા સામે સવાલો ઊભા થયા છે. નડિયાદ શહેરના વોર્ડ નં-૧ માં આવેલ પીજ રોડ પરના ટેલિફોન એકસચેન્જ સામે આવેલ તળાવની માટી કાઢવા એક જ સમાજના બે જૂથો લોહીયાળ બન્યા હતા. આ બનાવ અંગે નોધાયેલ ફરિયાદ પ્રમાણે નગર પાલિકા સભ્ય રમેશભાઇએ નવઘણભાઇ ભરવાડને તળાવની માટી કાઢવાના કામની સોપણી કરી હતી. જે અંગે નવઘણભાઇ અને સંગ્રામભાઇ સાથે માટી કાઢવા અંગે મનદુખ થયુ હતુ. જેની જાણ પાલિકા સભ્ય રમેશભાઇને થતા તેમને આ કામ બંધ કરાવ્યુ હતુ. જે અંગે  ગત તા.૩ જૂનના રોજ નવ વાગ્યાની અરસામાં સંગ્રામભાઇ ભરવાડ અને અન્ય વ્યક્તિઓ નવઘણભાઇ ભરવાડના ઘરે લાકડીઓ,ફરસી,પાઇપો  લઇને પહોચી ગાળો બોલી લાકડી અને પાઇપો વડે હુમલો કર્યો હતો. આ બનાવ સંદર્ભે લીલુબેન જાગાભાઇ ભરવાડે સાત વ્યક્તિઓ અને બીજા ત્રણ ચાર વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નો...

નોકરી જતા એ.એસ.આઇ.ને રોંગ સાઇડ આવતા ભારદારી વાહને કચડી નાંખતા સ્થળ પર જ મોત

વડોદરા.ઘરેથી બાઇક લઇને પોલીસ સ્ટેશન નોકરી માટે જતા એ.એસ.આઇ.ને રણોલી બ્રિજ પાસેના સર્વિસ રોડ પર  સામેથી રોંગ સાઇડ આવતા વાહને અડફેટે લેતા તેઓ રોડ પર પડયા હતા.અને તેમના માથા પરથી ભારદારી વાહનના તોતિંગ પૈંડા ફરી વળ્યા હતા.અને સ્થળ પર જ તેમનું કમકમાટીભર્યુ મોત થયુ છે.છાણી પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. રણોલીગામ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર રસિકલાલ જયસ્વાલ  સમા  પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે.હાલમાં તેઓ પી.સી.આર.વાનમાં ફરજ બજાવતા હતા.આજે સવારે રાજેન્દ્રભાઇ જયસ્વાલ બાઇક લઇને ઘરેથી નોકરી પર આવતા હતા.રણોલી બ્રિજ નીચેથી તેઓ આવતા હતા.તે  દરમિયાન સામેથી રોંગ સાઇડ આવતા એક ભારદારી વાહનની અડફેટે રાજેન્દ્રભાઇ રોડ પર  ફંગોળાયા હતા.ભારદારી વાહનની પાછળ આવતા એક ટેન્કરના તોતિંગ પૈંડા ફરી વળતા તેમનું માથુ છુંદાઇ ગયુ  હતું.અને સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું.અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્રિત થઇ  ગયા હતા.પરંતુ,કોઇએ એમ્બ્યુલન્સ પણ બોલાવી નહતી.બનાવની જાણ રાજેન્દ્રભાઇની સોસાયટીમાં  રહેતા વ...

પાદરામાં પાણીજન્ય રોગે માથું ઉંચક્યુ : ભાઇ બહેનના ઝાડા ઊલટીથી મોત

વડોદરા.પાદરામાં ઝાડા ઊલટીના કારણે બે  દિવસમાં એક જ પરિવારના બે બાળકોના મોત થયા છે.અને પરિવારની મહિલા પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં નહી આવે તો પાણીજન્ય રોગ વધુ લોકોનો ભોગ લેશે. પાદરાના લતીપુરા રોડ પર  રહેતા રાજેશભાઇ બારિયાની  પાંચ વર્ષની પુત્રીને ગત તા.૨૬ મી ના  રોજ ઝાડા ઊલટી થતા તેને સારવાર માટે પાદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાંથી વધુ સારવાર માટે બાળકીને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.પરંતુ,આજે સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે.બાળકીના ભાઇને પણ ઝાડા ઊલટી થયા હતા. તેનું ગઇકાલે અવસાન થયુ હતું.બાળકીની માતા પણ હાલમાં ઝાડા ઊલટીના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. ઉલ્લેખનીય છે કે,ચોમાસાની શરૃઆતમાં જ પાદરા નગરમાં પાણીજન્ય રોગોએ માથુ ઉંચક્યું છે.અને ભાઇ બહેનના મોત થયા છે.તેના કારણે પાદરાના નગરજનોમાં પાણીજન્ય રોગોથી ે ફફડાટ  ફેલાયો છે. https://ift.tt/3qC0xdC

રોમિયોએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું કે, તમારો મોબાઇલ નંબર આપો,આપણે આવતી કાલે મળીશું

 વડોદરા,મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતો રોમિયો પોલીસના છટકામાં આબાદ ઝડપાઇ ગયો હતો.સાદા ડ્રેસમાં પેટ્રોલિંગમાં નીકળેલી મહિલા કોન્સ્ટેબલને ઓળખી નહી શકનાર યુવકને લોકઅપમાં ફિટ થવાનો વારો આવ્યો છે. વાડી પોલીસ સ્ટેશનની શી-ટીમની મહિલા કોન્સ્ટેબલ તેમના સ્ટાફ સાથે સાદા ડ્રેસમાં અછોડા તોડ તથા મહિલાઓની છેડતી કરનાર તત્વોની વોચમાં હતા.વિહાર સિનેમા પાસે તેઓ ઉભા  હતા.તે દરમિયાન સામે આવેલી હોસ્પિટલ પાસે એક યુવક ઉભો હતો.અને ઇશારા કરતો હતો.જેથી,મહિલા કોન્સ્ટેબલ ત્યાંથી ચાલતા ચાલતા ચોખંડી નાની શાક માર્કેટ પાસે ગયા હતા.તે યુવક   પીછો કરતો  શાક માર્કેટ ગયો હતો.અને મોબાઇલ બતાવી ઇશારા કરતો હતો.જેથી,મહિલા કોન્સ્ટેબલ તે યુવક પાસે ગયા  હતા.અને પેલા યુવકને ઇશારા કેમ કરે છે? તેવું પૂછ્યુ હતુ.યવકે બિન્દાસ્તપણેે ,પોતાનો મોબાઇલ નંબર આપી કહ્યું હતું કે,આપણે આવતીકાલે મળીશું. જેથી,પોલીસની ટીમે  તેને ઝડપી લીધો હતો.મહિલાએ પોતાની ઓળખ આપતા જ યુવકના હોંશ ઉડીગયા હતા.જાહેરમાં મહિલાઓની છેડતી કરતા યુવક અમીન અબ્દુલકાદર વ્હોરા ઉ.વ.૨૪ (રહે.ખત્રીવાડ,હાથીખાના)ની સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કર...

ભાવનગરમાં 316 આંગણવાડીના 11,771 બાળકને ગણવેશ વિતરણ

ભાવનગર : શહેરનાં અટલ બિહારી વાજપાઇ ઓપન એર થિએટર ખાતે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાવનગર શહેર સહિત રાજ્યભરની આંગણવાડીઓમાં અભ્યાસ કરતાં બાળકો માટે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળની ૩૧૬ આંગણવાડીઓના ૧૧,૭૭૧ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી વિશેષરૂપે ઉપસ્થિતિ રહ્યાં હતાં અને મુખ્યમંત્રી પાસેથી મહિલા અને બાળ વિકાસ વિભાગને મળેલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના પ્રમાણપત્ર સ્વીકાર્યા હતાં.  મુખ્યમંત્રીએ વર્ચુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ ગણવેશથી આગવી ઓળખ મળશે. મુખ્યમંત્રીએ ૩૬ કરોડ ૨૮ લાખના ખર્ચે આકાર પામેલી આ ગણવેશ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો -ભૂલકાઓ માટેનો આ સંવેદના સ્પર્શી નવતર અભિગમ ગણાવી જણાવ્યું કે, રાજ્યભરની આંગણવાડીઓના ૧૪ લાખ બાળકોને વિના મૂલ્યે ગણવેશ વિતરણની આગવી પહેલ કરતું એક માત્ર ગુજરાત રાજ્ય છે. ગુજરાતે કોરોનાકાળ ...

પોલીસ જમાદારના મોત પછી સફાળી જાગેલી પોલીસે એક જ દિવસમાં ૫૯ વાહનો ડિટેન કર્યા

વડોદરા.રણોલી બ્રિજ પાસે રોન્ગ સાઇડ આવતા ભારદારી વાહનના કારણે એ.એસ.આઇ.ને જીવ ગુમાવવો પડયો છે.જેના કારણે સફાળી જાગેલી પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ યોજીને ૫૫ ભારદારી વાહનો સહિત ૫૯ વાહનો ડિટેન કર્યા છે. શહેરમાં બેફામ દોડતા ભારદારી વાહનોના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાય છે.હાલમાં કોરોનાના કારણે પોલીસતંત્ર માત્ર માસ્કની કામગીરી જ કરતુ હતું.જેના કારણે ભારદારી વાહનચાલકોને છૂટ્ટો દોર મળ્યો હતો.આજે સવારે પૂરઝડપે જતા ભારદારી વાહનના કારણે બાઇક પર  નોકરી જતા પોલીસ જવાનનું મોત થયુ હતુ.જેના પગલે સફાળી જાગેલી પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ રાખી રણોલી ચોકડી પાસેથી ૧૦   ભારદારી વાહનો સહિત કુલ ભારદારી ૫૫ વાહનો ડિટેન કર્યા છે.જ્યારે ચાર જીપ પણ ડિટેન કરી છે.આજે એકીસાથે ૫૯ વાહનો ડિટેન કરતા સયાજીગંજ અને મોતીબાગ પાસેના ગ્રાઉન્ડ ભરાઇ ગયા હતા.અને વાહનો બહાર રોડ પર પાર્ક કરવાની ફરજ પડી હતી. https://ift.tt/3h6XaYE

આણંદ તાલુકામાં એક જ કલાકમાં 3 ઈંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાઇ ગયા

આણંદ : આણંદ જિલ્લામાં ગઈકાલ રાત્રિના સુમારે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. લગભગ એક કલાકના સમયગાળામાં જ આણંદ તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે જિલ્લાના સોજિત્રા તાલુકામાં અઢી ઈંચ અને ઉમરેઠ તથા પેટલાદ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ સાંપડયા છે. ગત તા.૪ જૂનના રોજ રાત્રિના સુમારે મેઘરાજાએ આણંદ જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ચોમાસાના પ્રારંભે જ આણંદ તાલુકામાં લગભગ સાત ઈંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારબાદ લગભગ પાંચ દિવસ સુધી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ગત સપ્તાહે કેટલાક દિવસો દરમ્યાન મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. ત્યારબાદ છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ પુનઃ જામ્યો છે. દરમ્યાન સોમવારના રોજ દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત્રિના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને આકાશમાં વીજળીના ચમકારા સાથે મેઘ ગર્જના વચ્ચે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અચાનક ...

સૌરાષ્ટ્રની ચિંતા વધી : જામનગરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી

- જામનગર જિલ્લામાં કોરોનાના વધુ બે દર્દીઓના મોત, અન્યત્ર મૃત્યુ આંક ઝીરો - જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈને તા.૨ જુને સાજા થઈ ગયેલા વૃધ્ધાનાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાનો પૂણે લેબ.નો રિપોર્ટ રાજકોટ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર હજુ તો માંડ શાંત પડી રહી છે એવામાં જ આજે જામનગરમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું આગમન જાહેર થતાં જ ચિંતા ઓચિંતી વધુ ગઈ છે. અલબત, વૃધ્ધ વયના એ મહિલા આજતી ૨૩ દિવસ પહેલા જ સ્વસ્થ બની ગયાછે. પરંતુ પૂણેથી આજે આવેલા તેમના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની હાજરી માલૂમ પડી છે. જેથી તેમના વિસ્તારમાં સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક વયોવૃધ્ધ મહિલા ગત મે મહિનામાં કોરોના સંક્રમિત બની ગયા હતાં. અન્નપૂર્ણા મંદિરની પાસે રહેતા વયોવૃધ્ધ મહિલાન ેજી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ગત ૨૮મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, અને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી, જેમને ૨ જુનના દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ તે હાલ પોતાના ઘેર સ્વસ્થ અવસ્થામાં છે. દરમિયાન, તેને ડેલ્ટા પ્લસ વેરીયન્ટ છે કે કેમ, તેની ચકા...

વિરમગામના કોઠારી પોલીસ ચોકી નજીકથી બાઇક ચોરાયું

વિરમગામ : અમદાવાદ જિલ્લાના શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દિન-પ્રતિદિન વાહન ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે માંડલ તાલુકાના હાંસલપુર ગામેથી અને વિરમગામ શહેરમાંથી મોટર સાઇકલ ચોરાયાની ફરિયાદ નોંધવામાં આવી છે.  મળતી માહિતી મુજબ હાંસલપુર ખાતે ખાનગી કંપનીના ગેટ સામે સર્વિસ રોડ પર પાર્ક કરેલા મોટર સાઇકલ ચોરાયાની ફરિયાદ નોંધાયાના બીજા દિવસે શહેરના કોઠારી બાગ ખાતેથી મોટર સાઇકલ ચોરાયાની ફરિયાદ અમરશી શીવાભાઇ મેરએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. અત્રે એ નોંધનીય છે કે કોઠારી બાગ ખાતે કોઠારી પોલીસ ચોકી આવેલી છે. https://ift.tt/3qxIgOu

માત્ર 7 વર્ષના તનયના હેલિકોપ્ટર શોટ જોઈને ભલભલા દંગ રહી જાય છે

- ઓનલાઈન સ્ટડી બાદ માત્ર ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે,કાર્ટૂનને બદલે ક્રિકેટ જુએ છે : પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ હેલિકોપ્ટર શોટ્સ ની પ્રશંસા કરી  સુરત : ઘણીવાર નાના બાળકો એવી કમાલ કરી બતાવે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ત્યારે સુરતના 7 વર્ષના ક્રિકેટ પ્રેમી બાળક તનય જૈને એવું કરી બતાવ્યું છે કે તેના વખાણ દેશના ક્રિકેટર પણ કરી રહ્યા છે. તનયના હેલિકોપ્ટર શોર્ટ્સ જોઈને સૌ કોઈ દંગ છે. ક્રિકેટર થી કમેન્ટેટર બનેલા આકાશ ચોપરાએ પણ તનયના હેલિકોપ્ટર શોટની પ્રશંસા કરી છે.  ધોરણ 2 માં અભ્યાસ કરતા માત્ર સાત વર્ષના તનય જૈનની રમત મોટાઓને પણ હંફાવે છે. તેમાં પણ તેના હેલિકોપ્ટર શોટ્સના વિડીયો સોશિયલ મીડિયામાં વખણાય છે. કોમેન્ટેટર આકાશ ચોપરાએ તના હેલિકોપ્ટર શોટ્સ પર સોશિયલ મીડિયામાં  કોમેન્ટ્રી કરી છે. જેને ચાર દિવસમાં 69 હજાર કરતાં વધુ લાઈકસ મળી છે. તનય દરેક પ્રકારના શોટ્સ રમે છે. કાર્ટૂન ને બદલે ક્રિકેટ જુએ છે અને ક્રિકેટ શીખે છે. ઓનલાઈન સ્ટડી બાદ માત્ર ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. તે કોઈ ગેજેટ તરફ આકર્ષાયો નથી.  તનયે કહ્યું કે, બે કલાક ભણું છું અને આઠ કલાકથી વધુ સમય ક્રિકેટની...

Corona Cases: રાજ્યમાં આજે 93 નવા કેસ, 21 જિલ્લામાં એક પણ કેસ નહીં

ગાંધીનગર, 29 જુન 2021 મંગળવાર રાજ્યમાં આજે કોરોનાનાં 93 કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મોત થયા છે. રાજ્યમાં આજે 326 લોકોએ કોરોનાને હરાવ્યો છે, રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3230 છે, હાલ 3219 દર્દીની હાલત સ્ટેબલ છે. 11 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 810147 લોકો કોરોનાને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10056 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.39 ટકા છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 20 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ, સુરત કોર્પોરેશનમાં 18 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, સુરતમાં 4 અને વડોદરામાં 7 કેસ, નવસારીમાં 3 અને બનાસકાંઠામાં 3 કેસ, આણંદમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ, ગીર સોમનાથમાં 1 કેસ, જામનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢમાં 3 તથા, સુરેન્દ્રનગરમાં 1 કેસ, અમરેલીમા 4 કેસ નોંધાયા છે. જામનગરમાં બે કેસ, ભરૂચમાં ત્રણ નોંધાયા છે. તે સિવાય દેવભૂમિ દ્ધારકા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં એક-એક કેસ નોંધાયા હતા. જો કે રાજ્યનાં 21 જિલ્લાઓ એવા પણ છે, જ્યાં કોરોનાનો...

સુરત કતલખાને લઇ જતા ૩૨ અબોલ પશુઓને નરોડાથી બચાવી લીધા

અમદાવાદ,સોમવાર અબોલ પશુઓની ચોરી કરીને ગેરકાયદે કતલ કરવાનો ગોરધંધો વધી રહ્યો છે, નરોડા રણાસણ ટોકનાકા પાસેથી પોલીસે  કતલખાને જવાતા ૩૨ પશુંઓને બચાવી લીધા હતા. પોલીસ તપાસમાં રાજસ્થાનથી ટ્રકમાં લાવ્યા હતા, પશુઓને ટૂંકા દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધેલા હતા,નરોેડા પોલીસે  ચાર શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે નારો વિસ્તારમાં પીપળજ ખાતેથી મધરાતે ત્રણ પશુંઓને ચોરી કરીને કસાઇઓ ફરાર થઇ ગયા હતા. નારોલ  પીપળજ  સરકારી ચાવડી પાસેથી મધરાતે ત્રણ પશુંઓની ચોરી કરી કસાઇઓ ફરાર જીવદયા પ્રેમીઓેએ પોલીસને માહિતી આપી હતી જેને લઇને નરોડા પોલીસે વોચ ગોઠવી હતી અને મધરાતે નરોડા રણાસણ ટોકનાકા પાસે આઇસર  ટ્રકને રોકી હતી જ્યાં પોલીસ તથા જીવદયા પ્રેમીઓને જોઇને એક આરાપી ચાલુ વાહનમાંથી  ઉતરીને ભાગી ગયો હતો, પોલીસે ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી ૩૨ પાડા મળી આવ્યા હતા. આ પશુઓને રાજસ્થાનના સિહોરી જિલ્લામાંથી ભરીને લાવ્યા હતા,  તમામ પશુઓને ટુંકા દોરડાથી બાંધેલા હતા અને  ઘાસચારો કે પાણીની પણ સગવડ ન હતી. નરોડા પોલીસે  રાજસ્થાનના સિહાર જિલ્લાના રેવદર તાલુકાના લુણોલ ગામન...

વટવા વિંઝોલ ક્રોસિંગ પાસે હિટ એન્ડ રન ઃ એકનું મોત, એક ઘાયલ

અમદાવાદ,સોમવાર પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતમાં મોતના ચિંતાજનક બનાવો વધી રહ્યા છે, વટવા વિંઝોલ ક્રોસિંગ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ  અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવક ઘાયલ થયો હતો, જ્યારે ઓઢવ બીઆરટીએસ કોરીડોરમાં એક્ટિવા ડિવાઇડર સાથે અથડાતાં એકનું યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઓઢવ બીઆરટીએસ કોરીડોરમાં ડિવાઇર સાથે એક્ટિવા ટકરાતા એક યુવક નું મોત બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા આ કેસની વિગત એવી છે કે   જશોદાનગર પુનિતનગર પાસે ભાડાના મકાનમાં રહેતા અને વટવા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા મનોજભાઇ રમેશભાઇ કલાસવા (ઉ.વ૨૪) તથા તેમનો મિત્ર રાજુભાઇ મીણા (ઉ.વ.૨૧) ગઇકાલે રાતે બાઇક  પર બેસીને વટવા જીઆઈડીસી પાસે અંબિકા ચાર નજીકથી વિંઝોલ ક્રોેસિંગપાસેથી  પસાર થઇ રહ્યા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે બાઇકને ટક્કર મારતાં બન્ને  યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં મનોજભાઇનું સારવાર દરમિાયન મ...

ટ્રેનની બોગીનું પરિવહન કરતું રો-રો રેલ ફેરી શિપનું અલંગ બનશે આખરી મુકામ

ભાવનગર : વિશ્વ વિખ્યાત જહાજવાડા અલંગ ખાતે સપ્તાહના અંત સુધીમાં ૧૨ હજાર મેટ્રીક ટન એડીટી ધરાવતા બાલી સી નામનું રો-રો રેલ ફેરી શિપ આખરી મુકામે પહોંચી જશે. આ મહાકાય જહાજના બે માળમાં ટ્રેનની બોગનું પરિવહન કરવામાં આવતું હતું. જેને અલંગના શિપબ્રેકરે ૫૭ લાખ ડોલરમાં ખરીદી લેતા અલંગના ઈતિહાસમાં વધુ એક મોરપિંછ ઉમેરાયું છે. અલંગના સાગરલક્ષ્મી શિપબ્રેકર્સ પ્લોટ નં.૪ ખાતે સંભવત્ બીજી અથવા ત્રીજી જુલાઈના રોજ રો-રો રેલ ફેરી શિપ ભંગાવવા માટે આવવાનું છે. ૧૯૮૨માં સિંગાપોરમાં નિર્માણ પામેલા રો-રો રેલ ફેરી શિપમાં ટ્રેનની બોગીઓને માલ-સામાન સાથે એક દેશથી બીજા દેશ અથવા એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પરિવહન કરવામાં આવતી હતી. શરૂઆતમાં આ શિપ હેવી લિફ્ટ કેરિયર હતું. જેમાં કાર્ગો લિફ્ટ કરવામાં આવતું હતું. પરંતુ રેલ માટે ડિમાન્ડ નીકળતા તેને મોડીફાઈડ કરી શિપના બે માળમાં રેલવે ટ્રેક પાથરી રો-રો રેલ ફેરી શિપ બનાવવામાં આવ્યું હતું.  રો-રો રેલ ફેરી જહાજ નિવૃત્ત થયું ત્યારે અમેરિકાના બંદર પર હતું. આ શિપને અલંગના શિપબ્રેકર અશોકભાઈ દાઠાવાલા, અમીતભાઈ દાઠાવાલાએ ચાલુ માસમાં જ ૫૭ લાખ ડોલર (૪૨.૭૫ કરોડ)માં ખરીદ્યું છે. આ અ...

એસ.પી. યુનિ. સંલગ્ન લૉ-કોલેજના વિદ્યાર્થીઓનું ઉપવાસ-આંદોલન

આણંદ : વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ. સંલગ્ન લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી એમસીક્યુ બેઈઝ પરીક્ષા મુદ્દે ચલાવવામાં આવી રહેલ આંદોલનમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા યુનિ. ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. જો કે યુનિ.ના કુલપતિએ આંદોલન કરતાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ પણ વિદ્યાર્થીઓનો પ્રશ્ન યથાવત રહેતા આખરે વિદ્યાનગર પોલીસે સૂત્રોચ્ચાર કરી રહેલ સિન્ડીકેટ સભ્ય સહિતના વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. વધુમાં મળતી માહિતી મુજબ લો ફેકલ્ટીમાં એમસીક્યુ બેઈઝ પરીક્ષા લેવાના મુદ્દાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ છે ત્યારે કેટલીક કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી યુનિ. સત્તાધીશો સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. બે દિવસ પૂર્વે યુનિ. ખાતે  સૂત્રોચ્ચાર કર્યા બાદ બીજા દિવસે વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરાઈ હતી. જો કે યુનિ. સત્તાધીશો પોતાના નિર્ણય ઉપર અડગ રહેતા આજથી ત્રણ દિવસ માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઈ હતી. જે મુજબ બપોરના સુમારે લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ યુનિ. પરિસર ખાતે ઉપવાસ આંદોલન શરૂ ...

કૂતરું આડું આવતા સ્લિપ થયેલી બાઈક ગરનાળા સાથે અથડાતા મોત

આણંદ : આણંદ તાલુકાના વહેરાખાડી-સારસા માર્ગ ઉપર આવેલ ગરનાળા નજીક ગઈકાલ સમીસાંજના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક મોટરસાયકલની આગળ કૂતરું આડુ આવતા ચાલકે મોટરસાયકલ ઉપરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ ગરનાળા સાથે અડથાડું હતું. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ ચાલકનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ શખ્શને વધતા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ જીઆઈડીસી ખાતે રહી એક કંપનીમાં નોકરી કરતા દિપકભાઈ કિશોરભાઈ ઠાકર (ઉં.વ.૧૯) ગતરોજ પોતાના મિત્ર દિપકભાઈ અંબાલાલ પવારની મોટરસાયકલ ઉપર સવાર થઈ વહેરાખાડી ખાતેની મહીસાગર નદીમાં ન્હાવા ગયા હતા. સાંજના સુમારે તેઓ વિદ્યાનગર ખાતે પરત આવવા નીકળ્યા હતા. દરમ્યાન સાંજના સુમારે તેઓની મોટરસાયકલ વહેરાખાડી-સારસા રોડ ઉપર આવેલ રજાનગર કોલોની નજીકના ગરનાળા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કૂતરું રસ્તામાં આડુ આવતા મોટરસાયકલ ચલાવી રહેલ દિપકભાઈએ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને મોટરસાયકલ ગરનાળા સાથે ધડાકાભેર રીતે અથડાયું હતું. આ અકસ્માતમાં દિપકભાઈ પવારને માથા...